________________
૭.
પાઠ ૪૩ નીતિ એ સ્વાભાવિક કાનુન છે.
સૂર્ય અને ચંદ્ર પિતાના એક ધારણે પ્રકાશતા રહે છે. ઋતુઓ પોતાના સમયે પ્રગટી નીકળે છે, બીજને લીલી જમી નમાં રેપતાં તેમાંથી અંકુર ફુટે છે, એ બધું જેમ કુદરતી કાયદે થાય છે, તેમ નીતિએ ચાલતાં અંત:કરણમાં આનંદ અને દુનિયામાં જશ મળે છે. અનીતિએ ચાલતાં અંતઃકરણમાં બળાપ અને દુનિયામાં અપજશ મળે છે. આ પણ કુદરતી કાયદેજ છે, કેમકે નીતિ પોતેજ કુદરતી કાયદો છે, કુદરતી કાયદાને અનુસરીને રાજા કાયદાઓ બાંધતા આવ્યા છે. રાજ્ય કાયદે તેડનારને રાજા દંડે છે, તેમ નીતિને કાયદો તોડનારને કુદરત દંડે છે. નીતિવાન પ્રજા સુખી રહે છે અને અનીતિવાન પ્રજા દુ:ખી રહે છે, નીતિથી સંપ વધે છે અને અનીતિથી કુસંપ રોપાય છે. સં૫નું ફળ જાય છે અને કુસંપનું ફળ પરાજય છે.
નીતિનો કાયદો કુદરતી હોવાથી તે પ્રમાણે વહેલું કે ડું ફળ મળ્યા વિના રહેતું નથી. નીતિના સિદ્ધાંત પોતાની મેળે સિદ્ધ છે. તેની ખાત્રી માટે કેઈને પૂછવાની અથવા શેધ કરવાની જરૂર રહેતી નથી, માટે જ તે આત્માને સ્વાભાવિક છે, અને અનીતિ એ અનાદિ હોવા છતાં આત્માની સ્વાભાવિક અને સરળગતિથી ઉલટી હોવાથી વિભાવિક છે.
4 Union is Strength and the Strength breeds Victory
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org