________________
ખંડ ૩ જે.
પાઠ ૩૮ નીતિ. નીતિને અર્થ ન્યાય. નીતિ કે ન્યાયનો ખરો અર્થ ગ્ય વર્તન એવો થાય છે. આખા જગતનાં પ્રાણી માત્ર તરફ આપણે કેવી રીતે વર્તન કરવું યોગ્ય ગણાય એ નીતિને બરોબર સમજતાં જણાઈ આવે છે.
કેઇપણ વાતને નીતિ એટલે ન્યાયના નિયમમાંથી તપાસી આપણે ખાત્રી થયા પછી જે વાત એગ્ય જણાય તે પ્રમાણે વર્તન કરવું એ નીતિને મૂળ ઉદેશ છે. નીતિના માર્ગને શિષ્ટાચાર કે સદાચાર પણ ગણવામાં આવે છે. શિષ્ટ એટલે માનનીય પુરૂષે-તેમને આચાર તે શિષ્ટાચાર, તેજ રીતે સત્ એટલે સજજન પુરૂ-તેમનો આચાર તે સદાચાર. નીતિ એ ધર્મની ભૂમિકા છે. ધર્મરૂપી બીજ નીતિવાન માણસમાં જ રેપવામાં આવે તેજ ધમે બતાવેલાં ફળે માણસને પ્રાપ્ત થાય છે.
નીતિમાર્ગને જૈનધર્મમાં સામાન્ય ધર્મ ગણેલ છે. સામાન્ય એટલે સર્વને માનનીય. કહેવાને હેતુ એ કે સઘળા ધર્મમાં નીતિના નિયમો ઘણું કરી એક સરખા હોય છે.
ઓ ઉપરથી આપણે સમજવું જોઈએ કે નીતિમાર્ગ સુધી સઘળા ધર્મો સાથે સાથે ચાલે છે અને ત્યારપછી પિતાપિતાની શક્તિ અનુસાર થએલી માન્યતા પ્રમાણે ચેકસ ધર્મ ગ્રહણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org