Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005338/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દ6 શ્રી જેની શ્રેમ પ્રકાશ 25ની પુસ્તક આની ભેટ પવિત્રતાને પંથે આ થવી. ( અઢાર પાપરસ્થાનકનું વિવરણ આકાશી કે શ્રી ના ધામ પ્રસ્તા૨કે સાલમાં લભાળની ગર Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા (રાગ–અરે જીવ ! શીદને ક૯૫ના કરે.) સુભાગી ! માહ મમતમાં ચરે, મનુજનો જન્મ વૃથા ક્યાં કરે ?-ટેક. ધન જોખન સુખ સ્થિર તું માને, આશા મુઠ્ઠી ધરે; દેભ પાનની જલબિન્દુ સમ, આયુષ્ય ઓછું' કરે. સુભાગી૧ સત્તાધારી ચક્રવતીઓ, કાળ ઝપાટે ડરે; કાળ-ચક્રના વેગ નિરાળા, તેથી સૌ થરથરે. સુભાગી૨ ક્ષણિક સુખના મોહ નકામા, મૂઢ બની કયમ ફરે ? ધન સત્તાના ગર્વ તજી દે, આત્મવૃદ્ધિ એ હરે. સુભાગી... ૩ જ્ઞાન દયાન તપ જપ સં યમથી, કષાય તું પરહરે, મોક્ષધામનાં સાચાં સાધન, એથી નર ઉદ્ધરે. સુભાગી ૪ માયા મમતા જે નર છાડે, અજિતપદને વરે; મુનિ હેમેન્દ્ર પ્રભુ-સ્મરણ થી, ભવસિધુને તરે. સુભાગી ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે યાને અઢાર પાપસ્થાનકથી નિવૃત્ત થવાના મા ... લેખક મણિલાલ નથુભાઈ ઢાણી ખી. એ. વીર સ, ૨૪૭૦ ← પ્રકાશક :— શ્રી જૈન ધમ પ્રસારક સભા ભાવનગર -: Jain Educationa International :: કિંમત છ આના મુદ્રકઃ-શાહ ગુલાબચ’દ લલ્લુભાઈ, શ્રી મહેાય પ્રિન્ટિંગ પ્રેસ દાણાપીઠ~~ભાવનગર. વિ. સ. ૨૦૦૦ For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પ્રકરણ પ્રકરણ ૧ લું પ્રકરણ ૨ જે પ્રકરણ ૩ જું પ્રકરણ ૪ થું પ્રકરણ ૫ મું પ્રકરણ ૬ હું પ્રકરણ ૭ મું પ્રકરણ ૮ મું પ્રકરણ ૯ મું પ્રકરણ ૧૦ મું પ્રકરણ ૧૧ મું પ્રકરણ ૧૨ મું પ્રકરણ ૧૩ મું પ્રકરણ ૧૪ મું પ્રકરણ ૧૫ મું પ્રકરણ ૧૬ મું પ્રકરણ ૧૩ મું પ્રકરણ ૧૮ મું વિષય પ્રાણુતિપાત વિરમણ મૃષાવાદવિરમણ અદત્તાદાનવિરમણ મિથુનવિરમણ પરિગ્રહવિરમણ ક્રોધવિરમણ માનવિરમણ માયાવિરમણ વિરમણ રાગવિરમણ દ્વેષવિરમણ કલહવિરમણ અભ્યાખ્યાનવિરમણ પશુન્યવિરમણ રતિઅરતિવિરમણ પર પરિવાદવિરમણ માયામૃષાવાદવિરમણ મિથ્યાત્વશલ્યવિરમણ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ બે બેલ પવિત્રતા એ આત્માનો સ્વભાવ છે. સત્ય, પ્રેમ, દયા, મૈત્રી, પરોપકાર એ આત્માના સ્વાભાવિક ગુણ છે. આત્મા પિતાની શક્તિ, જ્ઞાન અને પ્રેમ જગતમાં પ્રગટ કરવા માગે છે, પણ તે પ્રગટ કરવામાં કેટલીક અસ્વાભાવિક–વિભાવિક વૃત્તિઓ નડે છે, અને તે અસ્વાભાવિક વૃત્તિઓ તે પાપસ્થાનકે છે. જીવાત્મા પોતાનું સત્ય સ્વરૂપ ભૂલી જઈ, રાગ, દ્વેષ અને કષાયોને વશ થઈ અહંકાર અને મમત્વભાવથી પ્રેરાઈને પિતાના સ્વભાવને અનુચિત એવાં અનેક પાપકર્મો આચરે છે, તેને જેનશાસ્ત્રકારોએ અઢાર વિભાગમાં વહેંચી નાખ્યા છે અને તેને પાપસ્થાનકો એવું નામ આપ્યું છે. તે પાપસ્થાનકેનું સ્વરૂપ શું છે? તેનાં કેવાં માઠાં પરિણામ આવે છે? અને તેમાંથી બચવાને કેવા પ્રકારના વિચારે તથા વર્તન રાખવું, એ આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. જેમ સર્પનું ઝેર ઉતારવાને તે ઉતરે નહિ ત્યાંસુધી પુનઃ પુનઃ ' એ જ મંત્ર બેલવામાં આવે છે, પણ તે પુનરુક્તિ દેષ ગણાતો નથી; તેમ પર પરિવાદ, પશુન્ય, અભ્યાખ્યાન વગેરે એકસરખા લાગતા દોષ સંબંધી વિવેચન કરવામાં કોઈ સ્થળે પુનરુક્તિ થઈ હોય તે તે સંતવ્ય ગણવામાં આવશે, એમ આશા રાખવામાં આવે છે. આપણા આત્મામાં અનંત શક્તિ છે, તેનું આપણને ભાન નથી. આપણે કર્મને અને કર્મની પ્રકૃતિને બહુ વિચાર કરીએ છીએ, પણ આત્માના એક પ્રદેશમાં અનંત કર્મસમુદાયને તેડવાનું સામર્થ્ય છે, એ બાબત પર વિશેષ લક્ષ આપવાની જરૂર છે. લાંબા સમયના અંધકારનો એક નાની સરખી દીવાસળી નાશ કરી શકે છે, તેમ જ આપણને આત્માની પવિત્રતાને, શક્તિનો અને પ્રકાશને ખ્યાલ આવે, જો આપણે તેનું ચિંતન કરીએ, તેને અનુભવવા પ્રયત્ન કરીએ તે આપણામાં એટલી બધી શક્તિ સ્કુરે કે જેના બળથી પાપસ્થાનકરૂપ દોષો આપણે ઘણી ત્વરાથી ટાળી શકીએ; માટે આપણે સ્વભાવે દિવ્ય છીએ અને દોષ તે આપણું નહિ પણ આપણી વિભાવપ્રકૃતિના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) એ વિચારનું ચિંતન કરી આ પુસ્તકમાં વર્ણવેલા અઢાર વાપસ્થાનકોથી બચવા વાચકવર્ગ પ્રયત્ન કરશે તેમાં આ પુસ્તકની સાર્થકતા છે. છેવટ વાચકવર્ગને એ જ વિનંતિ કે-આમાંના દરેક પ્રકરણનું હાર્દ સમજી જે દોષ પિતાનામાં હોય તે ટાળવા પ્રયત્ન કરવો. દોષને ટાળવા માટે દોષનું સ્વરૂપ સમજી લઈ તેની સામે સગુણ ખીલવવા પ્રયત્ન કરો. ક્ષમાનો સદગુણ ખીલવવાથી ક્રોધ પિતાની મેળે ચાલ્યો જશે. તેમાં સરળતા ખીલવવાથી માયા દૂર થઈ જશે. તેવી રીતે દરેક દેશને ટાળવા તેના વિરોધી સદ્ગુણનું જેમ બને તેમ વધારે ચિંતન કરવું અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે કે જેથી તે સદ્દગુણ સમય જતાં સ્વાભાવિક થઈ જશે. આ બુક શેઠ લધાભાઈ ચાંપશીની પ્રેરણાથી છપાવવામાં આવી છે. અમને પણ પસંદ પડવાથી અમે તેની વધારે નકલ શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકેને ભેટ આપવા માટે છપાવી છે. આ બુકમાં સહજ સુધારો વધારે કર્યો છે. છેલ્લા પ્રકરણમાં વધારે વધારો કર્યો છે તે ખાસ વાંચવા લાયક છે. આ બુકના મુખ્ય લેખકને આભાર માનીએ છીએ. બે બોલ પણ તેમના જ રાખ્યા છે. દરેક પ્રકરણે સારા ને અસરકારક છે તે લક્ષપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. બીજા નેવેલો વિગેરેના શુષ્ક લખાણે ન વાંચતાં આવું આત્મહિતકારક લખાણ જ વાંચવું હિતાવહ છે. શેઠ લધાભાઈએ પિતાની માતુશ્રીને શ્રેયાર્થે આ બુક છપાવી છે અને તે પિતાના કુટુંબમાં વહેંચવાનું ધાર્યું છે. આવા પુસ્તકની લહાણી કરવી તે ખરેખર શ્રેયકારક છે. પ્રારંભમાં વધારે ન લખતાં બે બેલ સમાપ્ત કરવામાં આવે છે. વિ. સં. ૨૦૦૦ | કાર્તિકી પૂર્ણિમા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે અથવા અઢાર પાપસ્થાનકેાથી નિવૃત્ત થવાના માર્ગ. પ્રકરણ ૧ લુ. પ્રાણાતિપાવિરમણ, જીવમાત્ર સુખને શોધે છે. જ્યાં સુધી આત્માને પૈાતાના ખરા સ્વરૂપના અનુભવ ન થાય ત્યાંસુધી તેને કદાપિ ખરી શાન્તિ મળી નથી અને મળવાની નથી. આત્મા પાતે જ્ઞાન-સ્વરૂપી છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અન ંત આનંદ રહેલાં છે. તે આત્મા પેાતાના જ્ઞાનસ્વરૂપે જગતના તમામ પદાર્થોને-તે પદાર્થોના ગુણુ અને પોંચા સહિત જાણે છે અને અનુભવે છે. તે બાહ્ય પદાર્થાન તેમજ પેાતાના શરીરને સાધના તરીકે વાપરે છે, પણ પાતે પાતાના સ્વરૂપમાં જ આનંદ માને છે. ઇન્દ્રિયાના આવેશે અને મનના વિચારરૂપી તરગા તેના પગ આગળ આવીને ભલે અથડાય પણ તે તે પેાતાના ઉચ્ચ સ્વભાવરૂપ ખડક ઉપર સ્થિર રહે છે; કારણ કે ઇન્દ્રિયા તથા મનને બળ આપનાર પણ પાતે જ છે; માટે જ્યાં આત્મા પેાતાનું ખળ ખેંચી લે છે ત્યાં મન તથા ઇન્દ્રિયે શિથિલ અની જાય છે અને તે For Personal and Private Use Only Jain Educationa International Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ પવિત્રતાને પચે આત્મા પર પેાતાના પ્રભાવ દર્શાવી શકતાં નથી. આત્મા તા ઇન્દ્રિયા, મન અને વાસનાઓના સેવક નહિં પણ સ્વામી છે. આત્માના મળનેા શા ખ્યાલ આપી શકાય ? શ્રીમાન શુભચંદ્રાચાયે જ્ઞાનાવમાં કહ્યું છે કે~ अहोsनंतवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव, ज्ञानशक्तिप्रभावतः || આ વિશ્વને પ્રકાશ આપનાર આત્મા અને તશક્તિવાળેા છે. તે પેાતાની જ્ઞાનશક્તિના પ્રભાવથી ત્રણ ભુવનને ધ્રુજાવવા સમર્થ છે. આ આત્મશક્તિને દેવા અને અસુરા પણ વશ થાય છે, તેા પછી સામાન્ય મનુષ્ય અને પશુઓની તેા વાત જ શી ? આ આત્મશક્તિ આગળ મેટા મેાટા નરેન્દ્રો અને ચક્રવત્તીએ પણ નમી પડે છે. આત્માનુ પ્રેમસ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સ્વરૂપ પ્રકટ કરનારની સમીપમાં આવનારા વિરાધીઓના વિરોધ ટળી જાય છે, એટલું જ નહિ પણ સ્વભાવથી વિરોધી પશુએ પણ પાતાના વૈરભાવ ટાળી શાન્ત થઈ જાય છે. તેના પ્રેમની પ્રભા આગળ વૈવિરાધનું વાદળ ટકી શકતું નથી. તે આત્મા પેાતાના જ્ઞાનબળવડે ભૂત, ભવિષ્ય અને વમાન ત્રણે કાળના મનાવાને હસ્તામલકવર્તી પેાતાની દૃષ્ટિ સમીપ એક જ સમયે જોઇ શકે છે. તેના શુદ્ધ હૃદયમાં દરેક ખાદ્ય વસ્તુનું પ્રતિબિંખ પડે છે અને તેથી કોઇપણ જાતના પ્રયાસ સિવાય તે સર્વ પદાર્થો અને મનાવાને જોઈ શકે છે, જાણી શકે છે અને અનુભવી પણ શકે છે. વળી પ્રબુદ્ધ આત્મા સ્વસંતુષ્ટ હાવાથી પેાતાના સુખ વાસ્તે તેને Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાત વિરમણ બહારના પદાર્થો કે મનુષ્યો પર આધાર રાખ પડતે નથી. મનુષ્યને પોતાના આત્માના દિવ્ય આનંદનું ભાન જેટલા પ્રમાણમાં ઓછું તેટલા પ્રમાણમાં તે આનંદ મેળવવા માટે બાહ્ય પદાર્થો વિશેષ રૂપમાં પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને મથે છે, પણ ખરા આત્મજ્ઞાનીનો આનંદ પિતાનામાં રહેલો હોવાથી તે બાહ્ય વસ્તુઓના સદુભાવ કે અભાવમાં એકસરખી પ્રસન્નતા જાળવી શકે છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં-જગત જેને સુખદુ:ખના પ્રસંગે કહે છે તેવા પ્રસંગમાં–આનંદમાં રહી શકે છે. આત્મા અમર હોવાથી અંતવાળી વસ્તુઓના ભાવે શું રાચે? તેમજ સંતવાળી વસ્તુઓના અભાવે ખિન્ન પણ શું થાય? અનંત કાળનો પ્રવાસી આત્મા આ બધા સંસારરૂપી નાટકનો પ્રેક્ષક છે, દ્રષ્ટા છે–સાક્ષી છે; પણ ભૂલથી પ્રેક્ષક મટી એકટર–નાટકને પાત્ર બની જાય છે એટલે લેપાય છે અને સંસારનાટકમાં તેને પણ અનેક ભાગ ભજવવા પડે છે. આત્મા, ઉપર જણાવ્યા પ્રમાણે અનંત આનંદમય, અનંતશક્તિમય અને અનંતજ્ઞાનમય છે, છતાં શા સારુ ખન્ન, અલ્પશક્તિવાળે અને બહુ જ ન્યૂન જ્ઞાનવાળા જણાય છે? તેની શક્તિ, જ્ઞાન અને આનંદને કિનારાં કારણો કયા છે? જેમ સૂર્યના પ્રકાશને વાદળ રોકે છે તેમ આત્માના પ્રકાશને રોકનારાં વાદળો કયા? વળી આપણે પિતે જ આ આત્મા હોવાથી અને આત્મા પિતે શક્તિ, જ્ઞાન અને આનંદના સમૂહુરૂપ હોવાથી શા સારુ તે શક્તિ, જ્ઞાન અને આનંદને આપણને અનુભવ થતો નથી? Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે ઉપરના પ્રશ્નનો ઉત્તર સમજવાને માટે આપણે એક દષ્ટાન્ત લઈએ. હાલનું વિજ્ઞાનશાસ્ત્ર આપણને જણાવે છે, તેમજ આપણે અનુભવથી પણ જાણુએ છીએ કે આપણી ચારે બાજુએ હવા આવેલી છે, પણ જે વસ્તુ ચારે બાજુએ આવેલી હોય તેનું આપણને ભાન હોતું નથી. વળી આ હવાને વજન પણ છે, અને તે દરેક વર્ગ ઈંચ (square inch) ઉપર પંદર રતલ છે. છતાં આપણને તે વજનને ભાર લાગતા નથી. પણ જે કઈ પણ બાજુથી હવા લઈ લેવામાં આવે અને ત્યાં જગ્યા ખાલી થાય, તો હવાના દબાણનું તરત જ આપણને ભાન થાય. જે એક શીશીમાંથી હવાના પંપવડે હવા ખેંચી લેવામાં આવે, અને જે તે શીશા પર હાથ મૂકવામાં આવે તો હાથ ઉપર હવાનું દબાણ એટલું બધું થાય કે હાથમાંથી લેહીની સેરે નીકળે, કારણ કે ઉપરના દબાણને કિનારું હવાનું નીચેનું દબાણ તે વખતે હેતું નથી. તે જ રીતે આત્માની પૂર્ણ શક્તિઓ આપણામાં છે પણ આપણાં હૃદયે બહારના પદાર્થો, વાસનાઓ અને વિચારોથી એટલાં બધાં ભરેલાં છે કે તે આત્માની શક્તિએનું દબાણ આપણને લાગતું નથી. જે પળે હદય ઉપરથી પાપ તરફ દોરી જતી વાસનાઓ અને વિકારોનો ભાર ઓછો થઈ જશે, તે જ પળે તે સ્થળે આત્માની શક્તિઓ પ્રકટ થઈ પિતાને પ્રભાવ દર્શાવશે. આત્માની શક્તિઓ ખીલવવાની નથી, તે તે ખીલેલી જ છે, પણ તેને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તે દૂર કરવાનાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાત વિરમણ આત્માની શક્તિઓને પ્રકટ થવામાં જે અંતરાયભૂત કારણે છે તેને પાપસ્થાનકે કહેલાં છે. તે પાપના-અશુભ પ્રવૃત્તિના હેતુઓ છે. જ્યાં સુધી પાપપ્રવૃત્તિના હેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી અશુભ પ્રવૃત્તિ થવાની અને તેના પરિણામે જે કર્મરૂપ વાદળ પ્રગટે તે આત્મસૂર્યને પ્રકટ થવા દે નહીં માટે જે આત્માની ખરી શક્તિઓ પ્રકટ કરી સ્વાનંદમાં મહાલવું હોય તો મનુષ્ય અઢાર પાપસ્થાનકેનું સ્વરૂપ સમજી જેમ બને તેમ તેને ત્યાગ કરવા પ્રવૃત્ત થવું જોઈએ. તે અઢાર પાપસ્થાનકો જૈનધર્મમાં વર્ણવેલા છે તે નીચે પ્રમાણે છે – (૧) પ્રાણાતિપાત. (૨) મૃષાવાદ. (૩) અદત્તાદાન. (૪)મિથુન. (૫) પરિગ્રહ. (૬) ક્રોધ. (૭) માન. (૮) માયા. (૯) લેભ. (૧૦) રાગ. (૧૧) વેષ. (૧૨) કલહ. (૧૩) અભ્યાખ્યાન. (૧૪) પશુન્ય. (૧૫) રતિ અરતિ. (૧૬) પરપરિવાદ. (૧૭) માયામૃષાવાદ. (૧૮) મિથ્યાત્વશલ્ય. આ અઢાર પાપસ્થાનકે આત્માના પ્રકાશને પ્રગટ થતું અટકાવે છે. આ અઢારમાં પ્રથમના પાંચ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ મુખ્ય છે. બીજાં તેર ગણે છે, પણ આ પાંચને પુષ્ટિ આપી વધારે પ્રબળ બનાવે છે તે અપેક્ષાએ તે તેર પણ પાપસ્થાનકે છે. વળી આ પાંચમાં પણ મુખ્ય પાપસ્થાનક હિંસા છે. તે બધા દનું મૂળ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે–સર્વ જીવો પ્રત્યે. અહિંસા-પ્રેમ (મૈત્રીભાવ) કરીને જીવ શાન્તિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે अहिंसैव जगन्माताऽ-हिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी, श्रीरहिंसैव शाश्वती ॥ અહિંસા જગતની માતા છે, અહિંસા આનંદની શ્રેણી છે, અહિંસા એ જ ઉત્તમગતિ–માર્ગ છે અને અહિંસા એ જ શાશ્વતી લક્ષ્મી છે. યંગસૂત્રના રચનાર શ્રી પતંજલિ ઋષિ કહે છે કે જ્યારે મનુષ્યને અહિંસા સિદ્ધ થાય ત્યારે તેવા મનુષ્યની સમીપમાં વિરોધી પ્રાણીઓ પણ પિતાનો વૈર. વિરોધ તજી દે છે.” આપણે શાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે કે–જ્યારે મહાવીર પ્રભુ સમવસરણમાં બેસી ઉપદેશ આપતા હતા તે સમયે સર્વ પશુ-પંખીઓ પણ પિતાને સ્વાભાવિક વિરોધ તજી એક બીજા સાથે પ્રેમભાવથી બેસતા હતા. જે અહિંસાને આવો પ્રભાવ છે તેનું સ્વરૂપ આપણે સમજવું જોઈએ, અને તેની પ્રતિપક્ષી હિંસાને ત્યાગ કરે જોઈએ. પ્રાણાતિપાતનો અર્થ એ જ થાય છે કે કોઈ પણ જીવને તેના પ્રાણથી નિયુક્ત કરવો અથવા તેને મારી નાખવો. મનુષ્યને અથવા પશુને સર્વથી મારી નાખવું એટલામાં જ હિંસા સમાઈ જતી નથી, પણ પશુ પર અતિશય ભાર ભરો, તેની ચામડી છેદવી, તેને બાંધી રાખી ગ્ય સમયે ઘાસપાછું ન આપવાં, તેને સખ્ત ચાબકાથી મારવું, અથવા અણીવાળે પરણે ઘંચી તેની ચામડીમાં છિદ્ર પાડવાં–આ સર્વને પણ હિંસામાં સમાવેશ થાય છે. તેવી Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાતવિરમણ જ રીતે નોકરચાકરને લાત મારવી અથવા શરીરના બીજા કેઈ ભાગ પર મારે, અથવા કોઈને એક પણ અવયવાદિક નાક કાપી નાખવે તે પણ હિંસા છે. સ્ત્રીઓને તેમ જ હાથ નીચે મૂકાયેલાં બાળકોને સેટીથી મારવાં અથવા કઈ પણ શારીરિક શિક્ષા કરવી તે પણ હિંસા છે. જ્યારે બાળકોને-કુમળા બાળકોને ગૃહમાં કે શાળામાં શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેમાંથી ચાર અનર્થો ઉપજે છે. (૧) બાળકો બીકણ થાય છે. (૨) તેઓ ભયને લીધે અસત્ય બોલતાં શીખે છે. (૩) તેઓ મારનારા પ્રત્યે દ્વેષ રાખે છે અને (૪)તેઓ જાતે પણ નિર્દયતાને પાઠ શીખી સમય જતાં પોતાના હાથ નીચે આવતાં બાળકે તરફ ઘાતકી બને છે. પોતાના પ્રાણ જેટલા પિતાને પ્રિય છે તેટલા જ સામાના પ્રાણ તેને પ્રિય છે, પણ મનુષ્ય ક્રોધ, લેભ કે કામના આવેશમાં આવી બીજાઓને હેરાન કરતાં, અથવા બીજાઓના શરીરને અનેક પ્રકારનો ત્રાસ ઉપજાવતાં જરા પણ ડરતા નથી. માંસાહારનો પણ હિંસામાં સમાવેશ થાય છે. પશુના વધ સિવાય માંસ મળતું નથી માટે જે લોકો માંસાહાર કરે છે તેઓ હિંસાથી થતાં પાપના ભાગી બને છે, માંસાહારી પશુના વિકાસક્રમમાં અડચણ નાખે છે તેટલે અંશે કુદરતી નિયમ પ્રમાણે તેના પિતાના વિકાસમાં અંત. રાયે આવે છે. પશુને લાગુ પડેલા ક્ષય, ચાંદી વગેરે રેગનાં જંતુઓ પણ તે માંસમાં હોય છે, અને તેથી તેનું માંસ ખાનાર મનુષ્યને તે રેગો લાગુ પડવાને સંભવ છે. વળી પશુને જ્યારે મારવામાં આવે છે ત્યારે તે પશુના Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે હદયમાં સ્વાભાવિક રીતે ક્રોધ, વૈર અને ધિક્કારના વિચારો પ્રગટે છે, તેથી તેવા પશુનું માંસ ખાનાર પણ ક્રોધી, ચીડીઓ અને અશાન બને છે. માંસ ખાનારને દારુ પીવાની જરૂર પડે છે, એટલે એક અનર્થ બીજા અનર્થનું કારણ બને છે. માંસ બીજાં સામાન્ય અનાજો કરતાં મેંવું પડે છે. પશુઓનો વધ થવાથી દૂધ, દહીં, ઘી, માખણ વગેરે મેંઘાં મળે છે અને ખેતીને પણ પુષ્કળ નુકસાન થાય છે, પણ આ બધાં કારણે કરતાં સૌથી મોટું કારણ તો એ જ છે કે પશુઓને આપણા જેવી જ લાગણી હોય છે. આપણે મનની બાબતમાં વિશેષ આગળ વધ્યા હોઈશું, પણ તેમની સુખદુ:ખની લાગણીઓ લગભગ આપણુ જેવી જ હોય છે માટે તેવી લાગણીવાળા જીવને મારી, પિતાના બાહાસ્વાદની તૃપ્તિ કરવી એ ખરેખર અનર્થ અને મહાહિંસક કામ છે, માટે અહિંસક બનવા ઈચ્છનારે માંસને તથા માંસવડે બનાવેલી વસ્તુઓને જરૂર ત્યાગ કરવો જોઈએ. યજ્ઞનિમિતે પશુઓને જે વધ કરવામાં આવે છે, તે પણ મોટામાં મોટી હિંસા છે. જે દેવી જગદમ્બા-જગતની માતા કહેવાય છે તે કદાપિ પિતાના બાળકના રુધિરથી પ્રસન્ન થાય જ નહિ, અને જે પિતાના નિર્દોષ અને નિરપરાધી પશુઓરૂપ બાળકના વઘથી સંતુષ્ટ થાય તે દેવી માતાના નામને પાત્ર જ શી રીતે થઈ શકે ? મનુષ્ય દેવીનેદિવ્ય શક્તિઓને પ્રસન્ન કરવા પોતાની અંદર રહેલી પાશવ વૃત્તિઓને–જેવી કે ક્રોધ, મેહ, લોભ, મત્સર, પરનિંદા, છેષ વગેરેને–ભેગ આપવો જોઈએ. એક સ્થળે કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાવિરમણ यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । પટેલ નચતે વર્ષો, નવું ન ગમ્યà ॥ ૨ ॥ જો યજ્ઞસ્તંભ છેદીને, પશુઓને હણીને અને લેહીના કાદવ મનાવીનેઆ પ્રમાણે કરીને જો સ્વગે` જવાતું હોય તે પછી 'નરકે કાણુ જશે ? માટે યજ્ઞનિમિત્તે જે હિંસા થાય છે તે અજ્ઞાનમૂલક છે. તેનેા કેઇ પણ રીતે ખચાવ થઇ શકે તેમ નથી. શિકાર એ પણ હિંસાનું એક માઢુ કારણ છે. શિકારી મનુષ્ય તેને એક રમતરૂપ ગણે છે, પણ તે રમતમાં બીજાએના પ્રાણ જાય છે તેનુ તેઓને કયાં ભાન હાય છે ? શરીરબળ ખીલવવાના અનેક માર્ગ છે. નિર્જીવ વસ્તુને નિશાન કરી ધનુવિદ્યા કયાં શીખાતી નથી ? પણ બીજા અનાશાને સ્વચ્છ ંદવૃત્તિથી મારવામાં શૂરવીરાને એક પ્રકારના ખાટા રસ પેદા થાય છે. પણ શાસ્ત્રોમાં તા કહ્યું છે કે— こ उद्यतं शस्त्रमालोक्य, विषादभयविह्वलाः । નીવા પતિ સર્વત્ર, નાસ્તિ મૃત્યુસમ મચમ્ ॥ ॥ कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुंतासि शक्त्याद्यै- च्छिद्यमानस्य किं पुनः १ ॥ २ ॥ – Jain Educationa International નિરાશા અને ભયથી વિર્તુળ થયેલા જીવા ઉગામેલુ શસ્ત્ર જોઈને ક ંપે છે, કારણ કે મૃત્યુ સમાન બીજો ભય નથી. કાંટા ખેંચી જવાથી પણ પ્રાણીને જ્યારે માટી વેદના થાય છે ત્યારે ચક્ર, ભાલા, તરવાર, બરછી વગેરે શસ્ત્રોથી છેદાતા ` પ્રાણીની વેદનાની તા વાત જ શી ? For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પવિત્રતાને પંથે - પ્રાચીન સમયમાં યુદ્ધના પ્રસંગે જે કંઈ પણ મનુષ્ય મુખમાં ઘાસનું તરણું લે તે સામે પ્રબળ શત્રુ તેને જીવતા મૂકતે હતે. કારણ કે મુખમાં તરણું લેનાર મનુષ્ય પશુ જેવો છે, માટે તેને શું મારે? તો પછી તૃણ ખાઈને જ જીવનારા, ઝરાનું નિર્મળ જળ પીને તૃષા શમાવનારા નિર્દોષ પશુઓની હિંસા શિકાર કે મજશેખ નિમિત્તે કરવી અને વર્તમાનપત્રોમાં તે બહાદુરીનાં કાર્યો હોય તેમ તેનાં લાંબાં વર્ણન છપાવવા એ જ સૂચવે છે કે આપણા સમાજનું અંતઃકરણ આ બાબતને દેષરૂપ ગણવા જેટલું ખીલ્યું નથી. કેવળ શરીરથી જ હિંસા થાય છે એમ નથી. વચન અને મનથી પણ આપણે હિંસા કરીએ છીએ. વચન ઉપર સંયમ નહિ રાખવાથી આપણે ન બોલવાનું બોલીને સામી વ્યક્તિના જીવને દુઃખ આપીએ છીએ. શારીરિક ઘા કરતાં પણ વચનના ઘા કેટલીક વાર વધારે અસહૃા નીવડે છે, અને તેને લીધે કેટલાંએક ઓશીકાં આંસુઓથી ભીંજાતાં હશે, તેને તે વચને બેલનારને કયાં ખ્યાલ હોય છે ? જીભમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણમાં ઘાયલ કરવાની શક્તિ છે અને ઘા રૂઝવવાની શક્તિ પણ છે, માટે હિંસાના પાપથી બચવા ઈચ્છનારે વાણમાં મીઠાશ રાખવી. કવિ બાલાશંકર કહે છે કેકટુ વાણી સુણે જો તું, મીઠી વાણુ સદા કહેજે; પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. જેનશાસ્ત્રમાં જે પાંચ સમિતિએ કહેલી છે તેમાં એક ભાષાસમિતિ છે. ભાષાસમિતિ જણાવે છે કે–વાણી Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાવિરમણ ૧૧ સારી રીતે ખેલાવી જોઇએ, તે અન્યાયયુક્ત નહિ પણ ન્યાયયુક્ત હાવી જોઇએ, તે અપ્રિય નહિ પણ પ્રિય હાવી જોઇએ, તે અસહ્ય નહિ પણ સત્ય હાવી જોઇએ, જે વાણી પેાતાને પશ્ચાત્તાપ ઉપજાવતી નથી તેવી વાણીના જ ઉચ્ચાર કરવા લાભદાયક છે. મનુષ્ય, શરીરથી ર્હિંસા ન કરે, વચનથી પણ કાઇને નુકસાન ન કરે, છતાં જો તેના મનમાં ખીજાનું અશુભ કરવાની વૃત્તિ હૈાય તે તે મનડે પણ હિંસા કરે છે. મનથી પાપકર્મ બંધાય છે અને મનથી પાપકમ છૂટે છે, તેના પર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્દષ્ટાન્ત જૈન આલમને સુવિદિત છે. પેાતાના મનના શુભ ભાવવડે તે સ્વર્ગ પ્રાપ્તિને ચાગ્ય થયા, મનના અશુભ પરિણામરે ખીજાઓને મારવાની પ્રબળ ઇચ્છા કરવાથી નરકના દુ:ખા ભાગવવાને પાત્ર બન્યા અને ઘેાડા જ સમયમાં તે અશુભ વિચારાને દૂર ફેંકી દઇ પેાતાની ખરી સ્થિતિનું ભાન લાવી આત્મસ્વરૂપના વિચાર કરતાં કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવા સમ થયા. આ ત્રણે સ્થિતિમાં મન એ જ માટુ કારણ છે, માટે મનથી ખીજાનું અશુભ ચિતવવુ, ખીજાને દુ:ખ થાય એવી ભાવના ભાવવી એ પણ હિંસા છે; કારણકે મન વ મનુષ્યાળાં હારળ ધમોક્ષયોઃ | ‘ મન એ જ મનુષ્યોને અંધ અને મેાક્ષનુ કારણ છે.’ વળી આ સ્થળે એ પણ વિચારવા જેવું છે કે જે મનમાં હોય તે બહાર આવ્યા વિના રહેતું નથી. દરેક કાર્યના પિતા વિચાર છે. વિચાર ઘટ્ટ થતાં તે કાર્યરૂપે પરિણમે છે, માટે જે મનુષ્યના હૃદયમાં ખીજાનું ખરું કરવાની ભાવના હશે, તે મનુષ્ય વહેલા કે મેાડા । Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પવિત્રતાને પંથે બીજાને નુકસાન કર્યા વિના રહેનાર નથી માટે આત્માથી એ સર્વનુ શુભ ચિતવવું. બુહાન્તિમાં કહ્યા પ્રમાણે સદા એવી ભાવના ભાવવી કે —— शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ ‘સર્વ જગતનું કલ્યાણ થાએ, લેાકેા પારકાના હિતમાં તત્પર અનેા, તેમના દ્વેષ! નાશ પામે અને સર્વ સ્થળે લાકેા સુખી થાઓ. ’ 1 વંદિત્તાસૂત્રમાં પણ આપણે પ્રતિદિન એલીએ છીએ કેखामेमि सब्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मिति मे सव्वभूएसु, वेरं मज्झं न केणइ || ‘હું સર્વ જીવાને ક્ષમા આપુ છુ, સર્વ જીવે! મને ક્ષમા આપે. મારે સવ સાથે મૈત્રી છે, મારે કાઈ સાથે વેર નથી,’ માટે હિંસાના પાપથી વિમુખ થઇ મનુષ્યે અહિંસા ધર્માંના આશ્રય લેવા. શ્રી જ્ઞાના વમાં કહ્યું છે કે— तन्नास्ति जीवलोके, जिनेन्द्रदेवेन्द्र चक्र कल्याणम् । यत् प्राप्नुवन्ति मनुजा, न जीवरक्षानुरागेण ॥ આ જગતમાં જીવરક્ષા પર પ્રેમ રાખવાથી મનુષ્ય સમસ્ત કલ્યાણકારી પદ પ્રાપ્ત કરે છે. તીથંકર, દેવેન્દ્ર અને ચક્રવર્તીત્વ જેવુ એક પણ પદ નથી કે જે દયાવાન(અહિંસક)ને ન મળે, માટે પેાતાની આત્મશક્તિ પ્રગટ કરવાવાળા દરેક જીવે શરીરથી, વચનથી અને મનથી કેાઇ પણ જીવને દુઃખ ન થાય તેવી રીતે વર્તન કરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું. મૃષાવાદવિરમણ, આખું વિશ્વ સત્યથી ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારાએ પિતાની ગતિમાં ચાલ્યા કરે છે તે પણ સત્યવડે જ. રોગસૂત્રના રચનાર મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે સત્યતિષ્ઠા વાણિતિ જ્યારે મનુષ્યમાં સત્ય પૂર્ણ રીતે સિદ્ધ થાય છે ત્યારે તે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે જે કંઈ બોલે છે તે પ્રમાણે થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે– પૂછળ્યા સિવાય પોતે બલવું નહિ અને પૂછે ત્યારે અસત્ય બોલવું નહિ.” Truth in the purity of speechસત્ય એ વાણુની પવિત્રતા છે પણ મનુષ્ય ક્રોધથી, લેભથી, કપટથી, અહંકારથી, ભયથી, હાસ્યથી અથવા સ્વાર્થથી કે પિતાના દોષે છુપાવવા માટે અસત્ય બોલે છે. પવિત્ર આચારવિચારવાળા મનુષ્ય પણ આ અસત્યના પાશથી સર્વથા મુક્ત હોતા નથી. ગરીબ તેમજ તાલેવંત, ગૃહસ્થ તેમજ સાધુ, પુરુષ કે સ્ત્રી, બાળક કે વૃદ્ધ-આ સર્વેમાં તે સંપૂર્ણ સત્ય બોલનાર ભાગ્યેજ જડી આવે છે. જેવું મનમાં હોય તેવું જ વચનમાં બોલનાર પુરુષ યા સ્ત્રી વિરલ હોય છે. આમ કહેવું તે જગતને અન્યાય આપવા જેવું લાગે, પણ અનુભવથી આ વાતની સત્યતા જણાઈ આવશે. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે અસત્યના મોટામાં માટે દોષ એ છે કે જ્યાં અસત્ય જણાયું ત્યાં તે કહેનાર ઉપર લેાકેા અવિશ્વાસની નજરથી જુએ છે. તેની બીજી ખરી વાતે પ્રત્યે પણ લેાકાને અશ્રદ્ધા પ્રકટે છે. વ્યાપારીએ લાખા રૂપીઆના માલ ધીરે છે તે પણ સામાની સાખ અથવા આબરૂથી. આખરૂ અથવા સાખ અસત્યથી નાશ પામે છે. કેટલાક મનુષ્ય તાલમાપમાં એછું આપે છે અથવા વિશેષ લે છે. કેટલાક જૂઠા દસ્તાવેજો લે બનાવે છે અથવા ખેાટી સાક્ષીએ પૂરે છે. કેટલાક જમીન, જનાવર અથવા કન્યાની લેવડદેવડમાં અસત્ય ખેલે છે. વ્યાપારરાજગારમાં તેા જૂઠા સમ ખાવા એ તેા કેટલાક વ્યાપારીઓને સહજ થઇ પડ્યું છે. વારવાર અસત્ય ખેલવાથી લેાકેાના મનની સ્થિતિ એવી અધમ બની જાય છે, તથા તેમના અંત:કરણ એવાં ખુઠ્ઠાં-લાગણી વગરનાં-થઇ જાય છે કે પેાતે આ અસત્ય ખેલે છે તેનું પણ તેમને ભાન હેાતુ નથી, તેા પછી તે ખેાલવાથી પેાતાના આત્માનું અહિત થાય છે તેના તા ખ્યાલ જ કયાંથી આવે ? ૧૪ લેકામાં અસત્ય બાલવાના રિવાજ છે, એ માન્યતાને લીધે કાઇ પણ માલ વેચનાર પર ખીજાઓને વિશ્વાસ આવતા નથી. તેથી એક વસ્તુ ખરીદવાને મનુષ્યને અનેક દુકાને ભમવું પડે છે, છતાં પણુ પાત્તે કદાચ છેતરાયા હશે અવા મનમાં સંશય રહ્યા કરે છે. વળી આ રીતે વસ્તુએ ખરીદતાં સમય અને શક્તિના કેટલેા નકામા વ્યય થાય છે તે કયાં લેાકેા નથી જાણતાં કે નથી સમજતાં ? મૃષાવાદ–અસત્ય કેવી રીતે અને શા કારણેાથી એલાય છે, તેના કેટલાક દાખલાએ વિચારીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદવિરમણ - કેટલાક તે બડાઈ મારનારા મનુષ્ય હોય છે. તેઓની સર્વ વાતે અતિશયોક્તિથી ભરેલી હોય છે. તેઓ પિતાની દોલતના, સમાજમાં પોતાની સ્થિતિના, મોટા મોટા મનુષ્ય સાથેની પિતાની દેસ્તીના, પિતાને મળેલા માનચાંદના, પિતાના વડિલે ભૂતકાળમાં કરેલા પરાક્રમનાં અને ભવિષ્યમાં તે કેવાં પરાક્રમ કરવા ધારે છે તેને લગતા હવાઈ ખ્યાલેના સંબંધમાં બડાઈ મારતા જ હોય છે. આ હકીક્તોને અર્ધ કરતાં પણ વધારે ભાગ તેઓની કલ્પનાશક્તિથી તેઓએ રચે હોય છે, અને સત્યના પ્રકાશમાં આ હકીકતો ટકી શકે તેવી હોતી નથી માટે સત્યના ઉપાસકે આવી બેટી બડાઈ મારવાની ટેવથી દૂર રહેવું. જ્યારે મનુષ્ય બીજાને કોઈ વાત કહેવા માંડે છે ત્યારે તે વાતને રસિક બનાવવાને તેના જે અંગમાં ન્યૂનતા હોય તે પોતાની કલ્પનાવડે ભરી દે છે અને આ રીતે અસત્ય બોલવાને દેરાય છે. બીજા પ્રકારના અસત્યવાદીઓ દ્વેષથી અસત્ય વચનો બલવાને દેરાય છે. તેઓ બીજાઓ સંબંધી અપ્રિય બાબતો સાંભળીને તેમાં પોતાના તરફથી કાંઈક ઉમેરો કરીને જગત આગળ એવું વર્ણને મૂકે છે કે લોકે તે વાત સાચી માનવાને દોરાય છે. તેઓ આ રીતે વગરપૈસાના પરનિંદા ફેલાવનારા ફેરીઆનું કામ કરે છે. આ ગુન્હો ઘણો મોટો છે. એથી ચારિત્રપ્રતિષ્ઠાને થતી હાનિ ન સહન થવાથી કેટલાકે આપઘાત કર્યાના દાખલા જગપ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સહસાકારે કેઈની ખરી પણ ગુપ્ત વાત પ્રકટ કરવી એ પણ સત્યને અતિચાર છે, તો પછી બીજાની Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પવિત્રતાને પંથે અછતી વાત જગત આગળ મૂકવી તેના જેવા અનર્થ બીજો કચેા હાઇ શકે ? આ બધાં જીલનાં પાપા છે. તેનાથી સત્યના ઉપાસકે ચેતતા રહેવું જોઇએ. જ્ઞાના વકાર કહે છે કે— पृष्टैरपि न वक्तव्यं, न श्रोतव्यं कथंचन । वचः शंकाकुलं पापं, दोषाढ्यं चाभिसूयकम् ॥ જે વચન શકાભયું હાય, પાપમય હાય, દોષવાળુ હાય અથવા ખીજાની ઇર્ષા ઉત્પન્ન કરનારું હાય તેવું વચન બીજાએ પૂછવા છતાં પણ કહેવું નહિ, તેમ તેવાં વચને સાંભળવાં પણ નહિ, ' આપણને આવાં વચના સાંભળવામાં રસ પડે છે તે જ આપણી નિર્મળતા સૂચવે છે. આપણે બીજાના સંબંધમાં જે અપ્રિય અથવા અનિષ્ટ વાત સાંભળીએ તે ખરી ન પણ હાય અને કદાચ ખરી હાય તે પણ તે વિષે ન ખેલવુ એ વધારે દયાભયુ છે. કેટલાક અસત્યવાદીએ પેાતાના વચનના ભોંગ કરે છે અને કારણ પૂછતાં એક યા બીજી માનું રજૂ કરે છે. સત્ય ખેલવાથી ઠપકા મળશે. એવા પ્રસંગેા હૈાય ત્યાં અસત્ય ખેલવામાં આવે છે. નાકરામાં આ દુર્ગુણુ વિશેષ હાય છે. જ્યાં માખાપ અથવા શિક્ષકે બહુ જ સખ્ત હોય છે અને જ્યાં સત્ય કરતાં પ્રશંસાને વધારે માન અપાય છે, ત્યાં ઘણાં બાળકો અથવા વિદ્યાથી આ અસત્ય એલવાને દોરાય છે. એક મનુષ્ય પાંચ રૂપીને વાસ્તે અસત્ય ખેલે છે તેના અર્થ એ જ કે સત્ય કરતાં તે પાંચ રૂપીઆને વધારે Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદવિરમણ ૧૭ કિંમતી ગણે છે. મનુષ્ય ધારે તે સર્વાગ સંપૂર્ણ સત્ય બોલી શકે, પણ તેને વાસ્તે ભોગ આપવા તેણે તૈયાર રહેવું જોઈએ.' હરિશ્ચંદ્ર સત્યવાદી રહી શક્યા, કારણ કે પોતે આપેલા વચન નને ખાતર ભેગ આપવાને તત્પર હતા. આજે હજાર વર્ષે તેમનું નામ આપણે જીભ પર તરી આવે છે. ધર્મરાજા કહેવાતા યુધિષ્ઠિર અણને પ્રસંગે અશ્વત્થામા મરાયા તે ઊંચા સ્વરે બોલ્યા નો વા કુંજરે ચા-એટલે તે મનુષ્ય હેય કે હાથી હોય–એટલું ધીમેથી બોલ્યા. તરત જ તેમને રથ જે પૃથ્વી પર ચાલતું હતું તેનું એક ચક્ર ભૂમિમાં પેસી ગયું. તે સત્યવાદી જીવે અસત્ય કહ્યું પણ તરત જ તેના અંત:કરણે ડંખ દીધો. અંતઃકરણરૂપી ઝગઝગતી તરવારે તેના મર્મસ્થળને લેવું. આ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે આપણને કેમ એકદમ અસર થતી નથી ? કારણ એ જ કે ઉજળે લુગડે ડાઘ લાગે. ઉજળી ભીંત પર કાળું ધાબું તરત દેખાય, પણ જ્યાં બધું કાળું હોય ત્યાં જરાક કાળાશને ઉમેરો થાય તે તે શી રીતે જણાય? જેણે વ્રત લીધાં હોય તેને અતિચાર લાગે, પણ જે સદા અવિરતિપણામાં રમણ કરતા હોય તેને પાપથી પાછા હઠવાને વિચાર જ કયાંથી સૂઝે? અસત્યના કેટલાક ગેરલાભ આપણે વિચાર્યા, તે જ રીતે સત્યના લાભ પણ વિચારવા જરૂરના છે.. સત્યથી લકને આપણા પ્રત્યે વિશ્વાસ બેસે છે, માન પ્રતિષ્ઠા વધે છે, વ્યાપાર રોજગાર પણ તે સાખ–આબરૂને લીધે સારે ચાલે છે. સત્યવાદી મનુષ્યમાં સત્યથી એક પ્રકારનું બળ આવે છે. અસત્ય બોલનારા અચકાતા અચકાતા બોલે છે ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પવિત્રતાને પંથે આ સત્યવાદી પુરુષ બેધડક પિતાના પૂર્ણ જોશથી પિતાની વાત રજૂ કરે છે, કારણ કે તેને પિતાના સત્ય પર પૂર્ણ વિશ્વાસ હોય છે, પણ આ બધા વ્યાવહારિક લાભ ઉપરાંત કેટલાક આધ્યાત્મિક લાભ પણ થાય છે. પ્રથમ તે તેના આત્માને અપાર સંતોષ થાય છે. મનુષ્ય જ્યારે રાત્રે પોતાના કાર્યનું નિરીક્ષણ કરવા બેસે અને પિતાના અંત:કરણ સાથે એમ કહી શકે કે-હું આજે કોઈ પણ બાબતમાં અસત્ય બે નથી, અથવા મારા વચનથી મેં કોઈને પણ ઊંધું સમજવાને અવકાશ આપે નથી, તે તે મનુષ્યને કેટલે સંતોષ થતું હશે તેને ખ્યાલ કરે, અને તે આત્મસંતોષ તમે પણ શા સારુ પ્રાપ્ત ન કરી શકે તે વિચારો. વળી નિરંતર સત્ય વિચારે કરવાથી અને સત્ય બોલવાથી મનુષ્યને એક ધોરણ મળે છે, કે જે વડે તે અનેક અસત્ય બાબતેમાંથી, જેમ અનેક ખોટા કાચના કકડામાંથી ઝવેરી ખરા હીરાને પારખી શકે છે તેમ, સત્યને પારખી શકે છે. તે મનુષ્ય તેનાં વચનની કિંમત આંકી શકે છે, અને તેથી તેને છેતરાવાનો ભય રહેતો નથી. તેને આત્મા સત્યના તેજથી પ્રકાશે છે અને કેટલીક વાર તો મનુષ્ય તેની પાસે અસત્ય બોલતાં થરથરે છે. વળી સત્યનું આયુષ્ય બહુ લાંબું હોય છે. અસત્ય થડે સમય કદાચ ફાવે; પણ તેનું આયુષ્ય બહુ અલ્પ હોય છે. સત્ય તો ખડક જેવું હોય છે. તેના પર પ્રચંડ જળકલાલે અથડાય છતાં તે ટકી શકે છે, માટે આત્મહિતાથી મનુષ્ય સત્યનું મહત્ત્વ વિચારી સત્ય બેલવાને અભ્યાસ પાડવે જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદવિરમણ વળી મનુષ્યને એક અસત્ય છુપાવવાને બીજાં અનેક અસત્ય ઊભાં કરવાં પડે છે અને બીજા મનુષ્યને પણ પિતાના અસત્યના ભાગીદાર બનાવવાની જરૂર પડે છે. વળી અસત્યમાં એવાં બીજ રહેલાં હોય છે કે જે પોતાના જ નાશના કારણરૂપ બને છે. છેતરનાર જ છેતરાય છે” એવચન સદા સર્વદા હદયમાં કતરી રાખવાનું છે. અસત્ય એ ચાર દિવસના ચાંદરણા જેવું છે. ધારો કે આપણે એવું અસત્ય બેલીએ કે જેથી સામી વ્યક્તિને નુકસાન ન પણ થાય, છતાં આપણને પિતાને જે મેટું નુકસાન થાય છે તેનો વિચાર કરવો ઘટે છે. અસત્યથી અથવા આપણે જે કાંઈ જાણુતા અથવા માનતા હોઈએ તેની વિરુદ્ધ બેલવાથી આપણું મન મલિન બને છે, અને તેથી આત્મા પર એક જાતનો પડદો આવી જાય છે. અને આપણે આત્માને પ્રકાશ ઝીલવા અસમર્થ થઈએ છીએ. આપણુ દષ્ટિ ઉપર પડલ આવી જાય છે, અને અમુક વસ્તુ અથવા બનાવમાં સત્ય તત્વ શું છે તે આપણે જાણું શકતા નથી પણ– He who thinks truth, speaks truth or acts truth, acquires a power to know truth by intuition which is above all reasoning. જે સત્ય વિચારે છે, સત્ય બોલે છે અને સત્ય વર્તન રાખે છે, તે આન્તરપ્રતિભા જે બુદ્ધિની પણ પેલી પારની શક્તિ છે, તે વડે સત્ય જાણવાની–પારખવાની શક્તિ મેળવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજું અદત્તાદાન વિરમણ. ત્રીજું પાપસ્થાનક–આત્માના પ્રકાશને રોકનારું કારણ અદત્તાદાન છે. તેને સામાન્ય અર્થ એ થાય છે કે બીજાએ નહિ આપેલી વસ્તુ, તેની ઈચ્છા સિવાય લેવી તે, અદત એટલે નહિ આપેલનું આદાન અથવા ગ્રહણ છે. - જીવને બાહ્ય વસ્તુઓ મેળવવાને શેખ થાય છે. લોકેની વાસનાઓ અને જરૂરીઆતો વધવા પામી છે. જે પદાર્થો પ્રથમ માજશેખની ચીજ તરીકે ગણવામાં આવતી હતી તે હવે દરરોજના જરૂરીઆતના વિષયરૂપ થઈ પડેલ છે. એટલે વિશેષ ધનની જરૂર પડે છે. તે ધન જે યોગ્ય રસ્તે મળે તો તે ઠીક, પણ જો તેમ ન મળે તો અન્યાયથી, કપટથી, બીજાને છેતરીને, ચોરી કરીને અથવા વિશ્વાસઘાત કરીને પણ તે મેળવવા જ દોરાય છે. અને આ રીતે આ ત્રીજા પ્રકારનું પાપકર્મ કરે છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણ છે, અને તે જવાથી મનુષ્યના આંતર પ્રાણનો પણ નાશ થવા સંભવ છે. જ્ઞાનાર્ણવમાં લખ્યું છે કે: वित्तमेव मतं सूत्रे, प्राणा बाह्याः शरीरिणाम् । तस्यापहारमात्रेण, स्युस्ते प्रागेव घातिताः॥१॥ ધનને ધર્મપુસ્તકોમાં જીવના બાહાપ્રાણરૂપ કહેવામાં આવ્યું છે, માટે તેનું હરણ કરવાથી તેના પ્રાણ જ લીધા એમ કહી Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ અદત્તાદાન વિરમણ શકાય. ધન જવાથી મનુષ્યની વૃત્તિ, બુદ્ધિ વગેરેને નાશ થાય છે. કેટલાક મનુષ્યો ધન જવાથી ગાંડા થઈ જવાના તથા ચિત્તભ્રમવાળા થઈ ગયાના દાખલા જોવામાં આવે છે. કપટથી અથવા અન્યાયથી પરધનનું હરણ કરવાથી કે ચોરી કરવાથી શા શા ગેરલાભ થાય છે તે આપણે વિચારીએ. તેવા મનુષ્યને મોટે ગેરલાભ તો એ થાય છે કે કોઈ તેને વિશ્વાસ કરતું નથી. આવું કામ કરનારને નિરંતર રાજ્યને ભય રહ્યા કરે છે. જ્યારે મનુષ્યને પરધમતરણ કરવાની ઈચ્છા જાગે છે ત્યારે તે ન્યાય અન્યાય કાંઈપણ જેતે નથી અને ધનને ખાતર પોતાના સ્વજનોને પણ ઘાત કરવા તે તૈયાર થાય છે, તે પછી બીજા ઘરના સંબંધીઓ માટે તે કહેવું જ શું? તેવા મનુષ્યને કોઈ સંસર્ગ કરતું નથી અને પિતાને ત્યાં આવ્યું હોય તે તે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સર્વ કઈ તેના પ્રત્યે શંકાની નજરથી જોયા કરે છે. તેવા કામ કરનારનું ચિત્ત સદા સર્વદા ભયબ્રાન્ત રહે છે અને રાત્રે પણ તેને નિદ્રા આવતી નથી. હું પકડાઈ જઈશ એ વિચારથી તે જાગ્યા કરે છે. બીજાને દુઃખી કરીને કોઈ શાન્તિ પામ્યું નથી અને પામી શકે પણ નહિ. કોઈ ચોરી કરે, ચોરને મદદ કરે, ચેરે ચોરી લાવેલી વસ્તુઓ ખરીદ કરી લે, અથવા સાચવી રાખે, એાછાં અધિકાં માપ કરી બીજાને છેતરે, વસ્તુઓમાં શેળસેળ કરે, કઈ પણ રીતે જેના પર પોતાને ખરો હકકે નથી તે લે અથવા લેવાને પ્રયત્ન કરે, તે તે સર્વ શાસ્ત્ર પ્રમાણે આ અદત્તાદાનના વિષયમાં આવી જાય છે. રાજ્યનું દાણ અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે. મ્યુનીસીપાલીટીની જકાત અથવા વ્યાજબી ઈન્કમટેક્ષ ન આપવો તે પણ અદત્તાદાન છે. જે મનુષ્ય આ અવગુણથી–દેષથી મુક્ત રહે છે તે માર્ગનુસારીપણાને લાયક બને છે. કારણ કે કોઈ પણ જીવ શ્રાવકધર્મને યોગ્ય થાય, તો તેમાં જે ૩૫ ગુણેની આવશ્યકતા છે, તેમાં પ્રથમ ગુણ જ ન્યાયસંપવિમર છે, અર્થાત્ ધર્મના માર્ગને લાયક થવા ઈચ્છનારે ન્યાયથી જ ધન પેદા કરવું જોઈએ. જે મનુષ્ય ન્યાયનીતિથી ધન પેદા કરે છે તેનું મન સદા સંતોષમાં રહે છે. પોતે કોઈને પણ અન્યાય કર્યો નથી અથવા કોઈને છેતર્યો નથી, એ ભાવનાથી મનમાં જે શાન્તિ રહે છે તે અવર્ણનીય હોય છે. જ્યારે કેઈપણ મનુષ્યની અથવા પેઢીની સાખ બંધાઈ જાય છે, કે આ મનુષ્ય કે આ પેઢી જે યોગ્ય હશે તે જ કિમત લેશે, તો તે મનુષ્ય કે પેઢીને માલ ઘણે ખપે છે; કારણ કે વ્યાપારને મેટે આધાર સાખ, આબરૂ, પ્રતિષ્ઠા (Credit) ઉપર રહે છે. જે મનુષ્ય કોઈની નોકરી કરતો હોય તે મનુષ્ય પિતાના વર્તનથી એમ સાબિત કરી આપે કે તેને પિતાને પગાર ઉપરાંત હરામની અથવા અન્યાયની એક પાઈ પણ ન ખપે, તો તેના શેઠને તેના પર અત્યંત વિશ્વાસ બેસે છે. તે તેને પોતાની પેઢી પરગામ હોય તો ત્યાં વધારે પગારે મોકલી શકે છે. વધારે પગાર આપવાનું એક મોટું કારણ એ હોય છે કે તે શેઠને તેના પર દેખરેખ રાખવી પડતી નથી. દરેક ખાતામાં ઈન્સપેકટર રાખવા પડે છે અને તેમના ભારે પગાર આપવા પડે છે, તેનું કારણ એ જ કે હાથ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુત્તાદાનવરમણ ૩૩ નીચેના લેાકેા ન્યાયનીતિથી વતે છે કે કેમ ? તે વિષે નિરતર શંકા રહ્યા જ કરે છે. ન્યાયથી જે મનુષ્ય ધન પેદા કરે છે, તેના પૈસાના પણ સભ્યય થાય છે અને તે ધનથી જે ખારાક ખરીદવામાં આવે તે ખારાક પણ ઉચ્ચ બુદ્ધિ અને શુભ વિચારા પ્રેરનારા થાય છે આ ખામતને હાલના લેાકેા ભલે હસી કાઢે, પણ આ ખખત અનુભવસિદ્ધ છે. મનુસ્મૃતિ પણ કહે છે કેसर्वेषां शौचानामर्थशौचं परमं मतम् । સર્વ પ્રકારની પવિત્રતામાં ધનની પવિત્રતા માટી ગણવામાં આવેલી છે, માટે અન્યાયથી ધન પેદા કરવાની કાઇ પણ દિવસ આકાંક્ષા રાખવી નહિ. કેટલીક વાર અન્યાયથી મનુષ્યાને સુખ પામતા જોઈએ છીએ ત્યારે આપણા મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે આમ કેમ થતું હશે ? તેના જવાબ એ જ છે કે અન્યાયથી મનુષ્ય ફાવે છે તે થાડા જ સમયને માટે, અંતે તા અન્યાય ફ્રેન્યા વગર રહેતા જ નથી. વળી ભૂતકાળનું શુભ કર્મ હાય અને કદાચ તે ફાવે તે પણ તેથી શું થયું? તેના અન્યાયનું ફળ તેને ભેગવવું જ પડવાનું. તેમજ ન્યાયી મનુષ્યને દુ:ખ પડે છે તે તે તેના ન્યાયને લીધે પડતું નથી, પણ ભૂતકાળનું કરજ તે વધારે લાબ્યા હાય છે તેથી જ્યાં સુધી તે કરજ અદા ન થાય ત્યાં સુધી તે ન પણ ફાવે. પણ તેના ન્યાયનું ફળ તે તેને જરૂર મળશે અને તે મળે ત્યાં સુધી મનુષ્યે ધર્મ અને નીતિ ઉપર શ્રદ્ધા રાખી ચાલવુ જોઇએ. મનુષ્યના ચારિત્રની સેટી આવે સમયે જ થાય છે. લક્ષ્મીદેવી દરેક મનુષ્યની Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પવિત્રતાને પથ કસેટી કાઢે છે, અને જે મનુષ્ય તેની કસેટીમાં પસાર થાય છે તેને તે વરે છે. કહ્યું છે કે— वृणुते हि विमृश्यकारिणम् गुणलुब्धाः स्वयमेव संपदः ॥ જે મનુષ્ય વિચારપૂર્વક સમજીને પેાતાના સન્નિશ્ચયે પ્રમાણે જીવન ગાળે છે તેને તેના ગુણૢાથી આકર્ષાયેલી લક્ષ્મી સ્વયમેવ આવીને વરે છે, માટે ધન પેદા કરવું તે ન્યાયનીતિપૂર્વક પ્રાપ્ત કરવું, આ રીતે વતાં પ્રારંભમાં થાતું મળે તેા તેથી સતાષ માનવેા. આગળ જતાં ન્યાયનીતિની છાપ પડશે, એટલે વિશેષ ધન એની મેળે આવી મળશે. ખરી રીતે વિચારીએ તે આપણે બધા ધનના ટ્રસ્ટી છીએ પણુ માલીક નથી. ટ્રસ્ટી ભાવ જો ધારવામાં આવે તેા મનુષ્ય પરહિતાર્થે તેના સદુપયાગ કરી શકે છે. પણ જ્યાં માલીકી આવી ત્યાં મનુષ્ય તેનાથી બંધાઇ જાય છે. પ્રકરણ ૪શું. મૈથુનવિરમણુ. મૈથુનના અર્થ પુરુષના સ્ત્રી સાથેના સંબ’ધ અથવા સ્ત્રીના પુરુષ સાથેના સંબંધ. જેએ બ્રહ્મચારી છે અથવા સાધુએ છે તેમને વાસ્તે આ સંબંધ સર્વથા વર્જ્ય છે, અને જે લેાકેા ગૃહસ્થી છે તેમને માટે યોગ્ય નિયમ એ છે કે તેમણે સ્વદ્વારાસ’તેાષ વ્રત પાળવું અર્થાત્ પેાતાની સ્ત્રીમાં સતાષ માનવા. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મેથનવિરમણ મૈથુનત્યાગ અથવા બ્રહ્મચર્ય એ ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. તે વ્રત જે મન, વચન અને કાયાથી પાળે છે તે મનુષ્ય જ્યાં જાય ત્યાં વિજયી નીવડે છે. કામિકવાસનાવિષયતૃષ્ણા એ જગતની પ્રબળમાં પ્રબળ વૃત્તિ છે. શ્રી ગૌતમબુધે એક સ્થળે લખ્યું છે કે જે વિષયવાસના જે પ્રબળ મનેવિકાર બીજે કઈ હેત તે લેકેને ધર્મનો ઉપદેશ આપવાનું કામ નિરર્થક થાત. તેમના કહેવાનો ભાવાર્થ એ છે કે આ વિષય સંબંધી વ્રત આ જગતમાં સૌથી પ્રબળ છે. જ્ઞાનાર્ણવમાં બ્રહ્મચર્યના સંબંધમાં લખેલું છે કે – विन्दन्ति परमं ब्रह्म, यत्समालम्ब्य योगिनः। तबतं ब्रह्मचर्य स्याद् , धीरं धौरेयगौचरम् ॥१॥ જે વ્રતનું આલંબન કરીને યોગીએ પરબ્રહ્મ–પરમાત્માને પામે છે અને જેને ધીરવીર પુરુષો જ ધારણ કરી શકે છે તે બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. વળી તે જ ગ્રન્થકાર જણાવે છે કે – एकमेव व्रतं श्लाघ्यं, ब्रह्मचर्य जगत्त्रये । આ ત્રણ જગતમાં બ્રહ્મચર્ય વ્રત જ એક પૂજવા લાયક છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું જીવન છે અને તે વિનાના બીજા ગુણ જીવનમાં શૈણ ભાગ ભજવે છે. આવા ઉત્તમ અને દુર્ઘટ બ્રહ્મચર્યને અર્થ શો ? સામાન્ય અર્થ એ છે કે-બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર જીવ મનથી કેઈપણ સ્ત્રી ભેગવવાની ઈચ્છા કરતું નથી, અને શરીરથી પણ તેનાથી સદા સર્વદા વેગળે રહે છે. બ્રહ્મચર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પવિત્રતાને પથ એ શબ્દના અર્થ કરીએ તે તે જીવ ખધામાં બ્રહ્મ આત્માને જુએ છે અને તે પ્રમાણે વતે છે, અર્થાત્ જેને આત્મદૃષ્ટિએ સ્ત્રી કે પુરુષ એવા ભેદ રહ્યો નથી તે જ મનુષ્ય પૂર્ણ રીતે તે વ્રત પાળી શકે છે. જ્યાં સુધી આ પુરુષ છે અને આ સ્ત્રી છે, એ બાબત પર ભાર મૂકવામાં આવે છે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાલન ઘણું અઘરું' છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે— નીરખીને નવ યાવના, લેશ ન વિષય નિદાન: ગણે કાષ્ઠની પુતળી, તે ભગવાન સમાન. વિષયવૃત્તિ એ ઉત્પાદક શક્તિ છે. તેનામાં કાંઇપણ નવીન ઉત્પન્ન કરવાનુ મળ છે. કુદરતમાં જે એ શક્તિ પ્રખળ ગણાય છે તેમાં એક સ્વરક્ષણની શક્તિ અને બીજી પ્રજોત્પાદક શક્તિ છે. આ શક્તિ ત્રણ રીતે પ્રગટ થાય છે. મનદ્વારા, લાગણીદ્વારા અને શરીરદ્વારા. મનદ્વારા જો આ ઉત્પાદકશક્તિના ઉપયેગ થાય તે તે મનુષ્યને પુસ્તકે લખવાનું, ભાષણેા આપવાનું, નવીન કલ્પનાએ કરવાનું મન થાય છે. લાગણીદ્વારા તે ચિત્રકળારૂપે, સંગીતરૂપે, કાવ્યરચનારૂપે, શિલ્પકળારૂપે પ્રગટ થાય છે. અને તે સ્થૂલ શરીરમાં પ્રગટ થતાં સામી જાતિની વ્યક્તિના સમાગમમાં આવવાની ઇચ્છારૂપે દેખાય છે. શક્તિ એની એ છે, પણ તે આમ ત્રણ રીતે પ્રકટ થાય છે માટે જો મનુષ્ય તે શક્તિને મનદ્વારા અથવા લાગણીદ્વારા પ્રગટ કરવા પ્રયત્ન કરે તે આ સ્થૂલ શરીરમાં તેનું બળ ઓછુ રહે છે, અને તેને વશ કરવાનું કામ સુગમ થાય છે માટે તે વૃત્તિનું આ સ્થૂલ શરીર ઉપર જેમ બને તેમ એછું દબાણ આવે તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મૈથુનવિરમણ કરવું અને તે માટે ઉચ્ચ પ્રકારના માનસિક વિષયમાં અથવા ઉપર જણાવેલી લાગણુઓ પ્રકટ કરવાના કોઈ પણ માર્ગમાં પોતાની શક્તિનો ઉપયોગ કરે એ લાભકારી છે. બધા મનુષ્ય સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે એ સમજાય તેવી વાત છે, માટે ગૃહસ્થાએ સ્વસ્ત્રમાં સંતોષ માનવો અને ત્યાં પણ પ્રજોત્પત્તિના હેતુ સિવાય સ્થલ સમાગમ કરે નહિ. ગૃહસ્થાશ્રમ એ જીતેંદ્રિય થવાનું શીખવનારી શાળા છે. મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહીને ધીમે ધીમે પોતાની વૃત્તિ પર કાબૂ મેળવતાં શીખે છે. આ વૃત્તિ ઉપર એક જ ફટકે જય મેળવી શકાય નહિ. મનુષ્ય તે વૃત્તિ પર જય મેળવવા પ્રયત્ન કરે તેમાં તે કેટલીક વાર નિષ્ફળ પણ જાય, વળી ફરીથી પ્રયત્ન કરે, વળી નિષ્ફળ જાય, એમ કરતાં કરતાં દઢ નિશ્ચયથી તે આ વૃત્તિ પર જય મેળવી શકે. આ વૃત્તિને કાબુમાં રાખવાનું કામ કઠન છે; એ તો સર્વ કઈ જાણે છે અને આ જગતમાં જે રોગ ને નિબ. ળતાઓ પેદા થાય છે, તેનું મોટું કારણ આ વૃત્તિ ઉપરના નિગ્રહનો અભાવ છે. बलवानिन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति । ઈન્દ્રિયનો સમૂહ બળવાન છે અને તે વિદ્વાનને પણ ખેંચી જાય છે, માટે જ આ વ્રતને મોટું રૂપ આપવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય પાલન માટે અને ઇન્દ્રિયનિગ્રહ માટે નીચેના વિચારો તથા આચારે ઉપયોગી થશે એમ લાગે છે. પ્રથમ તે બધા અનર્થોનું મૂળ અશુદ્ધ વિચાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે જગતમાં જેટલા જેટલા બનાવે બને છે, કાર્યો થાય છે તે બધાનું મૂળ વિચાર છે. મકાનની બધી જનાઓ પ્રથમ એક એજીનીયરના મગજમાં પેદા થાય છે અને પછી કારીગરે અને મજૂર તે નકશા પ્રમાણે આખું મકાન બનાવે છે, તેવી જ રીતે આપણે ચારિત્રના બંધારણમાં પણ વિચાર મુખ્ય ભાગ ભજવે છે. ભગવદ્દગીતા આ સંબંધમાં લખે છે કે ध्यायतो विषयान् पुंसः संगस्तेखूपजायते । संगात्संजायते काम: વિષયનું ચિંતન કરવાથી તે પ્રત્યે આસક્તિ પદા થાય છે અને આસક્તિ પરથી તે મેળવવાની ને ભેગવ વાની પ્રબળ ઈચ્છા થાય છે અને તે ઇચ્છા કાર્યરૂપે પરિ. ણમે છે; માટે સઘળી અનર્થકારી ક્રિયાઓને ઉત્પાદક મનુષ્યનો અશુભ વિચાર છે. પશુઓ અને મનુષ્યમાં એક મોટો ભેદ છે. પશુઓ અમુક સમયે જ પોતાની આ વૃત્તિને અમલમાં મૂકે છે, પણ મનુષ્યને વિશેષ બુદ્ધિબળ મળેલું હોવાથી તે તેને ઉપયોગ તેમજ દુરુપયેગ કરી શકે છે. જે મનુષ્ય પોતાના વિચારોવડે ઉચ્ચમાં ઉચ્ચ પ્રદેશમાં વિચરી શકે છે તે જ મનુષ્ય પોતાના હલકા પ્રકારના વિચારોથી પશુ કરતાં પણ હલકી સ્થિતિએ જઈ પહોંચે છે. તે વૃત્તિનો તેમજ તે વૃત્તિના ઉપભેગથી મળનાર સુખને વારંવાર વિચાર કરવાથી મનુષ્ય એવા પ્રકારના ભૂતને જગાડે છે કે જે ભૂત તેને નાશ કરતાં સુધી તેને જંપીને બેસવા દેતા નથી, માટે પ્રથમ તે તે સંબંધીના વિચારને સુધારવાની જરૂર છે. પણ આ વિચા Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ મૈથુનવરમણ રાને બદલાવવાનું કામ આરંભમાં ઘણું કઠણુ છે. શરૂઆતમાં જેવા તે સંબંધી વિચાર આવે કે તરત મનને બીજા વિષય ભણી દોરવું. એક જાપાનીસ કહેવત છે કે — F "We cannot prevent the birds of evil from flying over our heads, but we need not allow them to build their nests in our hair. ૨૯ ,, આપણે અશુભના પક્ષીઓને આપણા માથા પર ઊડતા અટકાવી શકીએ નહિ, પણ આપણે તેમને આપણા વાળમાં માળા તે ન માંધવા દઇએ. કામ કઠિન છે, પણ જે એક મનુષ્ય કરી શકયા તે બીજા પણ કરી શકે. Jain Educationa International આ વાસ્તે ઉત્તમ ઉપાય એ છે કે તે અશુભ વિચારની સામે નહિ થતાં મનને બીજા કેાઇ વિષય ભણી વાળવુ, અને જો આ બીજો વિષય આપણને રુચિકર હાય તા વિશેષ સારું. મન ત્યાં સ્થિર થવા માંડશે એટલે આ વિષયવૃત્તિને વેગ એછેા થવા લાગશે, પણ આ કામ તરત જ થવું જોઇએ. તે ખામતમાં જરા પણ ડગમગતી સ્થિતિ કે અનિશ્ચય ન હાવા જોઇએ. તે મનુષ્યે પેાતાની શાંત પળેામાં જે નિશ્ચયા કરવા ચેાગ્ય હાય તે કરવા જોઇએ. પણ હવે તા પેાતાના હૃઢ નિશ્ચય પ્રમાણે વર્તવું. આ પ્રમાણે લાંબે સમય વર્તવાથી તે વિષયવાસનાના પક્ષીએ તેના માથા પર માળે તા નહિ માંધે, એટલું જ નહિ પણ તેની આસપાસ ઊડવાનું For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પવિત્રતાને પથે પણ બંધ કરશે અને કદાચ ઊડશે તે પણ એક હાથ હલાવવાથી દૂર ભાગી જશે. આ બ્રહ્મચર્યની ભાવનાને ટેકો આપનારી કેટલીક વિચારશ્રેણુ તપાસીએ. યાજ્ઞવલ્કયે પિતાની સ્ત્રી મૈત્રેયીને ઉપદેશ આપે હતો કે-દરેક મનુષ્ય તેના આત્માને લીધે પ્રિય છે. પુત્ર પુત્રને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પ્રિય છે. પતિ પતિને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પ્રિય છે. પત્ની પત્નીને ખાતર પ્રિય નથી, પણ આમાને ખાતર પ્રિય છે. કારણ કે અંદરથી આત્મા ચાલ્ય જાય છે ત્યારે શરીર ઉપરને મેહ ઉતરી જાય છે, માટે આપણે દરેક આત્મા છીએ, અને આત્મા તે પુરુષ નથી તેમ સ્ત્રી પણ નથી, એ ભાવનાનું ચિંતન કરવાથી શરીરભાવથી ઉત્પન્ન થતી કામિક વૃત્તિનું બળ ઘટવા લાગશે. તેને વાસ્તે બીજાં પણ કેટલાંક સાધને શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. પ્રબળ શત્રુને જીતવાને જેટલાં સાધને મળે તે બધાંને ઉપગ કરવો જોઈએ. બ્રહ્મચારી અથવા જિતેદ્રિય રહેવાને માટે મનુષ્ય જેમ બને તેમ ઓછો ખોરાક ખાવ જોઈએ. અમેરિકાના ડેકટરેએ ઘણા મનુષ્યોને તપાસી એવો અભિપ્રાય આપે છે કે-મનુષ્યને પોતાને જેટલા ખોરાકની જરૂર છે તેના કરતાં બમણું કે ત્રણગણે ખોરાક લે છે. જેનશાસ્ત્રકારો કહે છે કે-મનુષ્ય ઊણેદરી વ્રત કરવું અર્થાત ઉદરમાં જેટલું ભરી શકાય તેના કરતાં કાંઈક ઓછું ખાવું; કારણ કે અતિ આહાર પણ વિષયવૃત્તિને ઉત્તેજિત કરવાનું મોટું કારણ બને છે. વળી માદક અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ મૈથુનવિરમણ વિકારજનક ખોરાક પણ તેટલે જ ત્યાગ કરવા લાગ્યા છે. તેની સાથે શરીરને અને મનને ઉશ્કેરી મૂકે તે મરીમસાલા અને તેજાનાવાળો ખોરાક પણ લેવો નહિ. સાંજે પણ વિશેષ ન ખાવું. આ સંબંધમાં બુદ્ધધર્મમાં એ નિયમ હતા કે સાધુઓએ દિવસમાં એક જ વાર બપોરે ખાવું. આ વિષયવૃત્તિને સંયમમાં રાખવાને એક ઉત્તમ સાધન એ છે કે મનુષ્ય કસરત કરી શરીરને કસવું. વિદ્યાથીઓ જે સમયે યુવાવસ્થામાં આવે છે ત્યારે તેમનામાં ઉત્પાદક શક્તિ ખીલવા માંડે છે અને જે કસરત, રમત વગેરે દ્વારા પિતાની શક્તિઓ પ્રકટ કરે છે, તો તેઓને વિષયવૃત્તિ પર જય મેળવવાનું કામ ઘણું સરલ બને છે. જ્યારે મનુષ્યનું મન મરદાનગીભરી રમતમાં લાગેલું હોય છે ત્યારે અગ્ય વિચારે વિચારવાને તેને સમય મળતો નથી, કારણ કે જ્યાં આળસ્ય હોય ત્યાં જ અશુભ વિચાર સ્થાન મેળવે છે. જેમ આળસુ હાથ કાંઈ નુકશાન કરે છે તેમ આળસુ મગજ પણ અગ્ય ભાવનાઓમાં પિતાની શક્તિઓનો વ્યય કરે છે. વળી હલકા વિચાર અથવા વૃત્તિવાળા મનુષ્યની સોબતથી જિતેંદ્રિય થવા ઈચ્છનારે દૂર રહેવું. મિત્રો વિના ચલાવી લેવું તે બહેતર છે, પણ જેમની વાતચિત અને ભાવનાઓ વિષયવાસના તરફ પ્રેરતી હોય તેમની સબત તો ન જ કરવી. આ વાતે જ શાસ્ત્રમાં સત્સંગને પ્રધાનપદ આપવામાં આવ્યું છે. કેઈ સારો મિત્ર ન મળે તો પુસ્તકનો આશ્રય લે. જગતમાં સારાં પુસ્તકની Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પવિત્રતાને પથે સંખ્યા કાંઈ ઓછી નથી. વળી હલકા પ્રકારના નાટકોથી પણ દૂર રહેવું એ પણ આ કામ વાંતે એટલું જ જરૂરનું છે; કારણ કે ઉપર ભાર દઈને જણાવવામાં આવ્યું છે તેમ બધાં હલકાં કૃત્યને પિતા તેને વિચાર છે. જે લેકે આ બાબતમાં નીતિનિયમોનું ઉલ્લંઘન કરે છે તેઓ જ્યાં ત્યાં અપમાન પામે છે, કઈ તેમના પર વિશ્વાસ રાખતું નથી. તેવાં મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના રોગો ઉભવે છે. પરસ્ત્રીગમનથી પોતાના પ્રાણ નાશ થવાને સંદેહ રહે છે, બીજાઓ સાથે મોટું વેર બંધાય છે, કોઈ વાર કેદમાં જવું પડે છે, અને જગતમાં જે અપમાન થાય છે તે તો જિંદગીભર તેને આગળ આવવા દેતું નથી. જેમ પરસ્ત્રીને ત્યાગ તેમ વેશ્યાગમન કે વિધવા વગેરેને પણ ત્યાગ કરે જ જોઈએ. શાસ્ત્રો કહે છે કે-જે પુરુષો અન્ય સ્ત્રીમાં આસક્ત રહે છે, અથવા જે સ્ત્રીઓ અન્ય પુરુષમાં આસક્ત રહે છે તે અનેક ભવમાં નપુંસકપણું, વિધવાપણું અને દુર્ભાગ્ય પણું પ્રાપ્ત કરે છે અને જેઓ બ્રહ્મચર્ય કે શીલવ્રત પાળે છે તેવા પુરુષો કે સ્ત્રીઓ લાંબું આયુષ્ય, મનુષ્યપણું, દેવપણું પામે છે અને તે સાથે મજબૂત શરીર, અખંડ ભાગ્યપણું, પ્રબળ વિર્ય અને સામર્થ્ય પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહવિરમણ પ્રકરણ ૫ મું. પરિગ્રહવિરમણ. રિગ્રહ એ પાંચમું પાપસ્થાનક છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. વરિ એટલે ચારે બાજુએથી અને પ્રદ એટલે પકડાવું. જેનાથી આપણે ચારે બાજુએથી પકડાઈએ તે પરિગ્રહ. આપણે સમજીએ છીએ કે અમુક વસ્તુના આપણે માલીક છીએ, પણ આ માલીકી મેળવવા જતાં તે વસ્તુઓ આપણું માલીક બને છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં ચાર વ્રત હતાં, તે સમયે શું પરિગ્રહવિરમણ વ્રત હતું પણ તેમાં હાલનું ચોથું વ્રત સમાઈ જતું હતું કારણ કે પરિગ્રહને અર્થ સ્ત્રી પણ થાય છે અને પરિગ્રહમાં રૂપું, સોનું, મીલ્કત, નોકર-ચાકર, ખેતર વગેરે આવી જાય છે માટે ચેથા વ્રતમાં ચોથા અને પાંચમા સમાવેશ થતો હતે પણ આગળ જતાં કે ઓછી બુદ્ધિના થશે, એમ ધારી મહાવીર પ્રભુએ બ્રહ્મચર્યને ચોથું વ્રત કર્યું અને સ્ત્રી સિવાયની બીજી વસ્તુઓને પરિગ્રહરૂપ ગણી તેને પાંચમું વ્રત ગયું. હવે કયી વસ્તુઓને પરિગ્રહમાં સમાવેશ થાય છે. તે આપણે તપાસીએ. તે પરિગ્રહ નવ પ્રકારના છે, એમ શાસ્ત્રોમાં કહેલું છે. (૧) હીરા, માણેક, મોતી, નીલમ, પ્રવાળ વગેરે સર્વ - ધન તથા રૂપાના કે સોનાના સીકકા. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે (૨) સર્વ જાતનાં ધાન્ય. (૩) અલંકાર અને વગર ઘડેલું સુવર્ણ. (૪) અલંકાર અને વગર ઘડેલું રૂપું. (૫) જમીન, ગામ, શહેર, બગીચે વગેરે. (૬) મહેલ, ઘર, હાટ અને વખાર વગેરે. (૭) નેકર, ચાકર, દાસ, દાસી વગેરે. (૮) ગાય, ભેંસ, હાથી, ઘોડા, અન્ય વાહને વગેરે. (૯) ઘર વ્યવહારને ઉપયોગી તમામ વસ્તુઓ. આ નવ પ્રકારમાં જગતમાં મળી આવતી તમામ ચીજોને લગભગ સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી લાગે છે, માટે તે મેળવવા અથવા તેને સંગ્રહ કરવા આપણને ચિ થાય છે. જ્યાં સુધી જગતને વ્યવહાર છે ત્યાં સુધી મનુષ્યને ઘણું વસ્તુઓની જરૂર પડે છે, અને તે વસ્તુઓ મેળવવાને ધનની જરૂર પડે છે. આપણું પિતાની આજીવિકા માટે તથા આપણું આશ્રિતના ભરણપોષણ માટે ધનની જરૂર છે. ધર્મને માટે પણ ધનની જરૂર પડે છે. સાધુસંત નિમિત્તે પણ ધન ખર્ચ - વાની જરૂર પડે છે. તીર્થસ્થાનને ઉદ્ધાર, સ્વધર્મ બંધુએનું રક્ષણ, ગુર્નાદિને સત્કાર, નિરાધારને ઉદ્ધાર–આ સર્વ કાર્યો માટે પણ ધન આવશ્યક છે. ધન જાતે ખોટું નથી. તે એક શક્તિ છે અને શક્તિને સદુપયેાગ તેમજ દુરુપયેાગ થઈ શકે છે. ધનથી ઉપર જણાવ્યા પ્રમાણે લાભ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહવિરમણ થઈ શકે છે તેમ ધનથી અભિમાન વધે છે, ધન મળતાં અનેક પ્રકારના વિષયસુખના સાધનોનો ઉપભેગ કરવાની ઈચ્છા થાય છે, ધનવાન બીજાઓ પર ત્રાસ ગુજારે છે અને કેટલાંક ન કરવા ચગ્ય કામો કરવા માટે પણ દોરાય છે. લક્ષ્મી આવી રીતે અનર્થો ઉપજાવવાનું પણ સાધન હોવાથી શાસ્ત્રકારોએ તેની નિંદા કરી છે. વળી ધન પેદા કરવા જતાં મનુષ્ય ગમે તેવાં ઘર અને અનીતિમય કાર્યો કરવાને અચકાતા નથી. ઘનને ખાતર મિત્રો-મિત્રોમાં કલેશ જન્મ છે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે કુસંપ થાય છે અને મનુષ્યનાં ખન પણ થાય છે. રાજ્યભથી મુંજરાજા પોતાના ભત્રીજા ભેજને વધ કરાવવા તૈયાર થયે હતો. તેને મારી નાખવા મોકલેલા મારાઓને દયા આવી અને તેઓએ તેમને જીવતો છેડી મૂક્યા. તે વખતે મુંજરાજાને આપવા માટે ભેજરાજાએ એક લેક લખીને કર્યો હતો કે – मांधाता च महीपतिः कृतयुगेऽलंकारभूतो गतः । सेतुर्यन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते! । नैकेनापि समं गता वसुमती नूनं त्वया यास्यति ॥१॥ કૃતયુગમાં અલંકારભૂત માંધાતા ગ્રુપતિ પણ ગયે, જેણે મોટા સમુદ્ર પર પૂલ બાંધ્યા એવા રાવણને નાશ કરનાર રામચંદ્રજી પણ કયાં છે ? યુધિષ્ઠિર પ્રમુખ સારા સારા બીજા રાજાઓ પણ કાળને શરણ થયા છે, કેઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ હે મુંજ ! જરૂર તારી સાથે તે આવશે ! Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે આ લેકની મુંજ રાજા પર ભારે અસર થઈ. આપણે પણ આ દષ્ટાંત પરથી સાર એ લેવાને છે કે-આ બધી વસ્તુઓમાંથી એક પણ વસ્તુ આપણી સાથે આવવાની નથી, તો તેને ખાતર આપણે અનેક પ્રકારનાં સાચજૂઠાં કામે કરતાં અટકવું જોઈએ—ન કરવા જોઈએ. - તૃષ્ણાને જેટલી વધારીએ તેટલી વધે છે. મનુષ્ય પોતાની જરૂરીઆત જેટલી વધારે તેટલી વધે છે. જગતમાં અમુક વસ્તુ વિના ન જ ચાલે એમ નથી. મનુષ્યને જરૂરનાં સાધન વસ્ત્ર અને અન્ન બે જ છે. કેઈ બાર મહિને સો રૂપીઆથી સંતોષ પામે છે. બીજા મનુષ્યને દશ હજાર રૂપીઆ પણ ઓછા પડે છે કારણ કે તેણે પિતાની જરૂરીઆતે એટલી બધી વધારી દીધી હોય છે કે અમુક વસ્તુઓ વિના તેને ચાલે જ નહિ. તૃષ્ણા કેવી રીતે વધે છે, તેના સંબંધમાં એક કાવ્ય નીચે પ્રમાણે છે હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતા અને મળી મંત્રિતાઇ ત્યારે તાકી પતાઈને મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને દીઠી દેવતાઇ ત્યારે તાકી શંકરાઈને અહે! રાયચંદ્રમાને માને શંકરાઇ મળી વધે તૂશનાઈ તેય જાય ન મરાઈને તૃષ્ણાને કોઈ દિવસ અંત આવતો નથી. તેના ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહવિરમણ એક દષ્ટાંત આપણે વિચારીશું અને પછી તૃષ્ણા ઓછી કરવાને કયા સાધનને ઉપયોગ કરવો તે પર લક્ષ દઈશું. કૌશામ્બીમાં કાશ્યપ નામને પુરહિત રહેતા હતા. તે મરણ પામે ત્યારે તેને પુત્ર કપિલ ભણેલે નહિ હોવાથી તેનું સ્થાન બીજા કોઈ બીજા વિદ્વાનને મળ્યું. કપિલની માતાએ તેના પુત્રને સમજાવ્યે અને શ્રાવસ્તિ નગરીમાં તેના પિતાના એક મિત્ર પાસે ભણવા જવા સૂચના કરી. કપિલ પાસે કાંઈ પણ સાધન ન હતું, માટે તેના પિતાને મિત્ર તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયો અને તે ગૃહસ્થ અનુકંપાથી કપિલને ભેજન મળે, એવી ગોઠવણ એક વિધવા બ્રાહાણીને ત્યાં કરી દીધી. કપિલ યુવાન હતો અને તે વિધવા બાઈ પણ યુવાન હતી. પરસ્પર સંબંધ વધે અને પછી તે કપિલ વિધવા બાઈથી લેભા. વિદ્યા પ્રાપ્ત કરવાનું ભૂલી ગયે. તે વિધવા બાઈ સગર્ભા થતાં તેણે તેની પાસે ધનની માગણી કરી અને જણાવ્યું કે-આ ગામના રાજાને એવો નિયમ છે કે સવારના પહોરમાં જે તેને પ્રથમ આશીર્વાદ આપે તેને બે માસા સેનું તે આપે છે. આ ઉપરથી તે માર્ગ લેવા તેણે નિશ્ચય કર્યો. તે ચોકમાં સૂઈ રહ્યો. અર્ધ રાત્રિએ ચંદ્રોદય થતાં પ્રભાત થયેલ જાણે તે ઉઠ અને ઉતાવળે ઉતાવળ ચાલવા લાગ્યો. પિોલિસે તેને ચાર જાણું પકડ અને સવારમાં રાજા પાસે રજૂ કર્યો. રાજાએ તેની વાત સાંભળી, તેની ભદ્ધિકતા વિચારી તેના પર દયા કરવાના હેતુથી કહ્યું કે તારે જે માગવું હોય તે માગ. તેને તરતમાં કોઈ પણ વિચાર સૂઝ નહિ તેથી રાજાએ તેને પાસેના બગીચામાં જઈ વિચાર કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮. પવિત્રતાને પથે સૂચવ્યું. તે બગીચામાં જઈ તે વિચાર કરવા લાગ્યું. રાજાએ મને જે જોઈએ તે આપવાનું કહ્યું છે તે બે માસાથી તે શું થાય? પાંચ મહેર માગું, પણ પાંચ તો થેડા સમયમાં ખપી જાય માટે પચીશ મારું. પણ તેથી કાંઈ આખું વર્ષ ચાલે નહિ માટે સો માગું, હજાર માગું, લાખ માણું.” એમ વિચારતરંગે તે ચડે. પછી અધું રાજ્ય માગવાની વૃત્તિ જાગી. પણ વળી વિચાર કરતાં તે પાછો ફર્યો. પિતાની તૃષ્ણાને ઘટાડવા લાગે અને છેવટે તે માગ ઓછી ઓછી કરતાં બે માસા સોનું પ્રથમની માગણે માફક લેવા વિચાર્યું. છેવટે તેણે વિચાર કર્યો કે “ હવે બે માસા સેનાનું પણ કામ નથી. સુખ સંતોષમાં જ છે. વિદ્યા લેતાં વિષયમાં પડયો અને વિષયની તૃષ્ણામાં તણાતાં આ સ્થિતિ થઈ માટે સંતોષ રાખવે એ જ ખરા સુખનું કારણ છે” આમ વિચાર કરતાં તેની તૃષ્ણ સમાઈ ગઈ અને તે ત્યાગી બની ગયે. માટે તૃષ્ણાને અંત નથી. તેથી જે પરિગ્રહ એ તૃષ્ણાનું અને તેને અંગે ઉપજતા અનેક અનર્થોનું કારણ હોય તે તેને ત્યાગ કરવા અથવા તે ઓછો કરવા શું કરવું? એ પ્રશ્ન ઊભું થાય છે. તેને વાસ્તુ શાસ્ત્રકારોએ માર્ગ બતાવ્યું છે કે પરિગ્રહનું પરિમાણ કરવું. મનુષ્યને વસ્તુઓની પ્રાપ્તિ થયા પછી તેનું પરિમાણ કરવાનું કામ કઠણ લાગે છે, માટે જે સમયે આપણી પાસે વસ્તુઓ ન હોય, ઓછી હોય તે સમયે શાંત પળેમાં આપણું મન સાથે નિશ્ચય કરે અને પછી ગમે તેવી લાલચ આવે અને ગમે તેવાં પ્રલોભને પેદા થાય, છતાં પિતાના નિયમોથી ચલિત ન થવું. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહવિરમણ ૨૯ ભારના વધવાથી જેમ વહાણુ દરિયામાં ડૂબતું જાય છે તેમ પરિગ્રહની અનેક વસ્તુઓ ઉપરની આસક્તિને લઇને મનુષ્યનું મન તેને વધારે મેળવવામાં, મળેલાનું રક્ષણ કરવામાં તથા મેળવેલી વસ્તુઓના નાશ ન થાય તે સંબંધી ચિંતા કરવામાં મગ્ન રહે છે, અને આ રીતે રાતદિવસ ચિંતા કરવામાં તેના સમય પસાર થાય છે, છેવટે ખાલી હાથે આવ્યે હતા તેમ ખાલી હાથે ચાલ્યે જાય છે, માટે મનુષ્યાએ પેાતાના મન સાથે ઉપર જણાવેલી નવ વસ્તુએના સબંધમાં નિયમે લેવા, તે પેાતાની નધપેાથીમાં ઉતારી લેવા, અને તે કરતાં કાંઇપણ વધે તેા તેને સન્માર્ગે વ્યય કરવા. ધન વિશેષ મળતાં પેાતાના નિયમેાના જુદા અર્થ કરવા એ મહાત્ દોષ છે. પરિગ્રહનું પરિમાણુ કરવાના હેતુ એ છે કે કેાઈ જીવ પેાતાને ઇષ્ટ વસ્તુઓ અને સામગ્રીઓ પ્રાપ્ત કરી કાંઇક અંતર્મુખ થાય, તૃષ્ણાને આછી કરે અને જીવનના શે ઉદ્દેશ છે તે સમજી તે પ્રમાણે વર્તે. આવા નિયમથી તેને ઘણા એજો આછે. થઈ જાય છે. આ પરિગ્રહનુ મુખ્ય સ્વરૂપ વસ્તુઓ પ્રત્યે આસક્તિ રાખવી તે છે. કેટલીક વસ્તુએ વિના તા સાધુઓને પણ ચાલે નહિ; તેા પછી ગૃહસ્થાશ્રમીઓને તા તે વસ્તુઓની ચાક્કસ જરૂર પડે, ત્યારે મનુષ્ય અપરિગ્રહી કેમ થાય ? તેના જવાબ શાસ્ત્રકાર એમ આપે છે કે પરિગ્રહનું મૂળ તે તે વસ્તુઓ પ્રત્યેની મૂર્છા-આસક્તિભાવ છે. मूच्छा परिग्गहो वृत्तो नातपुत्त्रेण तायिना || જગતનું રક્ષણ કરનાર મહાવીર પ્રભુએ સૂતિન For Personal and Private Use Only Jain Educationa International Page #46 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે (વસ્તુઓ પ્રત્યેની આસક્તિને) પરિગ્રહ કહેલ છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – निःसंगोऽपि मुनिन स्यात्समूर्छः संगवर्जितः । यतो मृछैव तत्त्वज्ञैः, संगसूतिः प्रकीर्तिता ॥