________________
પ્રસ્તાવના अजरा मरवत, माज्ञो विद्यामर्थ च चिन्तयेत् । गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥
ધર્મ આ ભવમાં સાથી રૂપ છે, ધર્મ પ્રાણ સાથે જોડાચેલે છે, અને તેનાં ફળો આભવ તથા પરભવ બનેમાં મળે છે. પ્રાણી માત્રને જેટલી જરૂર અન્ન, જળ કે વાયુની છે તે કરતાં આત્માને ધર્મની લેશ પણ ઓછી જરૂર નથી. મુનિ મ. હારાજે કે આચાર્યોનાં વચનામૃત મેળવવા હૈ ભાગ્યશાળી થઈ શકતા નથી, અને તેવાં એક અને અન્ય કારણે જૈન ધર્મ સિદ્ધાંત, મત વગેરે સમજવાનું કે પ્રત્યેક મનુષ્યની શી શી ફરજે છે તે જાણવાનું ઘણાઓથી વંચિત રહે છે. આવા પ્રસંગમાં, ખરૂં મનુષ્યત્વ સમજવાને, ખરી ધાર્મિક ભાવના ખીલવવાને અને સત્ય ધર્મ એલખાવી સત્ય પંથેવાળવાના આશયથીજ આ ગ્રંથની યેજના કરેલ છે.
આ ગ્રંથમાં જીવનને અતિ અવશ્યના એવા મુખ્ય મુખ્ય વિષયો જેવા કે જીવ વિચાર, કર્મ સ્વરૂપ, પરમેશ્વર, જગત પુણ્યપાપ આશ્રવ–સંવર–બંધનનિર્જરા-મોક્ષ, સમ્યકાવ, ધર્મ, જ્ઞાન, જિનપૂજા, પુજ્ય સેવા, શાસ્ત્ર શ્રવણ. દાન આદિ ઉપયોગી વિષય સાથે નીતિને પણ ન વિસરતાં સર્વને સરલ સમજપૂર્વકનો સમાવેશ કરવામાં આવેલ છે.
જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં દ્રષ્ટાંતપૂર્વક સચોટ દલીલેથી વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org