________________
શ્રીના બનાવેલા ગ્રંથ તે શાસ્ત્ર ગણાય છે.
શાસ્ત્ર એ આપણને આજ સુધી થઈ ગએલા મહાપુરૂષ તરફથી મળેલી ઉત્તમ ભેટ છે. એ આપણું ત્રીજું નેત્ર છે શાસ્ત્રને જૈનમાં શ્રુત અથવા શ્રતજ્ઞાન કહે છે શ્રત એટલે સાંભબેલે શબ્દ. તેનાથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
શાસ્ત્રને સાંભળનાર હોય તે શ્રાવક ગણાય છે. કેમકે શ્રાવક શબ્દનો અર્થ જ એ છે. આપણે શ્રાવક છીએ. માટે આપણે શાસ્ત્ર સાંભળવા તત્પર રહેવું જોઈએ.
શાસ્ત્રો જુદી જુદી રીતનાં છે. જેમકે શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, વૈદ્યકશાસ, એમ અનેક જાતના શાસ્ત્રો છે. પણ અહીં તો અધ્યામશાસ્ત્ર એટલે ધર્મશાસ્ત્ર અથવા જૈન સિદ્ધાંત સાંભળવા માટેનીજ ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે જ્ઞાનથી આપણને ખરી શાંતિ મળી શકે છે. અને તેનાંજ શ્રવણ-મનનથી આપણને આ લેક અને પરલોકનું કલ્યાણ થાય છે. માટે અનુભવી ગુરૂ પાસેથી જેનસિદ્ધાંતના ઉંડા મર્મ સાંભળી તે પર આપણું દ્રઢ લક્ષ બાંધવું જોઇએ.
દેવલોકમાં પણ પુસ્તક હોય છે અને તેમને દેવતાઓ વાંચે છે. માટે જિનપૂ. ગુરૂસેવા અને શાસશ્રવણ એ શ્રાવકના મુખ્ય આચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org