Page #1
--------------------------------------------------------------------------
________________
TTTTTTTT
11 30 11
જૈનમાર્ગ દર્શક.
ભાગ ૧ લા.
અહિંસા પરમેા ધ.
પ્રકાશક: —શ્રાવક ભીમશી માણક ખારીઆ બીલ્ડી’ગ, પાયધુની.
મુઇ ન. ૩.
વીર સંવત ૨૪૫૫.
વિક્રમ સવંત ૧૯૮૫
મૂલ્ય છ આના
22222:222:22
and Private Use Or
Page #2
--------------------------------------------------------------------------
________________
વરરર
જેનમાર્ગ દર્શક
ભાગ ૧ લે.
2888228288288
અહિંસા પરમે ધર્મ.
છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રાવક ભીમશી માણુક,
બારીઆ બીલ્ડીંગ, પાયધુની. મુંબઈ નં. ૩.
(ા© વીર સ વત ૨૪૫૫.
વિક્રમ સંવત ૧૯૮૫.
આવૃતિ પહેલી
પ્રત ૧૦૦૦.
નેટ –સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Jain Educationa International
For Personal and Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિક.
ખંડ ૧ લે. ૧ જીવ. ' ... ૨ જીવના વર્ગ .. ૩ સુમ, એકૅક્રિય સ્થાવર ૪ બાદર એકૅકિયા ૫ પ્રત્યેક વનસ્પતિ ૬ વિકલૅકિય . ૭ પંચેન્દ્રિય ... ૮ ગર્ભ જ અને સંમૂ ઈમ
૧૦
- ૧૪
૧૫
: : : : : : : : : : : : : : : : : :
૧૭
ર
૧૦ કર્મના વિભાગ ૧૧ ઘાતિકર્મ ૧૨ અઘાતકર્મ .. ૧૩ આઠ કર્મ ... ૧૪ પરમેશ્વર .. ••• ૧૫ જગત ભાગ ૧ લો. ૧૬ જગત ભાગ ૨ જે. ૧૭ જગત ભાગ ૩ જે, ૧૮ પુણ્ય પાપ. ભાગ ૧ લે. ... ૧૯ પુણ્ય પાપ. ભાગ ૨ જે. ...
२७
૨૮
૩૧
હ૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૫
૩૭
૩૮
૪૦
૪૧
૪૩
૪૬
૪૮
: : : : :
૪૯
૨૦ આશ્રવ સંવર ભાગ ૧ લો... .... ૨૧ આશ્રવના ૪૨ ભેદ ભાગ ૨ જે . ૨૨ સંવરના ૫૭ ભેદ ભાગ ૩ જે ... ૨૩ બંધ-નિરા-મેક્ષ ભાગ ૧ લે. બંધ ૨૪ બંઘ-નિર્જરા–મોક્ષ ભાગ ૨ જે નિર્જર ૨૫ બંધ-નિર્જ-મક્ષ ભાગ ૩ જો મેક્ષ
ખંડ ૨ જે.. ૨૬ સમ્યકત્વ ૨૭ સમ્યકત્વ ૨૮ ધર્મ ૨૯ જ્ઞાનસંબંધી આચાર ૩૦ દર્શનાચાર ૩૧ શ્રી જીતેશ્વર પુજા ભાગ ૧ ૩૨ શ્રી જિનપૂજા વિધિ ૩૩ ગુરૂસેવા ૩૪ શાસ્ત્ર શ્રવણ ૩૫ દાન ૩૬ સાધર્મિવાત્સલ્ય ૩૭ પ્રભાવના
ખંડ ૩ જે. ૩૮ નીતિ ૩૯ નીતિના મુખ્ય નિયમો .. ૪૦ ધર્મરત્વ પામવાની ૨૧ ગુણ
૫૧
૫૪
૬૧
: : : : : :
૬
૩૦
કર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
199
(૬
૪૧ નીતિના નિયમેને સાર .. કર નીતિ પાળવાને ઉપાય ... ૪૩ નીતિ એ સ્વાભાવિક કાનુન છે ૪૪ નીતિ અને ધર્મને મુકાબલો ૪૫ નીતિ અને ધર્મ ૪૬ નીતિના વિભાગ ૪૭ નિત્ય કર્તવ્ય ૪૮ સાધુ-શ્રાવક ૪૯ જૈન ધર્મ નીતિ ૫. મૂળ નિયમ ૫૧ આપણી ફરજો પર સદ્ગણે ... ૫૩ જૈનના પ્રચલીત સિદ્ધાંતે ... ૫૪ સત્ય-અસત્ય ૫૫ જ્ઞાન અને અજ્ઞાન ૫૬ દયા અને આત્મા
૮૭
: : : : : : : : : : : : : : : :
૯૬
८७
૯૮
૯૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના अजरा मरवत, माज्ञो विद्यामर्थ च चिन्तयेत् । गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥
ધર્મ આ ભવમાં સાથી રૂપ છે, ધર્મ પ્રાણ સાથે જોડાચેલે છે, અને તેનાં ફળો આભવ તથા પરભવ બનેમાં મળે છે. પ્રાણી માત્રને જેટલી જરૂર અન્ન, જળ કે વાયુની છે તે કરતાં આત્માને ધર્મની લેશ પણ ઓછી જરૂર નથી. મુનિ મ. હારાજે કે આચાર્યોનાં વચનામૃત મેળવવા હૈ ભાગ્યશાળી થઈ શકતા નથી, અને તેવાં એક અને અન્ય કારણે જૈન ધર્મ સિદ્ધાંત, મત વગેરે સમજવાનું કે પ્રત્યેક મનુષ્યની શી શી ફરજે છે તે જાણવાનું ઘણાઓથી વંચિત રહે છે. આવા પ્રસંગમાં, ખરૂં મનુષ્યત્વ સમજવાને, ખરી ધાર્મિક ભાવના ખીલવવાને અને સત્ય ધર્મ એલખાવી સત્ય પંથેવાળવાના આશયથીજ આ ગ્રંથની યેજના કરેલ છે.
આ ગ્રંથમાં જીવનને અતિ અવશ્યના એવા મુખ્ય મુખ્ય વિષયો જેવા કે જીવ વિચાર, કર્મ સ્વરૂપ, પરમેશ્વર, જગત પુણ્યપાપ આશ્રવ–સંવર–બંધનનિર્જરા-મોક્ષ, સમ્યકાવ, ધર્મ, જ્ઞાન, જિનપૂજા, પુજ્ય સેવા, શાસ્ત્ર શ્રવણ. દાન આદિ ઉપયોગી વિષય સાથે નીતિને પણ ન વિસરતાં સર્વને સરલ સમજપૂર્વકનો સમાવેશ કરવામાં આવેલ છે.
જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં દ્રષ્ટાંતપૂર્વક સચોટ દલીલેથી વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
પઠન-મનનથી જૈનધર્મ તરફ પ્રયાણ કરનારને સવ દ્વાર ખુલ્લાં અને રસ્તે સરળ થઈ પડે એવી રીતે વિષયોની ગોઠવણી કરેલ છે અને આ પુસ્તકનું નામ તેથીજ “જેનમાર્ગ દર્શક” રાખવામાં આવેલ છે.
चला लक्ष्मी श्चला पाणाश्चले जीवित यौवने । चलाचलेच संसारे धर्म एकोहि निश्चलः ।
અમેને ઉમેદ અને આશા છે કે જે હેતુપૂર્વક અમોએ પ્રયાસ કરેલ છે તે ઈશ્વર કૃપાથી જરૂર પાર પડશે
પુસ્તક ખુબ ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી તેમાં ભૂલ રહેવા સંભવ છે. જેને માટે વાંચકોની અમે ક્ષમા યાચીએ છીએ. મારું વિસ્તરેલ.
લિ.
બારીઆ બીલ્ડીંગ, પાયધુની મુંબઇ ૩ તા. ૨૩-૯-૨૯ U
પ્રકાશક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
જાહેર ખબર.
જેને માર્ગ દર્શક.
ભાગ ૨ જે.
દિવાળી લગભગ તૈયાર થઈ જશે.
PRINTED BY MAVJI D. PATEL AT THE NEW LAXMI PRINTING PRESS GAYA BUILDING, MANDVI
BOMBAY NO. 3.
AND PUBLISHED BY SHA HIRJI GHELABHAI PADAMSI TRADING UNDER THE NAME AND STYLE OF
SHRAVAK BHIMSHI MANAK BARIA BUILDING, PYDHONIE, BOMBAY 3.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
છે ૐ . જેનમાર્ગ દર્શક.
ભાગ ૧ લે.
મૂળત.
પાઠ ૧. જીવ. આત્મા એ જીવ છે, અને જીવ તેજ આત્મા છે, તથાપિ જ્યાં સુધી તે કર્મ સહિત હોય, ત્યાં સુધી તેને જીવ કહેવે અને કમરહિત થાય, ત્યારે જ તેને આત્મા કહે, એ વધારે સારું છે. આત્મા મૂળ સ્વભાવે ચેતન્ય સ્વરૂપ હોવાથી અનંત જ્ઞાનપાન અને અનંત વીર્યવાન સાક્ષાત્ પરમેશ્વર જે છે, પરંતુ જડસ્વભાવી કર્મથી અવરાઈ પિતાનું ખરું સ્વરૂપ અનાદિ કાળથી ભૂલી ગયો છે. એ અનાદિ ભૂલથી કર્મને લીધે લાચાર બની રહેલા જીવને જન્મ, મરણ, રેગ, ચિંતા, ભય, શોક,
૧ જ્ઞાન સ્વરૂપ. ૨. શકિતવાન ૩. ઢંકાઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
વગેરે મહા મહા દુ:ખે આ સંસારમાં અનેકવાર ભેગવવાં પડે છે; માટે ગુરૂ પાસેથી કે આત્મવિચારથી પિતાનું ખરું સ્વરૂપ ઓળખી પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે જ્ઞાન અને શક્તિ ફોરવી વર્તન કરવા માંડીએ તો સઘળાં કર્મને તોડી નાખીએ. કર્મના પાશમાંથી છુટતાં જન્મ, મરણ આધિ-વ્યાધિ –ઉપાધિના દુખે હંમેશને માટે નાશ પામે છે અને સાદિ અનંત કાળસુધી જ્ઞાનરૂપે-વીર્યરૂપે-આનંદરૂપે જીવ પિતે થઈ રહે છે. એ આવે સર્વ કર્મથી છુટેલે આત્મા પૂર્ણ પવિત્ર થવાથી ફરીને કદાપિ કમની ઉપાધિમાં આવતો નથી. હંમેશાં મુકતરૂપે પરમાનંદને પ્રાપ્ત થાય છે. આમ કર્મ સ્વભાવે જીવ દુઃખી થાય છે. અને આત્મ સ્વભાવે શાશ્વત સુખ પામે છે.
જીવ અનેક છે, અને એ જીવના કર્મને લીધે કેવા વર્ગ પડી શકે છે તે હવે આપણે આગલા પાઠમાં સમજશું. ( ૧ વીર્ય–પરાક્રમ. ૨ મનની પીડા-ચિંતા. ૩ શારીરિક પીડા. જ ઘર સંસારિક પીડા. ૫ મેક્ષસ્થિતિના આરંભથી. ૬ પંચાતીજંજાળ. ૭ હંમેશનું. ૮ કર્મને લીધે નાના પ્રકારની ચોરાશી લાખ નિમાં જાતિમાં) વારંવાર વેંચાયો છે; પિતે સ્વભાવે જ્ઞાનવાનું હોવા છતાં મૂર્ખ, દર્શનવાનું હોવા છતાં ખેટ, ચારિત્રવાન્ હોવા છતાં દુષ્ટ, પરમસુખરૂપ હોવા છતાં દુઃખી, વીર્યવાન હોવા છતાં નિર્બળ, સુખરૂપ હોવા છતાં દુ:ખ, મરણ જન્મથી પર–અમર હોવા છતાં મત્ય (મર્ણ વાન), અરૂપ હોવા છતાં આકાર વાળ, અગુરૂ લધુ હોવા છતાં ભારે હલકા એ થાય છે. આ બધું કર્મને લીધે થાય છે, માટે પિતાનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ ઓળખી કર્મને ક્ષય કરી જિનેધર જેવા થવું એજ આપણું કર્તવ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા પાઠ ૧. જીવનું બીજું નામ શું છે? આત્મા મૂળ સ્વભાવે કેવો છે? આત્માનું મૂળરૂપ શાથી ઢંકાયું છે? કર્મ ક્યારથી વળગ્યાં છે ? આત્મા બળવાન કે કર્મ બળવાન? આત્મા કમથી છુટો થાય તો ફરી બંધાય છે? આત્મા કેટલા છે ?
પાઠ ૨. જીવના વર્ગ. સઘળા જીવના બે વર્ગ છે -સિદ્ધજીવ અને સંસારીજીવ. જેઓ કર્મને તેડી દેહથી મુકત થયા તેઓ સિદ્ધ છે, અને જેઓ કમેના સંબંધથી દેહ ધારણ કરીને સંસારમાં રહેલા છે તે સંસારી જીવ છે.
સંસારી જીવ બે વર્ગમાં વહેંચાયેલા છે; ત્રસ અને સ્થાવર. ત્રસજીવર હરીફરી શકે છે અને સ્થાવરજીવ સ્થિર રહે છે
સ્થાવર ને માત્ર એકલું શરીર હોય છે, તેથી તે એકેદ્રિયવાળા છ ગણાય છે. તેઓને સ્પશે દ્રિવાળા પણ કહે છે તેના પાંચ વર્ગ છે–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને
૧ સકલ કર્મને તોડી પરમ વિશુદ્ધ થયેલ આત્મા. ૨ ત્રાસ પામી ભાગનાર. ૩ હાલે ચાલે નહિં તે. ૪ કાયા-શરીર.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિકાય; એટલે માટી, પાણી, અગ્નિ, વાયરા અને લીલાં ઝાડ એ જીવા. આ પાંચે સ્થાવર જીવે, વળી એ રૂપે રહેલાં છે. સુક્ષ્મરૂપે અને બાદરરૂપે; સુક્ષ્મ એટલે ખારીકમાં ખારીરૂપ અને માદર એટલે ઘટ્ટ થયેલુ સ્થુલરૂપ
પરીક્ષા પાડે ૨.
જીવના સામાન્ય રીતે કેટલા વગ પડે ?
સિદ્ધ તે કાણું ?
સ’સારી જીવના સામાન્યપણે કેટલા વર્ગ પાડેલા છે? ત્રસ એટલે ?
સ્થાવર એટલે ?
સ્થાવરને કેટલી અને કઇ ઇંદ્રિય હાય છે ?
સ્થાવરના કેટલા વગ છે?
પાંચ સ્થાવર કેટલા રૂપે રહેલ છે ?
પાઠ ૩. સૂક્ષ્મ, એકે દિય-સ્થાવર.
સૂક્ષ્મ સ્થાવરથી માખું જગત ભરેલું છે. તે સૂક્ષ્મ નિગેાદમાં રહેનાર ગણાય છે. સૂક્ષ્મ નિર્ગા એટલે અતિશય
૧ જાડુ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
નાનું અનંત જીવોથી ભરેલું સૂક્ષ્મ ગોલકરૂપ શરીરપિંડ. અ નિગોદના જીવ એટલા બધા છે કે તેની સંખ્યાજ ન થઈ શકે, તેથી તે અનંત ગણાય છે.
સૂક્ષમ નિગોદ એ જીવનું વ્યવહારે આદિસ્થાન ગણાય છે. બીજા તમામ જીવે, પ્રથમ એ રૂપમાં હતા.
આ સ્થિતિ એવી છે કે એમાં જ પોતાની મેળે વારંવાર જમ્યા મર્યા કરે છે. તેઓનાં શરીર એટલાં તે બારીક છે કે આપણા શસ્ત્રોથી તે ભેદાય નહીં, અગ્નિથી બળે નહીં, અને આપણું આંખે દેખાય નહીં.
આ નિગ સ્થિતિમાં જીવ અનાદિ કાળ સુધી જન્મ મરણનું અને સંકોચાઈ રહેવાનું અનંત દુઃખ સહન કરે છે.
સઘળા એકેદ્રિય જીવો ઘોર અજ્ઞાનથી છવાઈ રહી છેભાનપણામાં પડેલા હોય છે, તો પણ જીવમાત્રના જે અસંખ્ય પ્રદેશોમાંના આઠ મધ્ય પ્રદેશ ખુલ્લા હોય છે, તે આઠ પ્રદેશ જેને આઠ રૂચક કહેવામાં આવે છે, તે આ સૂમ નિગદ સ્થિ તિમાં પણ ખુલ્લા હોય છે. જે એ પણ ઢંકાઈ જતા હોય તે જીવ અને અજીવ સરખાજ થઈ પડે.
આપણા જૈનશાસ્ત્રમાં એમ કહ્યું છે કે આપણે એક શ્વાસ લઈએ એટલી વારમાં નિગોદના જીવ સાડા સત્તર ભવ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા પાઠ 3 સૂમ સ્થાનકને શું કહે છે? નિગોદ એટલે? નિગદના જીવ કેટલા છે? અનંત એટલે? તમામ જીવો આદિમાં ક્યાં રહે છે? સુમ સ્થાવર જીને કઈ મારવા કે બચાવવા ધારે તે
તેમ થઈ શકે કે નહિ? સુમ સ્થાવરોને આપણે જોઈ શકીએ કે નહિ? આ સ્થિતિમાં રહેનાર જીવ અને અજીવો એમાં ફરકશે? આ છ કેટલી ઉતાવળથી મરે જન્મે છે?
પાઠ ૪. બાદર એકેંદ્રિય. બાદર એકેંદ્રિયમાં પૃથ્વિી, અપ, તેજસ, અને વાયુના એક એક શરીરપિંડમાં અસંખ્યાત જીવે ભરાઈ રહેલા હોય છે માટીની એક કણિમાં, પાણીનાં એક બિંદુમાં, અગ્નિના એક તણખામાં અને વાયુના એક નાનામાં નાના ચકમાં અસંખ્યાત એટલે જેની સંખ્યા નહિં થાય એટલા બે સુમાર જી રહે છે.
પાંચમા સ્થાવર વનસ્પતિના બે વર્ગ છે. સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ. સાધારણ વનસ્પતિને બાદર નિગોદ કહે છે. એમાંના ગોલક સૂક્ષ્મ ગેલક કરતાં ઘટ્ટરૂપ હોવાથી બાદરગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
૭
આ દરેક માદર ગાળામાં અનત જીવા રહે છે. તેથી તે સર્વ જીવાતું સાધારણ એક શરીર હાવાથી તેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે.
આ ખાદર્શનગેાદરૂપ સાધારણ વનસ્પતિકાયના જીવ અન તકાયના નામે એળખાય છે. તમામ કંદમૂળ અન તકાય છે, તથા બીજી પણ કેટલીક વનસ્પતિ અને ત કાય છે. તેના માટે સામાન્ય એળખ એ છે કે,
गूढ सरसंधिपव्वं समभंगमहीरुगं च छिन्नरुहं साधारणं शरीरं -- तब्वरीयं च पत्तेयं
જેની સીરા, સાંધા અને ગાંડા ગુઢ રહેલા હાય, જેને ભાંગતાં સરખાઇથી ભગ પડી એ ફાડીયાં થાય અને તાંતણા કે તાર નહિ રહે, અને જેને કાપીને રાપતાં ફરીથી ઉગે તે અનતકાય, અને તેથી વિપરીત તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે.
પરીક્ષા પાઠ ૪.
ખ:દરરૂપે રહેલા પૃથ્વી, અપ, તેજ વાયુના શરીરિપંડમાં કેટલા જીવ રહે છે ?
અસંખ્યાત એટલે ?
બાદર વનસ્પતિના કેટલા વિભાગ છે ?
1 લુપ્તા. ૨ ઉલટા,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
સાધારણ વનસ્પતિને બીજું શું નામ અપાયેલું છે ? બાદર નિગોદમાં કેટલા જીવ હોય છે? એનેજ ત્રીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અનંતકાયનું સામાન્ય લક્ષણ શું તેની ગાથા બોલે? એને અર્થ શો ?
પાઠ પ. પ્રત્યેક વનસ્પતિ.
પાંચ સુમ સ્થાવર અને પાંચ બાદર સ્થાવર મળી દશ પ્રકાર થયા. હવે પ્રત્યેક વનસ્પતિ નામે અગીઆરમ પ્રકાર ગણાય છે. પ્રત્યેક વનસ્પતિનું સુક્ષ્મ રૂપ તે હેઈ શકે જ નહિ કેમકે દરેક શરીરમાં છુટે છુટે એક જીવ હેય. ત્યારે પ્રત્યેક કહેવાય છે.
પ્રત્યેક વનસ્પતિમાં, એક આખા ઝાડમાં પસરાયેલો મુખ્ય જીવ હોય છે, તથા બીજા સાત સ્થળે પેટાના જીવ હોય છે તે આ પ્રમાણે છે:
__ फलफुलछल्लिकठा-मुलगपत्ताणि बीयाणि
ફળ, ફૂલ, છાલ કાષ્ટ, મૂળ, પત્ર અને બીજ એમ સાતે સ્થળે જુદા જુદા છુટા છવ હોય છે.
દરેક પ્રત્યેક વનસ્પતિ ઉગતી વેળાએ અંકુર અવસ્થામાં અનંતકાય હોય છે. તેમજ તેમના જે કિશલય એટલે કાચી ટીશીઓ કે ફણગા આવે છે તે પણ અનંતકાય હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૯.
પ્રત્યેક વનસ્પતિના સાથે સ્થાવર ૧૦ ભેદ જીવાના ઉમે
રતાં એકેદ્રિયના ૧૧ ભેદ થયા.
પરીક્ષા પાઠ પ
ઝાડમાં કેટલા જીવ ગણાય ? મકુર અને ટીશીએ કેવાં ગણાય ?
પાડ ૬. વિકલે'ક્રિય.
ઇંદ્રિયા પ્રમાણે સંસારી જીવાના વર્ગ પાડવા હોય તે તેના પાંચ વર્ગ પડે:એકેદ્રિય, દ્વીદ્રિય, ત્રીઇંદ્રિય, ચતુરિંદ્રિય અને પચે દ્રિય.
