________________
૫૧.
સમ્યકત્વરૂપ ધર્મમાં શેની જરૂર છે ? ચારિત્રમાં શેની જરૂર છે ? રત્નત્રય કેને કહે છે ? જૈનધર્મ એટલે શું ? જૈનધર્મ અને ચારિત્ર ધર્મમાં શું તફાવત છે ? વિરતી એટલે ? સમ્યક દ્રષ્ટિ વિરતી ગણાય કે અવિરતી ? વિરતીના કેટલા ભેદ છે ? દેશવિરતિ કોણ? સર્વવિરતિ કે શું?
પાઠ ૨૯ જ્ઞાન સંબંધી આચાર. ગમે તેવાં મોટાં રમણિય મંદિર, માળીયાં હોય, તેમાં ગમે તેવાં રાચરચિલાં હોય, અને તેમાં ગમે તેવા મોટા પુરૂષ રહેતા હોય, પરંતુ જો તેમાં દીવા ન હોય તે સઘળું અંધારું અને જ્યાં સઘળું અંધારું ત્યાં ઘણું ઉપયોગી હોવા છતાં તે પણ નકામું. તેમ આ સંસાર ગમે તે હોય, તેમાં મનુષ્ય ભવ ગમે તે રૂડો ગણાતો હોય, તેમાં જેનકુળ ગમે તેવું ઉંચી પદવી ભગવતું હોય, છતાં જ્ઞાનરૂપી દી ન હોય તે અંધારૂં. માટે સંસારમાં અજવાળું તો જ્ઞાન જ છે.
હવે ઉપર કહ્યું એવાં જ્ઞાનનાં સાધને ઘણાં છે, પરંતુ તેમાં બે સાધને તે મુખ્ય છે, એક ગુરૂ અને બીજું ધર્મપુસ્તક. ગુરૂ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org