________________
કરે એટલે કે તે ગુણોના ઉપર અતિશય મલીન પડદા રૂપે રહી તેમને પ્રકાશ થતા અટકાવે તે ઘાતકર્મ છે.
જીવના મુખ્ય સ્વાભાવિક ગુણ ચાર લેવાના છે -જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય,
શાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ગુણોને દબાવી દેનાર કર્મ તે ઘાતિકર્મ કહેવાય છે.
આ ઘાતિકમજ સંસારના મૂળ કે બીજ રૂપ છે. ઘાતિ કર્મને નાશ થતાં મનુષ્ય દેહમાં રહ્યાં છતાં પણ પરમેશ્વરપણું પ્રકટી નીકળે છે.
જે કર્મના પરમાણુંઓ ઉપર જણાવેલા જીવના ચાર મુખ્ય ગુણેને હરકત નથી કરતા તે અઘાતિકર્મ કહેવાય છે. છતાં તેઓ પણ જયાં સુધી ઘાતિર્મોની સાથે જોડાયા રહે છે ત્યાં સુધી જીવને દુઃખ સુખ આપવાનાં સાધન બની હેરાન કર્યા કરે છે. એકલાં આઘાતિકર્મ દુ:ખ કરતા નથી. માટેજ ઘાતિક અને અઘાતિકર્મ, એકંદર નાશ થાય ત્યારેજ જીવને મુકિત મળી ગણાય. જે માટે કહેલું છે કે -
कृत्स्नकर्मक्षयान् मोक्षः એટલે સર્વ પ્રકારના કર્મ ક્ષય થવાથી મોક્ષ મળે છે.
પરીક્ષા પાઠ ૧૦, કર્મ કેટલી જાતનાં છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org