Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૫
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ તાર મેં તેમને પણ કર્યો હતો. તે છતાં તેમના તરફથી તમે કે તે પોતે જવાબ આપતા નથી. પ્રતિનિધિત્વની વાતને પણ તમે અડતા નથી, તેનો પણ તમારે ખુલાસો કરવો જોઈએ.
છેલ્લે ફરીથી પણ હું એજ વિનંતિ કરૂં છું કે સમાજના ભલા ખાતર રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી જલ્દી અમદાવાદ શાસ્ત્રાર્થ કરવા પધારો અને નાહક સમય ન ગુમાવો.
કલ્યાણવિજય
તાર ૨ જો જામનગર તા. ૮મી જૂન મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાલા, અમદાવાદ.
તાર મળ્યો. અનુવંદણા. સંવત્સરીસંબંધમાં મતભેદ હોવાનું જાહેર હોવા છતાં અને એક બાજુ તમે શનિવારની સંવત્સરીના પુરવાર કરનાર હોવા છતાં પુરતી સગવડ વિના યોગમાં દાખલ થયેલા હોવાથી શાસ્ત્રાર્થની ચેલેન્ઝ આપવામાં વ્યાજબી અને સાચા નથી. યોગની ક્રિયા કરાવનાર અને મદદગારને સાથે લઈને મધ્યસ્થળ જે ચોટીલા છે, તેને માટે એકદમ વિહાર કરી તાર કરો. સંઘના પસંદ કરાયેલા નવ ગૃહસ્થોની કમીટિ, પંડિત અને સરપંચ કોઈની પણ સંમતિ લીધા વગર નીમશે. તમારા વિહારનો તાર આવેથી માંદા અને બાલસાધુ સાથે પણ હું ચોટીલા આવીશ. સામી પાર્ટી પોતાના સ્થળે બોલાવી શકે નહીં, અને બીજે જઈ શકે પણ નહીં, તેથી મેં મુશ્કેલીઓ હોવા છતાં સુરત જવાનો નિર્ણય કર્યો હતો. જો તમો ચોટીલા આવો તો માંદા અને બાલસાધુઓને મુશ્કેલીઓ હોવા છતાં હું ચોટીલા પણ આવીશ, તેથી કોઈપણ સંજોગોમાં તમે ચોટીલા તરફ વિહાર કરી તાર કરો, વધારે નહીં જાણનાર પણ જો માત્ર તત્વતરંગિણી અને હીરપ્રશ્ન વાંચેલા હોય તો જ્યારે ચૌદશની ક્ષયતિથિ હોય ત્યારે તેરસને તેરસ તિથિ કહે નહીં અને જ્યારે બે પર્વતિથિ હોય ત્યારે ઉદયિક તિથિ એક બીજીને જ કહે, તે સ્વપ્ને પણ બુધવારની સંવત્સરી સાચી તરીકે સ્વીકારી શકે નહિં. શાસ્ત્રાર્થને માટે ૧૬ દિવસ સુધી જાહેર રીતે વિહાર કર્યા પછી, જામનગર મારા પાછા ફર્યા પછી અમદાવાદ આવવાને માટે ચેલેન્જી કરે અને ચોમાસુ નજીક હોવાની વાત કરે તેને ચેલેન્જી આપવાનું શોભતું નથી. જો તમે વિહાર કરવાનો ઇરાદો રાખતા ના-હોતો પુનાવાળાની માફક શાસ્ત્રાર્થ કરવાનો દંભ કરશો નહીં.
રવિવારની સંવત્સરી કરનાર સમુદાય ઘણો મોટો હોવાનું જાણીને, જ્યારે ચોમાસું નજીક આવે છે ત્યારે બધાની અનુમતિથી અમદાવાદ આવવાની મને (કલ્પિત શરતથી) ચેલેન્ઝ કરવામાં આવે છે. ડહાપણ ભરેલું નથી ?
જો તમારે સ્હેજપણ શાસ્ત્રાર્થ કરવાની ધારણા હોત, તો તમોએ તમારા ગુરુદેવની આજ્ઞા સાથે કોઈપણ મદદગાર અને યોગની ક્રિયા કરાવનાર મેળવી લીધો હોત. સાધુને માટે ડોળીની પણ રાહ જોયા વગર મુંબઈથી સાધુઓની સંમતિના નામે જીવાભાઈનો તાર મળવાથી મારે વિહાર કરવાની ફરજ પડી હતી અને સદરહુ માંદા સાધુને ઘણું સહન કરવું પડ્યું હતું. ચેલેન્ઝ આપનારે પોતાની મુદલે સગવડ