________________
પવિત્રતાને પંથે
છે અને કુસંપથી રાજ્ય, જ્ઞાતિઓ તથા કુટુંબો નાશ પામ્યાના અનેક દાખલાઓ મેજુદ છે.
આ કલહ દૂર કરવાને સૌથી ઉત્તમ માર્ગ તો હૃદયની ઉદારતા છે; કારણ કે જે હૃદયમાં ઉદારતા નહિ હોય તે તે કટુ વચનરૂપે પ્રકટ થયા વિના રહેશે નહિ અને કટુ વચન એ જ કલહનું મોટું કારણ બને છે, માટે કલહને ત્યાગ કરવા મનુષ્ય જીભ ઉપર ઘણે સંયમ રાખ. જે એક મનુષ્ય ક્રોધથી બોલે અને બીજો માન રહે તે ઝઘડે બંધ થવાને સંભવ છે, પણ જે બને વાણ ઉપર સંયમ
ઈ બેસે જરૂર કલહ ઉત્પન્ન થાય. બે હાથ વિના તાળી પડતી જ નથી. એક જણ દેરી ખેંચે અને બીજો ઢીલી મૂકે તે દોરી તૂટે નહિ, પણ જ્યાં બે જણ સામસામી દેરી ખેંચે ત્યાં તે તૂટી જવાને સંભવ છે.
જે મનુષ્યમાં નમ્રતા છે તે ઘણું કલહને દૂર હઠાવી શકે છે. વાણીની કડવાશ જ મોટે ભાગે કલહનું કારણ બને છે. જે મનુષ્યની વાણીમાં મીઠાશ હોય છે તો તેને ઠપકે પણ બીજાને લાભકારી થાય છે. આ વાણીની મીઠાશ અથવા કડવાશને આધાર હૃદયના ભાવ ઉપર હોય છે. જે હદયમાં બીજાને ઘા મારવાની અથવા બીજાને પરાસ્ત કરવાની અથવા હરાવવાની વૃત્તિ ન હોય તે વાણું પણ તેવી જ નીકળે છે અને ગમે તેવો વિગ્રહ અટકી જાય છે. શત્રુને હસીને મિત્ર બનાવી શકાય, એ લોકોક્તિમાં અપૂર્વ સત્ય રહેલું છે, માટે કલહને દૂર કરવા માટે વચન સત્ય અને પ્રિય હોવું જોઈએ. કેઈક સત્ય વાત બીજાને કડવી લાગે, પણ તે કહેવા કહેવામાં બહુ ફેર હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org