________________
સવાલ ૧૧ આ નિયમ બાબત વધુ સમજ પાડવી જરૂરી છે માટે
પહેલેનિયમ સમજાવે. જવાબ કઈ આપણને મારે કે દુઃખ આપે તે આપણને
ગમતું નથી. કેઈ આપણી નિંદા કરે કે આપણને ગાળો ભાંડે તે તે આપણને ગમતું નથી. ત્યારે પહેલા નિયમ પ્રમાણે આપણે કોઈને મારવું કે દુ:ખ આપવું નહી, કેઈની નિંદા કરવી નહીં, કેઈને ગાળો ભાંડવી નહીં, કેઈનું અપમાન કરવું નહી, અને કોઈની સાથે દગો કે લુચ્ચાઈ કરવી
નહિ. આ પ્રમાણે તમામ વાત જાણું લેવી. સવાલ-૧૨બીજે નિયમ સમજાવે. જવાબ-- બીજા આપણને સુખ આપે, મીઠાં વચન કહે અને
આપણી સંઘાતે માયાળુપણાથી વતે તે આપણને તે ગમે છે, એટલે બીજા નિયમ પ્રમાણે બીજાને સુખ દેવું, તેની સાથે મીઠાં વચન બોલવાં, તથા
તેની સાથે માયાળુપણે વર્તવું. સવાલ-૧૩ નીતિને ઉચ્ચ નિયમ શું છે ? જવાબ– જયારે કે આપણા તરફ ગુસ્સે થાય ત્યારે આ
પણે તેના તરફ ક્ષમા રાખવી અને નમ્રતાથી જવાબ આપ. તેમજ કે આપણે સાથે નિર્દયતાથી વર્તે તે પણ આપણે તેની સાથે પ્રેમભાવથી વર્તવું. આ રીતે તમામ બાબતો વિષે સમજી લેવું ટુંકામાં કહીએ તે એમજ કહેવાનું છે કે દેષને બદલો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org