________________
અસંશી એટલે? તે કોણ કોણ ગણાય છે?
પાઠ ૯ કર્મ. કર્મને સામાન્યાર્થ, “જે કરવું તે કમ” એમ છે, તે પણ આ સ્થળે હવે તેને વિશેષાર્થ લઈ વાત કરશું.
જીવ એ જ્ઞાનમય અરૂપી પદાર્થ છે. તેને વળગી રહેલ સૂક્ષ્મ મળ તે કર્મ છે. કર્મ એટલે જે ચીજ કરવામાં આવે છે, અર્થાત્ જેમાં વિકાર થયા કરતો હોવાથી જે નવા જુના હાઈ કૃતિમ એટલે બનાવટી તે કર્મ.
તે છતાં એ કર્મો તે કરવામાં આવતા સત્કર્મ અને અસત કર્મના અનુસારેજ બંધાતા હોવાથી કરેલા કર્મ સાથે બરાબર કાર્ય કારણનો સબંધ રાખે છે.
કરવામાં આવતાં કામ એ કારણ છે અને તે પ્રમાણે જીવને ચોટતાં મળાવરણ તે કાર્ય છે.
મળનાં ચેટતાં મલાવરણરૂપ કર્મ તે કારણ છે અને તેમના અનુસારે જે સુખ દુખ પ્રાપ્ત થાય છે તે કાર્ય છે. એમ કર્મને કાયદે અચલરૂપે રહ્યો છે.
જે જીવને ઈશ્વર માનીયે તે કમ એ માયા છે. કમ છે. ત્યાં લગી સંસાર છે. કર્મ ક્ષય થયા કે જીવ મુકિત પામે છે.
આપણે જીવસંબંધી વિગત જાણવાની સાથે કર્મ સંબંધી પણ વિગત જાણવી જરૂરની છે, માટે હવે કર્મની વાત કરીશું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org