१॥ મુનિ નિઃસંગ હોય, પણ જે વસ્તુઓ પ્રત્યે તેને આસક્તિ હોય તે તે નિષ્પરિગ્રહી કહેવાય નહિ, કારણ કે તત્ત્વોએ મૂચ્છીને પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માન્યું છે. એ મૂચ્છનું મોટું કારણ એ છે કે–આપણે અજ્ઞાનથી, જે વસ્તુઓ આપણ નથી તેને આપણે માનીએ છીએ. એ વસ્તુઓમાં રહેલા ત્રણ અવગુણે જે આપણે વિચારીએ તે તે વસ્તુઓ પ્રત્યેને મમત્વભાવ ઓછો થાય. તે વસ્તુઓ ક્ષણિક સુખ આપનારી છે, વળી તે દુઃખગર્ભિત છે અને ત્રીજો મોટો અવગુણ એ છે કે તે મળ્યા પછી તેના ઉપરથી મોહ ઉતરી જાય છે અને બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા થાય છે. આ દોષ જગતના તમામ પદાર્થોમાં રહેલ છે. આ બાબતને વિચાર કરવામાં આવે તે આપણે વસ્તુઓ પાછળ ગાંડાની માફક નહિ ભમતાં જરા વિચારશીલ થઈએ. મનુષ્ય વસ્તુઓની વચમાં રહેવા છતાં પણ નિરાસતિભાવ રાખી શકે એ બનવાજોગ છે; અને મહાન આત્માઓ તેમ કરી પણ શકે છે. પણ તે ઉપરથી સામાન્ય આત્માઓ એમ કહેવા લાગે કે અમને આ વસ્તુઓ પ્રત્યે નિરાસક્તિભાવ છે તે તે વિચારવા જેવી વાત છે. તે વસ્તુઓના વિશે અથવા વસ્તુઓને નાશ થતાં તેવું કહે Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કોધવિરમણ નારાઓને દુઃખ થાય છે કે કેમ? એ તેમના નિરાસક્તનિષ્પરિગ્રહી સ્વભાવની કસોટી છે, માટે સામાન્ય જીવે તે જેટલે પરિગ્રહ ઓછો કરે છે તેટલા પ્રમાણમાં સુખશાંતિ અને સ્થિરતા મેળવે છે અને પરિગ્રહ વધારતાં અનેક પ્રકારની ચિંતાઓ ભેગવી દુઃખી થાય છે. છેવટે જે મનુષ્ય સર્વ ધન અને વૈભવની સામગ્રી વચ્ચે ખરું સુખ પ્રાપ્ત કરવું હોય તે તેણે વિચારવું કેઆ બધી વસ્તુઓને તે માલીક નથી પણ ટ્રસ્ટી છે. માલીકી જ સદા સર્વદા દુઃખનું કારણ છે, કારણ કે તેથી વિચારે તે વસ્તુઓ સાથે જડાઈ જાય છે પણ ટ્રસ્ટી તે બધી વસ્તુઓની વચ્ચે રહેવા છતાં શાંતિ અનુભવી શકે છે. પ્રકરણ ૬ હું, ક્રોધવિરમણ, આપણે પાંચ પાપસ્થાનકે વિચારી ગયા. અઢારે પાપસ્થાનકેમાં તે પાંચ મુખ્ય છે, અને બાકીના તેર તેને ટેકે આપનારાં સાધને છે. તે જાતે પણ પાપનાં સ્થાનકે છે, પણ તે મોટે ભાગે પ્રથમના પાંચ રૂપમાં પ્રકટ થાય છે. હવે આપણે ક્રોધને વિચાર કરીએ. આત્માને મુક્તિ તરફ જતાં રોકનારા જે કારણે છે તેમાં ચાર કષાય મુખ્ય છે. તે ચાર કષાયમાં એટલું બધું પ્રાબલ્ય છે કે ઉપદેશતરંગિણી નામના ગ્રન્થમાં લખ્યું છે કે આ કષાયથી મુક્ત થવું તેનું જ નામ મુક્તિ. ત્યાં લખ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે नाशांवरत्वे न सितांवरत्वे, न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ॥ મુક્તિ ભવેતાંબરમાં, દિગંબરમાં, તત્વવાદમાં કે તર્કવાદમાં નથી. તેમજ અમુક પક્ષને આશ્રય લેવાથી પણ મુક્તિ નથી. કષાયથી મુક્ત થવું તેનું જ નામ મુક્તિ છે. આ ચાર કષામાં પ્રથમ ક્રોધ છે માટે તેને આ પ્રકરણમાં વિચાર કરશું. ક્રોધ એટલે મન અને શરીર આત્માને વશ નહિ રહેતાં અમુક આવેશમાં આવી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે સ્થિતિ. ક્રોધ એ થોડા સમયનું ગાંડપણ છે અને પોતાને પ્રતિકૂળ સ્થિતિ લાગતાં તે વૃતિ ઉદ્દભવે છે. આપણને અમુક વસ્તુ, સ્થિતિ અથવા મનુષ્ય પ્રિય હોય, તેની પ્રાપ્તિમાં જે કઈ વિઘ નાખે તેના પર આપણે ક્રોધ કરવા દોરાઈએ છીએ. વાઘs ગયા અમુક વસ્તુ વાસ્તની આપણામાં ઈચ્છા–કામ હોય, તે વસ્તુ મેળવવામાં જ્યારે વિના આવે છે ત્યારે વિન્ન કરનાર મનુષ્ય પ્રત્યે જે રેષની લાગણું ઉદ્દભવે છે તેને ક્રોધ કહેવામાં આવે છે. ક્રોધ એ અગ્નિ સમાન છે, પણ બધા મનુષ્યમાં તે અગ્નિ એક સરખો હોતો નથી. ક્રોધના ઉગ્રપણું પ્રમાણે શાસ્ત્રકારોએ તેના ચાર વિભાગ પાડ્યા છે. સાથી ઉગ્ર ક્રોધને “અનંતાનુબંધી” કહેવામાં આવે છે અર્થાત્ તે કોઇની પરંપરા ચાલે છે. તેનાથી ઓછા ઉગ્ર ક્રોધને અપ્રત્યાખ્યાની” કહેવાય છે. અહીં ક્રોધના નિવારણ માટે કાંઈ પણ પ્રયત્ન કરવામાં આવતો નથી. ત્રીજા પ્રકારના ક્રોધને પ્રત્યાખ્યાની' કહે છે. તે અપ્રત્યાખ્યાની કરતાં ઓછો ઉગ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ક્રોધિવહ્મણ ૪૩ છે, કારણ કે ત્રીજી સ્થિતિમાં તેને રાકવા−તેનું નિવારણ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. અને ચાથી સ્થિતિના ક્રોધને સવલન' કહેવામાં આવે છે. સંજવલન ક્રોધ તણખલાના અગ્નિ જેવા મંદ હાય છે. તે દેખાવમાં ભારે લાગે છે પણ ઘેાડા સમય પછી તેનું બળ રહેતું નથી. અર્થાત્ જે ક્રોધ પ્રતિકૂળ પ્રસંગા મળતાં ઉદ્ભવે, પણ ઘેાડી વારમાં શાંત થઈ જાય તેવા છે. બધી જાતના ક્રાધ સ્વભાવે ખાટા છે, છતાં તેનું ઉગ્રપણું જેમ બને તેમ એછું થાય તેવા પ્રયત્ન કરવા કારણ કે કના અંધ મનના પિરણામ ઉપર છે માટે જો મનના પરિણામ બહુ તીવ્ર હશે તે આ ક્રોધનું પરિણામ પણ ઘણું જ માઠું આવશે. હવે આપણે ક્રોધના કેટલાક ગેરલાભ વિચારીએ. ક્રોધ ઉત્પન્ન થતાં મનની શાંતિના નાશ થાય છે. ક્રોધી મનુષ્યની વિચાર કરવાની શક્તિ ચાલી જાય છે. ભગવદ્ગીતાંમાં કહ્યું છે કેઃ— क्रोधाद् भवति संमोहः, संमोहात्स्मृतिभ्रमः । स्मृतिविभ्रमात् बुद्धिनाशः, बुद्धिनाशात्प्रणश्यति ॥ * ક્રોધથી વિવેકશક્તિ ચાલી જતાં સમા થાય છે, અને તે સમાહથી મરણુશક્તિમાં ભ્રમ થાય છે, અને સ્મૃતિને ભ્રંશ થવાથી બુદ્ધિના નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય સર્વ પ્રકારે નાશ પામે છે. ક્રોધથી ઘણા સમયની તપશ્ચર્યા પણ નાશ પામે છે. યાગીએ પણ ક્રોધને વશ થઇ, નહિ કરવા ચેાગ્ય કામેા કરે છે, નહિ મેલવા ચેાગ્ય વચના મેલે છે અને નહિ વિચારવા ચેાગ્ય વિચારા Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે કરે છે. ક્રોધ એ અગ્નિ સમાન છે. તે પ્રથમ તે જ્યાં તેને ઉભવ થાય છે ત્યાં તેને જ બાળે છે, અને પછી બીજા મનુષ્યોને નુકશાન કરે છે. ક્રોધમાં બોલાયેલાં વચને વાસ્તે, અથવા તે સમયે કરાયેલાં કાર્યો વાસ્તે મનુષ્ય પાછળથી ગમે તેટલે પશ્ચાત્તાપ કરે, પણ તેથી કાંઈ લાભ થાય નહિ. તે વખતે મનુષ્ય મન ઉપરને સંયમ ખાઈ બેસે છે અને ઘણું જન્મ સુધી રખડાવે તેવા કર્મો બાંધે છે. મનની શાંતિ ઈ બેસતાં શરીર પર તેની અસર થવા લાગે છે, આંખે લાલચેળ થાય છે, મોં પર રતાશ આવી જાય છે, મુખમાંથી દીર્ઘ શ્વાસ નીકળે છે, હાથ પગ પછાડા મારે છે અને લેહી ઉકળીને ઝેરી બની જાય છે. તેથી છેડા સમયમાં મનુષ્યનું માથું દુખવા આવે છે. ક્રોધ કર્યા પછી કેટલાક કલાક સુધી કાંઈ પણ ચેન પડતું નથી અને આથી બીજાઓ સાથે જે વેર બંધાય છે તેનાં ફળ આ ભવમાં ભેગવવાં પડે છે, એટલું જ નહિ પણ આગામી ભવમાં પણ તેનાં ફળે ગવવા પડે છે. આ દોધની પણ ત્રણ સ્થિતિઓ છે. પ્રથમ તે પિતાને કાંઈ પણ નુકશાન થયું એટલે મનુષ્ય સામી વ્યક્તિ પર પિતાને રેષ કાઢે છે. મનુષ્ય ધીમે ધીમે તેના નુકશાને અનુભવે છે, અને તેમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. તે હવે પિતાને થયેલા નુકશાન વાતે કાંઈ પણ બોલતો નથી. પણ જે બીજે મનુષ્ય ત્રીજા પુરુષને દુઃખ દે, અથવા નુકશાન કરે તે તેને પિત્તો ઉછળે છે. આ ક્રોધને શાસ્ત્રકારે પ્રશસ્ત ક્રોધ ( noble Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ક્રોધવિરમણ indignation) કહે છે. આ ક્રોધ નુકશાન કરનાર પર થાય છે, તે કરતાં પણ એક એવી ઊંચી સ્થિતિ છે કે જ્યાં નુકશાન કરનાર અને નુકશાન ભોગવનાર બને દયાને પાત્ર છે, એમ સમજી સુજ્ઞ જીવ બનેને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે છે. નુકશાન ભોગવનાર નુકશાન ભેગવી કર્મથી છૂટો થાય છે, પણ નુકશાન કરનાર બીજાને ત્રાસ આપી નવું કર્મ ઉપાર્જન કરે છે, તે તેને ભવિષ્યમાં ભેગવવું પડે છે, માટે તે વિશેષ દયાને પાત્ર છે. આવી રીતે વિચાર કરીને નુકશાન કરનારને પણ સમજાવી તેને સીધે માગે લાવવા પ્રયત્ન કરે એગ્ય છે. હવે આપણે ક્રોધ પર કેવી રીતે જય મેળવવો તેનો વિચાર કરીએ. ક્રોધ ઉપર જય મેળવવાનું ઉત્તમ સાધન ક્ષમા છે. क्षमाखङ्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥ જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે તેને દુર્જન શું કરવાનો હતો ? ઘાસ વગરની જમીન પર જે અગ્નિ પડે તે પિતાની મેળે શાંત થઈ જાય છે.” વચનેમાં મીઠાશ અને વચનમાં કડવાશ રહેલી છે. આપણને ગમે તેટલે ક્રોધ ચડ્યો હોય પણ બેલતાં પહેલાં વિચાર કરવાની આપણને ટેવ હશે તો ક્રોધ કટુ શબ્દરૂપે પ્રકટ થશે નહિ, એટલે તેને જુસ્સો ઓછો થવા લાગશે. જ્યાં સુધી મનુષ્ય બીજાએ પિતાને કરેલા નુકસાનને જ વિચાર કરે છે ત્યાં સુધી તેને ક્રોધ કદાપિ શમશે નહિ. આપણું દુખમાં Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પવિત્રતાને પંથે પ્રત્યે ખીજાએ તેા નિમિત્ત માત્ર છે, માટે મારે બીજા શા સારુ ક્રોધ કરવા જોઈએ ? આ સબંધમાં જ્ઞાના વમાં આપેલી ભાવના વિચારવા જેવી છે. प्राङ् मया यत्कृतं कर्म, तन्मयैवोपभुज्यते । मन्ये निमित्तमात्रोऽन्यः, सुखदुःखोद्यतो जनः ॥ ‘જે મે... પૂર્વ ભવમાં કર્મો કરેલાં છે તેનાં ફળ હું ભાગવું છું. ખીજા મનુષ્યા તે સુખદુ:ખ આપવામાં નિમિત્ત માત્ર છે, તેા અન્ય ઉપર હું... શા સારુ રાષ કરું ? ” વળી જે કાઇ મારા દોષ બતાવે તે તે મારા પરમમિત્ર છે, કારણ કે એવેા દોષ હું ફરીથી નહિ કરું, તેા પછી નિષ્કારણુ મિત્ર પર શા સારુ ક્રોધ કરવા? વળી જે કાઇ ક્રોધ કરાવે છે તેના સંબંધુમાં એવા વિચાર કરવા કે “ મેં અત્યાર સુધી વિવેક અને જ્ઞાનપૂર્વક શાંતિના અભ્યાસ કર્યો છે, તેની પરીક્ષા લેવા માટે પ્રતિકૂળ મનુષ્યા કે પ્રતિકૂળ પ્રસ`ગા ઊભા થયા છે, તેા મારે તે પ્રતિકૂળ મનુષ્યેા તથા પ્રસંગેાને વધાવી લઇ આ શાંતિની પરીક્ષામાં પસાર થવુ જોઇએ. ’’ આ ઉપર એક ટૂંકું દષ્ટાંત આપણને ક્રોધ શમાવવામાં ઘણું જ લાભકારી થશે. ગજસુકુમાળ નામના રાજકુમારે માત્ર બાર વર્ષની વયે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ'સારના ત્યાગ કરી શ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં ઊઁભા રહ્યા. સેામિલ નામના બ્રાહ્મણની સ્વરૂપવતી આઠ પુત્રી સાથે ગજસુકુમાળનું સગપણુ કર્યું હતું, પરંતુ લગ્ન થયા પહેલાં તે સંસાર છેાડી ત્યાગી થયા. પેાતાની પુત્રીના સુખના નાશ થયે. તેથી સેામિલને ક્રોધ For Personal and Private Use Only Jain Educationa International Page #53 -------------------------------------------------------------------------- ________________ કોવિરમણ ચલ્યો અને તે ગજસુકુમાલની શોધમાં નીકળે. સ્મશાનમાં ગજસુકુમાલ એકાગ્ર ધ્યાનથી શુદ્ધ કાર્યોત્સર્ગ સ્થિતિમાં ઊભા હતા ત્યાં તે આવી પહોંચે. તેણે પોતાને કે પ્રકટ કરવા અને તેમના પર વેર લેવા તેમના માથા પર ચીકણી માટીની પાળ કરી અને મશાનમાંથી ધગધગતા અંગારા લાવી તેમના માથા પર મૂક્યા. તેમાં કેટલાક લાકડાના કકડા નાખ્યા, એટલે તાપ સપ્ત થયે. આથી ગજસુકુમાળને કમળ દેહ બળવા લાગે. સોમિલ જાતે રહ્યો. આ સમય એ હતો કે ગજસુકુમાળના કાધનો પાર ન આવે, છતાં તે મહાનુભાવ જીવે સોમિલ પર જરા પણ કેધ ન કરતાં પોતાના પૂર્વ કર્મોના વિપાકરૂપ આ સ્થિતિને કલ્પી સમભાવથી આ પ્રમાણે વિચાર કર્યો-“હે જીવ જે તું એની પુત્રીને પર હેત તે પહેરામણુમાં તને ? તે પાઘડી બંધાવત, એ પાઘડી થડા વખતમાં નાશ પામત, પણ આ તો તેણે એવી પાઘડી બંધાવી કે જે મેક્ષપુરીમાં જવા માટે મને મદદગાર નીવડશે.” આ પ્રમાણે વિચાર કરી જરા પણ મનની સ્થિરતામાં ભંગ થવા દીધું નહિ. તેના પરિણામે શાસ્ત્રો કહે છે તેમ તેમણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આટલાં ઘોર દુઃખે દેનાર પર ક્ષમા રાખનારા આ ગજસુકુમાળનું દષ્ટાંત યાદ કરી આપણે બીજાઓ પ્રત્યેઆપણને દુખ દેનારા પ્રત્યે ઉદારભાવ રાખ. જ્યારે સામા મનુષ્ય આપણું બગાડયું હોય, તે વખતે તેના પ્રત્યે ક્ષમા રાખવામાં મોટામાં મેટે વિજય છે. તત્ત્વજ્ઞાની સેનેકા લખે છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પવિત્રતાને પથે He that does good to another man, especially if the other has done him some wrong, does also good to himself, not in the consequences, but in the very act of doing it, for the consciousness of well doing is as ample reward. જે મનુષ્ય બીજાનું ભલું કરે છે અને ખાસ કરીને અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે, તે પિતાનું પણ કલ્યાણ કરે છે. તેનું શુભ પરિણામ આવશે એ દષ્ટિથી નહિ પણ તેવું કામ કરવાથી જ તેનું કલ્યાણ થાય છે; કારણ કે પિતે સારું કામ કર્યું છે, એવું ભાન મનુષ્યના પિતાના શુભ કામને પુષ્કળ બદલો છે. વળી મનુષ્ય વિચાર કરો કે જેને વાતે તે બીજા પ્રત્યે ક્રોધ કરવા દેરાય છે તે ક્ષણિક છે. જગતની બધી વસ્તુઓ * અનિત્ય છે, તે તે અનિત્ય વસ્તુઓ ખાતર આત્માના નિત્ય ગુણનો-શાંતિને શા સારુ ભેગ આપો? જે જે મહાપુરુપિએ જગતમાં અપૂર્વતા પ્રાપ્ત કરી છે તે સર્વેએ ક્રોધને બદલે પ્રેમમાં આવે છે. જ્ઞાનાવમાં જણાવ્યું છે કે – वासीचन्दनतुल्यान्तवृत्तिमालम्ब्य केवलम् । आरब्धं सिद्धिमानीतं, प्राचीनैर्मुनिसत्तमैः ॥ પ્રાચીન ઉત્તમ મુનિઓએ કુહાડા અને ચંદન પ્રત્યે સમવૃત્તિ રાખીને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો છે. કુહાડાથી ચંદન કપાય તે પણ કુહાડાને ચંદન પિતાની સુગંધથી સુગંધિત કરે છે, તેવી રીતે જ્ઞાની પુરુષો પોતાને ઉપસર્ગ કરીને હેરાન કરનારનું પણ કલ્યાણ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ક્રોધવિરમણ કરી પિતાને ક્ષમાભાવ પ્રકટ કરે છે. વળી ક્ષમાભાવને પ્રાપ્ત કરવાને ઉત્તમ ઉપાય એ છે કે-અનંત કાળને વિચાર કરવો. જયાં સુધી આપણે વર્તમાનને તથા થોડા સમય પર ગયેલા ભૂતકાળને વિચાર કરીએ છીએ ત્યાં સુધી બીજાએ આપણને કરેલા નુકસાનનું સ્મરણ રહ્યા કરે છે અને આપણને કેધ થવા સંભવ છે, પણ અનંત કાળનો વિચાર કરતાં આ બધા પ્રસંગેનું ઉગ્રપણું ચાલ્યું જાય છે. અત્યારે જે બનાવ આપણ માનસિક આકાશને ભરી નાખે છે, તે જ બનાવ પાંચસાત વર્ષ પછી આપણું આકાશમાં એક બિન્દુ સમાન લાગે છે, તો પછી અનંત કાળમાં આ બનાવે તે નહિ જેવા લાગે, માટે સુખદખના પ્રસંગોમાં ઉપાદાન કારણ આપણે છીએ, અને બીજાઓ તો માત્ર નિમિત્ત કારણ છે, એમ માની ચિત્તની સ્વસ્થતા જાળવવી. He who cannot forgive others breaks the bridge over which he must himself pass, for every man has need to be forgiven. જે મનુષ્ય બીજાને ક્ષમા આપતું નથી, તે જે પૂલ ઉપર થઈને પિતાને પસાર થવાનું છે, તે પૂલને ભાંગી નાખે છે, કારણ કે દરેક પુરુષને ક્ષમા માગવાની જરૂર પડે છે. માટે ક્ષમારૂપી જળવડે ક્રોધરૂપી અગ્નિને શાંત કરવો અને આત્માની સ્વાભાવિક નિર્મળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. માનવિરમણ. માન એ બીજે કષાય છે, માન અથવા અભિમાનથી મનુષ્ય પિતાને બીજાઓ કરતાં ઊંચે ગણે છે અને સઘળું જ્ઞાન, શક્તિ વગેરે પિતાનામાં આવી રહ્યું છે એમ માને છે. માનનું મૂળ ભેદભાવ છે. બીજાઓ કરતાં હું કાંઈ અલગ છું, બીજાઓ કરતાં મારામાં વિશેષ ઉત્તમ તત્ત્વો છે; એવા વિચારોથી હૃદયમાં જે વૃત્તિ જાગે તેને માનવૃત્તિ કહે છે. કવિ ભર્તુહરિ કહે છે તેમ – यदा किंचिज्ज्ञोऽहं द्विप इव मदांधः समभवम् । तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः ।। यदा किंचिकिचिबुधजनसकाशादवगतम् । तदा मूर्योऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥१॥ મનુષ્યને જ્યારે અલ્પ જ્ઞાન થાય છે ત્યારે હું સર્વજ્ઞ છું એમ પિતાને માને છે, અને તે વખતે હસ્તીની માફક મદોન્મત્ત બને છે, પણ જ્યારે જ્ઞાની પુરુષના સંબંધમાં આવતા કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે પિતાની મૂર્ખતાનુંઅલપઝતાનું તેને ભાન થાય છે અને ત્યારે જેમ જવર ચાલ્યા જાય તેમ મદ પણ જતો રહે છે. મનુષ્યને જ્યારે કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે જ પિતાની અજ્ઞાનદશાનું ભાન થાય છે. ન્યુટન જેવા પ્રસિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ માનવિરમણ ૫૧ વિજ્ઞાનશાસ્ત્રીએ કહ્યું છું કે “અમે અત્યાર સુધીમાં મેળવેલુ જ્ઞાન તે દરિયાકાંઠે પડેલા છીપ અને શંખલા જેવુ છે. હજી તેા આખા દિરયા શેાધખેાળ માટે પડેલા છે. ” પણ જે લેાકેને થાડું જ્ઞાન હોય છે તે વિશેષ ઉદ્ધૃત બને છે. અધૂરો ઘડા ઘણે! છલકાય તેવી આ સ્થિતિ છે. આ અભિમાન થવાના શાસ્ત્રકારા આઠ પ્રકાર વણું વે છે. તેનાં નામ કુળ, જાતિ, ઐશ્વર્ય, રૂપ, તપ, બળ, વિદ્યા અને ધન છે. જો મનુષ્ય શાંત રીતે વિચાર કરે તે તેને જણાય કે' આ અભિમાન કરવાનાં કારણેા નથી. આપણે એક પછી એક આઠ મદના સ્થાનના વિચાર કરીએ. ફુલમદ—કુળનું અભિમાન કરવાનું કાંઇ કારણ નથી, કારણ કે જગતમાં તમારા કરતાં પણ વિશેષ ઉત્તમ કુળવાળા જીવે છે. વળી જે કુળનું અભિમાન કરે છે તે ખીજા ભવમાં હુલકા કુળમાં જન્મે છે. પોતે અમુક ઉચ્ચ નીચ કુળામાં જન્મ લેતા લેતે આ કુળમાં આન્યા છે, તેા પછી તેને વાસ્તે અહંકાર શે કરવા ? જાતિમદ—આ મનેા ખીજો પ્રકાર છે. જીવ હંમેશ એક જ જાતિમાં જન્મતે નથી. કમ પ્રમાણે વિવિધ જાતિમાં તેના જન્મ થાય છે. વળી પેાતાની જાતિ કરતાં પણ ખોજી અનેક ઉત્તમ જાતિએ આ જગતમાં વિદ્યમાન છે, તેા પછી જાતિમદ કરવાથી લાભ શા? જે મનુષ્ય બીજી જાતિઓને હલકી ગણી તેના તિરસ્કાર કરે છે, તે મનુષ્ય તેવી જ હલકી જાતિમાં જન્મે છે, અને આ રીતે કુદરત તેનું અભિમાન છેડાવી તેને નમ્રતાના પાઠ શીખવે છે. જે મનુષ્યમાં પેાતાનામાં Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે કાંઈ ઓછું સત્વ હોય છે તે જ મનુષ્ય બાપદાદાઓની કીર્તિ ઉપર પિતાની મહત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. ઐશ્વર્ય મદ–પિતાના વૈભવનો–પોતાને મળેલી સત્તાને મદદ કરે તે પણ એક પ્રકારની મૂર્ખતા છે. કલેકટર આખા શહેરના અમલદારે કરતાં મેચ્યો હોય, પણ ગવર્નરની અપેક્ષાએ તેની સત્તા કાંઈ હિસાબમાં નથી. તેમ ગવર્નર આખા ઈલાકા પર રાજ્ય કરે, પણ વાઈસરોયની અપેક્ષાએ તેની સત્તા છાયામાં પડી જાય છે. અને મહારાજાને વિચાર કરતાં વાઈસરોયનો અધિકાર ગણપદ ધારણ કરે છે. આ રીતે એશ્વર્ય–સત્તાની બાબતમાં ઉપરના દરજજાના સત્તા ધારીઓ જોતાં મનુષ્યને મદ ગળી જાય છે. રૂપમદ–આપણું સંદર્ય ગમે તેવું હોય, તે પણ વિશેષ રૂપવાનેની સુંદરતા આગળ તે ગૌણ પડી જાય છે, અને આ રૂપ બદલાતાં વાર લાગતી નથી. યુવાવસ્થામાં જણાઈ આવતું રૂપ વય વધતાં બદલાવા લાગે છે અને જ્યાં રેગ થયો કે સાંદર્ય નષ્ટ થતાં વાર લાગતી નથી. જ્યાં સ્થિતિ આવી છે ત્યાં કયે સુજ્ઞ મનુષ્ય રૂપને માટે અભિમાન કરે ? તપમદ–હાલના સમયમાં મનુષ્ય થોડું ઘણું વિશેષ તપ કરે એટલે અભિમાન કરે છે. પણ પ્રાચીન સમયનો વિચાર કરે અને કેટલા કેટલા મહિના અને કેટલાંક વર્ષો સુધી પણ જી તપશ્ચર્યા કરતા હતા, તેને જે મનુષ્ય ખ્યાલ લાવે તે આ તપને લીધે ઉત્પન્ન થતો તેને મદ ઉતરી જાય. બળીમદ–જે આપણને આપણા શરીરબળને મદ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ માનવિરમણ થત હોય તો વિચારવું કે આપણું બળ ઘણા પશુઓના બળ કરતાં પણ ઓછું છે. આપણે નિબળતાઓને પાર નથી. અને આપણું આ શારીરિક બળ કયે વખતે ઘટશે તે કોણ જાણે છે ? તે પછી તે સંબંધી મદ કરે એ કેમ વાજબી ગણાય? ધનમદ યા લાભમદ–આ મદ પણ અયોગ્ય છે, કારણ કે પોતાના કરતાં બીજા વિશેષ ધનાઢ્ય લેકે જગતમાં વસે છે. અને જો સોનાથી મનુષ્યને મદ થતું હોય તે સોનાની ખાણે આગળ તેનું સોનું શા હિસાબમાં છે? અને લક્ષ્મી ચંચળ સ્વભાવની હોવાથી કયે વખતે ચાલી જશે તે કણ કહી શકે તેમ છે? આપણે અનેક મનુષ્યના સંબંધમાં દશાના વારાફેરા જોઈએ છીએ, તે પછી તે સંબંધમાં અભિમાન કરવાનું કોઈ કારણ નથી. જ્ઞાનમદ–વિદ્યામદ અથવા જ્ઞાનમદ. એ સિાથી ભયંકર મદ છે. બધા મદને આપણે જ્ઞાનથી–સમજણથી દૂર કરી શકીએ, પણ જ્યાં જ્ઞાનને જ મદ થાય, વાડ જ ચીભડાં ચોરે, પોતાની માતા જ ઝેર આપે ત્યાં સ્થિતિ ઘણી શોચનીય છે. જેરેમી ટેલર લખે છે કે – Our learning is then best when it teaches most humility, but to be proud of learning is the greatest ignorance in the world. જે જ્ઞાન આપણને નમ્ર બનાવે છે તે જ્ઞાન ઉત્તમ છે, પણ પિતાના જ્ઞાન વિષે અભિમાન કરવું એ દુનિયામાં Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૪. પવિત્રતાને પંથે મોટામાં મોટું અજ્ઞાન છે, માટે જ્ઞાનને મદ તે કદાપિ કરે નહિ. કવિ ટેનિસન લખે છે કે – Let knowledge grow from more to more But more of reverence in us dwell. * આપણે ભલે વિશેષ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીએ, પણ તે જ્ઞાન સાથે આપણામાં પૂજ્યભાવ આવે જોઈએ. આપણું કરતાં જ્ઞાનમાં આગળ વધેલાઓ પ્રત્યે પૂજ્યભાવ આવતાં આપણામાં શિષ્યવૃત્તિ-નમ્રતા જાગ્રત થશે. હવે અભિમાનના ગેરફાયદા વિચારીએ. સૌથી મટે ગેરફાયદો એ છે કે અભિમાની મનુષ્ય વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે પિતાના માની લીધેલા સર્વજ્ઞપણમાં મૂંઝાય છે, એટલે તેને પિતાને જ માટે ગેરલાભ થાય છે. તે કોઈને પણ વિનય કરી શકતું નથી. આ રીતે જ્ઞાનપ્રાપ્તિનું ઉત્તમ સાધન તેની પાસે નહિ હોવાથી તે બીજાઓની કૃપા મેળવી શકતો નથી. તેને મિત્ર કઈ થતું નથી, તેથી પાસે પૈસા હોય કે સત્તા હોય તે લોકે તેવા મનુષ્યની ખુશામત કરે, તેની રૂબરૂમાં તેના કહેવાની હાજી હા કરે પણ તે તેના ખરા ભક્ત કે પ્રેમાળ મિત્ર થાય નહિ. અર્થાત્ અભિમાની મનુષ્ય અતડે રહે છે, કોઈ તેને ખરા જીગરથી હાતું નથી, એટલું જ નહિ પણ તે ઘણું શત્રુઓ બનાવે છે. તે ગમે તેવા કામો કરીને પિતાનું માન સાચવવા મથે છે. પિતાની પાસે ધન ન હોય તો કરજ કરીને પણ ધન ખરચશે, અને પછી Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ માનવિરમણ ૫૫ દેવું થવાને લીધે આખી જિંદગી સુધી દુખી થશે. જ્યારે મનુષ્યને વિનાશ થવાનો હોય ત્યારે તેનામાં ઘણું અભિમાન આવે છે. તે બધા પ્રત્યે ઉદ્ધતાઈથી વર્તે છે. pride goeth before destruction વિનાશ પહેલાં અભિમાન જન્મે છે. અભિમાની પુરુષ પોતાના ગુરુઓ અને વડીલેનું અપમાન કરતાં પણ અચકાતા નથી. આ માનના ત્યાગ સંબંધીનું એક દષ્ટાંત આપણે વિચારશું. શ્રી ઋષભદેવને ભરત અને બાહુબળી નામના બે પ્રતાપી પુત્ર હતા. પિતાના અઠ્ઠાણું પુત્રને જુદી જુદી રાજગાદી સોંપી, દીક્ષા લઈ પોતે અનેક સ્થળે વિહાર કરતા હતા. ભરતને ચક્રવત્તી પણાનું સૂચક ચક્ર ઉત્પન્ન થયું. તે ચકવડે તેણે છ ખંડના રાજાઓને વશ કર્યા, પણ બાહુબળીએ તેની આજ્ઞા ન સ્વીકારી. બંને બંધુઓ વચ્ચે તુમુલ યુદ્ધ દીર્ઘ સમય સુધી ચાલ્યું. ભરતે છેવટે બાહુબળી ઉપર પોતાનું એક મૂકયું. બને ભાઈઓ હોવાથી બાહુબળી પર તે ચક્રનો પ્રભાવ ચાલે નહિ, તેથી તે ભરતના હાથમાં પાછું આવ્યું. ભરતે જ્યારે ચક મૂક્યું ત્યારે બાહુબળીને ઘણે ક્રોધ ચઢ્યો હતો, પણ જ્યાં ચક્ર બાહુબળીને કાંઈ પણ ઈજા કર્યા વિના ભારતના હાથમાં પાછું જઈને બેઠું, એટલે બાહુબળીની ભાવના ફરી. તેણે પોતાના બંધુને મારવાને વિચાર માંડી વાળ્યો, પણ ઉગામેલી મુઠ્ઠી પાછી મૂકવી તે પણ ઠીક નહિ, એમ ધારી પંચમુષ્ટિ લેચ કરી પિતે સાધુ બન્યા. હવે પિતાના પિતા આદીશ્વર પાસે જવાને વિચાર કર્યો, પણ ત્યાં પોતાના ૯૮ નાના ભાઈએ, જે પ્રથમ દીક્ષિત થયેલા છે, તેમને નમસ્કાર કરે પડશે, એ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પવિત્રતાને પથે અભિમાનથી ત્યાં જવાને વિચાર માંડી વાળ્યો. તેમણે વનમાં રહી ઘણું ઉચ્ચ પ્રકારનું ધ્યાન કર્યું, પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં તેમનું અભિમાન નડયું. છેવટે તેમની બે બહેને– બ્રાહ્મી તથા સુંદરીએ બાહુબળીને કહ્યું કે “વીરા મોરા ગજથકી ઉતરે.” આ શબ્દો સાંભળતાં વિચાર સૂઝયો અને પોતે અભિમાનરૂપી હાથી પર ચઢ્યા છે તેનું તેમને ભાન થયું એટલે અભિમાનનો ત્યાગ કરી નાના ભાઈઓને વંદન કરવા માટે જ્યાં પ્રથમ પગલું ઉપાડે છે ત્યાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અભિમાનને પ્રભાવ કેટલે બધે છે? તે આ ઉપરથી આપણને સમજાય છે. હવે આ અભિમાન ત્યાગવાના કેટલાક ઉપાયે વિચારીએ. જ્યાં નમ્રતા આવે છે ત્યાં અભિમાન ચાલ્યું જાય છે. કહ્યું છે કે લઘુતાસે પ્રભુતા મલે, પ્રભુતાસે પ્રભુ દૂર, કીડી હી મીસરી ચુગે, ગજ શિર ડારે ધૂળ. માટે હદયમાં નમ્રભાવ રાખો અને જેની પાસેથી જ્ઞાન મેળવવું હોય તેને પૂરો વિનય કરે, કારણ કે વિનયથી ગુરુ પ્રસન્ન થાય છે અને તેમના હૃદયમાંથી જે જ્ઞાનપ્રવાહ વહે છે તે શિષ્યના હૃદયને ઉન્નત બનાવી દે છે. બીજાઓના ગુણને, જ્ઞાનને, શકિતને વિચાર કરે, એટલે તમારું અભિમાન ગળી જશે. વળી તમારી પિતાની નિર્બળતાઓને પણ જો તમે શાંત મનથી વિચાર કરશે તે તમને અભિમાન કરવાનું કારણ રહેશે નહિ. જે પોતાનું અજ્ઞાન જાણે છે તે જ મનુષ્ય જ્ઞાન મેળવવાને લાયક બને છે. જગતમાં જાણવા ગ્ય ઘણું છે, એ જે મનુષ્યને વિચાર આવે તો તે જરૂર નમ્ર થયા વિના રહે નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ - - -- માનવિરમણ આ વિષય પૂર્ણ કરતાં એક બાબત ખાસ વિચારવા જેવી છે. મનુષ્ય ખોટા અભિમાનનો ત્યાગ કરવો, પણ જેને સ્વમાન (self-respect) કહે છે તે તે સાચવવું; કારણ કે સ્વમાનવાળા પુરુષે ઘણાં ખાટાં કામ કરતાં અટકે છે. તેઓ પોતાના સ્વમાનને લીધે જ કેટલાંક હલકાં કામ કરવાને વિચાર સરખો પણ કરતા નથી, માટે આવું સ્વમાન, એ પ્રશસ્ત માન છે. જો કે છેવટની સ્થિતિમાં તે પણ પ્રશસ્ત ક્રોધની માફક ત્યાજ્ય છે, પણ શરૂઆતમાં તે ઘણું જીવોને સીધે માર્ગે દોરવાના કારણભૂત બને છે. આ સંબંધમાં જ્ઞાનાવમાં કહ્યું છે કે – गणरिक्तेन किं तेन. मानेनार्थः प्रसिद्ध्यति । तन्मन्ये मानिनां मानं, यल्लोकद्वयशुद्धिदम् ॥ - જ્યાં ગુણ નથી ત્યાં એવા ખાલી માનથી શું અર્થસિદ્ધિ થવાની હતી? પણ જે માનથી આ લેક તથા પરલેકમાં શુદ્ધિ મળે, તે માન ખરું માન કહેવાય. આ માન તે સ્વમાન છે. પિતાના આત્માની શક્તિઓનું ભાન થવાથી આ માન પ્રકટે છે અને તે મનુષ્યને સબળ બનાવી ઉન્નતિને માગે લઈ જાય છે. જેને આત્માની અનંત ત્રાદ્ધિનું ભાન થયું હોય, તે બહારની વસ્તુઓ આવે કે જાય તે પર વિશેષ લક્ષ આપતું નથી. વસ્તુના સદ્ભાવે ફેલાઈ જતે નથી; તેમજ વસ્તુના અભાવે દીન બની જતે નથી; કારણ કે આત્મશક્તિ એ વસ્તુઓ ઉપર આધાર રાખતી નથી પણ અંદરથી જ પ્રકટ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મુ. માયાવિરમણ માયા એ બે અક્ષરનો શબ્દ છે પણ તે ઘણે અનર્થ ઉપજાવે છે. માયા એ શબ્દ આ સ્થળે કપટના અર્થમાં વાપરવામાં આવેલું છે. માયા એ ત્રીજે કષાય છે. તેના ગેરફાયદા લોકો વિચારતા નથી અને તે અવગુણને માટે ગણતા નથી, પણ માયા મોટું નુકસાન કરે છે. જ્યાં મનુષ્યના મનમાં માયારૂપી રાક્ષસી પ્રવેશ કરે છે ત્યાં તેનામાંથી સત્યવૃત્તિ નાશ પામે છે. માયા મેટે ભાગે સ્વાર્થથી ઉદ્ભવે છે. જ્યાં મનુષ્યને સ્વાર્થ સરતે હોય ત્યાં તે ગમે તેવું કપટ કરવાને દેરાય છે, અનેક પ્રકારનાં અસત્ય બેલે છે. બહારથી સત્યવાદીનો ડેળ કરે છે પણ અંદરથી મેટી ભ્રમજાળ રચે છે. વળી મનુષ્ય પિતાની માનપ્રતિષ્ઠાની હાનિ ન થાય તે માટે પિતાનાં ખોટાં કર્મો છુપાવવાને પણ કપટ અથવા માયાનું સેવન કરે છે. જગત આગળ સારા દેખાવું-લોકેમાં વાહવાહ કહેવરાવવી, લોકોમાં ખોટી કીર્તિ મેળવવી–આ ઘણુ મનુષ્યના જીવનનું એક લક્ષ્ય થઈ પડ્યું હોય છે, અને જે સીધે માર્ગે કીતિ ન મળતી હોય તો અસત્ય માર્ગો પણ તે મેળવવી એવી ભાવના તેમના મનમાં જાગે છે; માટે મનુષ્ય અનેક પ્રકારનાં અસત્ય વચન બોલે છે. હૃદયમાં કાંઈક ભાવ હોય અને વચનમાં કાંઇક દર્શાવે છે. વળી કાર્યમાં Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ માયાવિરમણ ત્રીજા પ્રકારના જ ભાવ જોવામાં આવે છે. આવી જે સ્થિતિ તેને માયા કહેવામાં આવે છે. આ કપટ કરવાની ટેવ પડી, પછી તે જવી ઘણી મુશ્કેલ છે. મનુષ્યેાના ક્રોધ કે માન કે લાલ બહાર પ્રકટ દેખાઇ આવે છે તે છુપાવવા પ્રયત્ન કરવા છતાં છુપાતા નથી પણ માયા એટલે છેતરવાની ક્રિયા મીજાથી સમજાય નહિ માટે તેને વશ થયેલાને સુધારવાને બીજો કાઇ ઉપદેશ પણ આપી શકે નહિં, અને ધીમે ધીમે તેનું ખળ વધવા લાગે છે, એટલે તે માયા તા મનુષ્યને આખા ગળી જાય છે. સંસ્કૃતમાં માના અર્થ નહિ અને ચા એટલે જવુ એવા થાય છે, માટે જે એક વાર વળગ્યા પછી છૂટે નહિ તે માયા કહેવાય. માયા-કપટ કરવાથી ઘણા ગેરફાયદા થાય છે. મેટામાં માટે ગેરફાયદા એ કે માયા કરનારના જ્ઞાનચક્ષુ પર પડળ આવી જાય છે. કપટ કરવાથી તેના મન પર આવરણુ આવે છે. વારવાર અસરલ અને કપટભર્યા વિચારે કરવાથી મનની વક્ર ગતિ થાય છે અને તેથી આત્મા પેાતાની શક્તિઓ ખરાખર પ્રકટ કરી શકતા નથી. માયાવી મનુષ્ય સત્ય જાણી શકતા નથી. તે ખીજાને છેતરવા જાય છે; પણ જાતે જ છેતરાય છે. વળી કપટ કરનાર થોડા સમય ફાવે, ઘેાડે સમય લેાકેાને છેતરે, પણ અ ંતે તે તેનું પાપ ઉઘાડું પડ્યા વિના રહેતું જ નથી, કારણ કે અંતે તે truth will be out સત્ય વસ્તુ ઉઘાડી પડશે જ. જ્ઞાના વકાર જણાવે છે કે: w छाद्यमानमपि प्रायः, कुकर्म स्फुटति स्वयम् Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે કુકમ ઢાંકવાને ગમે તે પ્રયત્ન કરવામાં આવે, છતાં તે પિતાની મેળે પ્રકટ થાય છે. અને જ્યારે આમ થાય છે ત્યારે લોકોને તેના પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પછી ગમે તે સારાં કામ કરે, તે પણ લેકે તેનાં તે કાર્યો પર અવિશ્વાસ અને શંકાની નજરથી જુએ છે. વળી કપટ કરનારને અસત્યની પરંપરા કરવી પડે છે. પોતે અમુક કપટ કરેલ છે તે છુપાવવાને બીજા કપટોને તેને આશ્રય લેવો પડે છે. વળી તે છુપાવવાને વધારે ભયંકર કપટનાં કામ કરવાં પડે છે. આ રીતે તેવી માયાજાળ એટલી બધી વધી પડે છે કે પોતે જ પોતે રચેલી જાળમાં ફસાય છે અને કપટ બહાર પડતાં વાર લાગતી નથી, કપટ કરનાર નિરંતર ડરતે રહે છે. તેને જરા પણ શાંતિ મળતી નથી. કયારે પોતાનું કપટ બહાર પડશે તે ભય રહ્યા જ કરે છે અને તેથી જગતમાં ખોટી રીતે મેળવેલી માન પ્રતિષ્ઠાની વચમાં પણ તેનું હૃદય સળગતું હોય છે. સર્વ ધર્મની ક્રિયાઓમાં પણ ફળને આધાર મનુષ્યના ભાવ ઉપર રાખેલ છે. જે મનુષ્ય લોકેને બતાવવાને, ધમી તરીકે ગણાવાને અને ધર્મના બહાના હેઠળ પિતાનાં કુકમ છુપાવવાને બહારથી ધર્મક્રિયાઓ કરે છે તે ક્રિયાઓમાં તેને ભાવ હેતે નથી તેથી તેને તેનું યોગ્ય ફળ મળતું નથી. આવા મનુષ્ય બકવૃત્તિવાળા કહેવાય છે. बकवृति समालम्ब्य, वंचकैवंचितं जगत् ॥ બગલા જેવી વૃત્તિ રાખી આવા માયાવી પુરુષોએ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ માયાવિરમણ આખા જગતને ઠગ્યું છે. આખા જગતને છેતરવા જતાં તેમણે પોતાના આત્માને છેતર્યો છે અને પિતાનું જ અહિત કર્યું છે. આત્મા તે કદાપિ છેતરાય નહિ, એટલે આત્માને પ્રકાશ આ મનુષ્ય પર પડતું નથી અને તેઓની અધેગતિ થાય છે, ત્યારે આપણને સમજાય છે કે માયાથી અહીં અપકીર્તિ થાય છે, સત્ય પારખવાની અને જાણવાની શક્તિ બુઠ્ઠી થાય છે, આત્માને પ્રકાશ મળતો નથી અને પરભવમાં પણ દુર્ગતિ થાય છે. ત્યારે આ માયા દૂર કરવાને કરવું શું ? માયા દૂર કરવાને ઉત્તમત્તમ ઉપાય સરલતા અથવા ઋજુતા છે. જુ મનુષ્ય ભૂલ કરે પણ પોતાને સરલ સ્વભાવ હોવાથી બન્યું હોય તેવું કહી દે; તેથી બીજાઓ તેની ભૂલ સુધારે. રાષભદેવસ્વામીના સમયના સાધુઓ જડબુદ્ધિના પણ બાજુ હોવાથી પિતાની ભૂલે જોઈને તે સુધારી શકતા હતા. એક વાર કેટલાક સાધુએ ગામ બહાર શિાચ નિમિત્તે ગયા હતા. ત્યાંથી પાછાં ફરતાં વાર થઈ ત્યારે તેમના ગુરુએ પૂછ્યું કે “આટલી બધી વાર કેમ થઈ?” તેમણે જવાબ આપે. “રસ્તામાં નટે ખેલ કરતા હતા તે જેવાને ઊભા રહ્યા હતા.”ગુરુએ કહ્યું “આપણને-સાધુઓને નટ જેવા કપે નહિ” તેમણે તે વાત સ્વીકારી લીધી. કેટલાક સમય વિત્યા પછી તેઓ મોડા ઉપાશ્રયે આવ્યા. કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે “અમે નટી જેવા ઊભા રહ્યા હતા.” ગુરુએ કહ્યું: “નટ જેવાને મેં નિષેધ કર્યો હતે તે તેમાં નટી જેવાનો નિષેધ તો આવી જ ગયે, Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે કારણકે નટી વિશેષ રાગનું કારણ છે ” તે સાધુઓમાં બુદ્ધિ ઓછી હતી તેથી બીજી વાર ભૂલ કરી, પણ સરલ પ્રકૃતિના રહેવાથી સત્ય વાત નિવેદન કરી. આથી તેમની ભૂલો સુધારવાને માર્ગ ગુરુને જડી આવ્ય, માટે માયાને દૂર કરવાને સૌથી સારો માર્ગ સરલ પ્રકૃતિ છે. मुक्तेरविप्लुतश्चोक्ता, गतिर्ऋज्वी जिनेश्वरैः ॥ तत्र मायाविनां स्थातुं, न स्वप्नेऽप्यस्य योग्यता ।। વીતરાગ સર્વજ્ઞ ભગવાને મુક્તિમાર્ગની ગતિ સરલ કહી છે, ત્યાં માયાવી જનેને સ્વપ્ન પણ રહેવાનું સ્થાન મળી શકે નહિ. જે જે મહાપુરુષ થઈ ગયા તે સર્વમાં આ અજુ પ્રકૃતિ હતી. જેવું તેમના મનમાં તેવું તેમના વચનમાં અને જેવું વચનમાં તેવું તેમના કાર્યમાં. અર્થાત તેમના મન, વચન અને કાર્યમાં એકરૂપતા હોય છે. ત્યાં બીલકુલ કપટ હોતું નથી, તેથી લોકો તેમના વચન પર વિશ્વાસ મૂકી શકે છે. પ્રકરણ ૯ મું. ' લભવિરમણુ. લાભ એ ચે કષાય છે. આપણે ત્રણ કવાયનું વર્ણન કરી ગયા. લેભ સૌથી છેલ્લે મૂકવામાં આવ્યો છે, પણ ત્રણ કષાયે કરતાં તેને પ્રભાવ અધિક છે. પ્રશમરતિમાં તેના કતો ઉમાસ્વાતિ વાચક કહે છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ લેાવિરમણ ૬૩ क्रोधात्प्रीतिविनाश, मानाद्विनयोपघातमाप्नोति । શાહ્માસ્ત્રત્યયહાનિ, સર્વજીવિનાશનું હોમાત્ // ? ।। ક્રોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને નાશ થાય છે, માયાથી-કપટથી વિશ્વાસના ભંગ થાય છે; પણ લેાભથી તે સર્વ ગુણેાના નાશ થાય છે. વળી તે લાભના સંબંધમાં કહે છે કે: सर्वविनाशाश्रयणिः, सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ॥ સર્વ વિનાશના આશ્રયસ્થાનરૂપ અને સર્વ પ્રકારની આપત્તિના મુખ્ય માર્ગરૂપ એવા લેાભને વશ થયેàા કચે મનુષ્ય એક ક્ષણ પણ સુખ પામી શકે? લાભ એ અશુભ પ્રકૃતિના સ્વભાવ છે. એ તૃષ્ણાનું બીજું નામ છે. તે લાભથી મનુષ્ય વસ્તુએને સંગ્રહવાને, તેમના પર પેાતાની માલીકી સ્થાપવાને પ્રયત્ન કરે છે. મનુષ્યની તૃષ્ણાને હદ હાતી નથી, તેથી તે અનેક વસ્તુએ મેળવવા છતાં પણુ તૃપ્તિ પામતા નથી. આત્માને પેાતાને સ્વભાવ તે નિષ્પરિગ્રહી છે. તે તે આપવામાં જ આનંદ માને છે પણ પ્રકૃતિને-જડ સ્વભાવને વશ થઇ આપણે અનેક વસ્તુઓ ઉપર આપણી માલીકી સ્થાપવાના પ્રયત્ન કરીએ છીએ. આપણા ઉપભેગમાં તે ઘણી ચાડી વસ્તુએ અને સાધના આવે છે. આપણી પાસે ૧૦ પલંગ હાય તા પણ આપણે એક જ પલંગ પર સૂઇ શકીએ છીએ. આપણી પાસે પાંચ મેટરી હાય, પણ એક વખતે તા એક જ માટ For Personal and Private Use Only Jain Educationa International Page #70 -------------------------------------------------------------------------- ________________ १४ - પવિત્રતાને પથે રમાં બેસવું પડે છે. આપણા અનેક સ્થળે બંગલાઓ હોય પણ એક વખતે એક જ બંગલાને આપણે ઉપભેગ કરી શકીએ છીએ. ખાવા માટે ૫૦ પ્રકારની વાનીઓ તૈયાર હોય, પણ આપણે તે આપણું શરીરને માફક આવે અને આપણાથી પચાવી શકાય તેટલી જ વાનીઓ ખાઈ શકીએ છીએ; છતાં જીવની લોભવૃત્તિની કાંઈ મર્યાદા છે? વસ્તુઓ મળતાં લેભની શાંતિ નહી થતાં ઊલટો લેભ વધે છે. એ જ તેનું વિચિત્રપણું છે. અગ્નિમાં ઘી નાંખવાથી અગ્નિ શાંત નહિ થતાં વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે આપણી કામનાની વસ્તુ પ્રાપ્ત થતાં તેવી જાતની વિશેષ વસ્તુઓ મેળવવા હૃદયમાં વૃત્તિ ઉદભવે છે. લેજના ગેરફાયદા ઘણા છે. મનુષ્ય લાભને ખાતર અસત્ય બોલે છે. ગમે તેવું જૂઠું બોલતાં તે જરા પણ અચકાતો નથી. જૂઠી સાક્ષી આપે છે, જૂઠા દસ્તાવેજો લખે છે. લેભી મનુષ્યમાંથી દયા તો દૂર જ ભાગે છે. स्वामिगुरुबन्धुवृद्धानबलाबालान् जीर्णदीनादीन् । व्यापाद्य विगतशंको लोभातों वित्तमायत्ते ।। લેભને વશ થયેલે પુરુષ પિતાના માલીક, ગુરુ, બધું, વૃદ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બલ અને અનાથાને પણ શંકા રહિતપણે મારીને ધન ગ્રહણ કરે છે. “It is the root of all evil” લેભ સર્વ અનર્થોનું મૂળ છે. આથી મનુષ્ય ઘાતકી અને નાદાન થાય છે. બીજાઓના વૈભવની ઇર્ષા કરે છે, પોતાના હાથ નીચે મૂકાએલા નિરાધારનું ધન Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ લભવિરમણ હરી લે છે, અને ગરીબ પર જુલમ પણ ગુજારે છે. મનુષ્ય લાભથી પોતાના પિતાની ઉમ્મર પૂછવા દોરાય છે. લેભથી આપણે ભાગીદાર ગીધ જેવો બને છે અને આપણે મિત્ર ચાર બને છે. કહ્યું કે – अर्थमनर्थ भावय नित्यं, नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः ॥१॥ ધનને નિરંતર અનર્થરૂપ માને, તેથી સુખને લેશ પણ સત્ય રીતે નથી; પૈસાદારને પુત્ર તરફથી પણ ભય રહ્યા કરે છે, આવી રીત સર્વત્ર ફેલાયેલ છે. ધનને ખાતર ભાઈઓ લડે છે, મિત્રો છૂટા પડે છે અને સંબંધીઓ વચ્ચે શત્રુતા પ્રગટે છે. આપણે પાંચમા પાપસ્થાનકને વિચાર કરતાં જોયું હતું કે ધનની જરૂર છે. ધન સાધન તરીકે યોગ્ય છે, પણ ધનને ખાતર જ જેઓ ધન એકઠું કરવા પ્રયત્ન કરે છે તેઓ ધનથી મળતું સુખ પણ જોગવી શકતા નથી, તેમાં દાનવૃત્તિ હતી નથી, તેમજ તેઓ પિતાને વાસ્તુ પણ તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેઓ ધારે છે કે ધન વાપરવાથી ખૂટી જશે. આવા મનુષ્યની સ્થિતિ ભ્રમર જેવી થાય છે કે– મધુ સંચય કરી મરી રહ્યો, ભ્રમર કેવળ અજાણ; ના દીઠું ન ભોગવ્યું, નાહક ખોયા પ્રાણ માટે લેભવૃત્તિને ત્યાગ કરવાને ઉદારતાને-દાનને પાઠ શીખવો જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૬. दानं भोगो नाशः, त्रितयो गतयो भवंति वित्तस्य । यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति ॥ ધનના ત્રણ માર્ગ છે—દાન, ભાગ અને નાશ. જે દાનમાં આપતા નથી અથવા જાતે તેના ઉપભેાગ કરતા નથી તેને વાસ્તે ત્રીજી ગતિ ખુલ્લી છે. પવિત્રતાને પંથે *, જે મનુષ્યને શાશ્વત અને ક્ષણિક વસ્તુઓ વચ્ચેના વિવેક હાતા નથી તે પચેંદ્રિયની તૃપ્તિમાં પેાતાનું સ સામ વાપરે છે; અને તેથી જે દ્વારા તે ઇન્દ્રિયાના વિષયે ભાગવી શકે તે ગ્રહણ કરવાને લલચાય છે, અને તે ઇન્દ્રિયતૃપ્તિને અથે દુનિયાની વસ્તુ મેળવવાનું સાધન જે ધન તે મેળવવા પ્રયત્ન કરે છે. પણ આપણને વિચાર તથા અનુભવથી જણાય છે કે ઇન્દ્રિયજન્ય સુખ શાશ્વત નથી, દુ:ખથી ભરપૂર છે, માટે જે આપત્તિથી ભરપૂર હાય તે ખરી સંપત્તિ કહી શકાય જ નહિ. એક કવિએ કહ્યું છે કે— જે સુખમાં ફ઼િર દુ:ખ વસે, સા સુખ હ દુ:ખરૂપ; જે ઉત્તંગ ફ઼િર ગીર્ પડે, સો ઉત્તંગ નહિ ભવત્કૃપ. Jain Educationa International ત્યારે શું ધન સુખનું સાધન છે? ધન એ સુખનું સાધન છે, પણ ધન એકલું જ સુખનું સાધન નથી. જો ધનવાન પુરુષા સાથી વિદ્વાન અને સૌથી સદ્ગુણી હાય તે તેમ માનવામાં કાંઈ પણ ખાધ નથી, પણ વસ્તુત: તેમ નથી. મનુષ્ય પાતે ધનવાન થાય તે માટે કંગાલ સ્થિતિમાં રહે છે. તેઓ ધનને સાધન તરીકે નહિ ગણતાં સાધ્ય તરીકે ગણે છે. આ જ મેટી ભૂલ છે. આપણી For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ભવિરમણ જરૂરિયાત અને સગવડને ખાતર જે ધન આવશ્યક હોય, તે સિવાયનું બાકીનું ધન નિરર્થક અને ઘણીવાર તે બોજારૂપ હોય છે. પણ જે મનુષ્ય બાકીના ધનને પરોપકારાર્થે અથવા સત્કાર્યમાં ઉપયોગ કરે તે તેની સફળતા છે. મનુષ્ય ધનવાન થયો એટલે તેના ધનને લીધે તે આકૃતિવિદ્યા (Drawing) અથવા સંગીતશાસ્ત્રમાં નિપુણતા મેળવી શકે નહિ. ગરીબ મનુષ્યની માફક તેને તે વિદ્યા શીખવાને મહેનત કરવાની જરૂર છે. તેમજ ધનને લીધે જિતેંદ્રિયપણું, હૈયે આદિ સદગુણે આવી જતા નથી. તેમજ ધનને લીધે ધન ઉપર વૈરાગ્ય આવી શકતો નથી, તેમજ પોતાના આત્માને પરિગ્રહની મર્યાદા કરતાં પણ શીખવી શકાતો નથી. જે મનુષ્યને તૃષા લાગી હોય તો જળ તેની તૃષા છીપાવે છે. જે મનુષ્યને ભૂખ લાગી હોય તો રાક તેની ભૂખ મટાડે છે. જે મનુષ્યને ઠંડી લાગતી હોય તે ગરમ કોટ પહેરવાથી અથવા અગ્નિ પાસે બેસવાથી તે ઠંડી દૂર ભાગે છે અને તે મનુષ્યને શાંતિ થાય છે. પણ જો જરૂર કરતાં વધારે ખાય તો અજીર્ણ થાય છે, જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટ અકળાય છે અને જરૂર કરતાં વધારે વસ્ત્ર પહેરવાથી તાપ વિશેષ લાગે છે. કુદરતી તંગી પૂરી પડી એટલે કુદરત સંતોષ પામે છે. તેની તંગી કરતાં વધારે વસ્તુઓ તેને ભારરૂપ જણાય છે તેમજ નુકશાનકારક નીવડે છે, પણ ધનમાં તેમ નથી. તે બાબતમાં તો ધન મળતાં વિશેષ ધનની સ્પૃહા પ્રકટે છે અને આ લેભને કોઈ દિવસ અંત આવતો જ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પવિત્રતાને પથે સમયના વહેવા સાથે લોકોની મજશેખની વૃત્તિઓ વધારે પ્રબળ થતી જાય છે અને જે ચીજો જરૂરની છે તે હેજમાં મળી શકે તેવી હોય છે, પણ આપણે લોકમાં વાહવાહ કહેવરાવવા માગીએ છીએ, લોકોમાં બાહ્ય આડંબરથી માન પ્રતિષ્ઠા પામવા ધારીએ છીએ અને તેથી ઘણી ચીજો જે પ્રથમ મેજશેખની ચીજે ગણાતી હતી તે હાલમાં જરૂરની થઈ પડી છે. આપણું જરૂરિયાતો જેમ વધારીએ તેમ વધે છે. જે આપણે ઈટલીના તેમજ પારીસના સુશોભિત ભવ્ય મકાનની જેવી કારીગરીવાળા બંગલાઓ બંધાવવા માગીએ, અથવા હીરા રત્નના આભૂષણ પહેરવા માગીએ, અથવા અરબસ્તાનને ઘેડાની લંડનથી મંગાવેલી ફેટીનમાં બેસવા ધારીએ, અથવા સુગંધીદાર તેલ સાબુ વગેરે વાપરવા ચાહીએ તો આ બધી વસ્તુઓને આપણે જરૂરિયાતના પેટાવિભાગમાં લાવી શકીએ; પણ આ બધી ખરી જરૂરિયાતો નથી. શુદ્ધ સાત્વિક ખોરાક, સ્વચ્છ જળ, સારાં ધાયેલાં વસ્ત્ર અને ટાઢ તડકાથી આપણે બચાવ કરે તેવું ઘર–આ ચીજે સાધારણ રીતે જરૂરની ગણાય, કારણ કે શરીરનું રક્ષણ કરવામાં તે ચીજની ઉપયોગિતા છે અને શરીર તે ધર્મ સાધનોમાં મુખ્ય સાધન છે, માટે શરીરના રક્ષણ અર્થે જે ચીજો જરૂરી છે તે સિવાયની બીજી વધારાની કહીએ તે તે અગ્ય નથી. જે મનુષ્યને જળની જેટલી તૃષા હોય તે કરતાં વધારે પીએ, અથવા ભૂખ કરતાં વધારે ખોરાક ખાય તો તેને એકવું પડે છે, અને તેમાં કેવળ વધારાને ભાગ-હદ ઉપરાંત Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ભવિરમણ ખાધેલો ભાગ-જ બહાર નીકળી જતો નથી, પણ જે રાક શરીરના પિષણ અર્થે જરૂરનો હતો તે પણ નીકળી જાય છે. તેમ મધ્યમસર રીતે જે વસ્તુઓ ઉપયોગી ગણાય તેના કરતાં વધારે મેળવવાની તૃષ્ણામાં જે કંઈ તણાય છે તે મનુષ્ય જે ચીજો તેને સુખમાં રાખવાને તથા તેની સ્વાભાવિક તંગીઓને પાર પાડવામાં કામ લાગી હતી તે ચીજો પણ ખાઈ બેસે છે, માટે અતિભ તે પાપનું મૂળ છે તે આ ઉપરથી સિદ્ધ થાય છે. લેભનો ત્યાગ કરવાને નીચે પ્રમાણે વિચાર કરો. બહારની વસ્તુઓ ધન વૈભવ આપણે સાથે આવવાના નથી. તે ઘણું તો આખી જિંદગી પર્યત રહે, પણ તે આપણી સાથે કદાપિ સર્વદા રહેશે જ નહીં. આપણે આત્મા છીએ અને આ બહારનાં સાધનો ખરી રીતે આપણાં નથી. આપણે તેની ઉપર માલીકી ધરાવી દુઃખી થઈએ છીએ, પણ જે ટ્રસ્ટીભાવ રાખીએ તે ધન કઈ રીતે દુઃખનું કારણ થાય નહિ. લાખ રૂપીઆની વચમાં મનુષ્ય નિર્લોભભાવ રાખી શકે. આપણી સાથે સ્થાયી રહેનાર આપણાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે; અથવા સદુ, ચિત્ અને આનંદ છે. આપણે ખીલવેલી શક્તિઓ, મેળવેલું જ્ઞાન અને પ્રકટ કરેલે આનંદ સ્વભાવ–પ્રેમ આપણી સાથે રહે છે. જે મનુષ્યને આ આત્માની સાથે સ્થાયી રહેનાર સદગુણ મેળવવા પ્રત્યે રુચિ થાય તે વસુ અને વૈભવ પ્રત્યેને તેને મમત્વભાવ એ છે થવા સંભવ છે, માટે લાભના અનેક અનર્થો વિચારી તેને -ત્યાગ કરવાને કાં તો સંતોષવૃત્તિ ધારણ કરે અને જે Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે સંતોષવૃત્તિ ન રાખી શકતા હે તે જે કાંઈ ધન વધારાનું લાગે તેને પોપકારાર્થે સદુપયોગ કરો, કારણ કે પરોપકાર કરવા જતાં ધન પ્રત્યેની આસક્તિ ઓછી થવા લાગશે માટે પરોપકાર અથવા સંતેષ ખીલ. આ સંબંધમાં કવિ શેકસપીઅર લખે છે કે – My crown is in my heart, not on my head Not decked with diamonds and Indian stones Nor to be seen, my crown is called content A crown it is that seldom kings enjoy. મારો મુગટ મારા મસ્તક ઉપર નહિ પણ મારા હૃદયમાં છે. તે હીરાથી કે પુખરાજથી જડેલે નથી. તે કેઈથી દેખી શકાતો નથી. તે મુગટનું નામ સંતોષ છે. મારે મુગટે રાજાઓના ઉપગમાં ભાગ્યેજ આવે છે. મનુષ્ય પોતાના આત્માના ગુણે ખીલવવાના સંબંધમાં ભલે અસંતોષ રાખે, પણ બાહ્યા સમૃદ્ધિના સંબંધમાં તે અમુક સ્થિતિએ-હદે સંતેષ રાખે, પરિગ્રહનું પરિમાણ કરે તો જ શાંતિ અનુભવી શકે, માટે આત્મશાંતિના ઈચ્છક, જાએ પોતાના પરિગ્રહનું પરિમાણ કરીને લેભવૃત્તિ, પર જય મેળવવો. