SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ ગજા કરતાં વધુ કામ તેના પાસેથી નહી લેવરાવવું. સવાલર૭– આપણા સાધમભાઈઓ તરફ આપણે કેમ વર્તવું? જવાબ-આપણું ધર્મપિતા શ્રી મહાવીર ભગવાન છે, અને આપણે તે તેમના પુત્ર પુત્રીએ છીએ માટે આપણા સગાં ભાઈ બેન તરીકે તેમને ગણવા એટલું જ નહિ, પણ સંસારનું સગપણ ભવોભવનું હોવાથી આપણા ભાઈઓ બેને કરતાં તેઓને વધારે ચાહવાં. સવાલર૮-આખા જનસમાજ તરફ આપણું શી ફરજ છે ? જવાબ–જનસમાજમાં સત્યને પ્રકાશ અને શાંતિ જળવાય તેવી ઈચ્છા હંમેશ રાખવી જોઈએ. અને આ ઈચ્છાને અનુસરી આપણે મન, વચન અને કર્મની આપણું વર્તન પવિત્ર રાખી જનસમાજને આનંદકર્તા થવું જોઈએ. સવાલ-૨૦આપણું ધર્મ તરફ આપણું શી ફરજ છે ? જવાબ–આપણું ધર્મપર પૂર્ણભાવ રાખી તેમાં રહેલી ઉતમ શિક્ષાએ માન્ય રાખી તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થવું જોઈએ. ધર્મની ખરી ખુબીઓ શોધીને તેમને પ્રકાશમાં લાવવી જોઈએ. સવાલ૩૦-આપણા દુશ્મન તરફ આપણું શી ફરજ છે ! જવાબ--દુશમનનું પણ આપણે ભલું ચાહવું જોઈએ, તેઓ આ પણ સાથે સલાહ કરવા ઈચ્છે તે તેમને માણી બક્ષવી જોઈએ અને તેમની નિન્દા કે અદેખાઈથી દૂર રહેવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy