________________
મેથનવિરમણ
મૈથુનત્યાગ અથવા બ્રહ્મચર્ય એ ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. તે વ્રત જે મન, વચન અને કાયાથી પાળે છે તે મનુષ્ય જ્યાં જાય ત્યાં વિજયી નીવડે છે. કામિકવાસનાવિષયતૃષ્ણા એ જગતની પ્રબળમાં પ્રબળ વૃત્તિ છે. શ્રી ગૌતમબુધે એક સ્થળે લખ્યું છે કે જે વિષયવાસના જે પ્રબળ મનેવિકાર બીજે કઈ હેત તે લેકેને ધર્મનો ઉપદેશ આપવાનું કામ નિરર્થક થાત. તેમના કહેવાનો ભાવાર્થ એ છે કે આ વિષય સંબંધી વ્રત આ જગતમાં સૌથી પ્રબળ છે. જ્ઞાનાર્ણવમાં બ્રહ્મચર્યના સંબંધમાં લખેલું છે કે –
विन्दन्ति परमं ब्रह्म, यत्समालम्ब्य योगिनः। तबतं ब्रह्मचर्य स्याद् , धीरं धौरेयगौचरम् ॥१॥
જે વ્રતનું આલંબન કરીને યોગીએ પરબ્રહ્મ–પરમાત્માને પામે છે અને જેને ધીરવીર પુરુષો જ ધારણ કરી શકે છે તે બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. વળી તે જ ગ્રન્થકાર જણાવે છે કે – एकमेव व्रतं श्लाघ्यं, ब्रह्मचर्य जगत्त्रये ।
આ ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત જ એક પૂજવા લાયક છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું જીવન છે અને તે વિનાના બીજા ગુણ જીવનમાં શૈણ ભાગ ભજવે છે.
આવા ઉત્તમ અને દુર્ઘટ બ્રહ્મચર્યને અર્થ શો ? સામાન્ય અર્થ એ છે કે-બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર જીવ મનથી કેઈપણ સ્ત્રી ભેગવવાની ઈચ્છા કરતું નથી, અને શરીરથી પણ તેનાથી સદા સર્વદા વેગળે રહે છે. બ્રહ્મચર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org