SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ એટલે સર્વને છોડવા લાયક છે. પુણ્ય નવ પ્રકારે બંધાય છે.-સુપાત્રને અન્ન આપવાથી, પાછું આપવાથી, સ્થાન આપવાથી, શા આપવાથી. વસ્ત્ર આપવાથી. સારૂં મન રાખ્યાથી, સારાં વચન બોલવાથી, સારી સેવા ચાકરી કરવાથી, અને નમસ્કાર કરવાથી, આમ નવ પ્રકારે પુણ્ય બંધાય છે, પુણ્ય કરવાથી આવતા ભવમાં દેવતા થવાય છે, અથવા મનુષ્યપણું મળે છે, અથવા કંઈ નહિં તે સુખી હાલતવાળું તિચપણું પ્રાપ્ત થાય છે, પુણ્યથી ઉત્તમ કુળ, પુણે: દિયપણું, ઉત્તમ શરીર, પૂર્ણ અપાંગ, મજબુત બાંધો, સુંદરરૂપ, નિરગતા, મધ્યમકદ, બળવાનપણું, પ્રતાપ, કાંતિ, સારી ગતિ, સાર સ્વર, ચાતુર્ય, મજબુતી ઉત્તમતા, કપ્રિયતા, તથા યશ મળતા રહે છે. પુણ્યથી ભવાંતરમાં સારા વર્ણ-ગંધ-રસ-સ્પશનાં સુખ મળે છે. એટલું જ નહિ, પણ મહાન પુણ્ય કરવાથી તીર્થક૨૫દ પણ પ્રાપ્ત કરી શકાય છે પુણ્યના બે વિભાગ છે.-પુણ્યાનુબંધિપુણ્ય અને પાપાનુબંધિપુણ્ય જે પુણ્યના ફળ ભેગવતાં પાછું નવું પૂણ્ય બંધાતું રહે તે પુણ્યને પુણ્યાનુબંધિપુણ્ય કહે છે. અને જે પુણ્યના ફળ ભેગવતાં વચ્ચે નવ નવાં પાપના બંધ કરવામાં આવે તેને પાપાનુંબંધિપુણ્ય કહે છે. પુણ્યાનુબંધિપુણ્ય આપણને ઉંચીથી ઉંચી સ્થિતિ પર લઈ જાય છે, ત્યારે પાપનુબંધિપૂર્ણ આખરે અધમ સ્થિતિ પર લઈ જાય છે. ૧ સારા પરિણામ-વિચાર-ભાવ રાખવાથી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy