________________
પાઠ ૪૬ નીતિના વિભાગનીતિના વિભાગ મુખ્ય આ રીતે થાય છે –
સામાન્ય નીતિ અથવા સદગુણે. રાજ્યનીતિ એટલે સામ, દામ, દંડ, ભેદ, એ નામની ચાર રાજનીતિઓ છે.
વ્યવહાર નીતિ એટલે વેપાર વણજ સંબંધી ઠરાવેલા કાયદા કાનુન તથા અર્થ શાસ્ત્ર.
દંડ નીતિ એટલે દીવાની તથા ફોજદારી કાયદા શાસ્ત્ર. નય નીતિ એટલે ન્યાય શાસ્ત્રના નિયમે. ધર્મ નીતિ એટલે ધર્મની આજ્ઞા સાથે બતાવેલી નીતિ.
આ રીતે છ વિભાગમાં નીતિ વહેંચાયેલી છે. તેમાંની સામાન્ય નીતિ અથવા સદગુણોનો અહી આપણને પ્રસંગ છે. બાકીના પાંચ ભાગ એ વિશેષ નીતિ છે, તેના સંબંધે વિવેચન કરવાનું આ સ્થળ નથી.
સામાન્ય નીતિના બે વિભાગ પાડી શકાય–આત્મિક નીતિ અને પારસ્પરિક નીતિ. આત્મિક નીતિ એટલે પિતે પાળ વાના સગુણે એમાં ન્યાય પ્રધાનનીતિ, શાંતિપ્રધાનનીતિ અને સાવધાનતા પ્રધાન નીતિના નિયમે સમાય છે. આપણી પારસ્પરિક નીતિ એટલે આસપાસની ફરજે એમાં વિનય પ્રધાન નીતિ અને ઔચિત્ય પ્રધાન નીતિના નિયમોને સમાવેશ થાય છે. પિતા પુત્રની ફરજો, ભાઈ ભાંડુની ફરજે, સ્ત્રી ભર્તારની ફરજો,
૧ સમજતી. ૨ પૈસે. ૩ શિક્ષા. ૪ છળકપટ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org