________________
પરીક્ષા પાઠ ૪૧ નીતિના પાંચ વર્ગ કયા છે!
પાઠ કર નીતિ પાળવાને ઉપાય.
દદનિશ્ચય
કોઈપણ કામ પાર પાડવા માટે દઢનિશ્ચય કે પકક ઠરાવ કર્યા વિના પાર પાડી શકાતું નથી. “આ કામ કર્યાથી જ મને લાભ મળશે, અને એથી વિરૂદ્ધ વત્તીશ તે અવશ્ય ગેરલાભ થશે.” આમ તે કામના સંબંધે ખાત્રી હોવાની પહેલી જરૂર છે. ખાત્રી થયા પછી “મારે આ કામ ગમે તેમ થાય તો પણ કરતાજ રહેવું:” એ મજબુત સંક૯૫ બાંધવે જોઈએ આનુ નામ દૃઢનિશ્ચય છે.
આ રીતે નીતિના સંબંધમાં પણ દઢનિશ્રય હવે જોઈએ. જ્યાં સુધી આપણા મનમાં “નીતિ એજ આપણું ઉન્નતિને હેતુ છે” એવી ખાત્રી ન થઈ હોય ત્યાં સુધી આપણે નીચ લાલમાં ફસાઈ નીતિભ્રષ્ટ થવા પગલાં ભરીશું પણ તેવી ખાત્રી થઈ હશે તે કદાપિ અનીતિના માર્ગે નહિ ઉતરીશું.
આવી ખાત્રી કેમ થાય? એ સવાલ જવાબ એ જ છે કે આપણા અંતઃકરણને જરાક જાગ્રત કરીને વિચાર કરીએ તો તુરત ત્યાં ખાત્રી થતી માલમ પડશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org