Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ મેથનવિરમણ મૈથુનત્યાગ અથવા બ્રહ્મચર્ય એ ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. તે વ્રત જે મન, વચન અને કાયાથી પાળે છે તે મનુષ્ય જ્યાં જાય ત્યાં વિજયી નીવડે છે. કામિકવાસનાવિષયતૃષ્ણા એ જગતની પ્રબળમાં પ્રબળ વૃત્તિ છે. શ્રી ગૌતમબુધે એક સ્થળે લખ્યું છે કે જે વિષયવાસના જે પ્રબળ મનેવિકાર બીજે કઈ હેત તે લેકેને ધર્મનો ઉપદેશ આપવાનું કામ નિરર્થક થાત. તેમના કહેવાનો ભાવાર્થ એ છે કે આ વિષય સંબંધી વ્રત આ જગતમાં સૌથી પ્રબળ છે. જ્ઞાનાર્ણવમાં બ્રહ્મચર્યના સંબંધમાં લખેલું છે કે – विन्दन्ति परमं ब्रह्म, यत्समालम्ब्य योगिनः। तबतं ब्रह्मचर्य स्याद् , धीरं धौरेयगौचरम् ॥१॥ જે વ્રતનું આલંબન કરીને યોગીએ પરબ્રહ્મ–પરમાત્માને પામે છે અને જેને ધીરવીર પુરુષો જ ધારણ કરી શકે છે તે બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. વળી તે જ ગ્રન્થકાર જણાવે છે કે – एकमेव व्रतं श्लाघ्यं, ब्रह्मचर्य जगत्त्रये । આ ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત જ એક પૂજવા લાયક છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું જીવન છે અને તે વિનાના બીજા ગુણ જીવનમાં શૈણ ભાગ ભજવે છે. આવા ઉત્તમ અને દુર્ઘટ બ્રહ્મચર્યને અર્થ શો ? સામાન્ય અર્થ એ છે કે-બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર જીવ મનથી કેઈપણ સ્ત્રી ભેગવવાની ઈચ્છા કરતું નથી, અને શરીરથી પણ તેનાથી સદા સર્વદા વેગળે રહે છે. બ્રહ્મચર્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136