________________
સમ્યકત્વ છે અને તે પ્રમાણે આચરણ કરવું તે ચરિત્ર છે,
સમ્યકત્વ એ જ્ઞાન છે, ચારિત્ર એ ક્રિયા છે. સમ્યકત્વ એ પહેલું કર્તવ્ય છે અને ચારિત્ર એ તેના પછીનું કર્તવ્ય છે.
સમ્યકત્વને જૈનમાં હમણું સમકિત કહે છે અને તેના પાળનારને સમકિતી કહે છે. સમ્યકત્વવાન જીવ, દેવ અને ગુરૂમાં અને ધર્મ તરફ ભકિત રાખનાર હોય છે.
પરીક્ષા પાઠ ૨૭, સમકત કયારે પ્રાપ્ત થાય છે? સમ્યકત્વ પામ્યા વિના મોક્ષે જઈ શકાય કે નહિ ? સમ્યકત્વવાનનું હૃદય કેવું હોય છે? ચારિત્ર એટલે શું ? સમ્યકત્વ અને ચારિત્રમાં પહેલું કોને કરવું ? સમ્યકત્વ પાળનારને હાલ શું કહે છે?
પાઠ ૨૮. ધર્મ. ધર્મ એટલે ધરનાર. નીચે પડતાને ધરી રાખી ઉચ્ચપદે લઈ જાય તે ધર્મ. ધર્મના બે પ્રકાર છે –સમ્યકત્વ અને ચા રિત્ર. સમ્યકત્વરૂપ ધર્મમાં જ્ઞાન અને ભકિત હોવાની જરૂર છે તેમ ચારિત્ર ધર્મમાં વૈરાગ્ય હેવાની જરૂર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org