એમાંના એકેન્દ્રિય જીવ સ્થાવર છે. તેની હકીકત તમને સમજાવી. હવે બાકીના ચારે વગ ત્રસ એટલે કે ક્રૂરતા હરતા પ્રાણિ છે. એમાંના દ્વિદ્રિય, ત્રીટ્રિય, અને ચતુરિદ્રિય, એ ત્રણેના સમુદાયને વિકલેન્દ્રિય એવા નામથી એળખવામાં આવે છે. વિકલ એટલે અપૂર્ણ; અને વિકલેન્દ્રિય તે અપૂર્ણ ઇદ્રિયાવાળા, એ ઇંદ્રિયા મળશિયાં
ઢીંદ્રિય જીવાને સ્પેશે દ્રિય તથા રસને દ્રિયરૂપ છે. દાખલા તરીકે શ`ખલા, કેાડી, જળા, પુરા, માગિયાં, કરમ, હરસ, વાળા, વગેરે દ્રિય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેંદ્રિય અને ત્રીજી ઘાસેંદ્રિય હોય છે. દાખલા તરીકે કાનખજૂરા, માકણ, જુ, કીડી, ઉધઈ, મ કેડા, ઈયળ, સાવા, ગગડા, જુઆ, છાણના કીડા, ધનયા, કુથ, ઈગેપ વગેરે ત્રિક્રિય છે.
ચતુરિંદ્રિય જીવોને સ્પર્શ, રસ, ધ્રાણ, અને એથી ચક્ષુ રિંદ્રિય હોય છે. દાખલા તરીકે વીંછી, બગાઈ, ભમરા, ભમરીએ, તીડ, ડાંસ, મચ્છર, કરોળિયા વગેરે ચતુરિંદ્રિય છે.
=
-
પરીક્ષા પાઠ ૬. ત્રસ જીવ ક્યા ગણવા ? વિકલેંદ્રિય એટલે? તે કોણ કોણ છે? ઢીંદ્રિય જીવોને કઈ કઈ ઇદ્રિય હોય છે? ઢીંદ્રિયનાં ચાર પાંચ નામ આપે. ત્રાંદ્રિયને કઈ કઈ ઇદ્રિ છે?
દ્રિયનાં ચાર પાંચ નામ આપે. ચતુરિંદ્રિયને કઈ ઇંદ્રિયે છે? ચતુરિંદ્રિયનાં ચાર પાંચ નામ આપો.
પાઠ ૭. પંચેંદ્રિય, પચંદ્રિય જીને સ્પર્શ, રસ, પ્રાણુ, ચક્ષુ અને પાંચમી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
શ્રોત્ર'દ્રિય હાય છે
પંચેન્દ્રિય જીવના ચાર વર્ગ છે: નારક, તિય ઇંચ, મનુષ્ય, અને દેવતાઓ. આજ સંસારમાં રહેલી ચાર ગતિ ગણાય છે. નરક સાત હાવાથી તેમાં ઉપજનાર નારક જીવાના સાત વર્ગ થઈ શકે.
તિય ચના પાંચ વર્ગ છે: જળચર (માછલાં વગેરે ) સ્થળચર (ચાપગાં પશુ), ખેચર ( પક્ષીએ, ) ઉપરિસર્પ ( પેટે ચાલનારા સર્પ) અને ભૂજ઼પરિસ ( પડખાની બાજુથી ચાલનાર નેળિયા વગેરે )
મનુષ્યના ત્રણ વર્ગ છે:—કર્યું ભૂમિજ, અકમ ભૂમિજ અને અંતની પજ.
૧૩ ભૂમિ એટલે કામધંધાથી નિર્વાહ કરનારા પ્રદે શમાં જન્મેલા તે કર્મ ભૂમિજ. આપણે બધા એ વના છીએ.
ર કામધંધા વગર ફ્કત ઈચ્છા મળે નિર્વાહ કરનાર પ્રદેશમાં જન્મેલા તે, અકર્મ ભૂમિજ.
૩ જંબુદ્રીપની માહેર લવણુ સમુદ્રમાં ૫૬ અંતદ્વીપ ગણાય છે, તેમાં જન્મેલા તે અતીપજ.
૧ આકાશમાં ઉડનારા. ૨. અસિ—તરવારવડે ક્ષત્રિયરૂપે, મસિશાહીવડે એટલે વિણકરૂપે અને કૃષિ-ખેતીવાડી એટલે ખેડુત પે. આ ત્રણે વર્ગોના માણુસા ક ભૂમિજ કહેવાય ૩ કલ્પવૃક્ષવડે નિર્વાહ કરનારા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨ અકર્મભૂમિજ અને અંતદ્વીપજને યુગળિયા મનુષ્યના નામે જનમાં ઓળખ્યા છે.
દેવતાના ચાર વર્ગ કે નિકાય છે–ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક, - પાતાળવાસી દેવો તે ભવનપતિ, વચલા ભાગે રહેનારા તે વ્યંતર કે વાણવ્યંતર.
આકાશમાં પ્રકાશ કરનારા તે તિષ્ક કે જતિષી, અને તેમના ઉપર ઉર્વલોકમાં વિમાનમાં રહેનારા દેવ તે વૈમાનિક.
પરીક્ષા પાઠ ૭,
પંચેન્દ્રિયની પાંચ ઇંદ્રિય બોલો. પંચે દ્રિયના વર્ગ બેલે. તિર્યંચના વર્ગ બેલે. મનુષ્યનાં વર્ગ કયા કયા? કર્મભૂમિ એટલે શું ? અકર્મભૂમિજ એટલે શું ? અંતદ્વીપજ એટલે શું? દેવતાના વર્ગ બેલે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
પાઠ ૮. ગર્ભજ અને સમૃમિ .
સંસી–અસંજ્ઞી. જે ગર્ભથી જન્મે છે ગજ કહેવાય છે અને જે પિતાની મેળે ઉત્પન્ન થાય તે સંમૂછિમ કહેવાય છે. પંચેન્દ્રિયમાં તિર્યંચ - અને મનુષ્ય સંમૂછિમ પણ થાય છે અને ગર્ભજ પણ થાય છે.
સંમૃમિ મનુષ્ય કંઈ માણસ જેવા મોટા નથી થતા, પણ તે બહુ સૂમરૂપે રહે છે. તે માણસનાં મળમૂત્રમાં ઉત્પન્ન થઈ થોડી વારમાં મરતા રહે છે.
આ સંમૂર્ણિમ તિર્યંચ તથા સંમૂઈિમ મનુષ્યને અસંશી પંચેંદ્રિય કહેવામાં આવે છે.
અસંજ્ઞી એટલે મનવગરના. સંમૂછિમ તિર્યંચને વાક પ્રાણ હોય છે, પણ સંમૂર્ણિમ મનુષ્યને તે પણ નથી હોતું. સંમૂઈિમ મનુષ્ય તે બારીકમાં બારીક પંચેન્દ્રિયવાળું જતુ છે.
એકેંદ્રિય, વિકદ્રિય અને સંમૂર્ણિમ એટલાને મન ન હોવાથી અસંશી ગણવામાં આવે છે. બાકીના દેવ, નારક અને ગર્ભજ મનુષ્ય તિર્યંચ સંજ્ઞી ગણાય છે.
પરીક્ષા પાઠ ૮. ગર્ભજ કોણ? સંમૂર્ણિમ મનુષ્ય કેવાં હોય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
અસંશી એટલે? તે કોણ કોણ ગણાય છે?
પાઠ ૯ કર્મ. કર્મને સામાન્યાર્થ, “જે કરવું તે કમ” એમ છે, તે પણ આ સ્થળે હવે તેને વિશેષાર્થ લઈ વાત કરશું.
જીવ એ જ્ઞાનમય અરૂપી પદાર્થ છે. તેને વળગી રહેલ સૂક્ષ્મ મળ તે કર્મ છે. કર્મ એટલે જે ચીજ કરવામાં આવે છે, અર્થાત્ જેમાં વિકાર થયા કરતો હોવાથી જે નવા જુના હાઈ કૃતિમ એટલે બનાવટી તે કર્મ.
તે છતાં એ કર્મો તે કરવામાં આવતા સત્કર્મ અને અસત કર્મના અનુસારેજ બંધાતા હોવાથી કરેલા કર્મ સાથે બરાબર કાર્ય કારણનો સબંધ રાખે છે.
કરવામાં આવતાં કામ એ કારણ છે અને તે પ્રમાણે જીવને ચોટતાં મળાવરણ તે કાર્ય છે.
મળનાં ચેટતાં મલાવરણરૂપ કર્મ તે કારણ છે અને તેમના અનુસારે જે સુખ દુખ પ્રાપ્ત થાય છે તે કાર્ય છે. એમ કર્મને કાયદે અચલરૂપે રહ્યો છે.
જે જીવને ઈશ્વર માનીયે તે કમ એ માયા છે. કમ છે. ત્યાં લગી સંસાર છે. કર્મ ક્ષય થયા કે જીવ મુકિત પામે છે.
આપણે જીવસંબંધી વિગત જાણવાની સાથે કર્મ સંબંધી પણ વિગત જાણવી જરૂરની છે, માટે હવે કર્મની વાત કરીશું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫
કર્મોના પરમાણુ એને કર્મીના દળ કે દળિયાં કહે છે. તે બહું સૂક્ષ્મ હેાય છે. જીવ ઉપર તેનુ કવર વળે છે. તેને કાણુ-શરીર એટલે કર્મોનુ બનેલુ શરીર કહે છે તથા તેંજસ શરીર એટલે જે અન્ન પચાવવાના કામમાં આવે છે તે. આ બે શરીર જીવને હમેશ વળગ્યાં રહે છે. એક ભવથી ખીજા ભવમાં જતાં પણ તે સાથે જાય છે. ખરી રીતે કહીયે તે તેજ એ શરીર જીવને ખીજા ભવમાં તાણી જાય છે. જો એ બે શરી રથી જીવ છુટા થાય તેા તે મુકત થયા ગણાય છે.
પરીક્ષા પાર્ડ ૯.
કર્મ શબ્દના સામાન્ય અર્થ શે ? વિશેષ અર્થશે ? જીવને ઇશ્વર માનીયે તેા કર્મ એ શું છે? કર્મના દળ એટલે શું?
કાણુ શરીર એટલે શુ?
તેજસ શરીર શા કામમાં આવે છે ?
એ એ શરીર જીવથી કયારે છુટા પડે છે ?
પાઠ ૧૦ કર્મના વિભાગ.
કર્મ એ જાતનાં છે: ઘાતિકમ અને અઘાતિકમ જે કર્માંના પરમાણુ જીવના મુખ્ય સ્વાભાવિક ગુણ્ણાના ઘાત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
કરે એટલે કે તે ગુણોના ઉપર અતિશય મલીન પડદા રૂપે રહી તેમને પ્રકાશ થતા અટકાવે તે ઘાતકર્મ છે.
જીવના મુખ્ય સ્વાભાવિક ગુણ ચાર લેવાના છે -જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય,
શાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ગુણોને દબાવી દેનાર કર્મ તે ઘાતિકર્મ કહેવાય છે.
આ ઘાતિકમજ સંસારના મૂળ કે બીજ રૂપ છે. ઘાતિ કર્મને નાશ થતાં મનુષ્ય દેહમાં રહ્યાં છતાં પણ પરમેશ્વરપણું પ્રકટી નીકળે છે.
જે કર્મના પરમાણુંઓ ઉપર જણાવેલા જીવના ચાર મુખ્ય ગુણેને હરકત નથી કરતા તે અઘાતિકર્મ કહેવાય છે. છતાં તેઓ પણ જયાં સુધી ઘાતિર્મોની સાથે જોડાયા રહે છે ત્યાં સુધી જીવને દુઃખ સુખ આપવાનાં સાધન બની હેરાન કર્યા કરે છે. એકલાં આઘાતિકર્મ દુ:ખ કરતા નથી. માટેજ ઘાતિક અને અઘાતિકર્મ, એકંદર નાશ થાય ત્યારેજ જીવને મુકિત મળી ગણાય. જે માટે કહેલું છે કે -
कृत्स्नकर्मक्षयान् मोक्षः એટલે સર્વ પ્રકારના કર્મ ક્ષય થવાથી મોક્ષ મળે છે.
પરીક્ષા પાઠ ૧૦, કર્મ કેટલી જાતનાં છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૭
ઘાતિકર્મ કોને કહે છે ? જીવના સ્વાભાવિક ગુણ કયા છે? અઘાતિકર્મ કોને કહે છે ? મુક્ત કયારે મળે ?
પાઠ ૧૧ ધાતિકર્મ. ઘાતિકર્મને ઘનઘાતિ પણ કહે છે. ઘન એટલે મજબુતપણે ઘાત કરનાર તે ઘનઘાતિ કર્મ. તેના ચાર પ્રકાર છે.
૧ જ્ઞાનાવરણ કે જ્ઞાનાવરણીય, (જ્ઞાનને ઢાંકનાર) ૨ દર્શનાવરણ કે દર્શનાવરણીય, (દર્શનને કિનાર) ૩ મેહકર્મ કે મોહનીય, (મુંઝવનાર) અર્થાત વિચારની
પવિત્રતા તેડનાર ૪ અંતરાય કે વિક્ત, અર્થાત્ પ્રવૃત્તિ કરતાં અટકાવી
રાખનાર. જ્ઞાનાવરણકર્મ–આંખના પાટા સમાન છે. દર્શનાવરણ–રાજાને જોવામાં અટકાવનાર દરવાન સમાન છે. મેહકર્મ-મદિરાના કેફ સમાન છે. અંતરાય-રાજા તરફથી દાન આપવાને હુકમ છતાં વચ્ચે
અટકાવનાર ભંડારી સમાન છે. જ્ઞાનની વૃદ્ધિ થતી અટકાવ્યાથી, જ્ઞાનનાં સાધનેને નાશ કરવાથી, તથા જ્ઞાની જનની નિંદા કર્યાથી જ્ઞાનાવરણ બંધાય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
છે. જ્ઞાન ભણવાથી, જ્ઞાનની વૃદ્ધિ કર્યાથી, જ્ઞાનનાં સાધનાને સ્થાપન કરવાથી તથા જ્ઞાનીજનને મદદ કર્યાંથી જ્ઞાનાવરણ તૂટી યુદ્ધ જ્ઞાન પ્રગટે છે.
દેવ-ગુરૂનાં દર્શન થવામાં અટકાવ કરવાથી, દર્શનનાં સાધનાના નાશ કરવાથી તથા દર્શન કરતાં અટકાવ્યાથી દર્શના વરણ બંધાય છે. દન કરવાથી, જાત્રાએ જવાથી, દનનાં સાધને વધાર્યાથી તથા આંધળા, હેરા, મૂંગા વગેરેની સારી સભાળ લેવાથી દર્શનાવરણ તૂટે છે:-દર્શનાવરણ તૂટતાં એકક્રમ દર્શન પ્રગટે છે..
જુઠા વિચાર ફેલાવ્યાથી તથા ભ્રષ્ટાચાર સેવવાથી, માહુનીય કમ બંધાય છે. સત્ય ખેલવાથી તથા શુદ્ધ આચાર પાળવાથી માહનીય ક તૂટી શુદ્ધ ચારિત્ર પ્રગટે છે.
દાન દેતાં અટકાવ્યાથી, કાઇને લાભ થતા અટકાવી રાખ્યાથી, કાષ્ટનાં ખાનપાન તથા ગુજરાનમાં હરકત નાખ્યાથી તથા કેાઈને ઉત્તમ કામમાં ઝંપલાવતાં અટકાવી રાખવાથી 'તરાયકમ અંધાય છે. દાન દેવાથી, કોઇ સારૂં કામ કરતા હાય તેની અનુમેાદના કરવ.થી તથા અશકતજનાને ગુજરાનનાં સાધના પૂરાં પાડવાથી અંતરાય કર્મ તૂટી અતુલવીય પ્રગટે છે.
પરાક્ષા પાઠ ૧૧.
S
ઘાતિકર્મનું બીજું નામ શું ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
- ૧૯ તે કેટલા પ્રકારનાં છે ? જ્ઞાનાવરણકર્મ કેના જેવું છે ? મેહકમ કેના જેવું છે ? અંતરાયકર્મ કોના જેવું છે? આ ચારે કર્મ કેમ બંધાય છે અને કેમ તૂટે છે?
પાઠ ૧૨. અદ્યાતિકર્મ
અઘાતકર્મ પણ ચાર છે – ૧ વેદનીયકર્મ–એટલે સુખ દુઃખ રૂપે અનુભવાય છે
તે કર્મ, ૨ આયુકર્મ–એટલે જીવન ટકાવી રાખનારૂં કર્મ. ૩ નામકર્મ–એટલે અનેક રીતે નમાવનાર અર્થાત અને,
વિભાગોમાં વેહેંચનાર કર્મ ૪ ગોત્રકમ–એટલે ઉંચ-નીચ વંશમાં લઈ જનાર કર્મ.
વેદનીયકર્મ મધથી લીંપેલ તરવારના સમાન છે. અને જીવના અવ્યાબાધ સુખ એટલે અનંત આનંદરૂપ સ્વભાવને રોકે છે.
આયુકર્મ કેદખાનાની મુદતસમાન છે, અને જીવના અવિનાશી સ્વભાવને રેકે છે.
નામકર્મ ચિતારા સમાન છે. અને તે જીવના અરૂપિ સ્વભાવને રોકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
ગોત્રકમ કુંભાર સમાન છે અને તે જીવના અગુરૂ લઘુર સ્વભાવને રેકે છે.
આ ચારે કર્મ શુભ અને અશુભ રૂપે રહેલા છે. તે નીચેની બિના પરથી સ્પષ્ટ સમજાશે.
અને સુખ-દુ:ખ આયાથી વેદનીય કર્મ બે રીતે બં થાય છે. સુખ આપ્યાથી સાતાદનીય બંધાય છે. તે સાતારૂપે કળે છે. અને દુઃખ આયાથી અસાતવેદનીય બંધાય છે, તે અસાતારૂપે ફળે છે. આવેલા સુખ-દુઃખને સમભાવે એટલે ખુશી કે દિલગીર થયા વગર શાંત મન રાખીને ભેગવતાં વેદનીય કર્મ તૂટી આવ્યા બાધ સુખ એટલે અપૂર્વ શાશ્વત આનંદ ખીલી નીકળે છે.
ધર્મનાં કામ કરવાથી દેવગતિ કે મનુષ્ય ગતિનું શુભ આયુકર્મ બંધાય છે. પાપનાં કામ કરવાથી નરક ગતિ કે તિર્યંચ ગતિનું અશુભ આયુકમ બંધાય છે, અને બાંધ્યા પ્રમાણે આયુષ્ય ભેગવી પુરૂં કર્યાથી તે તૂટે છે.
સારાં કામ કરવાથી શુભનામકર્મ બંધાય છે, અને તેથી સારી ગતિ, સારૂં શરીર અને પૂર્ણ ઇંદ્રિય મળે છે.
૧–૨ અગુરૂ લધુ શબ્દ-અગુરૂ–અલધુ એમ સમજવાનું છે. અગુરૂ એટલે ભારે નહિ અને અલધુ એટલે હલકો નહિ. જીવ મૂળે અરૂપી હોવાથી ભારે હલકે નથી, નીચ-ઉંચ નથી, તથાપિ નેત્રકમેંએ નીચ-ઉંચ ગણાય છે, માટે એ કર્મ પણ નાશ કરવા ગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
મુંડા કામ કરવાથી અશુભનામકર્મ બંધાય છે અને તેથી ખરાબ ગતિ, ખરાબ શરીર, અપૂર્ણ ઇઢિયે મળે છે. નામકર્મ પણ બાંધ્યા પ્રમાણે ભેગવી લીધાથી તેને છેડે આવે છે. અને જીવ ત્યારે પિતાના મૂળ અરૂપી સ્વરૂપે નિરંતર રહે છે.
વિનયવાન અને નિરાભિમાની થઈ ચાલવાથી શુભ શેત્ર બંધાય છે. અને ગર્વ કરવાથી અશુભ ગેત્ર બંધાય. શુભ ગોત્ર ને ઉર્ગોત્ર (ઉંચું ત્ર) કહે છે; અને અશુભ ગેત્રને નીચે
ત્ર (નીચું ગોત્ર) કહે છે. એને પણ બાંધા પ્રમાણે ભેગવી લીધાથી એને છેડે આવી જીવ પોતે અગુરૂ-લઘુ સ્વરૂપે પ્રગટે છે.
પરીક્ષા પાઠ ૧૨.
બધાં કર્મ કેટલા છે? વેદનીયકર્મ કેના જેવું છે અને જીવના કયા સ્વભાવને રેકે છે.? આયુકર્મ કેના જેવું છે અને ક્યા સ્વભાવને રેકે છે.? નામકર્મ કોના જેવું છે અને ક્યા સ્વભાવને રોકે છે.? ગેત્રકમ કોના જેવું છે અને ક્યા સ્વભાવને રેકે છે.? અઘાતિકર્મ કેવા રૂપે રહેલાં છે.? વેદનીયકર્મના બે વિભાગ કયા અને તે કેમ બંધાય છે
તથા કેમ તૂટે છે.? શુભ આયુકર્મ કર્યું અને અશુભ કર્યું. ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૩
શુભનામકર્મ કેમ બધાય છે અને તેથી શું ફળ મળે છે. અશુભનામકર્મ થી શુ ફળ મળે છે,? ગાત્રકના એક વિભાગ કયા છે. ?
પાઠ ૧૩ મા આઠ ક.
ચાર ઘાતિ અને ચાર અઘાતિ મળીને સ્માટૅ કમ કહેવાય છે. ઘાતિકમ બધાં અનુભજ છે. અઘાતિક શુભ અને અશુભ એ એરૂપે છે ઘાતક માં જીવ પોતાના પરિણામના જોરથી ભાંગતાડ કરી શકે છે. પણ અઘાતિકને તે ભાગવી, લીયાથી તેના છેડા ( ાવી શકાય છે.
કર્માના પરમાણુરૂપ ખીજ એકઠાં કરવાં તે કમના બંધ કહેવાય છે. બાંધેલાં કમ કૃત્યાં ન હોય ત્યાં સુધી તેમની જે હયાતિ તેને સત્તા કહે છે. ખાંધ્યા પ્રમાણે તેજ ભવે કે ભવાંતરે તેનુ જે ફળ મળે તેકના ઉદય કે વિપાક કહેવાય છે.
કને ભાગવીને ખપાવવાં અથવા પરિણામના જોરથી તેમાં ભાંગતાડ કરી તેના પરમાણુ એના નાશ કરવા તેને નિરા કહે છે.
કના તમામ પરમાણુઓના નાશ કરી તેનાથી છુટા થવુ તેને માક્ષ કહે છે.
શુભ કર્મોં માંધવાના જે હેતુ છે તેને પુણ્ય કહે છે. અશુભ ક્રમ આંધવાના જે હેતુ છે તેને પાપ કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
જે રસ્તે કમના પરમાણુ જીવન સાથે જોડાય છે તે રસ્તાને આશ્રવ કહે છે. જે રસ્તે કર્મના પરમાણુ આત્મા સાથે જોડાતાં અટકે છે તે રસ્તાને સવર કહે છે.
આ રીતે સિધ્ધાંતમાં કમ સંબંધી ભરપૂર વિવેચન કરવામાં આવ્યું છે.