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું રાગવિરમણ દશમું પાપસ્થાનક રાગ છે. રાગ અને દ્વેષ એ વસ્તુતઃ ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયોનાં બે સ્વરૂપો છે. ષ એ ક્રોધ અને માનનો સૂચક છે અને રાગમાં માયા અને લેભને સમાવેશ થાય છે, એટલે રાગ દ્વેષનું સ્વરૂપ આ ચાર કષાયમાં મોટે ભાગે આવી જાય છે; પણ જ્યારે અત્રે આ બે પાપસ્થાનકેને જુદાં ગણવામાં આવ્યા છે તે તેનું વર્ણન કરવાની જરૂર છે. રાગની વ્યાખ્યા–રાગ એટલે કોઈપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે મારાપણાને લીધે જે આસક્તિ થાય તે રાગ. રાગને બંધનકર્તા ગણવામાં આવે છે, કારણ કે તે વૃત્તિ જ્યારે પ્રબળ હોય છે ત્યારે મનુષ્ય નહિ કરવા જે કામ કરે છે, નહિ બલવા ગ્ય વચન બધે છે, અને રાગની વસ્તુને ખાતર પિતાના બધા નિશ્ચય અને નિર્ણયને ભેગ આપે છે. રાગી મનુષ્યને આંધળે ગણવામાં આવે છે. કહ્યું છે કે – griધા નૈવ થિન્તિ–રાગથી અંધ થયેલા પુરુષે વસ્તુસ્થિતિને જાણી શક્તા નથી. આપણે શાસ્ત્રોમાં વારંવાર સાંભળીએ છીએ કે કણે. ન્દ્રિયની તૃપ્તિ ખાતર મૃગ, ચક્ષુરિન્દ્રિયના વિષયની તૃપ્તિ ખાતર પતંગિયું, રસનેન્દ્રિયના વિષયના ભંગ માટે મીન Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પવિત્રતાને પથે (માછલું), ધ્રાણેન્દ્રિય ખાતર ભ્રમર અને સ્પર્શેન્દ્રિયના ઉપભેગ ખાતર હાથી મરણને શરણ થાય છે. તે તે જીવો તે તે વિષય પાછળ અંધ બન્યા હોય છે, તેમની વિવેકશક્તિ બુઠ્ઠી થઈ જાય છે, અને તેઓ તે વસ્તુઓ પ્રત્યેના રાગથી દેરાઈ મરણ પામે છે. એકેક ઈન્દ્રિય પાછળ રાગ રાખવાથી પ્રાણીઓની આ સ્થિતિ થાય, તે જે જે પાંચે ઈન્દ્રિ પાછળ અંધ બન્યા હોય તેમની કેવી શોચનીય સ્થિતિ થાય, તે વિચારવા જેવો પ્રશ્ન છે. વસ્તુઓ ઉપરને રાગ મનુષ્યને તે વખત તે સુખ આપનારે લાગે છે. પણ તે વસ્તુ પ્રાપ્ત થતાં તેમાંથી મેહકતા ચાલી જાય છે, તેમ છતાં ઘણું જીવો તો તે સમજી શકતા પણ નથી અને તે તે વસ્તુ પ્રત્યેના રાગમાં વિશેષ તણાતા જણાય છે, પરંતુ વસ્તુઓ સદાકાળ ટકતી નથી તેમજ જે મનુષ્ય ઉપર આપણને રાગ હોય છે તે પણ સદા ટક્તા નથી. કાં તો તે ચાલ્યા જાય છે અથવા તો તેમને છેડી આપણે ચાલ્યા જવું પડે છે. તે સમયે વિયેગનું દુઃખ ઘણું લાગે છે. જેટલા પ્રમાણમાં અમુક વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે આપણે વિશેષ રાગ, તેટલા પ્રમાણમાં તે વસ્તુના અથવા મનુષ્યના અભાવે અથવા વિશે વિશેષ દુઃખ થવા સંભવ છે. સ્વામી રામતીર્થના કહેવા પ્રમાણે “જેટલા રાગના ખીલા હૃદયમાં ઊંડા ઉતર્યા હશે તેટલા જ તે કાઢતી વખતે વિશેષ દુઃખના કારણભૂત થશે.” આ હેતુથી જ શાસ્ત્રકારોએ રાગને ત્યાગ કરવાનું કહ્યું છે. તીર્થકરેનું એક નામ વીતરાગ” એટલે “ગયે છે રાગ જેનો” એવું આપ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ રવિરમણ હ૩ રાગ મમત્વભાવથી ઉદ્ભવે છે. હું અને મારું એ રાગની ઉત્પત્તિનાં મુખ્ય કારણા છે. જ્યાં મમત્વભાવ ચાલ્યે જાય છે ત્યાં રાગ પણ જતા રહે છે અને તે વસ્તુને નાશ થાય તે પણ વિશેષ દુ:ખ થતુ નથી. આ ઉપર આપણે એક દૃષ્ટાંત વિચારીશું. જ્યારે રેવેટ્રેનના મુબઇ ઇલાકામાં આરંભ થયે ત્યારે ટ્રેઇન અમદાવાદથી મુંબઇ સુધી જતી ન હતી. એક ટ્રેઇન મુંબઇ અને સુરત વચ્ચે દોડે, અને બીજી ટ્રેઇન અમદાવાદ અને સુરત વચ્ચે દાડતી હતી. અમદાવાદને એક માણુસ વ્યાપાર કરવા નિમિત્તે મુખાઇ આવ્યેા. તે એ વર્ષના એક પુત્રને મૂકીને આવ્યે હતેા. તે વાતને ખાર વર્ષ વીતી ગયાં. તે પુત્ર ૧૪ વર્ષના થયા. તે મનુષ્યની સ્ત્રીએ તેને લખી જણાવ્યુ કે ‘ હવે પુત્ર ૧૪ વર્ષના થયા છે, તેના વિવાહ કરવા જોઇએ, માટે તમે અમદાવાદ આવજો.’ તેણે લખ્યુ કે હું આવું છું. આમ પત્રવ્યવહાર ચાલ્યા જ કરે. સ્ત્રી તેને તેડાવવા માટે લખે. તે લખે હું આવું છું. પણ વ્યાપારની ધમાલ છેાડી અમદાવાદ જાય નહિ. છેવટે સ્રીએ લખ્યું કે—જો તમે નહિ આવે! તે આપણા પુત્રને તેડવા માકલીશ. તેને પણ હું આવવાના છું ' એટલે જ જવાબ મળ્યેા. છેવટે સ્રી ચીડાઇ અને તેણે પેાતાના પુત્રને મુંબઇ માકલ્યા, તે પુરુષ પણ પેાતાની સ્ત્રીના ઘણા પત્રાથી પ્રેરાઇ અમદાવાદ જવા ઉપડ્યો, બન્ને એક જ દિવસે નીકળ્યા. અન્ને રાત્રે સુરત આવી પહોંચ્યા. પિતા કે પુત્ર એક ખીજાને ઓળખતા ન હતા. બન્ને એક જ ધર્મશાળામાં ઉતર્યો. '' Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પવિત્રતાને પથે રાત્રે પુત્રના પેટમાં ચૂંક આવી. કેટલાક દયાળુ ઉતારૂઓને આ રડતા અને ચીસ પાડતા છોકરાની દયા આવી અને તેમણે તેની સારવાર કરવા માંડી. કેઈકે તેના બાપને ઉઠાડવા પ્રયત્ન કર્યો, પણ તે કહે કે “મને જંપવા દે, એવા તે કેટલાય માંદા પડશે. તેમાં આપણે શું કરીએ?” બીજ દિવસે સવારમાં તે છેક મરણ પામે. બધા ઉતારૂઓ એકત્ર થયા અને તેનું પોટલું તપાસ્યું. તેમાંથી કેટલાક પત્રે નીકળ્યા. તે ઉપરથી તે મનુષ્યને જ છોકરે હતે, એમ કર્યું. હવે તેને ભારે દુઃખ થયું. અત્યાર સુધી તેણે તે યુવક ઉપર મારાપણુનું આરોપણ કર્યું ન હતું, પણ હવે તે મારે પુત્ર છે અને મારે પુત્ર મરણ પામે એ વિચારથી તેને અત્યંત દુઃખ થયું. આ રીતે મમત્વથી રાગ થાય છે અને રાગની વસ્તુ જતાં મનુષ્યને દુઃખ થાય છે. રાગ મનુષ્ય પ્રત્યે તેમજ વસ્તુઓ પ્રત્યે પ્રકટે છે. રાગ ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખનું કારણ છે અને તેનાથી બંધન થાય છે, પણ રાગ અને પ્રેમનો ભેદ આપણે જાણ જોઈએ, કારણ કે આ બે ભિન્ન ભિન્ન તત્વો છે અને તેમનાં ફળ પણ જુદાં જ આવે છે. રાગની અને પ્રેમની વ્યાખ્યા આપણે યથાર્થે સમજવી જોઈએ. પ્રથમ જણાવ્યા પ્રમાણે મારાપણાને લીધે કેઈપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે જે આસક્તિ થાય તે રાગ, પણ આ એક જીવ છે, અને તે મારા સંબંધમાં આવ્યું છે, તે મારે તેનું કલ્યાણ કરવું જોઈએ, એવી ભાવનાથી જે કોઈ પણ મનુષ્ય પિતાની સ્ત્રી, પુત્ર અથવા સ્વજને પ્રત્યે Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ રાવિરમણ પ લાગણી રાખે તેા તે લાગણી તે પ્રેમ છે. આ પ્રેમ કેઈ પણ રીતે મંધનકારક નથી. જેટલા મહાન આત્માએ થઈ ગયા તે સમાં આવા પ્રેમ હતા. તેમને જેટલા સ્વજને વ્હાલા હતા તેટલા જ ખીજા જીવા વ્હાલા હતા, કારણ કે તેમનેા પ્રેમ આત્માને લઇને ઉદ્દભવ્યો હતા. પ્રેમને લઈને જ મહાન્ જીવાત્માએ. બીજાનું કલ્યાણ કરવા પ્રેરાય છે. એ ભાવનાથી જ શ્રી મહાવીરપ્રભુએ વિચાર્યું હતું કે “ સર્વ જીવ કરું શાસનરસી; એસી ભાવ દયા મન ઉલસી. ’” માટે વસ્તુએ તથા મનુષ્યની ઉપાધિઓ-શરીર પ્રત્યેના રાગ દૂર કરવા જતાં તેમના આત્મા પ્રત્યેની સ્વાભાવિક લાગણી-પ્રેમના ત્યાગ ન થાય, તે સંબંધમાં મનુષ્યે બહુ જ કાળજી રાખવી જોઇએ.. ઘણા મનુષ્યા રાગને ત્યાગ કરવા જતાં સર્વ મનુષ્યો પ્રત્યેના પ્રેમના પણ ત્યાગ કરે છે અને તેમનાં હૃદય નિષ્ઠુર અને લાગણી રહિત બની જાય છે. પ્રેમ વગરનુ જીવન એ તેા જીવન નહિં, પણ જીવતું મરણ છે. જીવા પ્રેમથી જ આગળ વધે છે. જિનેશ્વરાએ જે ચાર ભાવનાએ જીવાત્માના વિકાસ માટે બતાવી છે, તેમાંની પ્રથમ ત્રણ ભાવના પણ પ્રેમની જ સૂચક છે, પ્રેમ પર જ રચાયલી છે. તે ભાવનાઓનાં નામ પ્રમેાદ, મૈત્રી અને કારુણ્ય છે. આપણા કરતાં વિકાસમાં જે આગળ વધેલા જીવા છે, જે જ્ઞાનમાં, ગુણુમાં, શક્તિમાં આપણા કરતાં ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય છે તેવા જીવા પ્રત્યે જે પ્રેમ દર્શાવવે! તે પ્રમેાદભાવ. જ્ઞાન, ગુણ, શક્તિ વગેરેમાં આપણી સમાનકેાટિના જીવ પ્રત્યેના જે પ્રેમ તે મૈત્રી કહેવાય છે, અને આપણા કરતાં જે લેાકેા આવી બાબતમાં Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પવિત્રતાને પંથે નીચલી પાયરી પર હોય છે તેમના તરફ આપણે પ્રેમ કારુણ્ય અથવા દયાનું રૂપ લે છે. વળી બીજી રીતે વિચારીએ તે પ્રેમ અથવા પ્રશસ્ય રાગ એ જીવાત્માના વિકાસને વાસ્તે ઘણું અગત્યનું સાધન છે. જેનામાં વિરપૂજા નથી, જે બીજાની મહત્તા જોઈ આનંદ પામતું નથી, જે હલકી ભાવનાઓ અને વિચારમાં જ રમ્યા કરે છે તે જીવ કદાપિ આગળ વધી શકે નહિ, માટે રાગને ત્યાગ કરતાં ભૂલથી પ્રેમનો ત્યાગ ન થાય તેની ખાસ સંભાળ રાખવી. ઘણા પુરુષે રાગને નાશ કરવા જતાં પ્રેમને નાશ કરી ઉચ્ચ થવાને બદલે અધમ બને છે. સામાન્ય મનુષ્ય કરતાં વધારે ઉચ્ચ પદ મેળવવા જતાં વધારે નિર્દય અને નિષ્ઠુર બને છે. જેટલા મહાપુરુષ થઈ ગયા છે તે સર્વે દયાના સાગર અથવા પ્રેમની મૂર્તિ હતા અને પ્રેમ-કરુણાવડે જ તેઓ નિર્વાણ જેવા ઉચ્ચપદે પહોંચ્યા હતા. - રાગનું પણ કુદરતમાં સ્થાન છે. અમુક હદે તે આપણને દુ:ખજનક થાય છે. મનુષ્ય ધન, કીર્તિ, સત્તા વગેરેના રાગથી તે મેળવવા મથે છે, અને મેળવવા જતાં અનેક શક્તિ ખીલવે છે. તે વસ્તુઓ મળતાં તેના પ્રત્યેને મેહ ઊડી જાય છે, તે વસ્તુઓ મળ્યા પહેલાં જેટલી મેહક લાગતી હતી તેટલી હવે લાગતી નથી, તેથી તેને વૈરાગ્ય પ્રગટે છે આ ખરો વૈરાગ્ય છે. વસ્તુઓ અથવા બનાનું અસારપણું સમજીને જ્ઞાનપૂર્વક થયેલે વૈરાગ્ય લાબ કાળ ટકી શકે છે. વળી તે રાગવાળી વસ્તુઓની પાછળ જતાં જે ખંત, ઉત્સાહ, શક્તિ, અનુભવ મેળવ્યાં હોય છે Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ રામવિરમણ તે તેને તેના આત્માના વિકાસમાં મદદગાર થાય છે અને વસ્તુઓનું અસારપણું જાણેલું હોવાથી વસ્તુઓના ભાવે તેમજ વિગે તે મનની સમતોલવૃત્તિ જાળવી રાખે છે, કારણ કે હવે તે વસ્તુઓની ખરી કિંમત આંક્તાં શીખે છે. પણ જેઓ કાચા વૈરાગી છે, જેઓ રાગને અનુભવ્યા વિના વૈરાગ્ય ગ્રહણ કરે છે, તેને પતિત થવાને ઘણે સંભવ રહે છે, અને એવા ઘણા દાખલા આપણને મળી આવે છે, માટે વસ્તુઓની ખરી કિંમત સમજવી જોઈએ. જગતના જેટલા પદાર્થો છે તેમાં ત્રણ અવગુણ છે. તેઓ ક્ષણિક સુખ આપનાર છે, તે સુખદુઃખગર્ભિત છે અને વળી તે મળ્યા પછી પાછી બીજા સુખની આકાંક્ષા રહ્યા કરે છે, માટે અનંતકાળ સુખ આપી શકે તેવા પદાર્થ જે જગતમાં હોય તો પછી કયે એ જીવ ક્ષણિક સુખ આપવાવાળા પદાર્થમાં લુબ્ધ રહે ? મનુષ્યને પોતાની પાસે રહેલી આત્મિક દોલતનો ખ્યાલ નથી, તેથી જ તે બાહ્ય વસ્તુઓમાં સુખ શોધવા મથે છે, પણ અન્ત તે થાકે છે. કસ્તુરીઓ મૃગ પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાં, તેની સુગંધ આવતાં આખા જંગલમાં તે સુવાસ મેળવવા મથે છે, પણ અંતે થાકે છે ત્યારે પોતાની નાભિ તરફ દષ્ટિ કરે છે. તેમ જીવને પિતાને સ્વભાવ આનંદ છે. તેને ખબર નથી કે આનંદ મારા પોતાનામાં છે, તેથી તે બહાર શોધવા ફરે છે. જુદી જુદી વસ્તુઓમાં અને મનુષ્યમાં તે શોધે છે. તેના પિતાનામાં તે રહેલો હોવાથી તેને બહારથી તે આનંદની કાંઈક ઝાંખી થાય છે, પણ તેને પૂર્ણ આનંદ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પવિત્રતાને પથે મળતા નથી. પછી તે અંતર્મુખ થાય છે. બાહ્ય વસ્તુઓ ઉપર પેાતાના સુખને! આધાર રાખતા બંધ થાય છે ત્યારે તેના પેાતાનામાં રહેલા આનંદને તેને અનુભવ થવા લાગે છે. પછી તેને ખાદ્ય વસ્તુઓ પ્રત્યે રાગ આવતા નથી. વસ્તુઓના ત્યાગ કરવાથી તે વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય જન્મે છે એ વાત સાચી છે, પણ તે વસ્તુઓ પ્રત્યેના રાગના રસ ચાલ્યેા જતેા નથી. તે તે જ્યારે આત્માની ઝાંખી થાય ત્યારે જ ચાલ્યા જાય, કારણ કે ઉચ્ચ બાબતના ખરા અનુભવ થયા વિના હલકી વસ્તુઓ પ્રત્યેની રુચિ સથા જતી નથી. છતાં વૈરાગ્યનુ કુદરતમાં સ્થાન છે, કારણ કે વૈરાગ્ય એ ઉપશમનું કારણ છે અને લાંબા સમય સુધી જો ઉપશમ સ્થાયી રહે તે તે ક્ષયનુ પણ કારણ બને છે માટે બાહ્ય ત્યાગ પણ અમુક અપેક્ષાએ ઇષ્ટ છે. છેવટ તે ઉચ્ચ વસ્તુ-આત્મા ઉપર મન સ્થિર થતાં વૈરાગ્ય પ્રકટશે, ત્યારે વસ્તુએના અભાવે તેમજ સદ્ભાવે સમાન સ્થિતિ રહી શકશે. આ ભેદ જો સમજવામાં આવે તે રાગી અને ત્યાગી વચ્ચેના ઝઘડાઆના અંત આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. દ્વેષવિરમણ. અગિયારમું પાપસ્થાનક દ્વેષ છે અને શ્રેષમાં ક્રોધ અને માનનો સમાવેશ થાય છે, જ્યાં ક્રોધ કે માન હોય ત્યાં દ્વેષ પ્રગટે છે. દ્વેષની વ્યાખ્યા શ્રીમદ્ આનંદઘનજી આપે છે કે “ઢેષ અરોચક ભાવ.” જ્યાં અરુચિ થઈ ત્યાં દ્વેષનું બીજ રોપાય છે, અને તે બીજને વહેમ, શંકા, પરસ્પર ગેરસમજણ વગેરે સાધન મળતાં તે બીજ વૃક્ષરૂપે પરિણમે છે. દ્વેષનું મુખ્ય કારણ જુએ તો રાગ છે. આપણને અમુક વસ્તુ અથવા બાબત પર રાગ અથવા રુચિ હાય, હવે તેની પ્રાપ્તિમાં જે કોઈ અંતરાયભૂત થાય તેના પર સ્વાભાવિક રીતે દ્વેષ પ્રકટે છે. રાજા દેવો કાય? રાગથી શ્રેષ પ્રકટે છે. આને અર્થ એ નથી કે જેના પર રાગ હોય તેના જ પર દ્વેષ થાય છે, પણ રાગની વસ્તુ અથવા મનુષ્યમાં જે કાંઈ અંતરાયભૂત થાય તેના પ્રત્યે દ્વેષ પ્રકટે છે. રાગ અને દ્વેષના સંબંધમાં એક માટે ભેદ એ છે કે રાગ મનુષ્ય તેમજ વસ્તુઓ પ્રત્યે થાય છે, અને દ્વેષ કેવળ મનુષ્ય પ્રત્યે થાય છે. જે જીવને વસ્તુઓ પ્રત્યે દ્વેષ થાય તે તો બહુ જ પામર જીવ સમજ. કેઈ મનુષ્ય ચાલતાં થાંભલા સાથે અથડાય અને તેનું માથું કૂટાય તે તેમાં દેષ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પવિત્રતાને પંથે તેના પોતાના છે, છતાં જો તેવા મનુષ્ય થાંભલા પર દ્વેષ કરે તા તેની આ અજ્ઞાનતા વાસ્તે આપણા હૃદયમાં દયા જ આવે. આ દ્વેષનું મૂળ અજ્ઞાન છે. જે વતુએ ખરી રીતે આત્માની નથી તેને આપણી માનીએ છીએ, અને પછી તે વસ્તુઓના કાઇ નાશ કરે, અથવા તે વસ્તુએ કેાઇ આપણી પાસેથી લઇ લે ત્યારે તા તેના પર ક્રોધ પ્રકટે છે. દ્વેષ પ્રકટવાનાં ખીજા કારણા ક્રોધ કે અભિમાન છે. મનુષ્યને જ્યારે ક્રોધ વ્યાપે છે ત્યારે તે દ્વેષરૂપે પ્રકટ થાય છે. હું બીજા કરતાં મેાટા છુ, હું જ્ઞાની છું, તપસ્વી છું, ધનવાન છુ', એવા કોઇ પણ અભિમાનના વિચાર આવતાં તે મનુષ્ય બીજાઓને હલકા ગણે છે, બીજાએ પ્રતિ તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે અને આ તિરસ્કાર વૃદ્ધિ પામતાં દ્વેષનુ રૂપ લે છે. આ દ્વેષમાંથી અનેક અશુભ પરિણામ આવે છે. દ્વેષ પ્રથમ વિચારમાં પ્રકટે છે, પછી અસભ્ય, તિરસ્કારભર્યા વચના કે મ્હેણાં રૂપે પ્રકટે છે અને તેથી ન અટકે તે છે કલહ-કંકાસ અને છેવટે યુદ્ધરૂપે પ્રકટે છે. જ્યાં કાઇ પણ મનુષ્ય ઉપર આપણને દ્વેષ પ્રકટે ત્યાં તેની સારી બાજુ જોવાને આપણે અસમર્થ બનીએ છીએ. તેની કાળી બાજી જ નજરે પડે છે, કેાઇ તેના ગુણનુ વર્ણન કરે તેા આપણાથી તે સહન થતું નથી, અને કોઇ તેના છતા કે અછતા દોષનું વર્ણન કરે તે આપણે તે તરત માની લઇએ છીએ. દ્વેષ પ્રથમ નાની ખામતમાંથી જન્મે છે. પહેલાં એ મનુષ્યેા વચ્ચે સહેજ અણુમનાવ થાય છે, પણ સમય જતાં Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ દ્વેષવિરમણ તે વૃદ્ધિ પામ્યાં કરે છે, અને પછી તેને કાઢી નાખવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે. - દ્વેષથી મનુષ્ય સામાનું બૂરું ઈછયા કરે છે. સામે મનુષ્ય દુઃખ પામે, માંદા પડે, અનેક રીતે હેરાન થાય તેવી વૃત્તિ દ્વેષથી જન્મે છે. આ વૃત્તિ જે લાંબા સમય રહે, તો અતિ તીવ્ર કર્મબંધ થાય છે અને તેથી વિકાસ મંદ પડી જાય છે. વળી લાંબા સમય સુધી કરેલા વિચારોનું બળ એટલું વધી પડે છે કે દ્વેષના વિચારવાળે બીજાને હેરાન કરવા પણ ચૂકતા નથી અને લાગ આવે તેને નુકસાન પણ કરે છે. વળી દ્વેષથી મનુષ્ય જેના ઉપર ફેષ કરતો હોય તેના ચારિત્ર ઉપર અનેક આક્ષેપ મૂકે છે. સામાના ચારિત્રને એવું તે કાળું ચિતરે છે કે બીજા મનુષ્ય પણ કાંઈક તો સત્ય હશે, એમ માનવાને દેરાય છે. જે મનુષ્ય બીજાએ ઉપર દ્વેષ રાખે છે તેના મનની અસર શરીર પર થવા લાગે છે. દ્વેષ અથવા ક્રોધથી શરીરનું લેહી ઝેરી બને છે, અને તે મનુષ્યના શરીર પર નૂર આવતું નથી. જ્યારે કોઈ ઉપર આપણને પ્રેમ થાય છે ત્યારે આપણામાં “વધારે” થયે એવું લાગે છે. આપણે સામાની હંફથી આગળ વધતા હાઈએ એમ જણાય છે, પણ જ્યાં કેઈ ઉપર દ્વેષ થયે ત્યાં સંકુચિતતા જન્મે છે. સામા મનુષ્યને જોતાં આપણે આત્મા અંદર ઘુસતા હોય, પાછો હઠતો હોય એમ લાગે છે. આપણને “ઓછાપણા”નું ભાન થાય છે. આપણામાંથી કાંઈ જતું રહ્યું હોય એવું લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પવિત્રતાને પથે જે દ્વેષમાં ઉપર જણાવેલા દે હોય તે તે દૂર કરવાને આપણે શું કરવું? શ્રેષનો ત્યાગ કરવાના ઉપાય શો? કઈ પણ વૃત્તિ એક ફટકે દૂર થઈ શકે નહિ, પણ ગ્ય વિચારે દ્વારા આપણે તેનો ત્યાગ કરી શકીએ. દ્વેષને ત્યાગ કરવાને પ્રથમ માર્ગ એ છે કે–જેના ઉપર દ્વેષ પ્રકટતે હેય તે વ્યક્તિના એકાદ ગુણનો વિચાર કરો. તેના તે ગુણને સારુ તેના પર પ્રેમ રાખે. પ્રેમ અને દ્વેષ સાથે રહી શકે નહિ, માટે તમારે તેના ગુણ પ્રત્યેનો પ્રેમ પ્રકટતાં દ્વેષ ઓછો થવા માંડશે અને ધીમે ધીમે સર્વથા નાશ પામશે. ઘણી વાર બે મિત્રો, બે ભાઈઓ, બે સ્વજનો લડે છે ત્યારે દ્વેષ બહુ જ ઉગ્ર રૂપમાં જન્મે છે. તે તે સમયે દ્વેષને નાશ કરવા ઇચ્છનારે તે મનુષ્ય પ્રથમ કરેલા કેઈ ઉપકારનું સ્મરણ કરવું. જે તેણે કરેલા ઉપકારનું સ્મરણ થશે તો તેના પ્રત્યે અણગમો છે થશે. મનુષ્યને જ્યારે કેઈ નુકસાન કરે છે, અથવા અમુક મનુષ્ય નુકસાન કર્યું એમ લાગે છે ત્યારે તે મનુષ્યના પ્રથમના બધા ઉપકારે ભૂલી જઈ, તે અપકારનો જ વિચાર કરે છે અને પરિણામે દ્વેષ જન્મે છે. પણ જે તે સમયે ભૂતકાળમાં તે મનુષ્ય કરેલા ઉપકારોનું જરા સરખું પણ સ્મરણ કરે તો તેના દ્વેષને વેગ ઘણે ઓછો થઈ જાય છે. આ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે. એક વખત પરદુઃખભંજન વિક્રમરાજા જંગલમાં ગયે અને ભૂલો પડ્યો. ત્યાં રહેતા એક બ્રાહ્મણે તેને પાણી પાયું અને રસ્તો બતાવ્યા. તે ઉપરથી વિક્રમ રાજાએ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિરમણ તે બ્રાહ્મણને કઈ પ્રસંગે શહેરમાં આવવા આમંત્રણ આપ્યું. તે બ્રાહ્મણ શહેરમાં આવ્યું. રાજાએ તેને સન્માન આપ્યું, અને પિતાની સભામાં એક સભાસદ બનાવ્યું. રાજા વારંવાર એમ બેલ્યા કરે કે “બંધુઓ! તમે આ ભાઈને ઓળખ છે ? જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે તેણે મને પાણી પાયું હતું તેમજ રસ્તો બતાવ્યું હતું.” વળી પાંચ દિવસ થાય ત્યારે રાજા એના એ શબ્દો ઉચ્ચારે તે બ્રાહ્મણના મનમાં આવ્યું કે “રાજા મારે ખરે આભાર માને છે કે મારી મશ્કરી કરે છે તેની પરીક્ષા કરવી જોઈએ.” તે હેતુથી એક દિવસ રાજાના પુત્રને છાનોમાને લઈ જઈ પિતાના મકાનમાં ચોથે માળે રાખે. શહેરમાં બુમ પડી કે રાજાના છોકરાને કોઈ હરી ગયું છે. ઘણી તપાસ ચાલી. આ બ્રાહ્મણે તે રાજપુત્રનું એક આભૂષણ લઈ પોતાના નોકરને તે વેચવા સારુ મેક. તે નેકર પકડાયા અને તેણે શેઠનું નામ આપતાં પોલીસે આવી તે બ્રાહ્મણને પકડ્યો. તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ હકીક્ત પૂછી ત્યારે તે બ્રાહ્મણે આંખમાં આંસુ લાવી કહ્યું: “હે મહાભાગ ! તમારા પુત્રના શરીર પરના આભૂષણ જોઈ મારી બુદ્ધિ કબુદ્ધિ થઈ અને તેથી મેં તે પુત્રને મારી નાખે.” આસપાસ બેઠેલા સામે તેની ચક્ષુઓમાંથી અગ્નિ કરવા લાગ્યો, એક સામંતે કહ્યું: “આવા કૃતની બ્રાહ્મણને બરાબર શિક્ષા થવી જોઈએ. તેના રાઈરાઈ જેટલા ટુકડા કરવા જોઈએ” બીજો બે “તેને લીલા કાંટાવડે બાળ જોઈએ.” ત્રીજો કહે “તેને જમીનમાં દાટી પંચ ઇટાલી કરી મારે Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે જોઈએ. ” એ કહે “તેને હાથીના પગ તળે છુંદાવ જોઈએ.” આ પ્રમાણે સૌએ પિતાપિતાને અભિપ્રાય આપે. ત્યારે રાજાએ શાંત ચિત્તે કહ્યું –“પણ જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે આ બ્રાહ્મણે મને પાણી પાયું હતું, અને રસ્તો બતાવ્યું હતું માટે તેનો આ ગુહે હું માફ કરું છું ” તે પછી બ્રાહ્મણને છૂટ કરવામાં આવ્યું. તે પિતાને ઘેર ગયા. પિતાના ઘરનાં બે ત્રણ આભૂષણે તે રાજપુત્રને પહેરાવીને તેને રાજસભામાં લઈને આવ્યું. રાજા તથા રાજસભા સર્વે વિસ્મિત થયાં. