________________
- ૧૯ તે કેટલા પ્રકારનાં છે ? જ્ઞાનાવરણકર્મ કેના જેવું છે ? મેહકમ કેના જેવું છે ? અંતરાયકર્મ કોના જેવું છે? આ ચારે કર્મ કેમ બંધાય છે અને કેમ તૂટે છે?
પાઠ ૧૨. અદ્યાતિકર્મ
અઘાતકર્મ પણ ચાર છે – ૧ વેદનીયકર્મ–એટલે સુખ દુઃખ રૂપે અનુભવાય છે
તે કર્મ, ૨ આયુકર્મ–એટલે જીવન ટકાવી રાખનારૂં કર્મ. ૩ નામકર્મ–એટલે અનેક રીતે નમાવનાર અર્થાત અને,
વિભાગોમાં વેહેંચનાર કર્મ ૪ ગોત્રકમ–એટલે ઉંચ-નીચ વંશમાં લઈ જનાર કર્મ.
વેદનીયકર્મ મધથી લીંપેલ તરવારના સમાન છે. અને જીવના અવ્યાબાધ સુખ એટલે અનંત આનંદરૂપ સ્વભાવને રોકે છે.
આયુકર્મ કેદખાનાની મુદતસમાન છે, અને જીવના અવિનાશી સ્વભાવને રેકે છે.
નામકર્મ ચિતારા સમાન છે. અને તે જીવના અરૂપિ સ્વભાવને રોકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org