પરીક્ષા પાઠ ૧૩. બધાં મળી કેટલાં કર્મ છે ? બંધ એટલે શું? સત્તા એટલે શું?
ઉદય એટલે શું? નિર્જરા એટલે શું?
મેક્ષ એટલે શું? પૂણ્ય એટલે શું ?
પાપ એટલે શું ? આશ્રવ એટલે શું ?
સંવર એટલે શું ?
પાઠ ૧૪ પરમેશ્વર જે આત્માઓ જ્ઞાનાવરણ, દશનાવરણ, મેહનીય, અને અંતરાય એ ચાર ઘનઘાતિ કર્મ તેડી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીય પામ્યા છે, તે પવિત્ર આત્માને પરમેશ્વર જાણવા. તેઓ પોતે સંસારે સમુદ્ર તરીને પાર પામ્યા છે, અને બીજાઓને ધર્મ માર્ગ બતાવીને તારે છે. તેઓ જિનેશ્વર, તિર્થ કર કે અહત કહેવાય છે. તેમણે બતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
વેલે ધર્મ તે જિનધમ છે, તેમણે આપેલા ઉપદેશ તે જિનપ્રચન કે જિનાગમ કહેવાય છે. તેમની આજ્ઞા તે જિનશાસન કહેવાય છે, તેમણે માન્ય કરેલા વિચાર તે જિનમત કહેવાય છે. તે પવિત્ર આત્માઓની જૈનધર્મમાં નીચે મુજબ સ્તુતિ ગવાય છે.
.
નમુક્ષુણ —નમસ્કાર થાએ. અરિહુ તાણ —શ્રી અરિહંતને. ભગવંતાણું —ભગવ તને.
આઇગરાણ —દ્વાદશાંગીની આદિના કરનારને. નિયરાણ--ચતુર્વિધ શ્રીસંઘરૂપ તીના કરનારને.. સયંસ બુધ્ધાણ —પરીપદેશ વિના પેાતાની મેળે સમ્યક્ પ્રકારે એય પામેલા છે તેમને.
પુરિમુત્તમાણ —પુરૂષોને વિષે ઉત્તમ છે તેમને, પુસિ સીહાણ —પુરૂષોને વિષે સિંહસમાન છે તેમને પુરિસવર પુડરીયાણ --પુરૂષોને વિષે પ્રધાન પુડરિક કમળસમાન છે તેમને.
પુરિસત્રર ગંધ હુથ્વી! —પુરૂષોને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન છે તેમને.
લાગુત્તમાણ —લાકને વિષે ઉત્તમ છે તેમને. લેગનાહાણ —ભવ્ય લાંકના નાથ છે તેમને, લાહુમ્માણ —લાકના હિતના કરનાર છે તેમને,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
"
૨૫
લાગપઢવાણ —લાકને વિષે પ્રદીપસમાન છે તેમને. લાગપજોઅગરાણ —લેાકને વિષે વિશેષ પ્રકાશના કરનારને અભયદયાણું ––અભયપદના દેવાવાળાને. ચ ખુદયાણ—સમ્યક જ્ઞાનરૂપ ચક્ષુના દેવાવાળાને મગદયાણ —રત્નત્રયરૂપ માક્ષમાના દેવાવાળાને સરણદયાણ —સરણના દાતારને એહિદયાણ-જિનધની પ્રાપ્તિરૂપ એધિના દેવાવાળાને. ધમ્મદયાણ --ધર્મના દેવાવાળાને.
ધમ્મદૅસિયાણ --ધર્માંના ઉપદેશ કરનારને,
ધમનાયગાણું —ધના નાયકને ધમ્મસારહીણ —ધર્મરૂપ રથના સારથીને,
ધમ્બવર ચાઉરત ચક્રવટ્ટીણ—ચાર ગતિરૂપ સ’સારના અંતકરવાવાળું ધરૂપ ચક્ર તેણે કરી સહિત છે તેમને
પડિય વરનાણદસણ ધરાણ--પ્રતિહને એટલે કાઇથી હણાય–રાકાય નહિ' એવા પ્રધાનજ્ઞાન અને દર્શન ધરનાર છે તેમને,
વિસ્મય છઉંમાણ વીત્યુ' છે છદ્મરથપણુ' એટલે કપટ-શપણું અથવા આવરણપણું જેનું તેમને. જીણાણ જાયાણ’--જિનને અને જતાવનારને.
૧. મૈાક્ષપદ. ૨ નાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય, ૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
તિઘણું તારયાણું--પિતે સંસાર સમુદ્રથકી તર્યા છે અને
તારનાર છે તેમને. બુદ્ધાણું બોલ્યાણું--પિતે તત્વના જાણ થયા છે તેમને
અને ભવ્ય જીવોને સ્વપર સ્વરૂપનો બોધ કરાવનાર
છે તેમને. મુતાણું મે અગાણે--પિત કર્મથી મુકાણું છે અને બી 1 જાને કર્મથી મુકાવનારા છે તેમને સવનૂણું સબ્ધદરિસિણું--સર્વજ્ઞને, સર્વ દર્શિને. શિવ મયલ મરૂઅ--સુખરૂપ, અચલ, રોગ રહિત. મણુત મખય મહાબાહું--જ્ઞાનાદિક અનંત ચતુષ્ટયી,
અક્ષય, અવ્યાબાધ એટલે બાધા પીડા રહિત. મપુણરાવિત્તિ--જે ગતિ થકી ફરી સંસારમાં પાછું આ
વવું નથી તે અપુનરાવર્તિ કહીયે એવી. સિદ્ધિ ગઈ નામધેય-સિદ્ધિ ગતિ છે નામ જેનું, (એ
સિવ મયલથી માંડીને સાત વિશેષણ સહિત એવું) ઠાણ સંપત્તાણું--સ્થાનકને પ્રત્યે પામ્યા છે તેમને ણમે છણાણું--નમસ્કાર થાઓ તે રાગાદિ જીતનારને.
યભયાણું–સાત જાતના ભયના જીતનારો છે તેમને. જેઅ અઆ સિદ્ધા--જે અતિત કાલને વિષે સિદ્ધ થયા
(મેક્ષે પહેાતા છે. તેમને જે ભવિસ્તૃતિ અણગએ કોલે—–જે જિન અનાગત કાળને
દિષે સિદ્ધ પર્યાય પામશે. તેમને,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭ સંપઈ આ વટ્ટમાણા-સાંપ્રત વર્તમાન કાળે જે તીર્થકર જય
વંતા વર્તે છે તેને વર્તમાન કહીએ. સવે તિવિહેણ વંદામિ–તે સર્વ જિનેને મન, વચન અને
કાયાયે કરી ત્રિવિધે હું વાંદું છું. આ પ્રકારે દેવતાના રાજા ઈંદ્ર પણ પ્રભુની સ્તુતિ કરે છે.
પરીક્ષા પાઠ ૧૪. પરમેકવર કોણ છે? પરમેશ્વરના ઉપદેશને શું કહે છે? જિનમત કેને કહે છે? ઇંદ્ર તેને કેવી રીતે હતુતિ કરે છે?
પાઠ ૧૫ જગત્ ભાગ ૧ લે. જગત અનાદિ અનંત છે એટલે કે હંમેશાંથી ચાલતુ આવે છે અને ચાલ્યા કરશે. તેનાથી અલગે તેનો કઈ કતી નથી. તે જગત્માં બે વસ્તુ છે, જીવ અને અજીવ, જીવનું સ્વરૂપ તમને સંક્ષેપથી સમજાવવામાં આવ્યું છે. અજીવનું સ્વરૂપ હવે અહીં સમજાવીશું.
અજીવ એટલે જીવ સિવાયના જડ પદાર્થો તેના બે વિભાગ છે. રૂપી પદાર્થ અને અરૂપી પદાર્થ. રૂપિ પદાર્થને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
પુદગલ કહે છે, પુગલનું લક્ષણ આ રીતે છે –જેમાં વર્ણગંધ-રસ-રૂશ અને શબ્દ એ પાંચ ગુણ હોય, તેમજ જે અંધકાર કે પડછાયે આપે અથવા અજવાળું, તડકે, કે કાંતિ આપે તે પુદગલ. પુદગલ શબ્દને અર્થ જે વારંવાર પૂરાય અને ગળી જાય એવો થાય છે.
પુદગલના નાનામાં નાના ભાગને પરમાણું કહે છે, અને તેના મોટા જથ્થાને સ્કંધર કહે છે. કર્મના પરમાણુઓ એક જાતના સૂક્ષ્મ પુદગલ જ છે. જેમ જગતમાં અનંત જી રહેલા છે, તેમ જગમાં અનંત પુગલ પરમાણુ તથા સ્કંધ રહેલ છે.
અરૂપી અજીવ પદાથે ચાર પ્રકારના છે -ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આકાશ અને કાળ એ બે વસ્તુ સમજવામાં સહેલી છે. માટે તેની વાત અહીં પહેલી સમજાવીશું. અને અધર્મની વાત પછી સમજાવીશું.
પરીક્ષા પાઠ ૧૫, જગત કેવું છે? તેને કોઈ ર્તા છે કે નહિં? તેમાં કઈ મુખ્ય વસ્તુ છે ? અજીવ એટલે ? અજીવન વિભાગ કહો ? રૂપી પદાર્થને શું કહે છે? Aton, ૨ Molecule.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૯
પુદ્ગલનું લક્ષણ શું?
પુદ્ગલના નાનામાં નાના ભાગને શુ કહે છે ?
મોટા જથ્થાને શુ' કહે છે ? જગમાં કેટલાં પુદ્દગલ છે ? અરૂપી કાણુ કાણુ છે ?
પાઠ ૧૬ જગત ભાગ ૨
જો.
આકાશ એટલે પેાલાણુ અર્થાત ખાલી જગા, તેમાં દરેક ચીજ રહી શકે છે. તેથી તે દરેક ચીજના આધાર છે. તેના નાનામાં નાના ભાગને પ્રદેશ કહે છે, અને તેથી વધતા ભાગને દેશ કહે છે. માકાશની એક એક બાજુનેદશા કહે છે. તેવી દશ દિશા મનાયલી છે, તે આ પ્રમાણે છે: પૂ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. એ ચાર દિશાઓ ગણાય છે. તે દિશાઓની વચ્ચે રહેલા અગ્નિકાણુ, નૈૠયકાણુ, વાયવ્યકાણુ અને ઇશાનકાણુ. એ નામના ચાર ખૂણા તે ચાર વિદિશાઓ ગણાય છે, અને ઉપરની બાજુ તે ઉર્દિશા અને નીચેની બાજુ તે અધેાદિશા છે. એમ કુલ દશ દિશા ગણાય છે.
માકાશ અનત એટલે છેડા વગરનુ છે, દિશાએ આકાશની અમુક ખાજી છે, તેથી તે પણ અનંત છે.
Jain Educationa International
કાળ એટલે ચક્રની માફક ચાલતી વસ્તુ. તે અનાદિ અન`ત છે, છતાં તેના ત્રણ વિભાગ પાડી શકાય છે:-ભૂત; -
For Personal and Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
માન અને ભવિષ્ય. ગયો વખત તે ભૂતકાળ, ચાલુ વખત તે વર્તમાનકાળ, અને આવતા વખત તે ભવિષ્યકાળ. કાળના નાનામાં નાના ભાગને સમય કહે છે. એક વિપળમાં અનંત સમય વહી જાય છે. સાઠ વિપળનું પળ, સાઠ પળની ઘડી, બે ઘડીનુ મુહર્ત, ત્રીશ મુહૂર્તને અહેરાત્ર કે રાતદિવસ, પંદર દિવસનો પક્ષ કે પખવાડીઉં, બે પખવાડીયાનો માસ, બે માસની
તુ, અને બાર માસનું વર્ષ ગણાય છે.
પરીક્ષા પાઠ ૧૬. આકાશ એટલે શું ? તેના નાનામાં નાના ભાગને શું કહે છે? દિશા કેને કહે છે? તે કેટલી છે? આકાશ કે દિશાને અંગ છે કે નહિ ? કાળ એ કેવી વસ્તુ છે? તે કેવો છે? કાળના ત્રણ વિભાગ કયા? કાળના નાનામાં નાના ભાગને શું કહે છે? એક વિપળમાં કેટલો સમય જાય?
૧ અતીત-ભૂત; અનાગત, ભવિષ્ય, અને વર્તમાનકાળ એમ ત્રણે કાળના વિભાગ પાડવામાં આવ્યા. ૨ વર્ષ પછીની કાળની ગણતરી કઠિણ હેવાથી ઉપલા પુસ્તકમાં આપવામાં આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
- ૩૧ પાઠ ૧૭ જગ
ભાગ ૩ જે.
- હવે ધર્મ અને અધર્મ નામના અરૂપી અજીવ પદાર્થની વાત કહીશું. ધર્મ અને અધર્મ શબ્દ અહીં સામાન્ય અર્થમાં નહિ, પણ વિશેષ અર્થે લાગુ પાડયા છે. ધર્મ શબ્દને વિશેષ અર્થ અહીં એમ કરે કે જે પદાર્થ જીવ અને પુદ્ગલને ગતિમાં ચાલુ રહેવામાં મદદગાર હોય તે, અને તેમને સ્થિતિમાં રહેવાને મદદગાર તે અધર્મ. જેમ માછલામાં તરવાની શકિત છે પણ પાણી વિના તરી શકે નહિ. તેમ જીવ-પુદ્ગલમાં શકિત હોય તથાપિ ધર્માસ્તિકાયની મદદ વિના ગતિ કરી શકે નહિં. તેમજ અધર્માસ્તિકાય વિના સ્થર રહી શકે નહી."
આ રીતે જગતમાં એકંદર છ પદાર્થ રહેલા છે:-જીવ પુદગલ, આકાશ, કાળ, ધર્મ અને અધર્મ, આ છ પદાર્થને પદ્રવ્ય કહેવામાં આવે છે. ષડુ એટલે છ અને દ્રવ્ય એટલે પદાર્થ.
આ છ દ્રવ્ય જેટલા ભાગમાં સઘળા સાથે મળીને રહે છે, તેટલા ભાગને લેાક કહે છે. અને તે સિવાયના બાકીના ખાલી આકાશને અલોક કહે છે. લેકની હદ છે, પણ અલકની કશી હદજ નથી. લોક તેજ જગત છે. તેના ત્રણ વિભાગ પડેલા છે :-ઉર્વલક, અધોલેક અને તિર્યકલાંક-અથવા સ્વર્ગ મર્યાં અને પાતાળ આને જ તિલક-ત્રિલેકી-ત્રિજગત-ત્રિભુવન વગેરે નામ અપાય છે. - ૧ આ બે પદાર્થ સંબધી વધુ ખુલાસાવાર સમજણ ઉપરન પુસ્તકમાં આપવામાં આવશે. ૨ Six Substances.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉર્વલે કમાં દેવતા રહે છે, તિર્યક લેકમાં આપણે રહીએ છીએ, અને અધોલોકમાં નરકના જીવ રહે છે. ટૂંકમાં તપાસતાં આપણે મધ્ય સ્થિતિમાં છિયે. જે આ સ્થિતિમાં આપણે સારા વિચાર અને સારાં કામ કરીએ તો ઉપરની સ્થિતિમાં ચડીએ, અને જે ભુંડા વિચાર અને ભંડાં કામ કરીશું તે નીચેની સ્થિતિમાં પડશું.
પરીક્ષા પાઠ ૧૭. ધર્મ અને અધર્મ એવા બે પદાર્થ કેને કહેવામાં આવે છે? જગતમાં એકંદર કેટલા પદાર્થ છે, તે ગણવો. છ પદાર્થને શું કહેવામાં આવે છે? લેક કોને કહે છે ? અલક તે શું ? અલક કે છે ! લેકના મુખ્ય કેટલા વિભાગ છે ! આપણે કયા લેકમાં અને કઈ સ્થિતિમાં છીએ !
પાઠ ૧૮ પૂણ્ય-પાપ-ભાગ ૧ લે.
શુભકર્મ બાંધવાનો હેતુ તે પુણ્ય છે, અશુભકર્મ બાંધવાને હેતુ તે પાપ છે,
પુણ્યથી ઉર્ધ્વગતિ પમાય છે, પાપથી અધોગતિ પમાય છે, પુણ્ય આય એટલે ગૃહસ્થને કરવા લાયક છે, પાપ હેય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૩
એટલે સર્વને છોડવા લાયક છે.
પુણ્ય નવ પ્રકારે બંધાય છે.-સુપાત્રને અન્ન આપવાથી, પાછું આપવાથી, સ્થાન આપવાથી, શા આપવાથી. વસ્ત્ર આપવાથી. સારૂં મન રાખ્યાથી, સારાં વચન બોલવાથી, સારી સેવા ચાકરી કરવાથી, અને નમસ્કાર કરવાથી, આમ નવ પ્રકારે પુણ્ય બંધાય છે,
પુણ્ય કરવાથી આવતા ભવમાં દેવતા થવાય છે, અથવા મનુષ્યપણું મળે છે, અથવા કંઈ નહિં તે સુખી હાલતવાળું તિચપણું પ્રાપ્ત થાય છે, પુણ્યથી ઉત્તમ કુળ, પુણે: દિયપણું, ઉત્તમ શરીર, પૂર્ણ અપાંગ, મજબુત બાંધો, સુંદરરૂપ, નિરગતા, મધ્યમકદ, બળવાનપણું, પ્રતાપ, કાંતિ, સારી ગતિ, સાર સ્વર, ચાતુર્ય, મજબુતી ઉત્તમતા, કપ્રિયતા, તથા યશ મળતા રહે છે. પુણ્યથી ભવાંતરમાં સારા વર્ણ-ગંધ-રસ-સ્પશનાં સુખ મળે છે. એટલું જ નહિ, પણ મહાન પુણ્ય કરવાથી તીર્થક૨૫દ પણ પ્રાપ્ત કરી શકાય છે
પુણ્યના બે વિભાગ છે.-પુણ્યાનુબંધિપુણ્ય અને પાપાનુબંધિપુણ્ય જે પુણ્યના ફળ ભેગવતાં પાછું નવું પૂણ્ય બંધાતું રહે તે પુણ્યને પુણ્યાનુબંધિપુણ્ય કહે છે. અને જે પુણ્યના ફળ ભેગવતાં વચ્ચે નવ નવાં પાપના બંધ કરવામાં આવે તેને પાપાનુંબંધિપુણ્ય કહે છે. પુણ્યાનુબંધિપુણ્ય આપણને ઉંચીથી ઉંચી સ્થિતિ પર લઈ જાય છે, ત્યારે પાપનુબંધિપૂર્ણ આખરે અધમ સ્થિતિ પર લઈ જાય છે.
૧ સારા પરિણામ-વિચાર-ભાવ રાખવાથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
વિવેક પુર્વક પુણ્ય કરવાથી પુણ્યાનુંબંધિ પુણ્ય બંધાય છે, અને વિવેકરહિત પુણ્ય કરવાથી પાપાનુબંધિપુણ્ય બધાય છે.
પરીક્ષા પાઠ ૧૮ પૂર્ણ કોને કહે છે ? પાપ કોને કહે છે ? પૂણ્ય કેટલા પ્રકારે બંધાય છે ? પૂર્ણ કરવાથી શું થાય છે ? પૂણ્યના બે વિભાગ કયા છે ? પુણ્યાનુબંધી પુણ્ય કેમ બંધાય ? પાપાનુબંધિપુણ્ય કેમ બંધાય ?
પાઠ ૧૯ પુણ્ય–પાપ. ભાગ ૨ જે પાપ અઢાર પ્રકારે બંધાય છે. તે અઢાર પ્રકારને અઢાર પાપસ્થાનક કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. પ્રાણાતિપાત – હિંસા રાગ –- પ્રીતિ મૃષાવાદ – જૂઠ દ્વેષ -- વિર. અદત્તાદાન – ચેરી કલહ – કજીયા મૈથુન
વ્યભિચાર અભ્યાખાન – આવી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૫
|
|
પરિગ્રહ મમતા પૈશુન્ય - ચાડી કેધ
ગુસ્સો રત્યરતિ – ઉચાટ માન
અહંકાર પર પરિવાદ – નિંદા માયા – કપટ માયામૃષાવાદ – કુડકપટ
– તૃષ્ણ મિથ્યાત્વ – બેટીશ્રદ્ધા પાપકર્મ કરવાથી આવતા ભવે નારકી અથવા તિર્યંચની ગતિમાં જવું પડે છે, અને મનુષ્યપણું મળતાં પણ હીન કુલ હીન શરીર, દુઃખદરદ, દુર્ભાગ્ય વગેરે પ્રાપ્ત થાય છે. માટે અઢાર પાપકસ્થાનકથી જેમ બને તેમ દૂર રહેવામાં સાર છે.
લેભ
પરીક્ષા પાઠ ૧૯ પાપ કેટલા પ્રકારે બંધાય છે ? તે પ્રકારોને શું કહેવાય છે ? પાપ કરવાથી શું થાય છે ?
પાઠ ૨૦ આશ્રવ–સંવર, ભાગ ૧ લે. આશ્રવ એટલે આવવાનાં ગરનાળાં. સંવર એટલે ઢાંકણે આ ઉપરથી જૈન ધર્મમાં જે કમ ઉપાર્જન કરવાનાં કારણે
૧ ખુશી-દિલગીરી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
છે તેમને આશ્રવ કેહેવામાં આવ્યાં છે, અને જે કર્મને અંદર આવતાં અટકાવવાનાં કારણુ છે તેમને સવરૂપે ગણ્યાં છે. આશ્રવથી કર્મ અધાય છે. અને સંવરથી કખ ધ થતા અટકે છે. જેમ તળાવમાં ગરનાળાંવડે પાણી ભરાય છે, અને તેમનાં કમાડબંધ કરી દીધાં હાય તે। પાણી ભરાતુ અટકે છે, તેમ અહી જીવને તળાવરૂપે માનતાં તેમાં આશ્રવાથી કર્મરૂપ પાણી ભરાય છે, અને સંવરેથી તે ભરાતાં અટકે છે.
આશ્રવ એ પાપના હેતુ છે. સ ંવર્એ ધર્મ છે. પૂણ્ય અને સંવરમાં જરા તફાવત છે, તે એ કે પુણ્યથી શુભકમ અંધાય છે, પશુ સંવરથી તા જીવના કર્મોના ક્ષય થાય છે, અને નવાં કર્મ બંધાતાં નથી. તેથીજ પુણ્ય અને ધર્મને જૈનમાં જુદા ગણવામાં આવે છે.
સામાન્યપણે, હિંસા, અસત્ય, ચારી મૈથુન, અને રિગ્રહ એ પાંચ આશ્રવ છે, અને તેથી વિપરીત અહિં’સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ સવર કહેલાં છે; તા પણ અહીં તેમની વિશેષપણે એળખાણ આપવાના હેતુથી તેમનુ વિશેષ વિવેચન કરીયે તા આશ્રવના ખેતાલીશ પ્રકાર અને સંવરના સતાવન પ્રકાર છે.
પરીક્ષા પાઠ ૨૦૦
આશ્રવ એટલે શું? સંવર એટલે શું?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈનમાં આશ્રવ-સંવર કેને કહેવામાં આવે છે? આશ્રવ કેનો હેતુ છે? સવર શું છે? પૂણ્ય અને સંવરમાં શું ફેર છે? પૂણ્ય અને ધર્મને જૈનમાં જુદા કેમ ગણ્યા છે? પાંચ આશ્રવ કયા? પાંચ સંવર કયા? આશ્રવના એકંદર કેટલા પ્રકાર ? સંવરના કેટલા પ્રકાર છે?
પાઠ ૨૧ આશ્રવના ૪૨ ભેદ. ભાગ ૨. પાંચ ઇંદ્રિયો:-(શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શ) ચાર કષાયો -કોધ. માન, માયા, લેભ.
પાંચ અવત:-(પ્રાણાતિપાત, મૃષાવાદ; અદત્તાદાન-મૈથુન, પરિગ્રહ,
ત્રણ યમ:-મન, વચન અને શરીર.
પચીશ ક્રિયા-ક્રિયાસંબંધી વધુ વિવેચન ઉપરનાં પુસ્ત કમાં આવશે.)
આ રીતે કર્મને ઉપાર્જન કરવાના કર આશ્રવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા પાઠ ર૧ પાંચ ઈઢિયે કઈ? ચાર કષાય કયા? પાંચ અવ્રત કયાં ? ત્રણ ચોગ કયા? ક્રિયા કેટલી છે? કમ ઉપાર્જનના હેતુ કેટલા છે?
પાઠ ૨૨. સંવરના પ૭ ભેદ ભાગ. ૩ જે.
પાંચ સમિતિ, સમિતિ એટલે સમ્યક પ્રવૃતિ. તે પાંચ પ્રકારે છે :-ઈર્યો સમિતિ (ફરવાહરવામાં સંભાળ) ભાષા સમિતિ (બોલવામાં સંભાળ), એષણા સમિતિ (આહાર શોધી લાવવામાં સંભાળ), આદાન નિક્ષેપણસમિતિ (લેવા દેવામાં સંભાળ) પરિ સ્થાપનિકા સમિતિ (પાઠવવા-છાંડવામાં સંભાળ. - ત્રણ મુસ્તિ, ગુપ્તિ એટલે નિગ્રહ અથવા સંયમ. તે ત્રણ પ્રકારે છે. મને ગુપતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુતિ મળીને આઠ પ્રવચન માતા કહેવાય છે,
બાવીસ પ્રકારના પરીષહ સહુના પરીષહ એટલે સંકટ. ભૂખ, તરસ, ટાઢ, તાપ, વગેરે બાવીશ પ્રકારનાં સંકટે છે તેમને શાંતિથી સહન કરવાં તે પરીષહ સહન.
૧ રૂડી રીતે. ૨ પરીષહની વિગત ઉપરનાં પુસ્તકમાં આવશે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૯
દશ પ્રકારના યતિધર્મ:-ક્ષાંતિ, માવ, આત્ર,મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૈાચ, આચિન્યપ અને બ્રહ્મચર્યાં.
ખાર ભાવનાઃ–સંસાર અનિત્ય છે, કાઇ કેઇને અચાવનાર નથી, સંસાર દુ:ખમય છે. એકલા જવુ છે, ધર્મ સિવાય મધુ પર છે, શરીર અશુચિ છે, આશ્રવ છેાડવા જોઇએ, સવર રાખવા જોઇએ, ક તેાડવાં જોઇએ. લેક નિત્યાનિત્ય છે, અને સમ્યકત્વતા દુર્લભ છે એમ માર પ્રકારે ચિંતવવુ તે ખાર
ભાવના.
પાંચ પ્રકારનું ચિત્ર આ રીતે સતાવન સ ંવર છે.
E
પરીક્ષા પા ૨૨
પાંચ સમિતિ કઇ? ત્રણ ગુપ્તિ કઈ? પરીષહુ એટલે શુ?
દેશ પ્રકારના યતિધર્મ કહી મતાવા. ખાર ભાવનાનું સ્વરૂપ કહા.
ચરિત્ર કેટલા પ્રકારના છે?
૧ ક્ષમા. ૨ નમ્ર, ૩ સરળતા. ૪ નિબઁભતા. ૫ નિ:પરિ
૫
ગ્રહતા.
હું એનું સ્વરૂપ ઉપલા પુસ્તકમાં કહીશુ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
પાઠ ૨૩. બંધ-નિર્જરા–મેક્ષ ભાગ ૧ લે. બંધ
કમને બાંધવાં તે બંધ. બંધ ચાર પ્રકારે કરાય છે – જેમ લાડ બાંધતાં તેમાં જે ચીજો (વસ્તુ) વાપરીયે તે તેને પ્રકૃતિબંધ છે. તે જેટલી મુદત સુધી તેને તેજ રહે તે સ્થિતિબંધ તેને જે સ્વાદ બંધાય તે રસબંધ, અને તેનું જે નાનું મોટું કદ બંધાય તે પ્રદેશ બંધ કહેવાય. તેમ અહી કર્મને બંધ પણ પ્રકૃતિ, સ્થિતિ રસ, તથા પ્રદેશ એમ ચાર પ્રકારે થાય છે, કમના આઠ પ્રકાર છે તે તેને પ્રકૃતિ બંધ જાણ. તેથી કર્મના આઠ પ્રકાર છે તે તેના સ્વભાવરૂપ હોવાથી મૂળપ્રકૃતિ ગણાય છે.
બીજે સ્થિતિબંધ તે કોઈક પ્રકૃતિ ટુંકી મુદતે થાય અને કેઈક બહુજ લાંબા વખત સુધી ટકે છે તે સ્થિતિબંધ.
ચોથે પ્રદેશબંધ તે મંદપણે વર્તી કમ બાંધતાં અન્ય પ્રદેશી એટલે પાતળા કર્મ બંધાય, અને ઉત્કટગે વતી કર્મ બાંધતાં બહુ પ્રદેશિક સ્કુલકર્મ બંધાય તે પ્રદેશબંધ.
પરીક્ષા પાઠ ૨૩, બંધ એટલે શું? બંધ કેટલા પ્રકારે કરાય છે? પ્રકૃતિ બંધ તે શું? કર્મની મૂળ કૃતિ કેટલી છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ બંધ તે શું ? રસબંધ તે શું? પ્રદેશબંધ તે શું ?
પાઠ ૨૪ બંધ-નિર્જરા મેક્ષ ભાગ ૨ જે નિર્જરા,
બાંધેલાં કર્મોને ક્ષય કરવાં તે નિર્જરા. નિર્જરા બે પ્રકારે છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા, ઇચ્છાપૂર્વક કષ્ટ સહનથી સકામ નિર્જરા થાય છે, અને ઈચ્છાવગરની તિર્યચોની માફક કષ્ટ સહ્યાથી અકામ નિજેરે થાય છે.
કમની નિર્જરાનો મુખ્ય હેતુ તપ છે, તેના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે– આત્યંતર અથવા આંતરિક તપ છ પ્રકારે છે
પ્રાયશ્ચિત. વિનય. વૈયાવૃત્ય (દેવગુરૂની સેવા પુજા) તથા માંદાની ચાકરીરવાધ્યાય–શાસ્ત્રપઠન. ધ્યાન–એક ચિત્ત. કાયોત્સર્ગ-સમાધિમાં રહી કાયાને વસરાવી દેવી તે. બાહ્ય-(અથવા બાહેરમાં દેખાતું) તપ છ પ્રકારે છે. અનસન-(ઉપવાસ વગેરે.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉદરી(ઓછું ખાવું તે.) વૃત્તિસંક્ષેપ ( અમુક ચીજો ખાવી તે.) રસત્યાગ--(દૂધ, ઘી, કે ગોળ વગેરે નહિ ખાવા તે.) કાયકલેશ—( શરીરને તપાવી તસ્દી આપવી તે.) સલીનતા–(એક ઠેકાણે રક્ષાને માટે સંકોચાઈ બેસી
રહેવું તે.) આ બાર પ્રકારનાં તપથી, બાંધેલાં કમ તૂટે છે. છતાં તેમાં પણ જ્ઞાનપૂર્વક તપ કરવાથી વધુ કર્મ આપે છે. જે માટે કહેવામાં આવે છે કે--
जं अन्नाणि कम्म-खवेई बहुयारि वासहि कोडिहिं तं नाणी तिहिं गुत्तो-खवेई ऊसास मित्तेणं
અર્થ:–અજ્ઞાની જન કેડે વર્ષ તપ કરી જે કર્મ ખ. પાવે છે, તે કર્મને જ્ઞાની જન, મન, વચન, કાયને વશ રાખી એક શ્વાસ લેવાની સાથે ખપાવે છે. માટે કર્મની નિર્જરા કરવા સારૂ પશ્ચાતાપ, વિનય, સ્વાધ્યાય, જ્ઞાન અને ધ્યાન, કાયા ન્સગ એ નામના અત્યંતર તપ ઉત્તમ સાધન છે, અને અત્યં. તર તપ પૂર્વક બાહ્ય તપ હોય તો તેથી બહુ જ ઉતાવળે કમક્ષય થાય છે.
એટલા માટેજ સાધુનું નામ ક્ષમાશ્રવણ એટલે કે ક્ષમા પૂર્વક તપ કરનાર એવું પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા પાઠ ૨૪ નિર્જરા તે શું ?
તેના બે પ્રકાર કયા? સકામ નિર્જરા કેમ થાય ? અકામ નિર્જરા કેમ થાય છે? નિજેરાને મુખ્ય હેતુ કયો ? આત્યંતર તપ કર્યું ? આત્યંતર એટલે શું ? સ્વાધ્યાય એટલે શું? વૈયાવૃત્ય એટલે શું ? કાયેત્સર્ગ એટલે શું ! બાહ્યતપ કર્યું !
બાહા એટલે શું ! અનશન ઉનેદરી વગેરે છ શબ્દનો અર્થ કહો. વધુ કમ કેમ તૂટે ? તે માટેની ગાથા બોલે. નિજ રા માટે ઉત્તમ સાધન કયાં ? ક્ષમશ્રિમણ એવું કોનું નામ છે ? તેને અર્થ છે !
- - -
- -
પાઠ રપ બંધ-નિર્જરા–મોક્ષ ભાગ ૩ જો મોક્ષ.
પૂર્વે બાંધેલાં ઘનઘાતિ કર્મોની જ્ઞાન, ધ્યાન, અને ચારિ. ત્રથી (તપશ્ચર્યાદિથી) નિર્જરા કરી તેમનો નાશ કરતાં આત્માને કેવળજ્ઞાન-પરિપૂર્ણ જ્ઞાન પ્રગટે છે. તેના ગે આત્મા દેહધારી છતાં સર્વગ–પરમેશ્ચર થઈ રહે છે. બાદ અઘાતિકર્મ રૂપેરહેલાં બાકીનાં ચાર કર્મોને તેમની સ્થિતિ પ્રમાણે ભોગવી લીધાથી તેમનો ક્ષય થતાં આત્મા મેક્ષ પામે છે.
મેક્ષ અથવા મુકિત એટલે છુટકારો. જીવ અનાદિકાળથે 1 કર્મોવડે સંસારરૂપી કેદમાં બંધાયેલો છે, તેને તેનાથી છુટકારે મેળવે છે, ત્યારે તેને મેક્ષ માન્ય ગણાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪ મુકિત-સિદ્ધ-નિર્વાણ-નિવૃતિ-શિવ-પરમપદ, આ બધાં મક્ષનાં નામ છે. મોક્ષપામેલ આત્મા મુક્ત–સિદ્ધ કે નિવૃત કહેવાય છે,
મોક્ષ એ પંચમગતિ છે એ ગતિ પામતો જીવ પિતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. અને સમગ્ર કર્મથી મૂકાઈ સ્વતંત્ર થવાથી પરમસુખ પામે છે.
સાથી નીચેની સ્થિતિ તે નિગોદ છે, તેમ સૌથી ઉંચી સ્થિતિ તે મુકિત છે.
ત્યાં સિદ્ધના જીવને સ્થલ કે સૂક્ષ્મ કોઈ જાતનું શરીર નથી હોતું,
મેક્ષ પામવાનું બીજ સમતા છે. સમતા એટલે સમભાવ તેથી જ કહેવાય કે –
सेयंबरो व आसंघरो व बुद्धो व अहव अन्नो वा' समभाव भावि यप्पा लहेइ मुक्खं न संदेहो.
અર્થ—તાંબર અને દિગંબર એવા જૈનના બે પક્ષ છે, તેમાંના ગમે તે પક્ષનો હેય, અથવા ઔધ હોય, વા અન્ય કઈ પણ હોય, તથાપિ તે, સર્વ જીવ-અજીવ પર સમભાવથી પિતાના આત્માને ભાવિત કરે છે તે મોક્ષ મેળવે છે એમાં સંદેહ નથી. | મુકિત મેળવવાનો અધિકાર ફકત મનુષ્યને જ છે. મનુષ્ય જાતિમાં પુરૂષ કે સ્ત્રી બંને મુકિતનાં અધિકારી છે. તેમજ ૧ શ્રી રત્નશખર સુરીકૃત. ૨ સ્ત્રીને મુક્તિ દિગંબર ભાઈઓ માનતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૫
મુકિતના માટે અમુક વૈષવાળા હાય તેજ અધિકારી થાય એવુ પણ કાંઇ નથી, ગમે તેા જૈન સાધુના વેશ રાખનાર હાય, ગમે તા અન્ય મતના વેશ રાખનાર હાય, અથવા ગમે તે ગૃહસ્થના વેશ રાખનાર હાય, છતાં જે પવિત્ર ધ્યાનથી કમને તેડી નાખે તે તેજ વેશે મુકિત પામે છે.
જૈન સાધુના વેશે મુકિત પામનાર તે સ્વલિંગસિદ્ધ ગણાય છે-અન્યમતના વેશે મુકિત પામનાર તે અન્યલિંગસિદ્ધ ગણાય છે અને ગૃહસ્થના વેશે મુકિત પામનાર તે ગૃહસ્થલિ ંગસિદ્ધ ગણાય છે.
મેાક્ષ એ ચેાથેા પુરૂષાર્થ છે. મેાક્ષનુ ખીજ સમ્યકત્વ છે. મેાક્ષના માર્ગ તે સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને સમ્યકચારિત્ર છે. મેાક્ષ માટે જ્ઞાન અને ક્રિયા એ એની જરૂર છે. ધ્યાન એ મેાક્ષનું આવશ્યક કારણુ છે.
પરમ સુખ મેક્ષમાં છે માટે મેક્ષ માટેજ ધર્મની પ્રવૃત્તિ કરાય છે. માક્ષ પ્રાપ્ત થતાં પુણ્ય-પાપ, ધર્માં-અધર્મની પ્રવૃત્તિ અધ પડે છે. અને પૂર્ણ નિવૃત્તિ પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે.
પરીક્ષા પાš ૨૫
કેવળ જ્ઞાન એટલે શું?
તેનાથી આત્મા કેવા થાય છે? મેાક્ષ એટલે શુ? માક્ષ પામનારને શું કહે છે?
Jain Educationa International
તે કેમ પ્રગટે ? મેાક્ષ કયારે પામે?
મેાક્ષનાં ખીજા કયાં નામ છે ? પાંચમી ગતિ કઇ ?
For Personal and Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
સૌથી નીચી સ્થિતિ અને સૌથી ઉંચી સ્થિતિ કઈ? મોક્ષ પામવાનું બીજ કયું છે? સમતા એટલે શું ?
તેની ગાથા બેલી અર્થ કરો. મુકિતને અધિકાર કોને છે? સ્ત્રી મુક્તિ પામે કે કેમ? અમુક વેષ ધારણ કરવાથી જ મુકિત મળે છે કે કેમ? સ્વલિંગસિદ્ધ કોને કહે છે? અન્યલિંગસિદ્ધ કોને કહે છે? ગૃહસ્થગિસિદ્ધ કોને કહે છે? મોક્ષમાં પુણ્ય પાપ કે ધર્મ અધમની પ્રવૃત્તિ છે કે નહિ ? મોક્ષમાં શું પ્રાપ્ત થાય છે?
ખંડ ર–આચાર.
પાઠ ૨૬ સમ્યકત્વ..
સમ્યક એટલે બરોબર કે યથાર્થ. સમ્યકત્વ એટલે બરબરપણું કે યથાર્થતા. આ ઉપરથી જૈનમાં સાચા પદાર્થની શ્રદ્ધા કરવી તેને સમ્યકત્તવ કહેવામાં આવે છે, અને ખોટા ૫દાર્થની શ્રદ્ધા રાખવી તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે, ટૂંકામાં કહીયે તે સાચી માન્યતા તે સમ્યકત્વ છે અને બેટી માન્યતા તે મિથ્યાત્વ છે.
સમ્યકત્વનું બીજું નામ સમ્યકદર્શન છે. સમ્યકદર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
એટલે યથાર્થ અવલોકન. સમ્યકદર્શન થવા માટે સમ્યદ્રષ્ટિ એટલે ખરી નજરની જરૂર છે. તેથી ખરી નજરવાળા પુરૂષને સમ્યક દ્રષ્ટિ પુરૂષરૂપે ઓળખવામાં આવે છે.
સમ્મદ્રષ્ટિ એટલે સમી નજરવાળો પુરૂષ. એ પુરૂષ ખરી બાબતોને ઓળખી તેની શ્રધ્ધા કરે છે. અને ખરી શ્રધ્ધા રાખીને ઉંચી સ્થિતિ પર ચઢે છે.
ખરી નજર રાખી તપાસતાં માલમ પડે છે કે જે રાગષ રહિત હોય,–પવિત્ર હોય તે ખરા દેવ છે. જે નિઃસ્વાથી હોય,-મમતારહિત રહેતા હોય તે જ ખરા ગુરૂ છે, અને જે સર્વ પ્રાણિ તરફ દયાભાવ રખાવે તેજ ખરો ધર્મ છે. આ ઉપરથી દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ કરીને તેમને માનવી એ સમ્યકત્વ છે.
સમ્યકત્વ એ ધર્મને મૂળ પાયે ગણાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે જ તે પ્રાણિ માગે ગણાય છે,
સમ્યકત્વ પ્રગટાવવા માટે સમ્યકજ્ઞાન થયા સિવાય સત્ય શું છે અને અસત્ય શું છે તેની ખબર પડતી નથી. અને તેમ થાય ત્યાંસુધી ચોકખું સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી.
પરીક્ષા પાઠ ૨૬ સમ્યકત્વ શબ્દને શું અર્થ છે? સમ્યકત્વ એટલે શું તે ટુંકામાં કહો.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
સમ્યક્તત્વનું બીજું નામ શું ? સમ્યકત્વ દર્શન માટે શાની જરૂર છે ? સમ્યકદ્રષ્ટિ કેને કહેવાય ? ખરા દેવગુરૂ અને ધર્મ ક્યા? સમ્યકત્વ કેમ પ્રગટે ?
પાઠ ૨૭. સમ્યકત્વ–ચાલુ. સમ્યકત્વ પામવું એ સંસારને પાર પામવા બરેબર છે. સમ્યકત્વવાન જીવને રાગદ્વેષની મજબુત ગાંઠ વળેલી રહેતી નથી. કેમકે તે જ્યારે રાગદ્વેષની ગ્રંથી (ગાંઠ) તેડે છે ત્યારેજ સમ્યકત્વ પામે છે. અતિ આકરા કષાય જ્યારે કંઈક ધીમા પડે કે ધીમા પાડવામાં આવે, ત્યારેજ જીવને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
સમ્યકત્વ પ્રાપ્ત થયા સિવાય કેઇને મોક્ષ મળતું નથી. જેમનું હૃદય સમતાવાળું હોય છે, તેને ધર્મ ઉપર ભારે પ્રીતિ હોય છે, અને સંસારની મેજમજામાં (વૈરાગ્ય ) અંદરથી ઓછી પ્રીતિ હોય છે. તેને દુ:ખીજન જોઈ અનુકંપા આવે છે અને તેને “ આત્મા અમર છે અને કકમ ભેગવાય છે” આ બે વાતની તેને પાકી ખાતરી હોય છે.
સમ્યકત્વ એ કંઈ કિયા નથી, પણ ચિત્તની પવિત્રતા છે. તેથી કરીને દેવતાઓ પણ સમ્યકત્વ પાળી શકે છે.
ટુંકામાં સાર એ છે કે ખરૂં જ્ઞાન અને ખરી શ્રદ્ધા તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ છે અને તે પ્રમાણે આચરણ કરવું તે ચરિત્ર છે,
સમ્યકત્વ એ જ્ઞાન છે, ચારિત્ર એ ક્રિયા છે. સમ્યકત્વ એ પહેલું કર્તવ્ય છે અને ચારિત્ર એ તેના પછીનું કર્તવ્ય છે.
સમ્યકત્વને જૈનમાં હમણું સમકિત કહે છે અને તેના પાળનારને સમકિતી કહે છે. સમ્યકત્વવાન જીવ, દેવ અને ગુરૂમાં અને ધર્મ તરફ ભકિત રાખનાર હોય છે.
પરીક્ષા પાઠ ૨૭, સમકત કયારે પ્રાપ્ત થાય છે? સમ્યકત્વ પામ્યા વિના મોક્ષે જઈ શકાય કે નહિ ? સમ્યકત્વવાનનું હૃદય કેવું હોય છે? ચારિત્ર એટલે શું ? સમ્યકત્વ અને ચારિત્રમાં પહેલું કોને કરવું ? સમ્યકત્વ પાળનારને હાલ શું કહે છે?
પાઠ ૨૮. ધર્મ. ધર્મ એટલે ધરનાર. નીચે પડતાને ધરી રાખી ઉચ્ચપદે લઈ જાય તે ધર્મ. ધર્મના બે પ્રકાર છે –સમ્યકત્વ અને ચા રિત્ર. સમ્યકત્વરૂપ ધર્મમાં જ્ઞાન અને ભકિત હોવાની જરૂર છે તેમ ચારિત્ર ધર્મમાં વૈરાગ્ય હેવાની જરૂર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ જૈનમાં રત્નત્રયરૂપે મનાચેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રનાજ નામાંતર છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રત્નસમાન છે, તેથી તેમને રત્નત્રયી તરીકે ઓળખવામાં આવે છે,
જ્ઞાન અને દશન એ સમ્યકત્વ ધર્મ છે. ચરિત્ર એ ચારિત્રધર્મ છે. સમ્યકત્વ ધર્મનું ચાલુ નામ શ્રુત ધર્મ છે શ્રત ધર્મમાં શ્રત એટલે શાસ્ત્ર સાંભળવું તેની મુખ્યતા છે, ચારિત્ર ધર્મમાં વિરતિની મુખ્યતા છે. વિરતિ એટલે ત્યાગ.
ધર્મના બે ભાગ હોવાથી તેને પાળનારના પણ બે વિભાગ છે.—વિરતિ અને અવિરતી-એટલે ત્યાગી અને ભેગી. સમ્યકદ્રષ્ટિ થાય ત્યાંસુધી અવિરતિ ગણાય છે, સમ્યકદ્રષ્ટિને માત્ર ધર્મની શ્રધ્ધા હોય છે–પણ કંઈ ત્યાગ બુદ્ધિ નથી હોતી, તેથી તે અવિરત ગણાય છે, વિરત-એટલે ત્યાગી તેના બે પ્રકાર છે. દેશવિરતિ અથવા દેશ ત્યાગી, અને સર્વવિરતિ અથવા સર્વ ત્યાગી દેશવિરત તે નાનાંવ્રત લેનાર શ્રાવક, અને સર્વ વિરત તે મેટાં વ્રત લેનાર સાધુ. દેશવિરતના ચારિત્રને દેશવિરતિ કહે છે અને સર્વ વિરતના ચારિત્રને સર્વવિરતિ કહે છે.
પરીક્ષા પાઠ ૨૮ ધર્મ એટલે શું ? ધર્મના કેટલા પ્રકાર છે ?
બીજું નામ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૧.
સમ્યકત્વરૂપ ધર્મમાં શેની જરૂર છે ? ચારિત્રમાં શેની જરૂર છે ? રત્નત્રય કેને કહે છે ? જૈનધર્મ એટલે શું ? જૈનધર્મ અને ચારિત્ર ધર્મમાં શું તફાવત છે ? વિરતી એટલે ? સમ્યક દ્રષ્ટિ વિરતી ગણાય કે અવિરતી ? વિરતીના કેટલા ભેદ છે ? દેશવિરતિ કોણ? સર્વવિરતિ કે શું?
પાઠ ૨૯ જ્ઞાન સંબંધી આચાર. ગમે તેવાં મોટાં રમણિય મંદિર, માળીયાં હોય, તેમાં ગમે તેવાં રાચરચિલાં હોય, અને તેમાં ગમે તેવા મોટા પુરૂષ રહેતા હોય, પરંતુ જો તેમાં દીવા ન હોય તે સઘળું અંધારું અને જ્યાં સઘળું અંધારું ત્યાં ઘણું ઉપયોગી હોવા છતાં તે પણ નકામું. તેમ આ સંસાર ગમે તે હોય, તેમાં મનુષ્ય ભવ ગમે તે રૂડો ગણાતો હોય, તેમાં જેનકુળ ગમે તેવું ઉંચી પદવી ભગવતું હોય, છતાં જ્ઞાનરૂપી દી ન હોય તે અંધારૂં. માટે સંસારમાં અજવાળું તો જ્ઞાન જ છે.
હવે ઉપર કહ્યું એવાં જ્ઞાનનાં સાધને ઘણાં છે, પરંતુ તેમાં બે સાધને તે મુખ્ય છે, એક ગુરૂ અને બીજું ધર્મપુસ્તક. ગુરૂ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
(દુહા) ગુરૂ દીવેા ગુરૂ દેવતા, ગુરૂ વિના ધાર અધાર;
જે ગુરૂ વાણી વેગળા, તે રડવડીઆ સંસાર.
ભાવાર્થ :—આ સંસારમાં રડવડી રડવડી કાણુ મરે છે? જે ગુરૂની વાણીથી એટલે તેના ઉપદેશથી વેગળા રહે છે તે. કારણ કે આ ઘાર મંધારા જેવા સ'સારમાં દીવા સરખા ગુરૂ છે અને દેવતા સમાન પણ ગુરૂ છે, જેમ દીવાથી સ` દેખાય એમ ગુરૂના ઉપદેશથી આખા સંસારની, પેાતાની અને મેાક્ષની પણ ખબર પડે, માટે ગુરૂને વિનય કરવા, તેમની ભક્તિ કરવી, તેમને સન્માન આપવું. શુધ્ધ અન્ન, કપડાં સ્થાન, દવા વગેરેથી તેમની સેવા કરી જ્ઞાન સંપાદન કરવાં.
જ્ઞાનનું બીજું સાધન પુસ્તક છે. એ પણ દીવા સમાન છે. જે વાત આપણને ન જણાઇ હાય તે પણ પુસ્તક રૂપી દીવા વડે દેખાય છે, જે વાત હજારા વર્ષ ઉપર કે માલા પર અની હાય કે બનવાની હાય, તે સર્વ પુસ્તક વડે માપણને જાણીતી થઇ પડે છે, માટે તેમને પણ આપણે વિનય કરવા તેમને બહુ સંભાળીને રાખવાં, તેમને વિશેષ ઉપયોગ થાય તેમ કરવું, પુસ્તકશાળાઓમાં પુસ્તકા રાખી સર્વેને તેના લાભ મળે તેમ કરવું. ચેાગ્ય કારણ વિના ભંડારમાં ભરી રાખી તેને સડવવાં કે ઉધેઇને ખવડાવી દેવાં એ તેની આશાતના છે.
જ્ઞાન શાળાઓ સ્થાપી બાળકાને ધમજ્ઞાન અને શુઘ્ન વ્ય. વહાર જ્ઞાન અપાવવુ જોઇએ એ પણ જ્ઞાનનું મહુ માન છે. ૧ ગુરૂવિનય ઉપર શ્રેણીક રાજા અને ચાર–ચંડાળની વાત શિક્ષકે બાળકાને સમજાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૩
જ્ઞાન ભણનારા બાળકો માટે ખાવા પીવાને બંદે બસ્ત કરી આપ, તેમને પુસ્તક અપાવવાં વિદ્યાથીને અભ્યાસ
સ્થા કરી આપવાં, એ પણ જ્ઞાન વૃદ્ધિ કરી પૂણ્ય-ઉપાર્જન કરવાને સ્તુતિપાત્ર માર્ગ છે.
મહાભાગ્યવાન મુનિ મહારાજાઓને માટે મુનિરાજ મહાપાઠશાળા શ્રાવકેએ સ્થાપવી. તેમને જ્ઞાન લેવાનાં સાધનો કરી આપવાં એનાં જેવાં મહા પુણ્ય બીજા ભાગ્યેજ હોઈ શકે. પોતે પણ કલાક બે કલાકને આખી ઉમ્રભર ભણવાને આ ભ્યાસ રાખવો જોઈએ કે જેથી જ્ઞાનનું આવરણ તૂટી, ઝાય પ્રકાશ પ્રાપ્ત થાય.
યાદ રાખવું કે ત્રણે લોકના નાથ શ્રી અરિહંત પરમાત્માને આપણે તો શું પણ શ્રી ઈદ્ર મહારાજ વગેરે સર્વે દેવ વંદન-નમન કરે છે, પુજન-દર્શન કરે છે તે શા માટે ? પ્રભુનાં ઉત્તમ જ્ઞાન માટે-પ્રભુને થયેલ કેવળ જ્ઞાનને માટેમાટે જ્ઞાનને જ માન આપવું, એ પરંપરાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનાં હાલ બીજ વાવવા જેવું છે.
વળી યોગ્યકાળે, વિનય સહિત, સન્માન પૂર્વક, ઉપધા નવહી, ગુરૂનાં નામ સાથે, અક્ષરના શુદ્ધ ઉચારે, શુદ્ધ અર્થે અને છેલ્લે અક્ષર અને અર્થ બનેને સાચવી જ્ઞાન ભણવું, તેને જ જૈન શાસ્ત્રમાં જ્ઞાનના આઠ આચાર કહે છે.
સારા પુંઠા સારા રૂમાલ રાખવા, મજબુત કબાટ વગેરે
પંડાં પર સોનેરી અક્ષર કરાવતાં ઈડાની સફેદી વપરાય છે માટે એમ કરવાથી ઉલટી જ્ઞાનની આશાતના થાય છે, એ લક્ષમાં લેવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉપકરણે એ પણ જ્ઞાનનાં અવશ્યનાં સાધન છે.
પરીક્ષા પાઠ રલ, ૧ જ્ઞાન શા માટે સંપાદન કરવું જોઈએ? ૨ જ્ઞાનનાં મુખ્ય સાધન ક્યાં કયાં ? ૩ ગુરૂ કેવા છે તેને માટે દુહ કહે અને તેનો ભાવાર્થ
સમજાવો? ૪ ગુરૂનું સન્માન કેમ કરવું ? ૫ પુસ્તક કેવું સાધન છે? ૬ પુસ્તકનું બહુમાન કેમ થાય? છ મુનિરાજ મહાશાળા, પુસ્તકશાળા વગેરે સાધનનું પર
પર ફળ શું છે? ૮ કેવલી ભગવાનને આપણે કયાં મુખ્ય કારણથી સન્માન
આપીએ છીએ ? ૯ જ્ઞાનના આઠ અ ચાર કહો ?
પાઠ ૩૦ દર્શનાચાર, દર્શનાચાર એટલે દર્શન સંબંધી આચાર દર્શન એટલે શ્રીતીર્થકર મહારાજે પોતાનાં કેવલજ્ઞાનવડે સર્વ વસ્તુનાં જે યથાર્થ સ્વરૂપ જાણ્યાં. અને જે આપણા હિતને માટે શુદ્ધ વચનો વડે તેમણે ઉપદેશ્યાં. તેમાં શ્રદ્ધા રાખવી એ દર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
પપ છે. એ જ પ્રમાણે શ્રી અરિહંત ભગવાનનાં વચનને અનુસરી શુધ્ધ ચારિત્ર પાળી, જે સદગુરુ આપણા હિતને માટે બોધ આપે છે, તેમનાં વચનોમાં પણ શ્રદ્ધા રાખવી તે પણ દર્શન છે. દર્શનનું બીજું નામ સમ્યકત્વ છે. સમ્યકત્વ શબ્દનો અર્થ ખરાપણું એવો થાય છે. - દર્શન સંબંધી આચાર આઠ પ્રકારે પાળી શકાય છે.
જેઓને કઈ પાર નથી રાગ કે નથી ષ હેતે તેજ સર્વ જીવે પર અને સર્વ વસ્તુ પર સમાનદ્રષ્ટિવાળા હોય છે; આવા સમાનદષ્ટિવાળા શ્રી વીતરાગ પ્રભુ છે અને તેઓનાં વચને સત્ય છે, એમ દઢપણે માનવું, અને તેમાં કાંઈ શંકા ન આવવા દેવી, એ નિઃશંકા નામનો પ્રથમ દર્શનાચાર છે.
આપણે પરમ કલ્યાણને માર્ગ તે જે શ્રી વીતરાગ દેવે દેખાડયે છે તેજ છે, એવું બરોબર માનવું અને બીજા ધર્મની વાંછા ન કરવી તે નિ:કાંક્ષા નામને બીજે દશના. ચાર છે.
જેઓ શરીરાદિ ઉપરની મૂચ્છા ઉતારી શ્રી વીતરાગ પ્રભુના માર્ગે ચાલનારા સાધુ સાધ્વી છે, તેમનાં વસ્ત્રાદિ દેખી દુર્ગછા ન કરવી એ નિવી તિગિચ્છા નામનો ત્રીજો દર્શનાત ચાર છે.
શ્રી સદગુરૂનાં વચન પ્રમાણે વર્તવું અને બીજાના ચમ. કારથી ભેળાઈ ન જવું એ અમૂદષ્ટિ નામને ચોથે દશનાચાર છે.
સમ્યકત્વવંત કોઈ પણ સુજનના ગુણની અનુમોદનાપૂર્વક પ્રશંસા કરવી એ ઉપવૃંહણા નામને પાંચમો દશનાચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
પટ્ટ
ઉત્તમ એવા જિનપથી પડતાં પ્રાણીને ધમમાં પાછે સ્થિર કરવા એ સ્થિરીકરણ નામના છઠ્ઠો દનાચાર છે.
સ્વમિ ધુંએની રૂડે પ્રકારે ભકિત કરવી તથા સ જીવ પર મૈત્રીભાવ રાખવા એ વાત્સલ્ય નામના સાતમા દર્શનાચાર છે.
અન્ય ધર્મવાળા પણ જૈન ધર્મની પ્રશંસા કરે એવાં કાય કરવાં એ પ્રભાવના નામના માઢમેા દશનાચાર સમજવેા.
પરીક્ષા પા૩૦
દર્શનના બે અર્થ કયા કયા ?
દર્શનના આચાર પાળવાના ક્યા આઠ પ્રકાર છે ?
પાડ ૩૧ શ્રી જિનેશ્વરની પુજા ભાગ ૧.
રાગ અને દ્વેષ પ્રાણી માત્રના કટ્ટા શત્રુઓ છે. જે મહાન આત્માઓએ એ શત્રુઓને સંપૂર્ણ રીતે જીત્યા છે તેજ શ્રી જિનેશ્વર ભગવાન છે. શ્રી જિનેશ્વર ભગવાનની ભાવ સહિત પુજા કરતાં માપણામાં પણ રાગદ્વેષને જીતવાનું ખળ-વીય સ્ફુરી આવે છે અને એ સ્ફુરતાં બળ-વીર્યને ગાપવ્યાવિના તેને અનુસરી યથાશકિત આપણા આચાર રાખતા જઈએ તેા
૧
૧ છુપાવ્યા વિના.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૭
આપણે પણ શ્રી જિનેશ્વર ભગવાન જેવા થઈએ કારણ કે કહ્યું છે કે –“પૂજા કરતાં પ્રાણીઓ પોતે પૂજનીક થાય.”
જેમ બ્રિટિશ સરકારના વાઈસરોયે જેના પર સહી કરી છે એ કાગળ તે ક ગળ નથી, પણ દશ હજાર રૂપીઆની નોટ તરીકે ગણાય છે, જેમાં એક માણસ ઉપર શાસ્ત્ર વિધિપ્રમાણે સંસ્કાર કરવામાં આવવાથી તે માણસ ગુરૂ કે રાજા તરીકે મનાય છે, તેમ શાસ્ત્રાનુસારે જેનાપર સુસંસ્કાર કરવામાં આવ્યા છે, તેવી પ્રતિમાજી વડે પ્રભુજ ઓળખાય છે. પરંતુ એવી કઈ પ્રતિમાજી છે કે જેવડે શ્રી વીતરાગપ્રભુ ઓળખાય અને આ શ્રી જિનેશ્વર ભગવાનજ છે એવી આપણું પૂર્ણ ખાતરી થાય ? તેના માટે તે –
મા૪િની . प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमङ्कः कामिनीसंगशुन्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्यं
तदसि जगति देवो वीतरागस्त्वमेव. ।। ભાવાર્થ-જેની બે દ્રષ્ટિ જાણે શાંત રસમાં નિમગ્ન હોય ની એવી દેખાય છે જેમનું મુખકમળ જાણે પ્રસન્ન દેખાતું હાયની એવું જણાય છે, જેમને ખોળે કામિનીના સંગથી - હિત છેજેમના બે હાથ શાસ્ત્રના સંબંધ વગરના છે, એવા જગતમાં કઈ પણ દેવ હોય તે હે વીતરાગ પ્રભુ તે દેવ તો તું જ છે. શ્રી જિનેશ્વરની આવી શાંતમુદ્રા જોઇ શાંત રસ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
વાળા પ્રભુનું આપણે હૃદયમાં દર્શન કરીએ છીએ અને શાસ્ત્ર માં પણ તેમજ લખે છે કે:--
“જિન પ્રતિમા જિન સારખી કહી સુત્ર મુઝાર”
વળી એવા જિનેશ્વરની દ્રવ્યભાવે પુજા કરવાથી આપણા શુદ્ધ ચૈતન્યની પણ પૂજા થાય છે, કારણકે શાસ્ત્રમાં એમ પણ કહયું છે કે
જિનજીની પુજારે તે નિજ પુજનારે-ભાવ પ્રશસ્ત ને શુદ્ધ”
શ્રી જિનપુજાના અધિકારી સર્વ મનુષ્યો અને સર્વ દેવો પણ છે. દેવે પણ સ્નાન કરી પવિત્ર થઈ ભાવસહિત પુજા કરે છે, અને આપણે પણ તેમજ કરવું જોઈએ.
ચકખી જગામાં, અપ પણ ચકખું પાછું લઈ શરીર પર મેલ ન રહે તેવી રીતે નહાવું. અને તે સુગંધી અને સ્વચ્છ ટુવાલથી શરીરને લુછી, પવિત્ર વસ્ત્ર પહેરી; શ્રીજિનમંદિરમાં જઈ ચ દનથી આપણે કપાળે ચાંલ્લો કરી, શાંત ચિતે પ્રભુની નવે અંગ પુજા કરવી, પુજામાં જે પદાર્થો લાવવા તે ઘણું જ ઉંચા લાવવા ચંદન-કેસર-કર-કુલ-અત્તર-અગર વગેરે સુગંધી ને સ્વચ્છ તેમજ ઉંચા પદાર્થો વડે ભાવ સહિત પુજા કરવામાં આવે તે ઘણાં સારાં ફળ થાય છે.
આજે મેં ભાવ સહિત ત્રણે લોકના નાથ, શ્રી ઈદ્રને પણ પુજનીક એવા શ્રી અરિહંત પ્રભુને ભાવ સહિત પુજ્યા છે.
૧ શ્રી સાધુ મહારાજને પણ ભાવપૂજાનો અધિકાર છે અને દર્શન તો હમેશ સર્વને કરવાનાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
માટે અવશ્ય આજે મારા કાર્યમાં સિદ્ધિ થશે, એવા ઉમંગથી સુશ્રાવક કે દેવતા પોતાનાં સારાં કાર્યો કરવા ચાહે છે, તેમને ઘણું કરી અવશ્ય સારો લાભ થાય છે. આમ છતાં ઉત્તમ માર્ગ તે એ છે કે કંઈ પણ પુદ્ગલિક વસ્તુની ઇચ્છા વિના વિતરાગ પ્રભુની પૂજ કે ધર્મક્રિયા કરવી.
પરીક્ષા પાઠ ૩૧ જિનમુર્તિ જેવાથી શું યાદ આવે છે ? મૂર્તિને જોઇ આપણે નમિએ છીએ તે કોને નમિએ છીએ? શા માટે પવિત્ર થઈને પુજા કરવી? પૂજા કેવી રીતે કરવી? પુજા કરનારે કેવા થવું જોઈએ?
પાઠ ૩ર શ્રી જિનપૂજા વિધિ. શ્રી જિનેશ્વર ભગવાનની નવે અંગે પૂજા કરતાં ભાવસહિત અર્થપૂર્વક બોલવાના દુહા.
બે ચરણે પુજા કરતાંજળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પુજત; ઋષભ ચરણ અંગુઠડા, દાયક ભવજલ અંત. ૧
બે જાનુપર પુજા કરતાંજાનુ બલે કાઉસગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડાં કેવળ લહ્યું, પુજે જાનુ નરેશ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
બે કાંડે પૂજા કરતાંકાંતિક વચને કરી, વર્ષો વર્ષીદાન; કરકડે પ્રભુ પેજના, પુજે ભવિ બહુમાન
બે ખભા આગળ પુજા કરતાંમાન ગયું દે અંશથી ૧ દેખી વીર્ય અનંત; ભુજા બેલે ભવજલ તર્યા પુજે ખંધ મહંત,
શિખા ઉપર પુજા કરતાંસિદ્ધ શિલા ગુણ ઉજલી, લેકાંતે ભગવંત વસી તેણે કારણ ભવી, શિર શિખા પુજંત. ૫
લલાટ ઉપર પુજા કરતાંતીર્થંકર પદ પુણ્યથી, ત્રિભૂવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬
કંઠ ઉપર પુજા કરતાંસેળ પર દઈ દેશના, કંકવિવર વર્તુળ મધુર અવની સુર ર સૂણે, તિણે ગલે તિલક અમૂલ. ૭
હદય ઉપર પુજા કરતાંહૃદય કમલ ઉપશમ બેલે, બાન્યા રાગ ને રેષ; હિમ દહે વન ખંડને, હદય તિલક સતોષ.
નાભી ઉપર પુજા કરતાં૧ દે અંશથી–બે ખભા. ૨ અચલ ગચ્છવાળા પ્રભુના ખભા ઉપર પુજા કર્યા પછી પ્રભુની નાભિ ઉપર, પછી હદય ઉપર, પછી કઠે પછી લલાટે અને પછી શિખા ઉપર પૂજન કરે છે પરંતુ દુહા તે આજ પણ પોતાને યોગ્ય ક્રમે બેલે છે. ૩ વર્તુળ ગોળ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૩
રત્નત્રયી ગુણ ઉજલી, સકલ સુગુણુ વિશ્રામ; નાભિકમલની પુજના, કરતાં અવિચલ ધામ. નવ અંગ પુજા કરવી, તેનું કારણ:-૨ ઉપદેશક નવતત્વના, તિણે નવ અંગ જિષ્ણુ દ; પુજો બહુ વિધ ભાવશું, કહે શુભવીર મુણીંદ.
કરે છે,
પરીક્ષા પા′ ૩ર.
નવ અંગ પુજાના દુહા ખેલા.
કેટલાક શિખાથી નાભિ ઉપર અને કેટલાક નાભિથી શિખા ઉપર અનુક્રમે પુજા કરે છે તેમાં શી શી અપેક્ષાએ રહે છે ?
પાડ ૬૩. ગુરૂસેવા.
જેઓ નિ:સ્વાર્થી નિર્વાભી, નિષ્પરિગ્રહી, નિર્મળ, નિષ્કામ, નિત્સર. નિર્દભ, અને નિષ્પાપ હાય છે; વળી જે સત્યવાદી, શીયળવન્ત, દયાળુ, ક્ષમાવન્ત, જ્ઞાની અને અપ્રમાદી હાય છે; તે પુરૂષ આપણા ગુરૂ ગણાય છે. ગુરૂ નિસ્વાથી અને જ્ઞાની હાય તાજ આપણને તારી શકે છે,
૧ મેાક્ષ. ભાવથી.
આ ક્રૂડા ખેાલતાં પ્રભુની પસમાં કેટલાક પુજા
Jain Educationa International
e
For Personal and Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨
ગુરૂના ત્રણ ભેદ છે.-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આચાર્ય સર્વોપરિ ગુરૂ છે, ઉપાધ્યાય શિક્ષા અને સાધુ ધર્મગુરૂ છે.