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-આ આપની પરીક્ષા માટે હતું અને તે પરીક્ષામાં આપ સફળ થયા છો. આ દષ્ટાંત ઉપરથી આપણે એ વિચારવાનું કે–જે. કઈ મનુષ્ય આપણુ પર કરેલા નાના સરખા પણ ઉપકારનું સ્મરણ કરીએ તો તેના પ્રત્યે દ્વેષ ઓછો થવા લાગે છે. રાજર્ષિ ભર્તુહરિના શબ્દોમાં परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ પરના લેશમાત્ર ગુણને પણ પર્વત તુલ્ય માની નિત્ય પિતાના હૃદયમાં આનંદ પામનારા કોઈક ઉત્તમ જનો જ હોય છે. વળી મહાપુરુષાએ લખ્યું છે કે-દ્વેષનું ઔષધ દ્વેષ નહિ પણ પ્રેમ છે. દ્વેષ કદાપિ દ્વેષથી નાશ પામે નહિ પણ તેને નાશ કરવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય પ્રેમ છે. જેને વંદિત્તા સૂત્રમાં નિત્ય જણાવે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ષવિરમણ खामेमि सबजीवे, सवे जीवा खमंतु मे । मित्ति मे सबभूएसु, वेरं मझं न केणइ ॥ “હું સર્વ જીને ક્ષમા આપું છું, સર્વ જી મને ક્ષમા આપ. મારે સર્વ સાથે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી.” આવી ભાવના ભાવવાવાળે મનુષ્ય લાંબા સમય સુધી શ્રેષ રાખી શકે જ નહિ. તે તો તે જ દિવસે બીજાને ક્ષમા આપે અને મનમાંથી તેના પ્રત્યેને શેષ કાઢી નાખે. તે સમજે છે કે આપણું સુખદુઃખમાં બીજાઓ તે નિમિત્ત માત્ર છે. જે આટલું સૂત્ર આપણે કાયમ સ્મરણમાં રાખીએ તે આપણને પડેલા દુઃખ માટે દુખ આપવાના કારણભૂત બનેલા જીવ પ્રત્યે પણ આપણને દ્વેષ થાય નહિ; કારણ કે નિમિત્ત ઉપર દ્વેષ રાખવાથી લાભ શ? આપણું દુઃખના મૂળ કારણભૂત આપણે પોતે જ છીએ. વળી એક બીજો વિચાર પણ દ્વેષ દૂર કરવામાં કારણ ભૂત બની શકે. દરેક આત્મા પોતે નિર્મળ છે, આપણને જે કઈ દોષ જણાતો હોય તો તેની પ્રકૃતિને છે, માટે જે આપણે પ્રકૃતિને વિચાર નહિ કરતાં તેની પાછળ રહેલા આત્માને ખ્યાલ લાવીએ તો આપણને દરેક જીવ ઉપર પ્રેમ થાય અને શ્રેષમાત્ર આપણું હૃદયમાંથી ચાલ્યા જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. કલહવિરમણ. વાસ્તુતઃ પ્રથમના પાંચ પાપસ્થાનક મુખ્ય છે અને તેને ટેકો આપનારા ૬ થી ૯ સુધીનાં પાપસ્થાનકે ક્રોધ, માન, માયા અને લેભ છે. એ પાપનાં કાર્યોને આ ચાર કષાયથી ઘણું બળ મળે છે. ૧૦ થી ૧૮ સુધીનાં પાપસ્થાનકે તે ૧ થી ૯ સુધીના પાપસ્થાનકેના સંમિશ્રણથી પ્રગટે છે. હવે આપણે ૧૨ મા પાપસ્થાનક કલહનો વિચાર કરીએ. કલહ એટલે કજીએ-કંકાસ, બીજાઓ સાથે ઝઘડે વગેરે. જ્યાં કલહ હોય ત્યાં કુસંપ પ્રગટે છે અને તે અનેક અનર્થોનું મૂળ બને છે. કલહની ઉત્પત્તિનું કારણ કયાં તે ક્રોધ હોય છે અથવા અભિમાન હોય છે. પિતાના વિચારો સત્ય છે, એમ મનુષ્ય માને છે અને તેથી તે વિચારોની વિરુદ્ધ જેના વિચારો હોય તેની સાથે ઝઘડામાં ઉતરે છે, કલહ કરે છે. જ્યાં હૃદયની ઉદારતા નથી ત્યાં નજીવી બાબતે પણ મોટા કલેશનું કારણ થઈ પડે છે. જે મનુષ્યને કલહ કરવો હોય તેને કારણે શોધવા દૂર જવું પડે તેમ નથી. તે જ્યાં કારણે ન હોય ત્યાં પણ નવા કારણે પેદા કરે છે. વરુ અને ઘેટાની વાત સર્વના જાણવામાં હશે. વરુને ઘેટા સાથે કઈ પણ રીતે કલહ કરે હતે. એક નદીના કિનારે વરુ અને ઘેટું બંને પાણી પીતાં હતાં. વરુએ કજીઓ, Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કલહવિરમણ કરવાના ઉદ્દેશથી ઘેટાને કહ્યું “તું પાણી કેમ ડોળી નાખે • છે? મારી પાસે પાછું મેલું થઈને આવે છે.” ઘેટાએ કહ્યું કે “તમે નદીના ઉપરના કાંઠે છે, તે તમારી તરફનું પાણી મારી તરફ આવે છે, તો પછી હું કેવી રીતે પાણીને ડોળીને બગાડતે હોઈશ?” તે કલહશીલ વરુએ પ્રત્યુત્તર વાળ્યો પણ તેં મને છ મહિના પર ગાળ કેમ દીધી હતી?” ઘેટાના બચાએ કહ્યું કે “મને જગ્યાને જ બે માસ હજુ પૂરાં થયાં નથી તે હું છ માસ પૂર્વે તમને ગાળ કેવી રીતે દઉં?” ત્યારે વરુ બોલી ઉઠયું “તેં ગાળ નહિ દીધી હોય તે તારા બાપે ગાળ દીધી હશે” આમ કહી તે ઘેટા પાસે જઈ તેને મારી નાખ્યું અર્થાત્ કજીઓ કરનારને તે લડવાનાં સે બહાનાં જડે છે. એક મીયાં સાહેબ પિતાના પુત્ર સાથે જતા હતા. કઈ વટેમાર્ગુએ પૂછયું કે “કેમ મીયાં સાહેબ ! આ તમારો પુત્ર છે !” મીયાએ જવાબ આપે. “શું મારે નહિ તો તારા બાપને છે?” પછી પેલો વટેમાર્ગુ બોલ્યા ખુદા તેને અન્ય રખે.” મીયાએ કહ્યું “તેરા ચલે તે માર ડાલીએ.” આવી રીતે જેની વૃત્તિ લડવાની હોય તે તે વાતવાતમાં છિદ્રો શોધી બીજાએથી ઝગડો ઊભું કરે. આવા સ્વભાવવાળા પુરુષે જ્યાં જાય ત્યાં પોતાની ભવડે કલહ ઊભું કરે છે. તેમની જીભમાં મીઠાશ બીલકુલ હેતી નથી. તેમની જીભ કુહાડાના ઘા જેવી હોય છે. તેઓ જાતે કલહ કરે છે અને બીજામાં કલહ કરાવે છે. તેઓ એવી વાતો કરે છે કે ઘણું મિત્રો અને સંબંધીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે : વચ્ચે પણ ઝઘડાઓ ઊભા થાય. તેમના સંબંધમાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે – अहो खलभुजंगस्य, विचित्रोऽयं वधक्रमः । अन्यस्य दशति श्रोत्रं, अन्यः प्राणैवियुज्यते ॥ દુષ્ટ પુરુષરૂપ સપની બીજાનો વધ કરવાની રીત કાંઈક વિચિત્ર છે. તે એકના કાનમાં ડસે છે અને બીજે મનુષ્ય મરણ પામે છે. અર્થાત્ દુષ્ટ અને કલહશીલ પુરુષે લોકોના કાન એવી વાતોથી ભંભેરે છે કે જેથી બીજાને મોટું નુકસાન થાય અને કોઈ વાર તો મનુષ્યને મરવાને સમય આવે. કલહ ઉપર જણાવ્યા પ્રમાણે નાની નાની બાબતમાંથી પ્રકટે છે. કહેવત છે કે “રોગનું મૂળ ખાંસી અને કલહનું મૂળ હાંસી.”કેઈની ઠઠ્ઠામશ્કરી કરતાં સામે મનુષ્ય ચીડાઈ જાય અને તેમાંથી મેટે કલહ ઉત્પન્ન થાય. જે ખાંસીને ન રોકવામાં આવે તો તે ક્ષયરોગનું કારણ થઈ પડે છે, તેવી રીતે મશ્કરી પણ કલહ-કંકાસનું કારણ થઈ પડે છે. કલહના સંબંધમાં આપણે એક દષ્ટાંત વિચારીશું. દશરથ રાજાને ત્રણ સ્ત્રીઓ અને ચાર પુત્ર હતા. જ્યારે પોતે વૃદ્ધ થવા આવ્યા ત્યારે કેશલ્યાથી ઉત્પન્ન થયેલ પિતાના વડીલ પુત્ર રામચંદ્રને રાજગાદી આપવા તેમણે નિશ્ચય કર્યો. સર્વ મંત્રીઓએ પણ તે કામને સંમતિ આપી. આ વાતની ખબર કૈકેયીની દાસી મંથરાને પડી. તે કર્કશ અને કલકપ્રિય સ્વભાવવાળી દાસી મંથરાએ કૈકેયીને કહ્યું કે“આવતી કાલે રામચંદ્રને ગાદી મળવાની છે. તમે જાણે છે?” Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કલહવિરમણ કૈકેયીએ કહ્યું, “હા, હું રામને મારા ભરત તુલ્ય ગણું છું. અને તેથી મને આનંદ છે.” મંથરાએ કાન ભંભેરતાં કહ્યું. “ રામ ભલે આદમી છે, પણ તેની માતા કૌશલ્યાને ઓળખે છે ? જ્યાં રામ અને કૌશલ્યાના હાથમાં સત્તા આવી, એટલે તમે અને તમારે ભરત ભિખ માગશે માટે કાંઈક તે વિચાર કરો.” આ કલહ ઉત્પન્ન કરાવનારાં વચનોથી કેકેયીને અસર થઈ. અને તેણે કહ્યું “ ત્યારે હવે કરવું શું?” મંથરાએ તરત જ ઘડી કાઢેલી જના રજૂ કરી–“તમે એક વાર કહેતા હતા કે દશરથ રાજાએ તમને બે વચન આપેલાં છે, તે તેને લાભ લેવાનો આ સમય છે. આજે તમારી પાસે દશરથ રાજા આવે ત્યારે તે બે વરદાનમાંથી એક વરદાનવડે ભરત વાતે રાજ્યગાદી માંગ અને બીજા વરદાનવડે રામ ચૌદ વર્ષ જંગલમાં જાય તેવું માગી લેજો રાજા ગમે તેવું સમજાવે તો પણ તમારી હઠ છેડશો નહિ.” આ હલકી સલાહ પ્રમાણે કૈકેયી હતી. તેના પરિણામે રામ વનવાસ ગયા અને દશરથ રામના વિયોગે મરણ પામ્યા. આ બધી દુર્દશાનું કારણ કૈકેયીને કલહશીલ સ્વભાવ નહિ તે બીજું શું? કલહના ફાયદા તે આપણે સર્વ જાણીએ છીએ. કહેવત છે કે-કજીઆથી તે ગેળાના પાણી પણ સૂકાઈ જાય, અર્થાત્ જે ગૃહમાં કલહ પેઠે તે ઘરમાંથી લક્ષમી ચાલી જાય છે, કારણ કે સંપ ત્યાં જંપ છે અને કલહ કુસંપનું મૂળ છે. એક્તા એ સરવાળો છે અને કલહ એ બાદબાકી છે. તેમાં બન્નેનું બળ નાશ પામે છે. કલહથી કુસંપ જન્મ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે છે અને કુસંપથી રાજ્ય, જ્ઞાતિઓ તથા કુટુંબો નાશ પામ્યાના અનેક દાખલાઓ મેજુદ છે. આ કલહ દૂર કરવાને સૌથી ઉત્તમ માર્ગ તો હૃદયની ઉદારતા છે; કારણ કે જે હૃદયમાં ઉદારતા નહિ હોય તે તે કટુ વચનરૂપે પ્રકટ થયા વિના રહેશે નહિ અને કટુ વચન એ જ કલહનું મોટું કારણ બને છે, માટે કલહને ત્યાગ કરવા મનુષ્ય જીભ ઉપર ઘણે સંયમ રાખ. જે એક મનુષ્ય ક્રોધથી બોલે અને બીજો માન રહે તે ઝઘડે બંધ થવાને સંભવ છે, પણ જે બને વાણ ઉપર સંયમ ઈ બેસે જરૂર કલહ ઉત્પન્ન થાય. બે હાથ વિના તાળી પડતી જ નથી. એક જણ દેરી ખેંચે અને બીજો ઢીલી મૂકે તે દોરી તૂટે નહિ, પણ જ્યાં બે જણ સામસામી દેરી ખેંચે ત્યાં તે તૂટી જવાને સંભવ છે. જે મનુષ્યમાં નમ્રતા છે તે ઘણું કલહને દૂર હઠાવી શકે છે. વાણીની કડવાશ જ મોટે ભાગે કલહનું કારણ બને છે. જે મનુષ્યની વાણીમાં મીઠાશ હોય છે તો તેને ઠપકે પણ બીજાને લાભકારી થાય છે. આ વાણીની મીઠાશ અથવા કડવાશને આધાર હૃદયના ભાવ ઉપર હોય છે. જે હદયમાં બીજાને ઘા મારવાની અથવા બીજાને પરાસ્ત કરવાની અથવા હરાવવાની વૃત્તિ ન હોય તે વાણું પણ તેવી જ નીકળે છે અને ગમે તેવો વિગ્રહ અટકી જાય છે. શત્રુને હસીને મિત્ર બનાવી શકાય, એ લોકોક્તિમાં અપૂર્વ સત્ય રહેલું છે, માટે કલહને દૂર કરવા માટે વચન સત્ય અને પ્રિય હોવું જોઈએ. કેઈક સત્ય વાત બીજાને કડવી લાગે, પણ તે કહેવા કહેવામાં બહુ ફેર હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ કલવરમણ જગતમાં આપણે બધા મુસાફ્ા તરીકે આવ્યા છીએ અને અમુક સાધ્ય તરફ જવાને બધા કૂચ કરીએ છીએ. મામાં એક બીજાની મદદથી આપણે આગળ વધવાનું છે. એક બીજાની હુથી આપણે પ્રગતિ કરવાની છે, તેા પછી કલહ કરવાથી લાભ શે! ? જો કાઇ સાથે બને તે મૈત્રી કરા અને ન બને તે તેને રસ્તે તેને જવા દે, પણ તેની સાથેના સંબંધ તેાડવાથી અથવા ઝગડા કરવાથી લાભ શે? કલહશીલ વૃત્તિવાળાને આર્ત્ત અને રોદ્ર પરિણામ રહ્યાં કરે છે. તેને કદાપિ શાંતિ વળતી નથી. તે કદાપિ કલ્યાણકારી પવિત્ર વિચાર કરી શકતા નથી. આત્મ અભ્યાસીએ-સ્વઉન્નતિ ઇચ્છક દરેક જીવે આ કલહની વૃત્તિ દૂર કરી સર્વ જીવ સાથે હળીમળીને રહેવું; કારણ કે તેમાં આપણને તેમજ સામાને શાંતિ થાય છે અને શાંતિ સાથે સાચી શક્તિ જન્મે છે તથા વિકાસ ઘણી ત્વરાથી થવા લાગે છે. પ્રકરણ ૧૩ મું. અભ્યાખ્યાનવિરમણુ, અભ્યાખ્યાન એ તેરમું પાપસ્થાનક છે. અભ્યાખ્યાન એટલે ખીજાને માથે આળ મૂકવુ, કૈાઇનામાં જે દોષ ન હાય તે દોષ તેને માથે ચઢાવવા, સાંભળેલી વાતા પરથીલેાકેાક્તિથી અમુક પુરુષ કે સ્ત્રી આવાં જ છે એમ માની બેસવું અને તે વાત બીજાઓમાં ફેલાવવી આ સર્વ અભ્યાખ્યાનમાં સમાઇ જાય છે. આનુ કેટલું અને કેવું ભયંકર પરિણામ આવે છે તેના ઘણા થાડાને જ ખ્યાલ હાય છે. જીભવડે આપણે For Personal and Private Use Only Jain Educationa International Page #98 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પંથે જે પાપ કરીએ છીએ તેમાં મોટામાં મોટું અભ્યાખ્યાન છે, તે વડે આપણે બીજાના ચારિત્રની ચોરી કરીએ છીએ. આ અભ્યાખ્યાન અથવા બીજાને આળ દેવાની વૃત્તિ શા કારણથી અને કેવી રીતે ઉદભવે છે? તેને આપણે વિચાર કરીએ. કેઈ મનુષ્ય સામાન્ય રીતે બીજા મનુષ્યને હલકા ગણે છે, એટલે તેમનું ઘસાતું બોલવું, એ તેને કાંઈ ખોટું કે ભૂલભરેલું લાગતું નથી. તે માને છે કે બીજાને હલકા પાડવાથી પોતાની પ્રતિષ્ઠા વધશે. તેને બીજાના ગુણે અથવા શક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા આવે છે અને તે પિતાની ઈર્ષ્યા ઘણું વાર બીજા પર ખોટા આરોપ મૂકીને પ્રકટ કરે છે. તેનામાં પ્રદ ગુણને અભાવ હોય છે. વળી મનુષ્યને બીજા ઉપર દેષ મૂકવામાં અથવા બીજાના દોષે વર્ણ વાતા હેય તે તે સાંભળવામાં રસ આવે છે. આ રસ ઘણું જ હલકા પ્રકાર છે. અને જે મનુષ્યને આવા બીજાઓના ચારિત્ર પર મૂકાતા આક્ષેપ સાંભળવામાં રસ પડતો હોય તે જીવાત્માને પિતાના વિકાસ વાસ્તે ઘણું કરવાનું છે. કેટલાકને સમયનો શી રીતે સદુપયોગ કરે તે સુઝતું નથી અને તેથી તેઓ આ પ્રમાણે બીજાઓની બદબઈ કર્યા કરે છે. પિતાના આ કર્તવ્યનું કેવું માઠું પરિણામ આવશે, તેની તે બિચારાઓને ખબર પણ હોતી નથી, પણ આ અભ્યાખ્યાન–અથવા બીજા પર ખાટું આળ ચડાવવું–એ ઘણું જ મોટે દોષ છે. તેનાં પરિણામને જે આપણે વિચાર કરીએ તે જરૂર આપણને લાગે કે જ્યાં મનુષ્યના ચારિત્ર ઉપર આક્ષેપ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાનવિરમણ મૂકવામાં આવે, જ્યાં તેના વર્તન ઉપર છેટું આળ મૂકાય ત્યાં તે મનુષ્યની સ્થિતિ ઘણું દુઃખદ થઈ પડે છે. આવા આક્ષેપો જેમના પર મૂકાયા હોય તેઓને રાતદિવસ ઊંઘ પણ ન આવે. “લોકે મારે વિષે ખાટે અભિપ્રાય ધરાવશે તે મારું શું થશે? મારી કીર્તિ જશે પછી હું કેવી રીતે જીવીશ?” આવા વિચારો કરવામાં તેની રાત્રિ પસાર થઈ જાય છે. અને તેનું ઓશીકું તેના આંસુવડે ભીંજાય છે. જ્યાં પ્રથમ હે મલકાતું હતું ત્યાં હવે કટાક્ષ જ નજરે પડે છે. આ સ્થિતિ શું ઓછી દુસહ્ય છે? મનુષ્ય ઉપર જે બેટે આક્ષેપ મૂકાય-અને જે તે મનુષ્ય બહુ જ લાગણુ–સ્વભાવવાળો હોય તો તેના દુઃખને પાર રહેતું નથી. જે જગતમાં જીવતી નરક હોય છે તે સમયના તે મનુષ્યના મનની સ્થિતિ છે. જ્યારે ઘણુ બેટા આક્ષેપ મૂકવામાં આવે છે ત્યારે કેટલીક વાર તો વીર આત્માઓ પણ ડગી જાય છે, તથા નિરાશા અને શાકને વશ થાય છે, તે પછી સામાન્ય પામર આત્માઓની તો સ્થિતિનું શું વર્ણન થઈ શકે? જેમની પ્રતિષ્ઠાને નિકારણ હાનિ પહોંચી હોય, તેવા મનુષ્યની સ્થિતિમાં તમારી જાતને મૂકે એટલે તમને આ અભ્યાખ્યાનનું–બીજાને માથે બેડું આળ મૂકવાનું–કેટલું ઘેર પાપ છે તેને ખ્યાલ આવશે. એવા દૂછાત વાંચવામાં આવે છે, તેમજ ઘણાના અનુભવમાં પણ હોય છે કે મનુષે ચારિત્રપ્રતિષ્ઠાની હાનિ થતાં આપઘાત પણ કરી બેસે છે. આ પ્રમાણે સામાને નુકસાન થાય છે, એટલું જ નહિ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે પણ આ અભ્યાખ્યાનનું પાપ કરનારને પોતાને અશાંતિ રહે છે, તેની વાણું અસત્યમય બને છે. તે બીજાના દોષ જવામાં અને કહેવામાં, બીજાઓમાં રહેલી સારી બાબતે જોઈ શકતો નથી. તેના મનમાં પરના દેષનાં કાળાં ચિત્રે રમે છે, તે તેવાં જ કાર્યોને જન્મ આપે છે. અભ્યાખ્યાનના માઠા પરિ. ણામને ખ્યાલ આપ્યા પછી તે ત્યાગવાના ઉપાય વિચારીએ. પ્રથમ તે મનુષ્ય વાણું ઉપર સંયમ રાખવો. કોઈને પણ દોષ જાહેર કરતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. બીજાઓ આપની સન્મુખ કઈ દે જણાવે, તો તે એકદમ માની લેવા નહિ. તેવા મનુષ્યોને કહેવું કે “તમે કહે છે તે વાત ખરી ના પણ હોય, અને કદાચ હેય તે પણ તે વિષે ન બેલવું એ વધારે હિતકારી છે.” ઘણું લેકે અમુક મનુષ્ય ઉપર આરોપ મૂકે છે, માટે આપણે પણ તે મૂકો એ મૂર્ખતા છે. ઘણા અમુક પાપ કરે છે, તેથી કાંઈ પાપની ઓછાશ થતી નથી અથવા કર્મ તેને છેડી દેતું નથી. બીજાની મૂર્ખતા કાજે આપણા મુખથી ઝેર લેવામાં લાભ શે? આપણે બીજાના આશયેની તુલના કરવામાં ઘણીવાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને તેને આશય જેતા નથી અને તેને માથે નિષ્કારણ દેષ મૂકી તેને ફજેત કરીએ છીએ. આ રીતે મોટું પાપ આપણે શિર આવે છે. એક મનુષ્ય કલાલની દુકાનમાંથી નીકળે માટે તે દારૂ પીવા માટે જ ગર્યો હતો, એમ માની લેવું એ મોટી ભૂલ છે. કદાચ તેના ઘરમાં કેઈને વાગ્યું હોય અને તેને વાસ્તે દારૂની જરૂર હોય Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાનવિરમણ તે તે લેવા માટે કલાલની દુકાનમાં તેને જવું પડયું હાય. અમુક પુરુષ એક સ્ત્રીની સાથે સંધ્યાકાળે વાત કરતો ઊભો છે, તમે ત્યાં થઈને જાઓ છે, તમે તે પુરુષને ઓળખ છે, તે સ્ત્રીને ઓળખતા નથી. તમે કલ્પના કરે છે કે તે પુરુષ હલકા આશયથી જ તે સ્ત્રી સાથે વાત કરે છે. કદાચ તે તેની બહેન જ હોય અને તમારી કલ્પના તદ્દન અસત્ય ઠરે, માટે કેઈને માથે પણ દેષ આપતાં ઘણે વિચાર. કરે કહ્યું છે કે – કાને સુણું ન માનીએ, નજરે દીઠી સે સચ; નજરે દીઠી ન માનીએ, નિર્ણય કરી સો સચ્ચ. કોઈના સંબંધમાં કાને સાંભળેલી વાત ન માનવી, પણ જે નજરે જોવામાં આવે તો તે માનવી, પણ કવિ આગળ વધીને કહે છે કે-નજરે દીઠેલી વાત પણ ખોટી પડવાનો સંભવ છે માટે તેને નિર્ણય કરે અને નિર્ણય કર્યા પછી જે બાબત સત્ય ઠરે તેને સત્ય માનવી. એક વાર એક ક્ષત્રિયપુત્ર પિતાની પત્ની તથા બહેનને ઘરમાં મૂકી પરદેશ ગયે. તે ચાર વર્ષે આવી ગામ બહાર ઉતર્યો. તેના મનમાં પોતાની સ્ત્રીના શીલની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, તેથી તે રાત્રિએ પિતાને ઘેર આવ્યું અને જોયું કે પિતાની સ્ત્રી એક પથારીમાં સૂતી છે અને તેની બાજુએ એક પુરુષ સૂતે છે. તેના ક્રોધને પાર રહ્યો નહિ. તે બન્ને ઉપર તરવાર કાઢી ઘા કરવા જતો હતો તેવામાં સ્થાનમાંથી તરવાર કાઢતાં થએલા ખડખડાટથી તે પુરુષ જાગી ઉઠ્યો. તે પુરુષ તે બીજે કઈ નહિ, પણ તેની Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પવિત્રતાને પંથે સગી બહેન હતી. તે દિવસેામાં ચારના ભય હતા અને જ્યાં એકલી સ્ત્રીએ હાય ત્યાં ચારના વિશેષ ત્રાસ હાવાથી દરરોજ રાત્રે તેની બહેન પુરુષના પાશાક પહેરી સૂઇ રહેતી હતી. આવા મનાવા ઘણીવાર અને છે, માટે કાઇ પર આળ મૂકતાં પહેલાં ઘણા વિચાર કરવા. ખીજામાં ઢાષ હાય તા તે કહેવાની પણ જરૂર નથી, તા પછી અછતા દોષના આરોપ મૂકવા એ તેા મેટામાં મેહુ પાપ છે. આપણે ઘણી વાર બીજાનું ઘસાતું ખાલીએ છીએ. તે પુરુષ કે સ્ત્રીનું ચારિત્ર એવું જ હાવું જોઇએ એમ પણ બેદરકારીથી ખેાલીએ છીએ, પણ તેથી જે પરિણામ આવે તે પુરુષ કે સ્ત્રીને શેાસવું પડે છે, તેને આપણને ખ્યાલ હાતા નથી. જો આપણને તેવા ખ્યાલ આવે તા આપણે તેવી ભૂલ કદાપિ કરીએ નહિ. જે મનુષ્ય આ અભ્યાખ્યાનના પાપથી મુક્ત રહે છે તે ઘણી શાંતિ અનુભવે છે. તે કાઇનુ ઘસાતું ખેલતે નથી. તેને મન સત્તાષ રહે છે કે તેણે કાઈ ઉપર પણ ખાટુ આળ મૂક્યું નથી, અથવા પરના ઢાષા લેાકેા આગળ જણાવવાની ભૂલા કરી નથી. તેમ આ વાત છાની રાખજો, એવું કહેવાના સમય તેને આવતા જ નથી; કારણ કે તે તેવી ખાખતા કહેવા કે સાંભળવા ચાખ્ખી ના જ પાડે છે. જો મનુષ્ય અભ્યાખ્યાનના પાપથી સદા ખચવું ડાય તા મીજાના દ્વાષ નહિ સાંભળવાની કે નહિ કહેવાની દૃઢ પ્રતિજ્ઞા કરવી જોઇએ. જે મનુષ્ય તેવી વાતા સાંભળતા નથી તેના આનંદના પાર રહેતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું. વૈશુન્યાવરણુ, ચૌદમું પાપસ્થાનક પૅશુન્ય છે, અને તે પણ તેમા પાપસ્થાનક અભ્યાખ્યાનની માફક હલકા સ્વભાવનું સૂચક છે, પૈશુન્યમાં ચાડીચુગલી, એકની વાત બીજાને કહેવી અને એની પૂઠ પાછળ નિંદા કરવી એ સર્વના સમાવેશ થાય છે. વૈશુન્યને અંગ્રેજી ભાષામાં back-biting કહે છે, જેને અર્થ પીઠ કરડવી એવા થાય છે. અર્થાત્ આ દુર્ગુણને વશ થયેલા જીવ લેાકેાની પૂંઠે પાછળ તેમની બદએાઇ કર્યા કરે છે અને તેમાં એક જાતના હલકા રસ લે છે. જેમ અનેક હલકા પ્રકારનાં વ્યસના હાય છે તેમ આ પારકી બાબતેાની ચાડીચુગલી કરવાનુ પણ કેટલાકને વ્યસન પડી જાય છે અને પછી તે તજવાનું કામ ઘણું કઠણ થઇ પડે છે. ચાડી કરનાર મનુષ્ય વગરપૈસાના ક્રીએ છે. અને તે જ્યાં ત્યાં એકની વાત બીજાને