________________
એટલે યથાર્થ અવલોકન. સમ્યકદર્શન થવા માટે સમ્યદ્રષ્ટિ એટલે ખરી નજરની જરૂર છે. તેથી ખરી નજરવાળા પુરૂષને સમ્યક દ્રષ્ટિ પુરૂષરૂપે ઓળખવામાં આવે છે.
સમ્મદ્રષ્ટિ એટલે સમી નજરવાળો પુરૂષ. એ પુરૂષ ખરી બાબતોને ઓળખી તેની શ્રધ્ધા કરે છે. અને ખરી શ્રધ્ધા રાખીને ઉંચી સ્થિતિ પર ચઢે છે.
ખરી નજર રાખી તપાસતાં માલમ પડે છે કે જે રાગષ રહિત હોય,–પવિત્ર હોય તે ખરા દેવ છે. જે નિઃસ્વાથી હોય,-મમતારહિત રહેતા હોય તે જ ખરા ગુરૂ છે, અને જે સર્વ પ્રાણિ તરફ દયાભાવ રખાવે તેજ ખરો ધર્મ છે. આ ઉપરથી દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ કરીને તેમને માનવી એ સમ્યકત્વ છે.
સમ્યકત્વ એ ધર્મને મૂળ પાયે ગણાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે જ તે પ્રાણિ માગે ગણાય છે,
સમ્યકત્વ પ્રગટાવવા માટે સમ્યકજ્ઞાન થયા સિવાય સત્ય શું છે અને અસત્ય શું છે તેની ખબર પડતી નથી. અને તેમ થાય ત્યાંસુધી ચોકખું સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી.
પરીક્ષા પાઠ ૨૬ સમ્યકત્વ શબ્દને શું અર્થ છે? સમ્યકત્વ એટલે શું તે ટુંકામાં કહો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org