ગુરૂની સેવા કરવી એટલે તેમને જઈ વંદન કરવું, તેમને આહારપા માટે નિમંત્રણ કરવું, તેમનું ગ્ય કાર્ય માથે ચઢાવવું, તેમને હિતોપદેશ ધ્યાનપૂર્વક સાંભળો, અને તેમનાં તરફ ભકતિ અને બહુ માનથી વર્તવું.
ગુરૂની સેવાથી ગુરૂ પ્રસન્ન થઈ શાસ્ત્રના ઉંડા રહસ્ય સંભલાવે છે. એ રહસ્ય જાણ્યાથી આપણે સમ્યકત્વ પામી, આપણી જિંદગીમાં ખરે રસ્તે ચડીને, સુખી થઈયે છીએ, અને ભવાંતરમાં સદ્ગતિ મેળવીયે છીએ. માટે ગુરૂને ઉપકાર મહાન છે.
બાળકના ગુરૂ માબાપ છે, વિદ્યાર્થીના ગુરૂ શિક્ષક છે, અને ધર્માથીના ગુરૂ ધર્મગુરૂ છે.
નાના બાળકેએ માબાપની આજ્ઞામાં રહેવું જોઈએ, વિદ્યાથીઓએ શિક્ષકની આજ્ઞા સ્વિકારવી જોઈએ, અને ધર્માર્થી જનેએ ધર્મગુરૂની આજ્ઞા પાળવી જોઈએ.'
આજ લગી જે જેનના ગુણવાન અને વિદ્વાન આચાર્યો થઈ ગયા તે બધા આપણું ગુરૂ જ છે, તે પણ ગુરૂ તરીકે તમસ્વામિનું નામ આપણને તરત યાદ આવે છે.
શ્રીૌતમસ્વામિ જાતે બ્રાહ્નણ હતા. તેમણે મહાવીર સ્વામિ પાસે પહેલી દીક્ષા લીધી તેથી તે પહેલા ગણધર ગણુયા. ગણુ એટલે સમુદાય. સાધુઓને સમુદાય સંભાળનાર તે ગણધર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
જેનમાં ચાર મંગળ ગણાય છે. પ્રથમ મંગળ વીરભગવાન છે, બીજું મંગળ ગૌતમસ્વામિ છે, ત્રીજું મંગળ સ્યુલીભદ્ર જેવા ખરા શીલવાન સાધુ છે અને ચોથું મંગળ જેનધર્મ છે.
मंगलं भगवान वीरो ॥ मंगलं गौतमप्रभुः ॥ मंगलं स्थुलभद्रायः ॥ जैनधर्मोस्तु मंगलम् ॥
પરીક્ષા પાઠ ૩૩. ગુરૂ કેણ ગણાય? ગુરૂની સેવા કેમ કરવી? ગુરૂને ઉપદેશ કે છે? બાળકના ગુરૂ કોણ? વિદ્યાર્થીના ગુરૂ કેણ? ધર્માર્થના ગુરૂ કેણ? જૈનમાં ગુરૂ તરીકે તેનું નામ પ્રસિદ્ધ છે? ૌતમસ્વામિ કેણ હતા? ગણધર એટલે શું ? ચાર મંગળ ક્યાં ગણાય છે ?
પાઠ ૩૪ શાસ્ત્રશ્રવણ. જગતનું હિત ઈચ્છનાર નિસ્વાર્થ અને જ્ઞાની પુરૂ જે થઈ ગયા તે ગીતાર્થ કે આચાર્ય મહારાજ કહેવાતા હતા. તેઓ સત્યવાદી અને તત્વજ્ઞાની હતા. તેઓ આત એટલે પ્રમાણિક પુરૂષ તરીકે ગણાયા છે. આવા ગીતાર્થ કે આચાર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રીના બનાવેલા ગ્રંથ તે શાસ્ત્ર ગણાય છે.
શાસ્ત્ર એ આપણને આજ સુધી થઈ ગએલા મહાપુરૂષ તરફથી મળેલી ઉત્તમ ભેટ છે. એ આપણું ત્રીજું નેત્ર છે શાસ્ત્રને જૈનમાં શ્રુત અથવા શ્રતજ્ઞાન કહે છે શ્રત એટલે સાંભબેલે શબ્દ. તેનાથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
શાસ્ત્રને સાંભળનાર હોય તે શ્રાવક ગણાય છે. કેમકે શ્રાવક શબ્દનો અર્થ જ એ છે. આપણે શ્રાવક છીએ. માટે આપણે શાસ્ત્ર સાંભળવા તત્પર રહેવું જોઈએ.
શાસ્ત્રો જુદી જુદી રીતનાં છે. જેમકે શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, વૈદ્યકશાસ, એમ અનેક જાતના શાસ્ત્રો છે. પણ અહીં તો અધ્યામશાસ્ત્ર એટલે ધર્મશાસ્ત્ર અથવા જૈન સિદ્ધાંત સાંભળવા માટેનીજ ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે જ્ઞાનથી આપણને ખરી શાંતિ મળી શકે છે. અને તેનાંજ શ્રવણ-મનનથી આપણને આ લેક અને પરલોકનું કલ્યાણ થાય છે. માટે અનુભવી ગુરૂ પાસેથી જેનસિદ્ધાંતના ઉંડા મર્મ સાંભળી તે પર આપણું દ્રઢ લક્ષ બાંધવું જોઇએ.
દેવલોકમાં પણ પુસ્તક હોય છે અને તેમને દેવતાઓ વાંચે છે. માટે જિનપૂ. ગુરૂસેવા અને શાસશ્રવણ એ શ્રાવકના મુખ્ય આચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા પાઠ ૩૪. ગીતાર્થ કેપ્યું?
શાસ્ત્ર કેને કહે છે? આત એટલે?
શ્રુતજ્ઞાન એટલે? શાસ્ત્રને જૈનમાં શું કહે છે? શ્રાવક એટલે? આપણે જન્મ સફળ કેમ થાય?
પાઠ ૩પ દાન. મનને ઉદાર રાખી કેઈને પણ કઈ જાતની બક્ષીસ આપવી તે દાન છે. દાન અનેક રીતનાં છે. જેમકે મરતા જીવેને બચાવી તેમને જીવતા રાખવા એ અભયદાન છે, પરમાર્થ બુદ્ધિએ વિદ્યા શીખવવી એ વિદ્યાદાન છે, જૈન મુનિઓને અન્નપાણી વસ્ત્ર કે આષધ આપવાં એ સુપાત્રદાન છે, માંદા મનુષ્ય માટે દવાખાનાં કરાવવામાં તથા અશકત પશુઓને માટે પાંજરાપિળ કરાવવામાં ધન વાપરવું એ અનુકંપાદાન છે; ભૂખ્યાં તર
સ્યાં કે અશકત દીનદુ:ખીને અન્ન, પાણી, વસ્ત્ર વગેરે આપવા તે પણ અનુકંપાદાન છે.
દાન એ પૂણ્ય કર્મ બાંધવાને હેતુ છે અને આગળ પૂણ્યના પાઠમાં તમે જોયું તે પ્રમાણે પૂણ્ય નવ પ્રકારે બંધાય છે. અને તેમાં મુખ્ય પાંચ પ્રકાર દાનના જ ગણાય છે.
આપણે જન્મ આપણેજ સ્વાર્થ પુરો કરવામાં સફળ થતું નથી. પણ બીજાઓના સ્વાર્થને માટે આપણે સ્વાર્થને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
કેટલેક અંશે ત્યાગ કરવાથીજ આપણા મનુષ્ય જન્મ સફ્ થાય છે.
કર્મના કાયદા મુજબ તપાસિયે યા પૂર્વભવમાં આપેલું તે અહી મળ્યું છે અને હવે પછી જે આપણુ તે ભવાંતરે મળશે
કાઈને પાધરી મદદ આપવાને બદલે આડતરી રીતે મદદ આપવી એ ગુપ્તદાન છે. દાન એ દયાનું કાય છે. કેમકે હૃદયમાં દયાની લાગણી થવાથી પાપકાર કરવાની ઇચ્છા પ્રગટે છે. અને તે ખળે દાન દેવાની બુદ્ધિ થાય છે. યથાશકિત દાન આપવુ એ શ્રાવકના સામાન્ય આચાર છે.
મુનિને ભાવસહિત દાન માપતાં ભવાંતરમાં શાળીભદ્ર વગેરે મહાત્મા કેવા સુખી થયા એ આપણું જાણિતું છે. દાન રૂપી ખી સુપાત્ર મહાત્મારૂપી ભૂમિમાં વવાતાં, ભાવરૂપી જળ અને ઉત્સાહરૂપી તેજ મળતાં, કેટી ગણું દાન દેનારને મળે છે. દાન દેનારની અનુમદિના કરતાં પણ અત્યંત લાભ થાય છે.
પરીક્ષા પાઠ ૭૫.
દાન કેટલા પ્રકારનાં છે? દાન દેવાથી શુ થાય છે ? આપણા જન્મ સફળ કેમ થાય ? દાનનું મહાફળ કેમ મળે ?
દાન માટે કર્મના કાયા લાગુ પાડા. દાન એ કયા ગુણનું કાર્ય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
પાઠ ૩૬ સાધર્મિવાત્સલ્ય. જૈન ધર્મ સંપને વધારનાર છે. કેમકે તેમાં જાતજાતનું અભિમાન અથવા દુરાગ્રહ કરવાની મનાઈ છે. જન્મથી કોઈ જૈન જાતિ નથી, પણ જેનધર્મ પાળે તે જૈન ગણાય છે. પૂર્વ કાળમાં ચારે વર્ણ જૈનધર્મ પાળતા હતા, અને જેનના ઝુંડા નીચે સર્વ એકત્ર થતા હતા આવા તેમના જોડાણને સંઘ ગ. ણવામાં આવતે, સંઘને શબ્દાર્થ એવે છે. કે સંપ ધરીને જોડાયેલે સમુદાય.
શ્રી તીર્થકર ભગવાન સંઘની ચાર પ્રકારે સ્થાપના કરે છે. એટલે:-સલ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા મળી જે સમુદાય થાય તે સંઘ એવા શ્રી તીર્થકરના સ્થાપેલ સંઘની રૂડે પ્રકારે દ્રવ્ય ભાવે ભકિત કરવી તે સ્વધમિવાત્સલ્ય,
જૈનધર્મ સ્વીકારનાર કેઈપણ જાતવાળો હોય છતાં તે બીજ નેનન સાધર્મિ છે સાધર્મિ એટલે સમાનધમી કે સ. રખા ધર્મવાળો.
સાધમિ મનુષ્યને જેનમાં બંધુ તરીકે ગણવા ફરમાવ્યું છે. તેથી તેને સાધમિ ભાઈ અથવા સાધમિ બંધુ કહેવામાં આવે છે.
પિતાના સાધમિ બંધુઓ તરફ હદયમાં વાત્સલ્ય એટલે વહાલ કે પ્રેમ રાખે તેને સાધમિવાત્સલ્ય કહે છે.
મુસાફર સાધમિને ઘેર બોલાવી જમાડે એ પણ સા૧ જેન ધર્મ વિષય પ્રત્તર (શ્રીમદ્ આત્મારામજી મહારાજ કૃત)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
ઘમિ વાત્સલ્ય છે.
વિદ્યાથી સાઘમિને ભણવામાં મદદ આપવી એ પણ સાઘમિ વાત્સલ્ય.
- નિરાશ્રિત સાઘમિને આશ્રય આપે એ પણ સાધમિ વાત્સલ્ય છે.
એમ સાધમિ વાત્સલ્ય રાખવું એ શ્રાવકની ખાસ ફરજ છે. આખી નાત જમાડવા કરતાં વિવેક પૂર્વક સાધર્મિજનની એવા ભક્તિ ભરત મહારાજ વગેરેની પેઠે વિશેષ ફળ આપે છે.
પરીક્ષા પાઠ ૩૬, સંધ એટલે શું? સાધર્મિ કોણ? સાધર્મિપણમાં કેઈ નાત જાતની જરૂર છે કે? સાધર્મિવાત્સલ્ય એટલે શું?
પાઠ ૩૭ પ્રભાવના પ્રભાવના એટલે જે રીતે આપણે સત્ય ધર્મ દુનિયામાં જેમ બને તેમ વધુ ફેલાય તેવી રીતે લોકોના મન ખેંચવાનું
કામ,
આપણે ધર્મ દયામય છે, તે જેમ વધુ ફેલાય તેમ તેમ જગતના જીને વધુ શાંતિ પમાડે એમ છે. માટે લેકેમાં તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
મને ફેલાવે કરવા આપણે તત્પર રહેવું ઘટે છે. અને તેને માટે આપણે તેવી ઉતમ શકિત મેળવવી જોઈએ.
ઉત્તમ જ્ઞાન, ઉત્તમ વિદ્યા, ઉત્તમ કળા, ઉત્તમ વકતાપણું, મહાનસત્તા અને પુષ્કળ ધન એ છે કારણોથી પ્રભાવના થઈ શકે છે, માટે એમાંનું કેઈપણ સાધન મેળવી આપણે આપણું ધર્મ, દેશ અને વિદેશમાં મહિમા વધારવો કે જેથી સર્વ જીવ દયામય ધર્મ પાળી, એટલે સર્ષ જીવની દયા પાળી પોતે નિર્ભય એવાં મેલપદને પામે.
પ્રભાવના કરનાર પુરૂષને પ્રભાષિક પુરૂષ કહે છે. પ્રભાવિક પુરૂષે જેમ વિશેષ થાય તેવા યત્ન કરતા રહેવું જોઈએ.
આપણું સાધમિ બંધુઓમાં જે રીતે ઉચ્ચ વિદ્યાને વધારે થાય, ઉત્તમ વકતાઓ પેદા થાય, રાજદ્વારી માન મળવા ઉપરાંત ઉંચા દરજજ મળે અને સુમાગે ધનને પણ પુષ્કળ વધારો થાય તેવા ઉપાય જવા સકલ જૈનસંઘે એક સંપ અને એક મતે એકત્ર થવું જોઈએ.
પરીક્ષા પાઠ ૩૭, પ્રભાવના એટલે શું? પ્રભાવના કરનાર પુરૂષને શું કહે છે? સ્વધર્મની પ્રભાવના કરવા માટે આપણે શું મેળવવું જોઈએ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ જે.
પાઠ ૩૮ નીતિ. નીતિને અર્થ ન્યાય. નીતિ કે ન્યાયનો ખરો અર્થ ગ્ય વર્તન એવો થાય છે. આખા જગતનાં પ્રાણી માત્ર તરફ આપણે કેવી રીતે વર્તન કરવું યોગ્ય ગણાય એ નીતિને બરોબર સમજતાં જણાઈ આવે છે.
કેઇપણ વાતને નીતિ એટલે ન્યાયના નિયમમાંથી તપાસી આપણે ખાત્રી થયા પછી જે વાત એગ્ય જણાય તે પ્રમાણે વર્તન કરવું એ નીતિને મૂળ ઉદેશ છે. નીતિના માર્ગને શિષ્ટાચાર કે સદાચાર પણ ગણવામાં આવે છે. શિષ્ટ એટલે માનનીય પુરૂષે-તેમને આચાર તે શિષ્ટાચાર, તેજ રીતે સત્ એટલે સજજન પુરૂ-તેમનો આચાર તે સદાચાર. નીતિ એ ધર્મની ભૂમિકા છે. ધર્મરૂપી બીજ નીતિવાન માણસમાં જ રેપવામાં આવે તેજ ધમે બતાવેલાં ફળે માણસને પ્રાપ્ત થાય છે.
નીતિમાર્ગને જૈનધર્મમાં સામાન્ય ધર્મ ગણેલ છે. સામાન્ય એટલે સર્વને માનનીય. કહેવાને હેતુ એ કે સઘળા ધર્મમાં નીતિના નિયમો ઘણું કરી એક સરખા હોય છે.
ઓ ઉપરથી આપણે સમજવું જોઈએ કે નીતિમાર્ગ સુધી સઘળા ધર્મો સાથે સાથે ચાલે છે અને ત્યારપછી પિતાપિતાની શક્તિ અનુસાર થએલી માન્યતા પ્રમાણે ચેકસ ધર્મ ગ્રહણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૧
કરાય છે. આટલા માટે નીતિના સમાન્ય ધર્મ ગણવામાં આવે છે.
નીતિને પુરતી રીતે પાળતાં પાળતાં આપણે સ્વાભાવિક રીતે ધમ માર્ગ ઉપર આવી જઇએ છીએ. આટલા માટે નીતિમાગે ચાલનાર માણુનેજ જૈનધમ માં માર્ગાનુસારી ગણવામાં આવે છે. અને માર્ગાનુસારી હોય તેજ ધમ પાળવાને ખરેખરે અધિકારી ગણાય છે.
જેમ સ'સાર વહેવારમાં હિંસામજ્ઞાન વિના ચાલે નહિ, તેમ ધમ વહેવારમાં નીતિ વિના ચાલેજ નહિ. આટલા માટે નીતિ એ ધર્માંનું ગણિત પણ કહેવાય છે. ૧
પરીક્ષા પાò ૩૮.
નીતિમાનું બીજ શુ ? નીતિના સિદ્ધાંત શુ છે? શિષ્ટ એટલે કેણ ? નીતિમાને ટ્રેનમાં શું ગણેલા છે? ક્યાં સુધી સઘળા ધર્મ સાથે ચાલે છે? સર્વ સામાન્ય ધમ મ્યા છે? નીતિવાન માણસને જૈનમાં કેવા ગણેલા છે? ધમ પાળવાને અધિકારી કાણુ ગણાય છે ?
Morality is the mathematics of religion.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
97
પાઠ ૩૯ નીતિના મુખ્ય નિયમા, મર્ગાનુસારીના ૩૫ ગુણ ભાગ ૧ લા
જૈનમાં માર્ગાનુસારી પુરૂષના પાંત્રીશ ગુણ કહ્યા છે. એ પાંત્રીશ ગુણામાં નીતિના ઘણા ખરા નિયમે સમાઇ જાય છે તેથી અહીંઆ તે ગુણેાની ટુંકી વ્યાખ્યા આપી છે.
૧ ન્યાયાન-ન્યાયથી ધન કમાવું અર્થાત્ પ્રમાણિક થઇ ઉદ્યોગ કરવા કેમકે પ્રમાણિકતા સાથેના ઉદ્યોગજ ધન મેળવવાના ખરા ઉપાય છે.
૨ અન્યગાત્ર વિવાહ-ખીજા ગેત્રિની ચેાગ્ય કન્યાને ચેાગ્યવયે પરણવું અર્થાત્ ગાત્રસબંધ તથા માળલગ્ન, વૃધ્ધલગ્ન અને કજોડાંને વર્જ્ય કરવાં.
૩ શિષ્ટાચાર પ્રશંસા-સદાચારનાં વખાણુ અર્થાત્, સારા પુરૂષાની સારી રીતભાતા તક્ પસદગી રાખવી,
૪ અંતરંગી શત્રુ ય-અતિકામ, અતિક્રોધ, અતિ લેાભ, અતિમાન, અતિમદ, અને મતિહષ ન કરવાં, કેમકે:અતિ સર્વત્ર વનયંત્ એ ખાસ નીતિ સિધ્ધાંત છે,
૧
૫-૬ અયેાગ્ય સ્થાન ત્યાગ-ભયવાળાં સ્થળને છેડી સલામત જગ્યાએ રહેવુ.
૭-૮-૯ યોગ્યસ્થાન નિવેશ-ચેાગ્ય સ્થળે રહેવું. આના પેટામાં નિચે મુજબ બીજા નિયમે છે:-( ૧ ) ઉપદ્રવ સ્થળને છાડી દેવું. (૨ ) લડઇ સ્થળને છેાડવુ. (૩) ઘરમાં અનેક
૧ અતિ સઘળે ઠંકાણે છેડવું,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૩
માર્ગ ન રાખવા. (૪) અતિ ગુહ્ય સ્થળે ન રહેવું. (૫) અતિ ખુલાં સ્થળે ન રહેવું.
૧૦ પાપભય–પાપથી ડરવું અર્થાત્ ઉશ્કેરાઈ જતાં પણ ખુન વગેરે કરતાં ડર ખાઈને કામ ન કરવું.
૧૧ ગુણપ્રશંસા-સદ્ગુણુ પુરૂષોની પ્રશંસા કરવી. ૧૨ સાંગ–સારા જનની સેબત કરવી.
૧૩ માતૃપિતૃ ભકિત-માબાપની ભકિત કરવી અર્થાત તેમની આજ્ઞા પાળવી
૧૪ દેશાચાર પળન–અર્થાત જે દેશમાં રહેવું તે દેશના કાયદા અને રીતભાતને માન આપવું.
૧૫ આચિત વ્યય-આયપતને વાચત ખરચ રાખવું અર્થાત્ પદાશિ પ્રમાણે ખરચવું,
૧૬ અનુદ્વટ વેષ-સાદ પહેરવેશ રાખો .
૧૭ શાસ્ત્ર શ્રવણ-શાસ્ત્ર સાંભળવા-અર્થાત બુદ્ધિને અને અને હૃદય ખીલવવાના ઉપાય તરફ આદર રાખ.
૧૮ અછણે ભજન ત્યાગ-અજીર્ણ થતાં ઉપરા ઉપરી નહિ ખાવું-અર્થાત પાચનશક્તિ પ્રમાણે ખાવું.
૧૯ કાળે ભેજન-વેળાસર જમવું.
૨૦ ત્રિવર્ગ સાધના–ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગ સાધવા.
૨૧ આથ્યિ -પરેણાની આગતા સ્વાગતા સાચવવી. ૧– – સે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪
૨૨ અભિનિવેશ ત્યાગ-હઠને ત્યાગ કરવા, અર્થાત કદા ગ્રહથી દૂર રહેવુ.
૨૩ ગુણી પક્ષપાત-ગુણિજનાને મદદગાર રહેવુ
૨૪ પ્રતિષિદ્ધ દેશકાળ ત્યાગ-દેશકાળ પ્રમાણે અયેાગ્ય સ્થાન વ વાં. સાહસ કરી નિષિદ્ધ દેશમાં જવું નહિ અને અકાળે કામ કરવું નહિ.
૨૫ વૃદ્ધ સેવા-મોટા જનાની સેવા કરવી.
૨૬ પાળ્ય પાષણ-આશ્રિત જનનુ પોષણુ કરવુ.
૨૭ સુવિશ્વશ્યકારિત્વ-વિચારીને કામ કરવું, ૨૮ વિશેષત-વિશેષ જાણતા રહેવું, અર્થાત્ વિવેક ધરવા. ર૯ લાકપ્રિયત્ન-લોક લાગણી સાચવવી; લેાક હિતનાં કામ કરવાં, દ્રવ્ય, પૈસે ખરચવા.
