________________
નાનું અનંત જીવોથી ભરેલું સૂક્ષ્મ ગોલકરૂપ શરીરપિંડ. અ નિગોદના જીવ એટલા બધા છે કે તેની સંખ્યાજ ન થઈ શકે, તેથી તે અનંત ગણાય છે.
સૂક્ષમ નિગોદ એ જીવનું વ્યવહારે આદિસ્થાન ગણાય છે. બીજા તમામ જીવે, પ્રથમ એ રૂપમાં હતા.
આ સ્થિતિ એવી છે કે એમાં જ પોતાની મેળે વારંવાર જમ્યા મર્યા કરે છે. તેઓનાં શરીર એટલાં તે બારીક છે કે આપણા શસ્ત્રોથી તે ભેદાય નહીં, અગ્નિથી બળે નહીં, અને આપણું આંખે દેખાય નહીં.
આ નિગ સ્થિતિમાં જીવ અનાદિ કાળ સુધી જન્મ મરણનું અને સંકોચાઈ રહેવાનું અનંત દુઃખ સહન કરે છે.
સઘળા એકેદ્રિય જીવો ઘોર અજ્ઞાનથી છવાઈ રહી છેભાનપણામાં પડેલા હોય છે, તો પણ જીવમાત્રના જે અસંખ્ય પ્રદેશોમાંના આઠ મધ્ય પ્રદેશ ખુલ્લા હોય છે, તે આઠ પ્રદેશ જેને આઠ રૂચક કહેવામાં આવે છે, તે આ સૂમ નિગદ સ્થિ તિમાં પણ ખુલ્લા હોય છે. જે એ પણ ઢંકાઈ જતા હોય તે જીવ અને અજીવ સરખાજ થઈ પડે.
આપણા જૈનશાસ્ત્રમાં એમ કહ્યું છે કે આપણે એક શ્વાસ લઈએ એટલી વારમાં નિગોદના જીવ સાડા સત્તર ભવ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org