________________
૫૮
તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦ કેમ કે તેમાં પ્રાણોના ત્યાગમાં ઉત્સર્ગથી પ્રવૃત્તિ છે. આથી જ પ્રાણના સંકટમાં=પ્રાણના કષ્ટમાં, ધર્મનો ત્યાગ કરતો નથી. ર૦૧
ક શ્લોકમાં ‘ત્યનક્તિ' ના સ્થાને ટીકા પ્રમાણે ત્યતિ' પાઠ જોઈએ. ભાવાર્થ - દીપ્રાદષ્ટિવાળા રોગીઓને પ્રાણથી પણ ધર્મનું અધિક મહત્ત્વ :
ચોથી દૃષ્ટિવાળા જીવો ભાવપ્રાણાયામ કરે છે. તેથી ઉત્તમ ભાવવાળા બને છે અને તે ઉત્તમ ભાવને કારણે “પ્રાણ કરતાં પણ ધર્મ મહાન છે” તેવો નિશ્ચય થયેલો હોય છે. તેથી ધર્મ માટે પ્રાણનો ત્યાગ કરે છે. ફક્ત અપવાદથી પ્રાણ માટે ધર્મત્યાગ ન પણ કરે, તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે પ્રાણત્યાગમાં ઉત્સર્ગથી પ્રવૃત્તિ હોય છે.
આશય એ છે કે પોતે ગ્રહણ કરેલ પ્રતિજ્ઞારૂપ ધર્મના રક્ષણ માટે પ્રાણનું સંકટ આવે તો પ્રાણના ભોગે પણ ચોથી દૃષ્ટિવાળા જીવો ધર્મનું રક્ષણ કરે. આમ છતાં, પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા જતાં સમાધિનો પ્રશ્ન આવે તો અપવાદથી સમાધિના રક્ષણ અર્થે દ્રવ્યપ્રાણના રક્ષણમાં યત્ન કરે છે. તેથી તેવા પ્રસંગે બાહ્ય પ્રતિજ્ઞાને ગૌણ કરીને દેહનું રક્ષણ કરે છે.
જેમ સુસાધુ જંગલમાંથી પસાર થતા હોય અને કોઈ હિંસક પ્રાણી સામેથી આવતું હોય અને પોતાની ચિત્તની ભૂમિકા એવી સંપન્ન હોય, તો સમિતિ આદિનું ઉલ્લંઘન કરીને દેહનું રક્ષણ કરવા યત્ન ન કરે, પરંતુ દેહના ભોગે પણ સમિતિ આદિના પાલનમાં જ યત્ન કરે. જેમ પૂ. વજાચાર્યે સામેથી આવતા સિંહને જોઈને વિચાર કર્યો કે “જો હું ત્વરાથી વૃક્ષ ઉપર ચઢી જાઉં તો દેહનું રક્ષણ થાય તેમ છે”, તોપણ જીવરક્ષાના શુભ પરિણામથી ઝાડ પર ન ચઢતાં તેઓ ત્યાં જ ધ્યાનમાં બેસી જાય છે, અને સિંહ આવીને તેમનો વિનાશ કરે છે તોપણ સમતાના પરિણામથી કેવળજ્ઞાનને પામે છે; અને જે સાધુ આવી સમાધિમાં રહી શકે તેવી ભૂમિકામાં નથી, તેથી દેહના રક્ષણ માટે યત્ન ન કરે તો, હિંસક પ્રાણીના હુમલાથી દુર્ગાનને પ્રાપ્ત કરીને સંયમના પરિણામથી પણ ભ્રષ્ટ થાય તેવા હોય, તેવા સાધુને આશ્રયીને દેહના રક્ષણ માટે અપવાદથી વૃક્ષાદિ ઉપર ચડવાની ભગવાનની આજ્ઞા છે. તે રીતે ચોથી દૃષ્ટિવાળા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org