Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૨૧ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરિએ પણ એ જ એગ્રીમેન્ટને કબુલ રાખ્યું હતું અને તેમણે અને તમે સ્વતંત્ર રીતે એ ડ્રાફટ ઉપર સહી મૂકી હતી, એટલું જ નહિં પણ રામચંદ્રસૂરિ પણ એજ એગ્રીમેન્ટને ખરો કહે છે. એ બિના સાબીત કરે છે કે જીવાભાઈ અને નગીનભાઈ તમારા માણસો છે. આખરી બાબતને તમે કબુલ રાખતા નથી અને ખરી કમીટિને તમે માનતા નથી અને તે ઉપરથી તમે મોઢેથી કે લિખિત શાસ્ત્રાર્થ કરવાની લાયકાત ગુમાવી છે અને એ રીતે તમે શાસ્ત્રાર્થ કરવા અશક્ત છો એ ચોખી બિના ખુલ્લી પડી ગઈ છે. નક્કી થયેલ કમીટિ કબુલ રાખી, મારા આગલા તારની શરતો પ્રમાણે તમે વરતવા કબુલ હો તો હું લિખિત શાસ્ત્રાર્થ માટે પણ તૈયાર છું.
આનન્દ સાગર.
તા. ૧૯-૬-૩૭ જામનગર. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ, જામનગર.
અમારી સખત તૈયારી જોઈને (શાસ્ત્રાર્થની) તમે હરકોઈ પ્રકારે બીકથી ગભરાવ છો, તમે બહાર પડી ગયા છો, એટલે તમારી તૂત જેવી કમીટિને આગળ ધરો છો. જે તમે કહો છો કે જીવાભાઈ અને નગીનભાઈએ સ્વતંત્ર રીતે તૈયાર કર્યો તે મુસદા ઉપર અમે જરા પણ સંકોચાયા વગર સહી કરી, પણ તમે તે ડ્રાફ સ્વીકાર્યો નહિં ને નવો તૈયાર કર્યો. જે ડ્રાફ જીવાભાઈ અને નગીનભાઈએ સ્વીકારવાની ના પાડી અને તમે અને તમારા સાગરીતોએ હા પાડી (તમે કબુલ્યો) તમે જબરજસ્તીથી કબુલ કરાવવા પ્રયત્ન કરો છો આ એક જાતની શાસ્ત્રાર્થમાંથી કોઈપણ બહાને ખસવાની (છટકવાની) યુક્તિ છે. એમ મનાય છે.
આ પ્રમાણે તાર વ્યવહાર પાછળ સમાજના પૈસા વ્યર્થ જાય છે. હવે પછીના જવાબો ટપાલ મારફતે (અપાશે) અને સંઘની શાન્તિના ઓઠા નીચે શાસ્ત્રાર્થની તૈયારી માટે દેખાવ કરો છો, જે ખાલી વાસણ અવાજ ઘણો કરે એવું છે, છતાં પણ આવી નકામી વાત (અપ્રસ્તુત) છોડી દઈને શાસ્ત્રાર્થની સાચી તૈયારી વખત ગુમાવ્યા વગર દેખાડો. . ચાર નામ તરત જાહેર કરો એ જ સુંદર અને યોગ્ય વસ્તુ છે.
કલ્યાણ વિજય.
તા. ૧૯-૬-૩૭, જામનગર. મુનિરાજશ્રી કલ્યાણ વિજયજી
દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ. વિહાર ન કરવાનું અને પ્રતિનિધિ બનાવવાનાં બહાનાની માફક નવી કમીટિનું બહાનું ન લો.