૩૦ લાલુત્વ-શરમવાળા થવું નિજ ન થવું. ૩૧ વિનય-માખાપ તથા ગુરૂ જનાના વિનય કરવા. ૩૨ દયાળુ-દીનપર દયા રાખવી.
૩૩ સામ્યદ્રષ્ટિ-મીઠી નજર રાખવી, અર્થાત ગુસ્સે નહિ થવું; અમી દ્રષ્ટિ રાખવી.
૩૪ કૃતજ્ઞતા-કરેલા ઉપકારને જાણતાં રહેવુ.
૩૫ ઇંદ્રિય જય-ઇંદ્રિયાને વશ રાખવી.
કોઇ પણ માણુસ આ પાંત્રીશ ગુણુ પ્રમાણે વત્તન કરતા હાય તે જૈનધર્મીના માર્ગને અનુસરનારા થઇ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
૭પ
પરીક્ષા પાઠ ૩૦, માર્ગોનુસારીના કેટલા ગુણ છે?
પાઠ ૪૦. ધર્મરત્વ પામવાના ૨૧ ગુણ ધર્મરૂપી રત્ન પામવા માટે નીચેના એકવીશ ગુણ શ્રાવકે ધારણ કરવા. તે-વિના ધર્મરત્ન પ્રાપ્ત થઈ શકે નહિં. ૧ અક્ષુદ્રતા-ગંભીરબુદ્ધિ. ૧૨ સામ્યદ્રષ્ટિ-મીઠી નજર ૨ સુરૂપતા-સુંદર આક્રિત. ૧૩ ગુણરાગિની -ગુણાનુરાગ. ૩ સૈન્યતા–શાંત સ્વભાવ. ૧૪ સુપક્ષતા કુટુંબ કેળવણું. ૪ લોકપ્રિયતા-લેકમાં વહાલા ૧૫ વીવવિશિતા-લાંબે વિચાર
પણું ૧૬ વિશેષજ્ઞ તા-વિવેક. ૫ એપ્રૂરતા-કમળ હૃદય. ૧૭ વૃદ્ધાનુસારિતા-સલાહ સંપ ૬ પાભિરતા-પાપ ભય, ૧૮ વિનીતા-વિનય. ૭ અશઠતા-નિષ્કપટ, ૧૯ કૃતજ્ઞતા-ઉપકાર સ્મરણ. ૮ દાક્ષિણ્ય-ચતુરાઈ. ૨૦ પરહિતકારિતા-પરગજુપણું. ૯ લજજાળુતા-શરમ. ૨૧ લદ્ધલક્ષ્યતા-ચિત્તની ૧૦ દયાળુતા-દ.
સ્થિરતા. ૧૧ માધ્યમતા-નિપક્ષપાત,
આ એકવીશ ગુણ પામેલ માણસ જૈનધર્મરૂપ રત્ન પામવાને વેગ્ય ગણાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬
પરીક્ષા પાઠ ૪૦ ધમરત્વ પામવાના કેટલા અને ક્યા કયા ગુણ છે?
પાઠ ૪૧ મો નીતિના નિયમને સાર, પાંત્રીસ માગાનુસારિના લક્ષણ અને એકવીશ ધર્મરત્ન પામવાના ગુણે ઘણે ભાગે અરસ પરસ મળતા છે, તેથી તેમના પરથી તારણ કરીને નીચે મુજબ નીતિના નિયમે ગોઠવ્યા છે
મનુષ્ય માત્ર ન્યાય સાચવવું જોઈએ, શાંતિ વધારવી જોઈએ, સાવધાનીથી વર્તવું જોઈએ, નમ્રતા ધારવી જોઈએ, અને આચિત્ય પાળવું જોઈએ. જે તમામ નીતિના નિયમે આ પાંચે વર્ગમાં સમાય છે તે આ પ્રમાણે છે.
ન્યાય પ્રધાન નીતિ-ન્યાયબુદ્ધિ, નિષ્પક્ષપાત, સત્યવા દિતા, પ્રમાણિકતા, શીળ, સદાચાર, ગુણાનુરાગ.
શાંતિ પ્રધાન નીતિ:-શાંતિ, સંતોષ, સહનશીળતા, ધૈર્ય, ગાંભીર્ય, દયા, સૌમ્યતા, સંયમ, લજજા, પાપભીરુતા. - સાવધાનતા પ્રધાન નીતિ:સાવધાનતા, સતુસ ગ, ઉદ્યોગ, મિતવ્યય, મિતાહાર, વ્યવસ્થા, વિજ્ઞાન, વિવેક, વિમૂશ્યકારિતા સ્વપરીક્ષા, ચાતુર્ય, સ્વચ્છતા
આચિત્ય પ્રધાન નીતિ -ત્રિવર્ગ, સાધન, આતિથ્ય કુટુંબપિષણ, કુટુંબશિક્ષણ, ઉદારતા, પરોપકાર, સત્યતા સુરૂપતા, લોકપ્રિયતા.
૧ ઉચીત Pવું તે. ૨ વિચાર કાર્ય કરવું,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા પાઠ ૪૧ નીતિના પાંચ વર્ગ કયા છે!
પાઠ કર નીતિ પાળવાને ઉપાય.
દદનિશ્ચય
કોઈપણ કામ પાર પાડવા માટે દઢનિશ્ચય કે પકક ઠરાવ કર્યા વિના પાર પાડી શકાતું નથી. “આ કામ કર્યાથી જ મને લાભ મળશે, અને એથી વિરૂદ્ધ વત્તીશ તે અવશ્ય ગેરલાભ થશે.” આમ તે કામના સંબંધે ખાત્રી હોવાની પહેલી જરૂર છે. ખાત્રી થયા પછી “મારે આ કામ ગમે તેમ થાય તો પણ કરતાજ રહેવું:” એ મજબુત સંક૯૫ બાંધવે જોઈએ આનુ નામ દૃઢનિશ્ચય છે.
આ રીતે નીતિના સંબંધમાં પણ દઢનિશ્રય હવે જોઈએ. જ્યાં સુધી આપણા મનમાં “નીતિ એજ આપણું ઉન્નતિને હેતુ છે” એવી ખાત્રી ન થઈ હોય ત્યાં સુધી આપણે નીચ લાલમાં ફસાઈ નીતિભ્રષ્ટ થવા પગલાં ભરીશું પણ તેવી ખાત્રી થઈ હશે તે કદાપિ અનીતિના માર્ગે નહિ ઉતરીશું.
આવી ખાત્રી કેમ થાય? એ સવાલ જવાબ એ જ છે કે આપણા અંતઃકરણને જરાક જાગ્રત કરીને વિચાર કરીએ તો તુરત ત્યાં ખાત્રી થતી માલમ પડશે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮ જુઓ અત્યારે જ આપણું શાંત મને શી સાક્ષી આપે છે, તે તપાશે.
મનની હાલત બે છે એક શાંત મન અને બીજું અશાંત મન. ઉચ્ચ વૃત્તિવાળું મન અને નીચ ઉચ્ચ વૃતિવાળું મન. આપણને નીતિ એજ ઉન્નતિનો હેતુ છે, એમ ખાત્રી કરી આપી નીતિ તરફ શાંત આપણને દેરે છે; અને તેવી સમજ હોવા છતાં નીચ વૃત્તિવાળું મન આપણને અનીતિ તરફ લલચાવીને દોરે છે. માટે આપણા શાંત અને ઉચ્ચ મનની આવી સ્વાભાવિક સમાજને અનુસરતાં નીતિ એજ આપણું ઉન્નતિને હેતુ છે એમ દરેક જણને ખાત્રી થશે.
આવી ખાત્રી થયા પછી તરત આપણે નીતિ પાળવા માટે દઢ સંકલ્પ કરવો જોઈએ કે પ્રાણ જાય તે પણ આપણે નીતિ માર્ગથી ડગવું નહિ.
આ દઢ નિશ્ચય કરવામાં આવે તે પછી સહેલાઈથી નીતિમાર્ગે ચાલી શકાય છે.
પરીક્ષા પાઠ કર, નીતિ પાળવાનો ઉપાય શો છે! દઢ નિયમ એટલે શું? ઉચ્ચ વૃત્તિવાળું મન આપણને કઈ બાજુ દોરે છે? મનની બે હાલતે કઈ છે!
Jain Educationa International
For Personal and Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
૭.
પાઠ ૪૩ નીતિ એ સ્વાભાવિક કાનુન છે.
સૂર્ય અને ચંદ્ર પિતાના એક ધારણે પ્રકાશતા રહે છે. ઋતુઓ પોતાના સમયે પ્રગટી નીકળે છે, બીજને લીલી જમી નમાં રેપતાં તેમાંથી અંકુર ફુટે છે, એ બધું જેમ કુદરતી કાયદે થાય છે, તેમ નીતિએ ચાલતાં અંત:કરણમાં આનંદ અને દુનિયામાં જશ મળે છે. અનીતિએ ચાલતાં અંતઃકરણમાં બળાપ અને દુનિયામાં અપજશ મળે છે. આ પણ કુદરતી કાયદેજ છે, કેમકે નીતિ પોતેજ કુદરતી કાયદો છે, કુદરતી કાયદાને અનુસરીને રાજા કાયદાઓ બાંધતા આવ્યા છે. રાજ્ય કાયદે તેડનારને રાજા દંડે છે, તેમ નીતિને કાયદો તોડનારને કુદરત દંડે છે. નીતિવાન પ્રજા સુખી રહે છે અને અનીતિવાન પ્રજા દુ:ખી રહે છે, નીતિથી સંપ વધે છે અને અનીતિથી કુસંપ રોપાય છે. સં૫નું ફળ જાય છે અને કુસંપનું ફળ પરાજય છે.
નીતિનો કાયદો કુદરતી હોવાથી તે પ્રમાણે વહેલું કે ડું ફળ મળ્યા વિના રહેતું નથી. નીતિના સિદ્ધાંત પોતાની મેળે સિદ્ધ છે. તેની ખાત્રી માટે કેઈને પૂછવાની અથવા શેધ કરવાની જરૂર રહેતી નથી, માટે જ તે આત્માને સ્વાભાવિક છે, અને અનીતિ એ અનાદિ હોવા છતાં આત્માની સ્વાભાવિક અને સરળગતિથી ઉલટી હોવાથી વિભાવિક છે.
4 Union is Strength and the Strength breeds Victory
Jain Educationa International
For Personal and Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૦.
પરીક્ષા પાઠ ૪૩. શું નીતિ એ કુદરતી કાયદો છે? નીતિએ ચાલતાં શું મળે છે? નીતિના કાયદાને તેડનારને કેણુ દંડે છે? નીતિના સિદ્ધાંત પિતાની મેળે સિદ્ધાંત થાય તેવા છે કે તેના પુરાવાની જરૂર છે?
પાઠ ૪૪ નીતિ અને ધર્મને મુકાબલે. નીતિની હદ આ લોકમાં સુખી થઈને કેમ રહેવાય ત્યાં સુધીની છે તેના તમામ નિયમ મધ્યમાગી છે. નીતિને સિદ્ધાંત એ છે કે મધ્ય રસ્તે ચાલવું. એવું કહેવાય છે કે –
“ગર સર્વત્ર વર્જયેત તેથી નીતિમાં સાહસ કરીને જોખમી કામ કરવાની મના છે, નીતિને ઉદેશ વ્યવહારની ચેખવટપર છે, નીતિના નિયમેમાં મુખ્ય નિયમ એ છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગ એક બીજાને બાધ ન આવે તેમ સાધવા કહ્યું છે કે
अन्योन्यमविरोधेन त्रिवर्गस्यापि साधनं નીતિનું અવલોકન બુદ્ધિગમ્ય તથા યુકિત યુકત બાબતે સુધી પહોંચે છે,
આ રીતે નીતિ સંબંધી ઉંડી તપાસ કરતાં માલમ પડે છે કે નીતિનું વલણ મુખ્યત્વે કરીને સરસ રીતે વ્ય સ્વાર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૧
કેમ સાધી શકાય એ ધારણપર છે, તેથી તેમાં યોગ્ય સ્વાર્થ સંરક્ષણ વધારે રહેલ છે.
હવે ધર્મ વિષે વિચાર કરીએ તો ધર્મને પાયે શ્રદ્ધાપર ચણાયેલ છે, જે આ લોકનાં સુખ કરતાં પરલોકનાં સુખને વધુ વજન આપે છે, તેથી તેના નિયમ મધમાગી નહિ પણ ઉત્કૃષ્ટમાગી છે, જ્યારે નીતિ કહે છે કે અતિક્રોધ ન કરે ત્યારે ધર્મ બોધે છે કે મુદલ ક્રોધ ન કર, - એથીજ ધમ પરલોકનાં કલ્યાણ અથે સાહસિક થઈને સંસારનાં સુખ છોડી સાધુ થઈ કેવળ પરમાર્થ સાધવાને બોધ કરે છે, ધર્મમાં વિરકત થવાનો ખાસ ઉપદેશ આપે છે તે એજ ઉદેશથી છે, ધર્મનું અવલોકન અદ્રષ્ટ શ્રદ્ધાગમ્ય બાબતે સુધી પહોંચે છે. અને સ્વાર્થના ભેગે પણ પરમાર્થ સાધવાને પ્રેરે છે,
એકંદરે ધર્મ નીતિ કરતાં બહુ આગળ વધે છે. કેમકે તે કેવળ પરમાર્થ પરિપૂર્ણ છે, તેમાં સ્વાર્થની લાગણી મુદ્દલ નથી એમ કહીએ તો ચાલે, ટુંકામાં કહીએ તે નીતિમાં દર્શાવેલા સગુણે ધર્મમાં પરિપૂર્ણ રીતે પ્રકાશમાન થાય છે, કેમકે ત્યાં તેઓ તેમની ઉંચી હદે પહોંચે છે,
અનીતિ બાયલાની છે, નીતિ માણસની છે, અને ધર્મ શૂરવીરને છે, અનીતિ છેડી નીતિએ ચાલનાર, લોકની નીતિ છોડી મહાપુરૂષની નીતિ એટલે ધમેં પણ છેવટે પહોંચી શકે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
પરીક્ષા પાઠ ૪૪ નીતિની હદ ક્યાં સુધી છે? નીતિના નિયમો કેવા છે? નીતિને ઉદેશ ક્યાં સુધી છે? નીતિનું અવલોકન કયાં સુધી પહોંચે છે? નીતિને ધર્મની હદઉદાહરણ સહિત સમજાવે ? નીતિની મુખ્યત્વે કેવી વલણ છે? ધર્મને પાયે શો છે? ધર્મ કયાં સુખને વધુ વજન આપે છે ? ધર્મમાં નિયમો કેવા છે, ? ધર્મ મુખ્ય પણે શું બેધે છે, ? ધર્મમાં ખાસ ઉપદેશ શું છે ? સદ્દગુણ પરિપૂર્ણ રીતે કયાં પ્રકાશે છે, !
પાઠ ૪૫ નીતિ અને ધર્મ. નીતિ અને ધર્મ એ અરસ પરસ વિરોધી નથી, નીતિના નિયમો ને વધુ ખીલવવા માટે ધર્મની પ્રક્રિયાઓ રચાઈ છે નીતિ વિરૂદ્ધ ધર્મ એ ધર્મ નહિ પણ તે અધર્મજ ગણાય તેમજ ધર્મ વિરૂધ્ધ નીતિ એ દુનીતિ ગણાય છે,
નીતિ–એ દેરેલી હદ વાળી લીટી તે સામાન્ય ધર્મ અને તે આગળ આગળ દોરાતી જઈ તેની અનંતતા ઉપર લઈ જાય ત્યારે સ્વધર્મ થાય છે. અથવા નીતિ, એક સગુણાનું શરીર કે બિબું તૈયાર કરે છે અને ધર્મ તેમાં જીવન મૂકે છે. નીતિ જ્યાં સુધી શ્રધા રહિત હાઈ બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે ધ્યાં સુધી તેમાં સ્વાર્થને અંશ વિશેષ રહે છે, પણ તે જ્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૩
શ્રદ્ધામાં જોડાય છે ત્યારે તેમાં પરમાર્થનું નવું જીવન દાખલ થાય છે, અને તે મહાન કામો કરવા માટે સાહસિક થવાને આપણને ઉત્સાહવાન કરે છે.
આટલાં વિવેચન પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે ધર્મના અભિલાષીએ પહેલાં નીતિવાન થવાની મુખ્ય જરૂર છે. કેમકે નીતિથી ભ્રષ્ટ થયા તે ધર્મથી ભ્રષ્ટ થયાજ જાણવા.
આ કારણથી નીતિ અને ધર્મ એ બે એવા જોડાઈ રહ્યાં છે કે તેમને જુદા પાડી સમજાવવા મુશ્કેલ થઈ પડે છે. શાસ્ત્રમાં પણ નીતિ અને ધર્મની વાતે ઘણખરી વાર એક સાથે દેખાય છે. તેને જુદા ઓળખવાને કે નિયમ એ છે કે સામાન્ય રીતે સદગુણે પાળવા એ નીતિ છે અને અમુક ધર્મની શ્રદ્ધા રાખી તેજ નિયમોને ઉંચી હદે પાળવા સાથે તે તે ધર્મના આચાર વિચાર સ્વીકારવા એ ધર્મ છે.
પરીક્ષા પાઠ કપ, ધર્મની ક્રિયા શા માટે રચાઇ છે? નીતિ વિરૂદ્ધ ધર્મને શું ગણવામાં આવે છે? ધર્મ વિરૂદ્ધ નીતિને કેવી ગણે છે? નીતિએ દોરેલી લાઇનને ધર્મ કયાં સુધી લઇ જાય છે? નીતિ બિખું તૈયાર કરે છે, તેમાં જીવન કે મૂકે છે? કર્મના અભિલાષીને પહેલી જરૂર શી છે? નીતિ અને ધર્મને જુદા ઓળખવાને કે નિયમ છે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
પાઠ ૪૬ નીતિના વિભાગનીતિના વિભાગ મુખ્ય આ રીતે થાય છે –
સામાન્ય નીતિ અથવા સદગુણે. રાજ્યનીતિ એટલે સામ, દામ, દંડ, ભેદ, એ નામની ચાર રાજનીતિઓ છે.
વ્યવહાર નીતિ એટલે વેપાર વણજ સંબંધી ઠરાવેલા કાયદા કાનુન તથા અર્થ શાસ્ત્ર.
દંડ નીતિ એટલે દીવાની તથા ફોજદારી કાયદા શાસ્ત્ર. નય નીતિ એટલે ન્યાય શાસ્ત્રના નિયમે. ધર્મ નીતિ એટલે ધર્મની આજ્ઞા સાથે બતાવેલી નીતિ.
આ રીતે છ વિભાગમાં નીતિ વહેંચાયેલી છે. તેમાંની સામાન્ય નીતિ અથવા સદગુણોનો અહી આપણને પ્રસંગ છે. બાકીના પાંચ ભાગ એ વિશેષ નીતિ છે, તેના સંબંધે વિવેચન કરવાનું આ સ્થળ નથી.
સામાન્ય નીતિના બે વિભાગ પાડી શકાય–આત્મિક નીતિ અને પારસ્પરિક નીતિ. આત્મિક નીતિ એટલે પિતે પાળ વાના સગુણે એમાં ન્યાય પ્રધાનનીતિ, શાંતિપ્રધાનનીતિ અને સાવધાનતા પ્રધાન નીતિના નિયમે સમાય છે. આપણી પારસ્પરિક નીતિ એટલે આસપાસની ફરજે એમાં વિનય પ્રધાન નીતિ અને ઔચિત્ય પ્રધાન નીતિના નિયમોને સમાવેશ થાય છે. પિતા પુત્રની ફરજો, ભાઈ ભાંડુની ફરજે, સ્ત્રી ભર્તારની ફરજો,
૧ સમજતી. ૨ પૈસે. ૩ શિક્ષા. ૪ છળકપટ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
શેઠ નોકરની ફજે, ગુરૂ શિષ્યની ફરજો, પાડોશીની ફરે, મંડળની ફરજો, દેશ તરફની ફરજો, રાજા તરફની ફરજે, આશ્રિત તરફની ફરજો, દીન અને દુ:ખી તરફની ફરજો અને જીવતાં પ્રાણી માત્રની ફરજે એ બધી પારસ્પરિક નીતિમાં સમાય છે.
નીતિનાં શાસ્ત્રને નીતિશાસ્ત્ર કહે છે. જેનમાં અનીતિ શાસ્ત્ર નામે ગ્રંથ છે. તેમાં સામાન્ય નીતિ, રાજનીતિ તથા દંડ નીતિનું ઉપગી ખ્યાન આપેલું છે. હિંદુઓ માટે જેમ મનુસ્મૃતિ છે તેમ જૈનો માટે અહંનીતિ છે.
પરીક્ષા પાઠ ૪૬. નીતિના છ વિભાગ કહો? સામાન્ય નીતિના બે વિભાગ
કયા છે? આત્મિક નીતિ એટલે શું? પારસ્પરિક નીતિ એટલે શું? જેનમાં નીતિ શાસ્ત્રને મુખ્ય કો ગ્રંથ છે?
૧ જુઓ જૈનપત્ર તરફથી પ્રસિદ્ધ થયેલ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત અહંનીતિ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
નિત્ય-કર્તવ્ય.
સવાલ-૧ આપણે ક્યાં ક્યાં કામે દરરોજ કરવાનાં છે ! જવાબ- તેવાં કામે ઘણું છે પણ તેમાંનાં મુખ્ય આ આ પ્રમાણે
છે;–વિદ્યાભ્યાસ, દેવદર્શન, દેવપૂજન, ગુરૂદશન, માતૃપિતૃ સેવા, જીવાપર અનુકમ્મા વગેરે અને છે આવશ્યક એટલે અવશ્ય કરવાનાં કામે દરરોજ
કરવાનાં છે. ૨ સવાલ-૨ દેવદર્શન-પુજાને શો હેતુ? જવાબ–- દેવથી–અર્વત, અઢાર દૂષણ રહિત અને અમુક ગુણે
કરી સહિત છે, તેમને ભકિતપૂર્વક, વંદન પુજન કરતો આપણે આત્મા તેમની તરફ વળે છે અને તેમ થયું કે આપણું દોષ પણ જવા માંડે છે અને
ગુણે પ્રગટ થાય છે. સવાલ-8 ગુરૂ ભકિતનો હેતુ શો ? જવાબ– ગુરૂ આપણે કરવા ગ્ય અને નહિ કરવા ગ્ય
વસ્તુ શી છે તેની સમજ આપે છે. માટે જેમ દીવા વગર ન ચાલે તેમ ગુરૂ વિના ન ચાલે, માટે તેમના તરફ ભકિત રાખવાથી અગ્ય ક્રિયા બંધ થઈ
ગ્ય ક્રિયા કરતાં આવડે છે. ૧ તે વિષે વિસ્તારથી આગલા પુસ્તકમાં કહેવાશે.
૨ જેમ કે દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, માસી, વાર્ષિક અને હંમેશનાં કૃત્ય, નીયમ લેવા ઈત્યાદિ. હાલ શિક્ષકે આ વિષે થોડું સમજાવવું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
સાધુ-શ્રાવક, સવાલ-૪ સાધુ કેવા હોવા જોઈએ અને તેમની મુખ્યપણે
શી શી ફરજો છે ? જવાબ- જે પુરૂષ નિર્ગથ થાય એટલે કે ઘરબાર તથા બશે
છોકરાંની લાલચ છેડી, બ્રહ્મચર્ય ધારણ કરી શ્રી જિન ભગવાને કથિત ઉપદેશ કરતા રહે તે સાધુ જાણવા. તેમણે પાંચ મહાવ્રત એટલે પાંચ યમ પાળવા જોઈએ. જેવા કે અહિંસા, સત્ય, અચેરી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેના માટે તેણે દશ ફરજો બજાવવી તે આ પ્રમાણે છે; શાંતિ (ક્ષમા ) ધરવી, માર્દવ (નમ્ર રહેવું ), આર્જવ (સરલ થવું, મુકિત (નિલભી થવું) તપ (તપસ્વી થવું), સંયમ (ચારિત્ર ધર્મ પાળવો). સત્ય (સત્યવાદી થવું), શાચ (પવિત્ર રહેવું), અકિંચન (નિસ્પૃહ રહેવું) અને બ્રહ્મચર્ય (બ્રહ્મચારી થવું), આ દશ ફરજે પાળે
તે સાધુ. સવાલ-૫, કે હાય તે શ્રાવક ગણાય ! જવાબ- જિન આજ્ઞા પ્રમાણે વર્તવાને જેને નિરંતર ભાવ
થયા કરે તે શ્રાવક ગણાય. સવાલ-૬, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર વર્ગના
આચારવિચાર જુદા જુદા છે કે કેમ ? જવાબ- ચારે સમ્યકત્વ અથવા સત્ય શ્રદ્ધાવાળા હોવાથી એક
સરખા કહેવાય છે. આ ચારેની એકતા કાયમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
રહેવાથી તે સંઘ કહેવાય છે, સંઘ એટલે એક સંપી સમુદાય. બાકી આચાર તે સા સાની ગ્યતા પ્રમાણે જુદા હોયજ, છતાં આચારની ભિન્નતા એ કંઈ ખરી ભિન્નતા ગણાય નહિ, પરંતુ અધિકાર અનુસાર તેમાં ચઢતા કમની વિવિધતા છે.
જૈનધર્મ–નીતિ.
નીતિની વ્યાખ્યા. સવાલ- ૭ નીતિ એટલે શું અને તેને ધર્મની સાથે શે
સંબંધ છે ? જવાબ- નીતિ એટલે લાંબા અને ઘણા પાકા અનુભવથી
ઘડવામાં આવેલ જગતમાત્રને કલ્યાણકારી ઉત્તમ માર્ગ. આ માર્ગ બિન તકરારી અને સર્વ પ્રજાઓને પ્રિય હોય છે, તથા સર્વ ધર્મોમાં તે માન્ય હોય છે. નીતિ સત્યધર્મનું ગણિત છે તેમજ ધર્મને પાયે પણ એજ ગણાય છે. કારણકે ધર્મ તે એના પર ચ
ણેલી ઇમારત છે. સવાલ- ૮ નીતિમાન અને અનીતિમાન કાર્ય કયાં અને તે
આપણે કેવી રીતે જાણીએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૯
જવાબ- પવિત્ર મહાત્માઓના ઉપદેશથી તથા આપણી
વિચાર કરવાની શકિતથી તેમજ આપણું અંતઃકરણની લાગણીથી આપણે નીતિ અને અનીતિ વચ્ચે વિવેક કરી શકીએ છીએ, તે પણ બાળપણમાં તે આપણને કાંઈ સારૂં શીખવવામાં આવે તેવું વર્તન આપણે રાખવું જોઈએ. જ્યારે આપણે મોટા થઈશું, ત્યારે કેટલાક કાર્ય નીતિમાન તથા કેટલાંક અનીતિ. માન કેમ છે તે વધારે સારી રીતે સમજી શકીશુ અને કેટલીક સહેલી વાત તે હમણ પણ
આપણે સમજી શકીએ છીએ સવાલઃ-૯ નીતિ પાળવાથી શું લાભ થાય છે. જવાબ- નીતિ પાળવાથી જ આપણું પોતાની, આપણા
ધર્મની, આપણે દેશની, તથા આપણી પ્રજાની ઉન્નતિ થઈ શકે છે, જે પ્રજા નીતિથી ભ્રષ્ટ થાય છે તે અહીંયા પણ દુઃખી થાય છે અને પુનર્જન્મમાં વિશેષ દુ:ખી થવાની.
મુળ નિયમ સવાલ ૧૦ જગતનું કલ્યાણ સાધી શકાય, તેટલા માટે પવિત્ર
- મહાત્માઓએ શા શા અતિ સુગમ નિયમ આપ્યા છે? જવાબ (૧) જે આપણને નહીં ગમે તે બીજા પ્રત્યે પણ
નહીં કરવું (૨] જે આપણને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યેવર્તન રાખવું. જે કઈ કરા કે છોકરી આ નિયમ પાળશે તે અવશ્ય નીતિમાન થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
સવાલ ૧૧ આ નિયમ બાબત વધુ સમજ પાડવી જરૂરી છે માટે
પહેલેનિયમ સમજાવે. જવાબ કઈ આપણને મારે કે દુઃખ આપે તે આપણને
ગમતું નથી. કેઈ આપણી નિંદા કરે કે આપણને ગાળો ભાંડે તે તે આપણને ગમતું નથી. ત્યારે પહેલા નિયમ પ્રમાણે આપણે કોઈને મારવું કે દુ:ખ આપવું નહી, કેઈની નિંદા કરવી નહીં, કેઈને ગાળો ભાંડવી નહીં, કેઈનું અપમાન કરવું નહી, અને કોઈની સાથે દગો કે લુચ્ચાઈ કરવી
નહિ. આ પ્રમાણે તમામ વાત જાણું લેવી. સવાલ-૧૨બીજે નિયમ સમજાવે. જવાબ-- બીજા આપણને સુખ આપે, મીઠાં વચન કહે અને
આપણી સંઘાતે માયાળુપણાથી વતે તે આપણને તે ગમે છે, એટલે બીજા નિયમ પ્રમાણે બીજાને સુખ દેવું, તેની સાથે મીઠાં વચન બોલવાં, તથા
તેની સાથે માયાળુપણે વર્તવું. સવાલ-૧૩ નીતિને ઉચ્ચ નિયમ શું છે ? જવાબ– જયારે કે આપણા તરફ ગુસ્સે થાય ત્યારે આ
પણે તેના તરફ ક્ષમા રાખવી અને નમ્રતાથી જવાબ આપ. તેમજ કે આપણે સાથે નિર્દયતાથી વર્તે તે પણ આપણે તેની સાથે પ્રેમભાવથી વર્તવું. આ રીતે તમામ બાબતો વિષે સમજી લેવું ટુંકામાં કહીએ તે એમજ કહેવાનું છે કે દેષને બદલો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
દેષથી ન લેવે પણ ગુણથી લેવા, એમ કયાથીજ આપણે નિર્દોષી રહી સામાને નિર્દોષી કરી શકીએ કોપીની સાથે કેધી થયાથી બેવડે કેધ વધે છે માટે ભુંડાની સાથે પણ ભલા થઈ વર્તવું એમાંજ
ખરેખરી મોટાઈ છે. સવાવ-૪ ઉપરના ત્રણે નિયમો પ્રમાણે ફકત મનુષ્યની સાથેજ
પ્રેમભાવ રાખવે કે કેમ ? જવાબ- ના. આ જગતમાં તમામ પ્રાણુઓ તરફ એજ ત્રણ
નિયમ પ્રમાણે વર્તવું જોઈએ. કારણ કે બધાં પ્રાણુઓમાં આપણા જેજ સુખદુ:ખ જાણનાર
સવાલ-૧૫ આ ત્રણે નિયમ પ્રમાણે વર્તવું બહુ કઠણ છે
ખરું કે નહિ ? જવાબ- નીતિએ વર્તવું એ ખરૂં તપાસીએ તે સુગમ કામ
છે, અને અનીતિએ વર્તવું જ મુશ્કેલ છે, પરંતુ
જ્યારે માણસ કામ કોધના વિકારેને વશ થઈ વિવેકહીન બની રહે છે. ત્યારે તેને નીતિના નિયમે ચાલવું દુષ્કર લાગે છે અને અનીતિ સહેલી લાગે છે. માટે નીતિને પાળવા અર્થે અંતરની શુદ્ધતા તરફ રહે વાની ખાસ જરૂર છે.
આપણી ફરજો. વાલ ૧૬-માબાપ સાથે આપણે શી રીતે વર્તવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
ર
જવાબ~ માબાપની આજ્ઞામાં રહેવું, તેમની બનતી સેવા કરવી. તથા તેમને રાજી રાખવા તત્પર રહેવુ અને તેમની સાથે કયારે પણ ક કાર્સ કરી દુભવવું નહિ.
તેમનું દિલ
સવાp ૨૯-૧ડીલા તરફ માપણે શી રીતે વર્તવું જોઇએ ? જવાલ-- તેઓ જાણે આપણા મા બાપજ હાય તેમ તેમની સાથે નમ્રતાથી વવુ' અને તેમના તરફ્ પુજ્ય ભાવ રાખવા જોઇએ.
સવાલ ૧૮-ભાઈએ તથા એના સાથે શી રીતે થવું જોઈએ ? જવાબ--ભાઇઓ તથા બહેનેાએ અરસપરસ પૂર્ણ પ્રીતિ અને પુરતી પ્રમાણિકતા રાખવી, અરસપરસમાં વાદવિવાદ. તકરાર, કઠાર વચન, કે કટાર વન કરી કુસ’પનાં ખી રાપવાં નહિ. મેટા ભાઈ કે મેનની આજ્ઞા નાનાએ માનવી જોઇએ. સવાલ ૧૯ સાથીએ સાથે તથા મિત્રા સાથે શી રીતે વર્તવું ? જવાબ—તેમના તરફ માયાળુ તથા પ્રમાણિકપણે વવું. સવાલ ૨૦-માબાપેાએ પુત્રા તરફ કેવી રીતે વર્તવુ ?
વ
૧ આવે સ્થળે શિક્ષકાએ અમુક બાળક પિતા તરફ કેમ જેમ કે શ્રવણુ, ચારપાંડવ ભાનુ' યુધિષ્ઠિર તરફનું વર્તન તેમજ ગુજરાતી ચેાપડીમાં જવાળામુખી પર્વતનેા પાદ જુએ.
૨ શ્રી મહાવીર સ્વામીની પોતાના મેાટાભાઇ નંદીવ નના તર*ની રહેણી વગેરેના દ્રષ્ટાંતા શિક્ષકેએ આપવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
જવાબ--માબાપોએ પુત્ર પર સરખી પ્રીતિ રાખવી. તેમને
દરેક હુકમ કરતા આનંદી વાકય બોલવાં, તેમને અપરાધોમાં ચોગ્ય સમજ આપી ફરીથી તેમ ન
થાય તેની સંભાળ લેવી અને તેમને કેળવવા. સવાલ ૨૧-ચાકરે તરફ કેવી રીતે વર્તવું ? જવાબ--ચાકરોને હલકા ગણ ધિકકારવા નહિ. તેના પર
જુલમ ગુજારે નહિ, તથા તેમની માંદગીની અને વસ્થા વગેરેમાં ખબર લેવી.
સવાલરર-દીન અને દુ:ખી જને તરફ આપણું શી ફરજ છે? જવાબ-- તેવા જનેનાં દુખે જે રસ્તે ઓછાં થાય તે રસ્તે
તેમને ચડાવવાં જોઈએ. તેમને આપણે બની શકે તેટલી મદદ કરવી જોઈએ. ટુંકામાં કહીએ તે સમથે માણસે અસમર્થ માણસનું રક્ષણ કરવામાં અને તેઓને ઉચે ચડાવવામાં પિતાનાં બળને ઉપયોગ
કર જોઈએ. સવાલર૩-પાડોશીઓ તરફ આપણું શી ફરજ છે? જવાબ--આપણું પાડીશીઓ સાથે પ્રેમાળ થઈ રહેવું, તેમને
સુખ-દુઃખ થતાં તેમના સાથે ભાગ લઈ તેમને સારી સલાહ આપવી, નજીવા વાંધા ઉભા કરી કજીયા, કંકાસ કરવા નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
સવાલર૪-પતિએ સ્ત્રી તરફ કેવી રીતે વર્તવું જોઈએ ? જવાબ-પતિએ સ્ત્રીને દાસી તરીકે નહિ ગણવી જોઈએ.
તેણીના તરફ પૂર્ણ વફાદાર રહેવું જોઈએ, તેની સાથે કઠેર વર્તણુક કદાપિ નહિ રાખવી જોઈએ. અને દરેક કામમાં તેમણે અરસપરસ સલાહે રહેવું. જેમ સ્ત્રીને પતિવ્રતા થવાની જરુર છે, તેમજ પુરૂષને પત્નીવ્રતે રહેવાની નીતિ પાળવી જોઈએ. નીતિની નજરે જોતાં પુરૂષ અને સ્ત્રી એ બંનેમાં
પૂર્ણ પ્રેમ અને પૂરતી વફાદારી હેવી જોઈએ. સવાલ૨૫ સ્ત્રીઓએ પતિ તરફ કેવી રીતે વર્તવું જોઈએ? જવાબ--પતિના પ્રત્યે સ્ત્રીએ પૂજ્યભાવ રાખ જોઈએ.
પતિના હુકમને માન્ય રાખવું જોઈએ, પતિનાં સુખે સુખી અને દુખે દુઃખી થવું જોઈએ, એમ પતિવ્રતા ધર્મ સાચવ જોઈએ.
સવાલર૬ જાનવરે તરફ આપણી શી ફરજ છે ? જવાબ-જાનવરોને આપણે મારવા નહિ. તેઓ આપણું
કબજામાં હોય તે તેમના ખાવા પીવા સંબંધી સંભાળ લેવડાવવી તેમનાં બચ્ચાં થાય તે તે ઉછેરી
મોટાં થાય તેમ સંભાળ રાખવી અને જનાવરના ૧ ટંકાનાં છોકરા-છોકરી બન્નેની પુરી મિલકત છે, માટે સ્ત્રીને જેમ પતિ પૂર્ણાગ છે તેમ પતિને પણ પત્ની પૂર્ણ હોય તે જ આFનીતિ જગતમાં ઉત્તમોત્તમ ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૫ ગજા કરતાં વધુ કામ તેના પાસેથી નહી લેવરાવવું. સવાલર૭– આપણા સાધમભાઈઓ તરફ આપણે કેમ વર્તવું? જવાબ-આપણું ધર્મપિતા શ્રી મહાવીર ભગવાન છે, અને
આપણે તે તેમના પુત્ર પુત્રીએ છીએ માટે આપણા સગાં ભાઈ બેન તરીકે તેમને ગણવા એટલું જ નહિ, પણ સંસારનું સગપણ ભવોભવનું હોવાથી આપણા ભાઈઓ બેને કરતાં તેઓને
વધારે ચાહવાં. સવાલર૮-આખા જનસમાજ તરફ આપણું શી ફરજ છે ? જવાબ–જનસમાજમાં સત્યને પ્રકાશ અને શાંતિ જળવાય
તેવી ઈચ્છા હંમેશ રાખવી જોઈએ. અને આ ઈચ્છાને અનુસરી આપણે મન, વચન અને કર્મની આપણું વર્તન પવિત્ર રાખી જનસમાજને આનંદકર્તા
થવું જોઈએ. સવાલ-૨૦આપણું ધર્મ તરફ આપણું શી ફરજ છે ? જવાબ–આપણું ધર્મપર પૂર્ણભાવ રાખી તેમાં રહેલી ઉતમ
શિક્ષાએ માન્ય રાખી તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થવું જોઈએ. ધર્મની ખરી ખુબીઓ શોધીને
તેમને પ્રકાશમાં લાવવી જોઈએ. સવાલ૩૦-આપણા દુશ્મન તરફ આપણું શી ફરજ છે ! જવાબ--દુશમનનું પણ આપણે ભલું ચાહવું જોઈએ, તેઓ
આ પણ સાથે સલાહ કરવા ઈચ્છે તે તેમને માણી બક્ષવી જોઈએ અને તેમની નિન્દા કે અદેખાઈથી દૂર રહેવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
સદ્ગુણો સવાલ-૩૧બીજી આપણ નીતિ સંબંધી શી શી ફરજો છે ? જવાબ-આપણે હંમેશા સાચું બોલવું ૧ પ્રમાણિક રહેવું ૨
સુશીલ થવું. ૩ ઉદ્યોગી બનવું ૪ વિનયનમ્ર થઈ વર્તવુ ૫ ગુણગ્રાહી થવું ૬ બૈર્યવાન થવું ૭ પવિત્ર મન રાખવું ૮ સલાહ સંપથી રહેવું ૯ ગંભીર થવું ૧૦ ઉદાર થવું ૧૧ આનદી રહેવું ૧૨ સાવધાન થવું ૧૩ ચતુરતા મેળવવી ૧૩ શૈર્યવાન થવું ૧૫ અને ઉંચ અભિલાષી થવું ૧૬ એ નીતિની મુખ્ય શિક્ષાઓ છે. ટૂંકમાં કહીએ તે જેટલા સદ્દગુણે
છે એટલા નીતિના પાઠ છે. સવાલ-૩રજેનમાં નીતિનું પ્રતિપાદન શી રીતે કરેલું છે ? જવાબ–જેનમાં નીતિને સામાન્ય ધર્મ તરીકે જણાવેલ છે
સામાન્ય ધર્મ એટલે કે સર્વ ધર્મોમાં કબુલ રખા
ચેલા સિદ્ધાંત તે નીતિ. સવાલ-૩૩ નીતિ અને ધર્મ એક છે કે જુદા ! જવાબ–નીતિને કાયમ રાખી ધર્મ કાંઈક આપણને વધુ
શ્રદ્ધા વધુ જ્ઞાન, અને વધુ શાંતિ આપીને વધુ સુખ તરફ દોરે છે. નીતિ એ સંસારમાં સુખ આપે છે, અને નીતિના પાયાપર બંધાયેલા ધર્મ આપણને સંસારમાં આનંદ અને મેક્ષમાં પરમાનદ સુખ
આપનારે થાય છે. સવાલ-૩૪ નીતિ અનીતિનાં ફળ આપણને આ જન્મમાં મળે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
છે કે હુવે પછીના !
૧
જવામ—નીતિનાં કાર્યાંનાં ઘણાંક રૂપે તથા અનીતિનાં કાનાં ઘણાંક રૂપે આ જન્મમાંજ મળે છે, એટલે કે જ્યારે આપણે દુઃખી હાઇએ ત્યારે વિચાર કરવા કે આપણે કોઈને દુ:ખ તેા નથી આપ્યું, કે આપણે જ્યારે ઠગાઈએ ત્યારે વિચારવું કે આપણે કાઇને ઠગતા તા નથી; તેમજ જ્યારે આપણને સુખ થતું હાય ત્યારે વિચાર કરવા આવશ્યક છે કે આપણે કાઇને સુખ આપતા હા ઇશુ, જ્યારે આપણે પ્રમાણિક હાશું ત્યારે લાક આપણા તરફ પ્રમાણિકપણે પણ તેટલે અંશે વંતા અનુભવાશે.
૧ જગત અનાદિછે. ૨ આત્મા અમર છે.
૯૭
જૈનના પ્રચલિત સિદ્ધાંતા.
જગત, આત્મા, ક.
૩ આત્મા અનેક છે.
૪ સ્માત્માજ પરમાત્મા છે. ૫ કર્મથી સંસાર છે. ૬ આત્મા કમ ખાંધે છે. છ આત્મા કેમ તેાડે છે.
૧ Refbet.
Jain Educationa International
૮ પૂણ્ય પાપ લાગે છે. ૯ સ્વર્ગ નરક માજીદ છે. ૧૦ કમ ક્ષયે મુક્તિ છે. ૧૧ કમ પાતે જડ છે. ૧૨ પરિણામે ક` બંધાય છે. ૧૩ પરિણામે કમ તેાડાય છે. ૧૪ કર્યા કમ ભાગવાય છે
For Personal and Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્ય.
૧૫ સત્યમાં જય છે. ૧૬ સત્યથી ધર્મ છે. ૧૭ સત્યમાં સમ્યકત્વ છે. ૧૮ સત્યવકતા સદા સુખી ૧૯ સત્યની શ્રદ્ધા રાખવી. ૨૦ સત્ય સદા નિર્ભય છે.
૨૧ કૂડ ત્યાં ધૂળ. ૨૨ અસત્ય સમાન પાપ નથી. ૨૩ માયામાં મિથ્યાત્વ છે. ૨૪ મિથ્યાત્વ સમાન બૈરી નથી. ૨૫ જૂઠ, જૂઠને વધારે છે. ૨૬ ફૂડ છાનું રહે નહિં.
જ્ઞાન અને અજ્ઞાન. ૨૭ જ્ઞાન સમાન પ્રકાશ નથી. ૩૨ અજ્ઞાન એ કષ્ટ છે. ૨૮ પહેલું જ્ઞાન અને પછી દયા ૩૩ અજ્ઞાન એ એહ છે. ૨૯ જ્ઞાનપૂર્વક કિયા ફળે છે ૩૪ અજ્ઞાનકિયા થોડું ફળ આપે છે ૩૦ જ્ઞાન બોધિબીજ" છે. ૩૫ અજ્ઞાન એ મિથ્યાત્વ છે. ૩૧ જ્ઞાન વિના મુકિત નથી. ૩૬ અજ્ઞાન મહાદેષ છે.
દયા અને આત્મા. ૩૭ દયા ધર્મનું મૂળ. ૪ર જ્ઞાન એજ આત્મા. ૩૮ દયા ભગવતી છે. ૪૩ દશન એજ આત્મા. ૩૯ અભયદાન ઉત્તમ છે. ૪૪ ચારિત્ર એજ આત્મા. ૪૦ દયા અમરપણું આપે છે. ૪૫ વીર્ય એજ આત્મા. ૪૧ પદયાથી આપણી દયા થાય છે. ૪૬ સુખ એજ આત્મા
. પ્રથમ વિભાગ સંપૂર્ણ. ૧ સમ્યકત્વ. ૨ અવ્યાબાધ સુખ કે અનંતાનંદ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________ L atonaliteten mulherberg