અને બીજાની ત્રીજાને કહેતા કરે છે. આવા મનુષ્ય મેટે ભાગે ખીજાઓના ઢાષાની, નિ`ળતાઓની, ખાસીઓની, ભૂલાની વાતા કર્યો કરે છે. તે જાણે છે કે લેાકેા તેની વાતા સાંભળીને તેને શાબાશી આપશે, પણ તેને વિષે લેાકા શું ધારે છે ? તેનેા તેને ખ્યાલ પણ હોતા નથી. આવે મનુષ્ય સમયના ઉપયાગ કેમ કરવા તે જાણતા નથી, તેથી જ તે પોતાના સમયના મેટામાં માટે દુરુપયેાગ કરે છે. તે પારકી વાતા સાંભળે છે, તેમાંથી કાંઈ જે દ્વેષભર્યું હાય તે યાદ રાખે છે અને પછી તે તેના જેવા જ નવરા હ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પવિત્રતાને પંથે મનુષ્ય આગળ લલકારીને મનમાં રસ લે છે. લોકોમાં પિતાની વાતથી વેરવિરોધ વધે છે તેનું તેને ભાન પણ હેતું નથી. તે લેકેની ખુશામત કરવા બીજાઓના દે સંબંધી વાતે સંગ્રહી રાખે છે, તે વગર પૈસાના ગેઝેટનું કામ કરે છે. સામાન્ય ગેઝેટ(વર્તમાન પત્રોમાં તે શુભ અશુભ સર્વ સમાચાર હોય છે પણ આ ગપ્પીગેઝેટને મેટો ભાગ તો અનેકનાં છિદ્રોથી ભરેલો હોય છે અને તે એવી તે સફાઇથી બીજા આગળ રજૂ કરે છે કે લેકે જલ્દી તે માની લે છે. જે મનુષ્ય પિતાના સમયને સદુપયોગ કરે હોય તે તેને આવી ચાડીચુગલી માટે સમય જ મળતો નથી. આ ચાડીયુગલીના ગેરફાયદા અનેક છે. તેના પર કેઈ વિશ્વાસ રાખતું નથી, કારણ કે જે મનુષ્ય બીજાની વાત આપણી આગળ કહે છે તે આપણી વાતો બીજા આગળ કેમ નહિ કહે? એમ ધારી લેકે તેને અવિશ્વાસપાત્ર માને છે. ચાડીચુગલી કરનાર મનુષ્ય જ્યાં ત્યાં કલહ વધારે છે અને મિત્રોમાં, સનેહીઓમાં, સંબંધીઓમાં ફાટફુટ પડાવે છે. તે આપણને ખબર પણ ન પડે તેવી રીતે આપણી પીઠ પાછળ-આપણી ગેરહાજરીમાં આપણા વિષે અનેક હલકી બાબતો બોલે છે. તે મનુષ્ય આપણા મુખે મીઠું બોલે છે, પણ પાછળ આપણી નિંદા કરે છે આપણા અવગુણ ગાય છે. વળી તેવા મનુષ્યની વાણમાં મોટે ભાગે દેષ જ હોય છે. જે દોષને સંગ્રહ કરી વહેંચવા માટે નીકળ્યો હાય, તેની પાસે આપણે કયાંથી શુભ બાબતોની આશા રાખી શકીએ ? તેનો વ્યાપાર જ તેવી જાતને છે. આથી તેના વચનમાં સદોષતા આવે છે અને તેનું વાતાવરણ પણ અશુભ બને છે. આપણે જે ડીવાર તેવા મનુષ્યના Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વૈશુવિરમણ ૯૯ વાતાવરણમાં રહીએ, અને જરા પ્રમાદી બનીએ તા આપણને પણ મજાની નિંદા કરવાનું મન થઈ જાય; કારણ કે તેવા મનુષ્યનું વાતાવરણુ ચેપી રાગ જેવું હાય છે, માટે આત્મ અભ્યાસી મનુષ્ય જાતે કેાઇની ચાડીચુગલી કે નિ ંદા ન કરવી, એટલું જ નહિ પણ જે તેવી વાતેા કરતા હાય તેની સાબત છેાડવી. જો આપણામાં શક્તિ હાય અને તેને સુધારવાના ખાસ હેતુથી તેની સાથે થાડે સમય સબંધમાં આવીએ તા તે જુદી વાત છે, બાકી તેા શરૂઆતના અભ્યાસીઓએ તે તેવા મનુષ્યેાની વાત સાંભળવાથી દૂર રહેવુ એ જ શ્રેયસ્કર છે. જે મનુષ્યને આવી પારકાની ચાડીચુગલી કરવાની ટેવ પડી હાય તેને તે ત્યાગ કરવાને મદદગાર થાય તેવા કેટલાય વિચારો અત્રે આપવામાં આવે છે. તેવા મનુષ્યે વિચાર કરવા કે–આ ટેવ ઘણી ખરાખ છે. તે વાણીના અસંયમ સૂચવે છે. જે વાત આપણે અમુક મનુષ્યને જાતે કહી ન શકીએ તે તેની પૂઠે પછવાડે કહેવાના આપણને શે। અધિકાર છે ? વળી આ ચાડીચુગલી કરવામાં સમય નકામા જાય છે–સમયના દુરુપયેાગ થાય છે. લેાકેામાં વિશ્વાસ ઘટે છે અને અનેક શત્રુએ નિષ્કારણ ઊભા થાય છે, તેા તેવી વાતા કરવાથી લાભ શા? ખીજાએ અમુક ભૂલ કરી હાય—તેનું જીવન સદાષ હાય, તેા પણ તેવી વાતા બીજા આગળ કહેવાથી શુ લાભ થવાના હતા ? દરેક મનુષ્ય પેાતાના કર્મને વાસ્તે પાતે જોખમદાર છે. આવા વિચાર કરી તે ટેવને ટાળવી. જો વાતા કર્યા વિના ન જ ચાલતુ હોય તેા જગતમાં અનેક શુભ ખાખતા છે, તેના સંગ્રહ કરે. વમાનપત્રામાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાને પથે તેમજ મહાપુરુષના ચારિત્રમાંથી વીરતા, ધૈર્ય, કરુણા, દયા, ક્ષમા, ઉદારતા, પ્રેમ અને મૈત્રીભાવનાં દષ્ટાંત અને બનાવો એકત્ર કરે, તે સમરણમાં રાખે અને લોકોને જણાવે કે જેથી તમને તથા સાંભળનારાને બન્નેને ઉત્સાહ અને પ્રેરણાશક્તિ આવશે અને તમારી પશુન્યની ટેવ જતી રહેશે. લોકોની ગુપ્ત વાતે મિત્ર થઈ, નેહી બની સાંભળવી અને પછી તેવી વાતે બીજા આગળ કહેતાં ફરવું એ શું મિત્રદ્રોહ નહિ? એ શું ઓછો વિશ્વાસઘાત છે? પશુન્યવૃત્તિને ત્યાગ કરવાને મનુષ્ય હદયથી ઉદાર બનવું જોઈએ. આત્મ અભ્યાસી મનુષ્ય બીજાઓની નિર્બળતા પ્રત્યે ઘણું જ ઉદાર બને છે, અને જે કદાપિ સપ્ત બને તો તે પોતાની નિર્બળતા અને ખામીઓ પ્રત્યે સપ્ત બને છે. આવી રીતે-આવા પ્રકારના વિચારો કરીને મનુષ્ય પશુન્યના અધમ દેષથી મુક્ત થાય છે. પારકાના દેષરૂપી મલિન જળમાં જે આપણે આપણું વસ્ત્ર ધેઈએ તો તે કેવી રીતે નિર્મળ થાય? માટે ઉદાર વૃત્તિથી દરેક બનાવ, દરેક મનુષ્ય અને દરેક સંસ્થાની શુભ બાજુ જુઓ, તેને ટેકે આપે તેથી શુભ વૃદ્ધિ પામશે એટલે અશુભ આપઆપ ચાલ્યું જશે. પૈશુન્યને–બીજાની ચાડીચુગલી કરવાની ટેવનો ત્યાગ કરવાથી મનુષ્યને બેહદ શાંતિ મળે છે. મન વિશેષ નિર્મળ બનતું જાય છે, જ્યારે મન નિંદામાં નથી પરોવાતું ત્યારે કાંઈ શુભ કામમાં રોકાય છે, એટલે સમયને સદુપગ થાય છે, વાણું અને મન ઉપર સંયમ આવતો જાય છે અને હૃદય નિર્મળ થતાં અંતરાત્મા વિશેષ તેજથી ઝળકવા લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. રતિઅરતિવિરમણ. પંદરમું પાપસ્થાનક રતિઅરતિ છે. રતિ-અરતિ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં જે સુખ-દુખની લાગણી થાય તેને રતિઅરતિ કહે છે. આ સ્થિતિ સામાન્ય મનુષ્યને સ્વાભાવિક છે. સુખ આવે તે જીવવાની વાંચ્છા કરે છે અને તેમાં રતિ માને છે, દુઃખ આવે તે મરવાની ઈચ્છા કરે છે અને તે દુઃખદ પ્રસંગ વાસ્તે તેને અરતિ પ્રકટે છે. જેનશાસ્ત્રમાં ચાર પ્રકારનાં ધ્યાન કહેલાં છે, આર્તા, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાન. તેમાંનાં પ્રથમના બે રતિ અરતિની સ્થિતિ સૂચવે છે. તેમાંના પ્રથમ આધ્યાનના ચાર ભેદ છે. જીવ અનિષ્ટ પદાર્થોના સંગથી અથવા ઈષ્ટ પદાર્થના વિયોગથી, અથવા તે રોગથી, અથવા તે આગામી શું દુખ આવશે એવા વિચારથી પોતાના ચિત્તમાં અનેક પ્રકારની ચિંતા કરી દુઃખી થાય છે. રિદ્રિધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે-હિંસામાં, અસત્યમાં, ચેરીમાં અથવા વિષયસેવનમાં આનંદ માન . આ આનંદ અથવા રતિ ઘણા જ હલકા પ્રકારની છે. જે મનુષ્ય આવી બાબતમાં રતિ લે છે તે મનથી ઘર કર્મ બાંધે છે, અને ખાટાં કામ કરીને અનંત દુઃખને ભક્તા બને છે. પોતાના શરીરને, ઈન્દ્રિયોને અને પોતાની વૃત્તિ તથા મનને જે વસ્તુઓ અચે તેમાં મનુષ્ય રતિ માને છે અને જે Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પવિત્રતાને પંથે ન રુચે તે પ્રત્યે અરતિ થાય છે. મનને સ્વભાવ જ એવો પડી ગયેલ છે કે કઈ પણ પદાર્થ, મનુષ્ય કે બનાવ જોતાં કાં તો તેના તરફ પ્રીતિ ધરાવે છે કે કાં તો તે પ્રત્યે અપ્રીતિ થાય છે. રતિ અને અરતિ એ ખરી રીતે કહીએ તે રાગ અને દ્વેષનાં મંદસ્વરૂપ છે. કોઈ પણ વસ્તુ વિષે રતિ થતાં ધીમે ધીમે તે પ્રત્યે રાગ થતો જાય છે, અને જે અરતિ અથવા અરુચિ થઈ તો તેમાંથી બીજા કારણે મળતાં તે અરતિ શ્રેષનું રૂપ લે છે. શ્રીમદ્ આનંદઘનજી તે એટલે સુધી કહે છે કે “શ્રેષ અરેચકભાવ” જ્યાં અચિ થઈ ત્યાં દ્વેષ જ સમજ. - રતિઅરતિ મનુષ્યના મનને એક ક્ષણવાર પણ શાંત બેસવા દેતી નથી. અમુક બનાવોથી મનુષ્યને કાં તો હર્ષ થાય છે કે કાં તો ખેદ થાય છે. અમુક મનુષ્યને જોઈ કાં તો આનંદ થાય છે કે કાં તો વિષાદ થાય છે. એટલે મનના કલેલે નિરંતર ચાલ્યા કરે છે અને તે આપણા મનને જરા પણ સ્થિર થવા દેતા નથી. રતિ કે અરતિ બેમાંનું એક કલ્લેલ તો દરેક પળે આપણને ઘસડતું જ હોય છે. આ સ્થિતિમાં મનની શાંતિ ક્યાંથી હોય ? આ મનુષ્ય બહારના સંયેગોને વિશેષ આધીન બને છે. આત્મા મોટે ભાગે નિમિત્તવાસી હોવાથી તેવા મનુષ્યને જે જે સુખદુઃખના પ્રસંગો મળે તે પ્રમાણે તે હર્ષશેક ધારણ કરે છે. સુખ કે દુખ, લાભ કે ગેરલાભ, વિજય કે પરાભવ આ બેમાંનું જે એક કારણ મળે છે, તેથી રતિ કે અરતિ જન્મે છે અને તે સ્થાયી હોય એમ માની જીવ હર્ષ કે શેક ધારણ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ રતિઅતિવિરમણ આ રતિઅરતિની સ્થિતિથી મુક્ત થવું હોય તે મનુષ્ય પાણીના કલ્લોલ પરથી ખડક ઉપર થોડી વાર પણ ઊભાં રહેતાં શીખવું જોઈએ. કલેલો તેના પગ સાથે અથડાશે, પણ તેને ઘસડી જશે નહિ. તે કલેલેના સ્વરૂપને હવે દ્રણ બને છે. તે કલૅલરૂપ નહિ બનતાં કલાનું હાર્દ સમજવા પ્રયત્ન કરે છે. તેણે સૌથી પ્રથમ તો એ વિચારવું જોઈએ કે Nothing is eternalin this universe. આ વિશ્વમાં કોઈપણ સ્થાયી નથી. ભગવદ્ગીતામાં લખ્યું છે કે – मात्रास्पर्शास्तु कौन्तेय ! शीतोष्णसुखदुःखदाः ॥ आगमापायिनोऽनित्यांस्तांस्तितिक्षस्व भारत ! ॥ હે અર્જુન ! શીત, ઉષ્ણ, સુખ, દુઃખ વગેરેને આપવાવાળા ઈન્દ્રિયેના સ્પર્શે આવવા અને જવાવાળા હાઈ અનિત્ય છે માટે તેને તું સહન કર. અર્થાત્ જગતના બાહ્ય પદાર્થો જેમાં આપણે આટલું બધું સુખ કે દુઃખ માનીએ છીએ તે સર્વે સ્થાયી નથી, પણ ક્ષણે ક્ષણે બદલાય છે. શ્રીમદ્ રાજચંદ્ર એક સ્થળે લખ્યું છે કે – વિદ્યુત લક્ષમી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરીચાપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ ? લક્ષમી વિજળી સમાન ચપળ છે, સત્તા પતંગ જેવી અસ્થિર છે, આયુષ્ય એ પાણીના કલેલ સમાન છે, કામના રંગે તે મેઘધનુષ્ય જેવા છે. જ્યાં આવા ક્ષણિક સુખ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પવિત્રતાને પંથે આપનારા પ્રસંગે હેાય ત્યાં મનુષ્ય શું રાચે અથવા રતિ કરે ? તેમ જ દુઃખદ પ્રસંગે વિષે શાક પણ શું ધરે ? કારણ કે કોઈપણ વસ્તુ સ્થાયી નથી. સુખ પણ સ્થાયી નથી તેમ દુઃખ પણ સ્થાયી નથી. તે ઉપર એક ટૂંક દષ્ટાંત છે. એક રાજા હતા. તેના કંઠમાં એક માદળીઉં હતું. તે શા હેતુથી નાંખવામાં આવ્યું હતું અને તેમાં શું હતું તે તે જાણતું ન હતું, પણ વંશપરંપરાથી તે ઉતરી આવ્યું હતું. તે રાજા પર એક બીજો બળવાન રાજા ચઢી આવે તેણે આને હરાવ્યો. રાજા તેના કેટલાક સામત સાથે જંગલમાં નાસી ગયે. જંગલમાં એક વૃક્ષ નીચે બેસી વિચાર કરતાં તેની દૃષ્ટિ પિતાના કંઠમાંના માદળીયા પર પડી. તેણે તે ભંગાવરાવ્યું, તે તેમાંથી જીર્ણ તાડપત્રને એક કકડે નીકળે. તેના પર લખ્યું હતું કે મf mમિષ્યતિ This too shall pass away-આ પણ જતું રહેશે. તેણે વિચાર કર્યો કે હવે શું જતું રહેશે? મારી પાસે શું રહ્યું છે કે તે ચાલ્યું જાય ? વિચારતાં તેને લાગ્યું કે આ મારે પરાભવ (હાર) ચાલ્યો જશે અને મને વિજય મળશે. આ વિજયને વિચાર તેના મનમાં કુરતાં તેનામાં નવું ચિતન્ય આવ્યું. તેણે ફરીથી સૈન્ય એકત્ર કર્યું. તે રાજાને હરાવ્યું. વિજય મેળવ્યું. તેને હવે ફુલાઈ જવાનો સંભવ હતો. તેની દૃષ્ટિ પાછી માદળીયા પર પડી. તેણે વિચાર્યું કે આ પણ ચાલ્યું જશે. આ વિજય પણ જશે. આ ઉપરથી સાર એ નીકળે છે કે-સુખના પ્રસંગમાં એ વિચાર કરે કે આ સુખ પણ ચાલ્યું જશે માટે Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ રતિઅતિવિરમણ ૧૦૫ ફુલાઈ જવું નહિ. તેમ જ દુઃખના પ્રસંગમાં એ વિચાર કરે કે આ દુખ પણ ચાલ્યું જશે, માટે અતિ દીન ન બનવું, પણ સમતોલવૃત્તિ જાળવવી. જ્યાં સુધી મનુષ્ય બાહ્ય સંગેનો-મનુષ્યને–વસ્તએને વિચાર કર્યા કરે છે ત્યાં સુધી રતિ કે અરતિ થવાની જ, ત્યાં સુધી સુખ દુખ થવાનું જ. પણ આત્માની અનંત કાળની જિંદગીમાં આ જિંદગી એ એક દિવસ છે, એવું વિચારતાં સર્વ બનાવે ગણુ થઈ જાય છે. તે મનુષ્ય સુખ-દુઃખમાં મનની સ્થિરતા જાળવી શકે છે. કવિ કાલિદાસ કહે છે કે कस्यैकान्तिकं सुखमुपनतं दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ . કેને એકાંત સુખ મળ્યું છે? અથવા કેને એકાંત ' દુઃખ મળ્યું છે ? આપણું દશા ચક્રની ધારા પ્રમાણે ઉપર નીચે ચાલ્યા જ કરે છે, આવજા કરે છે, માટે જે રતિઅરતિથી મુક્ત થઈ શાંતિ મેળવવી હોય તો સુખ દુઃખ આપનારા પદાર્થોની અનિત્યતા વિચારી મનુષ્ય તેના દ્રષ્ટા બનવું. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મુ પરપરિવાદવિરમણ સોળમું' પાપસ્થાનક પરપરિયાત છે. તેના સામાન્ય અથ પારકાની ખાખતાની વાત. પણ તે માટે ભાગે નિંદાની હાવાથી પરપરિવાદનેા અર્થ પરિનંદા એમ થાય છે. પારકી નિંદા કરવી, પારકાના સબંધમાં ઘસાતુ ખેલવુ, અથવા ખીજાએના સબંધમાં નકામા ગપ્પાં મારવાં, એ મનુષ્યને સ્વભાવ થઇ પડ્યો છે. મનુષ્યને તેમાં એક જાતને રસ અને ઉત્સાહ આવે છે. જ્યાં શાંત, વૈરાગી, હિતકર, પરના ગુણેાની વાત ચાલતી હૈાય ત્યાં મનુષ્ય કંટાળી જાય છે, તેમાં તેને રસ આવતા નથી. પણ જ્યાં મીજાનાં દૂષણૢા ચર્ચાતાં હાય, ખીજાની ખમાઈ થતી હાય ત્યાં મનુષ્યને સ્ફુર્તિ આવે છે, અને પાતે પશુ તે વાતમાં ભાગ લેવા માંડે છે, અને ખેાટીખરી અનેક બાબતે તેમાં ઉમેરીને વાતને રસમય બનાવવા પ્રયત્ન સેવે છે. જો મનુષ્ય પેાતાના જ કાર્યમાં લક્ષ આપે, બીજાઓને મદદની જરૂર હાય અને પાતે તે આપી શકે તેમ લાગતુ હાય તે। તે આપવા માટે બીજાના કામમાં રસ લે, તે સિવાય જો પાતે પેાતાના વિચારા, વચના અને કાર્યો પર લક્ષ આપે તે પેાતાને ઘાજ લાભ થાય. પણ મનુષ્યમાં બીજાના કામમાં માથું મારવાની ઇચ્છા ઘણી પ્રખલ જણાય છે. ખીજાઓ કરતાં પેાતાનુ જ્ઞાન વધારે છે, અથવા પેાતાને સારી આવડત છે તે ખતાવવાને અને આ રીતે પેાતાના અહુકારને પાષવા જીવા પારકી માખતામાં માથુ મારતા જણાય છે. બીજો મનુષ્ય શું Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પર પરિવાદવિરમણ ૧૦૭ કહે છે, કરે છે અથવા માને છે તેની સાથે આપણને કશે સંબંધ નથી. તે વિષે આપણે છેક તટસ્થ રહેતાં શીખવું જોઈએ. જ્યાં સુધી તે મનુષ્ય બીજા મનુષ્યની વચમાં ન આવે ત્યાં સુધી સ્વતંત્ર વિચાર કરવાને, સ્વતંત્ર શબ્દો બલવાને, સ્વતંત્ર કાર્ય કરવાને તેને સંપૂર્ણ હક્ક છે. આપણને જે યોગ્ય લાગે તે કરવાની આપણને સ્વતંત્રતા હોવી જોઈએ, એ હકક આપણે માગીએ છીએ, તે પછી આપણે બીજાને તેટલી જ સ્વતંત્રતા ભેગવવા દેવી જોઈએ; અને જ્યારે બીજો કોઈ મનુષ્ય તેવી સ્વતંત્રતાનો ઉપભેગ કરતા હોય ત્યારે તેની નિંદા કરવાને આપણને જરા પણ અધિકાર નથી. જે આપણને એમ લાગતું હોય કે અમુક મનુષ્ય અમુક ખોટું કામ કરે છે, અને જે આપણે સભ્યતાથી અને ખાનગી રીતે તેને આપણા વિચારો દર્શાવવાના પ્રસંગ લઈએ તે તેને સમજાવી શકવાને સંભવ છે, પણ ઘણી બાબતમાં તે આમ કરવું તે પણ અગ્ય રીતે માથું મારવા જેવું કામ છે. જે આપણે ત્રીજા મનુષ્ય સન્મુખ જઈ તે બાબત જણાવીએ તો તેની નિંદા કરી કહેવાય અને નિંદા તે તે મોટે દુર્ગુણ છે. નિંદાના વિચારમાત્રથી ઘણે અનર્થ પેદા થાય છે. દરેક મનુષ્યમાં ગુણ તેમજ અવગુણ રહેલા છે. પ્રભુ સિવાય કઈ પણ જીવ પૂર્ણ નથી. “થોડા ઘણા અવગુણે સા ભર્યા રે, કેઈના નળી ચુવે, કોઈનાં નેવ રે.” તે પછી આપણે તેના અશુભનું ચિંતન કરી સામાના દેષને પુષ્ટિ આપીએ છીએ. જે તેનામાં તે અવગુણ હોય તો તે પુષ્ટ થાય છે અને ન હોય તે પણ તેનું વારંવાર ચિંતન કરીને દોષનું બીજ તેનામાં રોપવા જેવો પ્રયત્ન આપણા વિચા Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પવિત્રતાને પંથે રથી થાય છે. વળી જગતનું વાતાવરણ બગડતું જાય છે. જગતમાં પરદોષદષ્ટિ વધે છે, પણ સા કરતાં મોટે ગેરફાયદો તો આપણને થાય છે કે આપણું વાતાવરણ મલિન બને છે. પારકાના દેષરૂપી મલિન જળમાં સ્નાન કરવાથી આપણી શુદ્ધિ કેવી રીતે થઈ શકે? વળી આપણે વિચાર કરવાથી અટકતા નથી, પણ આપણે બીજાના દેષની કરેલી શોધ લોકે આગળ અતિશકિતના સાથિયા પૂરી, મીઠું મરચું ભભરાવી, લલકારીએ છીએ અને તેઓ પણ તેમાં બહુ જ રસપૂર્વક ભાગ લે છે. તેઓ તે વાત બીજાઓને જણાવે છે. આવી રીતે સેંકડે મનુષ્યો તે કમભાગ્ય મનુષ્યની નિંદા કરવામાં ભાગ લે છે અને તેનો દોષ સુધારવાનું કામ ઘણું કઠણ બને છે. નિંદાથી કોઈ સુધર્યું નથી અથવા સુધરવાનું નથી. આપણે ધારીએ તો પ્રેમથી–દિલસોજીથી એકાંતમાં કેઈની ભૂલ જણાવી, તેને આપણે બનાવી, તેની ભૂલ કદાચ સુધારી શકીએ. . વળી નિંદા કરવામાં સમયને દુરુપયેગ થાય છે, કેમાં વેરવૃત્તિઓ અને કલહ જાગે છે, મન ઘણું કલુષિત બને છે. નિંદા કરનાર પર કઈ વિશ્વાસ રાખતું નથી. તે બીજાના દોષો જ શોધતે હોવાથી તેના જ્ઞાનચક્ષુ પર યડલ આવી જાય છે અને તેને સર્વત્ર દેષ જ જણાવા લાગે છે. તે બીજા સંબંધી વિચારો કરવામાં એટલો બધો મગ્ન થઈ જાય છે કે તે પિતાનું ભાન ભૂલી જાય છે. નિંદા ત્યાગ કરવાના ઘણાં સાધન છે. દરેક મનુષ્યમાં ગુણે તથા દોષો રહેલા છે. ગુણ ઉપર પ્રીતિ રાખો અને ગુણોને પુષ્ટિ આપ, એટલે દુર્ગણે ચાલ્યા જશે. જે મનુ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પરપરિવાદવિરમણ ૧૦૯ વ્યને ઉપયોગી કામ કરવાના નથી તે મનુષ્ય જ આવાં નિંદાનાં કામમાં રસ લઈ શકે. જે મનુષ્ય ધારે તો– વિચાર કરે તે–ઉપગી કામની ખોટ નથી. મનુષ્ય પિતાનું શરીર સુધારી શકે, નવરાશના સમયમાં સારાં પુસ્તક વાંચી શકે, શુભ ભાવનાઓનું ચિંતન કરે, કઈ માંદા મનુધ્યની મુલાકાત લે, કોઈ સેવા કરતી સંસ્થાઓ સાથે જોડાઈ તેના હિતાર્થે કામ કરે, પિતાના પુત્રપુત્રીઓ તથા અન્ય કુટુંબીજના હિતના સવાલે વિચારે અને તે પ્રમાણે વર્તે. જે મનુષ્ય આવા કોઈ કામમાં પિતાને સમય વ્યતીત કરે, તે તેને પરની નિંદા કરવાને કે ગપ્પાં મારવાને અવકાશ જ મળે નહિ. સમય ઘણે અલ્પ છે અને કાર્ય કરવાનાં ઘણાં છે, માટે સુજ્ઞ મનુષ્ય તો તે અલ૫ સમયને સાથી શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. તેઓ અનુપગી અને ઉપયેગી કા વચ્ચે પ્રથમ વિવેક કરે છે. અનુપયેગી કામોને ત્યાગ કરી તેઓ ઉપયોગી કામ કરે છે અને આગળ જતાં ઉપયોગી અને વિશેષ ઉપયોગી કામો વચ્ચે ભેદ પાડી વિશેષ ઉપયોગી કામ કરવા પ્રેરાય છે. પિતાનાથી બનતું વિશેષમાં વિશેષ ઉપયોગી કામ કરવાને જે મનુષ્ય પ્રયત્ન કરે, તો તેને નિંદા માટે કે ગપ્પાં માટે કે પારકી કુથલી માટે સમય ક્યાંથી મળી શકે? નિંદા ત્યાગ કરવાને એક બીજો ઉપાય એ છે કેપારકી નિંદાની વાત સાંભળવી બંધ કરો. બીજે કોઈ પારકાની નિંદા કરતો હોય તે તે સાંભળવા ના પાડે. આ રીતે નિંદા સાંભળવાનો રસ ઓછો થશે, તો પછી નિંદા કરવામાં તે રસ રહેશે જ ક્યાંથી? Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પવિત્રતાને પંથે જે કોઈનું શુભ કામ જુઓ તેને અનુમોદન આપે, પણ બીજાના ખોટા કામની નિંદા ન કરતાં ઉદાર બનો. જ્યાં ત્યાં નિષ્કારણ કોઈની નિંદા કરવાથી સામાને કે' આપણને કોઈને પણ લાભ થતો નથી. નિંદા એ જીભનું મોટામાં મોટું પાપ છે. નિંદા એ દોષદષ્ટિનું પરિણામ છે. જે તે મનુષ્ય પારકા કામમાં માથું મારે છે તે તેનો હેતુ મોટે ભાગે બીજાને મદદ કરવાનો નહિ, પણ બીજાઓનાં છિદ્રો અને નિર્બળતાઓ જાણ વાનો હોય છે. જે મનુષ્ય નિંદાના પાપથી બચે છે, તેને સમય ઘણે મળે છે. તે બહુ સારી રીતે આત્મનિરીક્ષણ કરી શકે છે. તે અંતર્મુખ થઈ પોતાના ગુણદોષ સારી રીતે તપાસી શકે છે અને આ રીતે આત્મસુધારણા કરવા તેને ઘણે અવકાશ મળે છે. તે મનુષ્ય સ્વાધ્યાય પણ સારે કરી શકે છે. સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય, એટલે આત્માના સ્વરૂપનું ચિંતન-“હું કેણ છું? મારું સ્વરૂપ શું? મારું કર્તવ્ય શું? મારું સાધ્ય શું?’ આવા વિચાર કરવામાં જે તે પોતાનો સમય પસાર કરે તો તેને અંદરથી ઘણું જાણવાનું મળે. બહારનું રમણ-ટણ જ્યારે બંધ થાય અથવા ઓછું થઈ જાય ત્યારે અંદરનું રટણ થવા લાગે છે, તે પછી જે મનુષ્ય પરંપરિવાદ-પારકા સંબંધી નકામી વાતે, કુથળીઓ–ગપ્પાં-નિંદા વગેરેને ત્યાગ કરે છે, તેની વાણુ પર તેમજ મન પર અપૂર્વ સંયમ આવતો જાય છે અને મનને બહારની પરિસ્થિતિ પર ઓછું ધ્યાન આપવાનું હોવાથી તે અંતર્મુખ બને છે અને ત્યાં તેને અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મુ. માયામૃષાવાદવિરમણ સત્તરમું પાપસ્થાનક માચામૃષાવાદ છે. માયાનું આઠમું પાપસ્થાનક અને મૃષાવાદનું બીજું પાપસ્થાનક મળી ૧૭ મુ` માયામૃષાવાદનું પાપસ્થાનક ઉદ્ભવે છે. માયામૃષા વાદ એટલે કપટ અસત્યયુક્ત, બીજા શબ્દોમાં કહીએ ત ઢાંગ—દંભ છે. શ્રીમદ્ યશેાવિજયજીના શબ્દો પ્રમાણે આ માયામૃષાવાદને દોષ વિષને વધારવાની સ્થિતિ, અથવા સપને છંછેડવાની ક્રિયા છે. ઢોંગની ઉત્પત્તિનુ કારણ એ છે કે મનુષ્ય હાય તેના કરતાં સારા દેખાવા ઇચ્છે છે, પેાતાનું અજ્ઞાન અને પેાતાના દોષ ઢાંકી પાતે જ્ઞાની અને નિર્દોષમાં ખપવા માગે છે. આ કારણથી–લેાકેાના ખાટા ભયથી પેતે અનેક રીતે અસત્ય ખેલે છે અને કપટક્રિયા કરે છે, પાતે એલેવુ એક અસત્ય અથવા કરેલું એક ખાટુ કામ છુપાવવા મનુષ્ય જૂઠની પર પરા સેવે છે અને પછી તે અસત્ય અને કપટ એટલું મધુ વધી જાય છે કે તેનાથી તે છુપાવી શકાતુ નથી અને તેની દશા ઘણી દયાજનક થાય છે. ઢાંગના એટલા બધા ગેરફાયદા છે કે તેના પૂરા વિચાર પણ આવી શકે નહિ, છતાં કેટલાક ગેરફાયદા વર્ણ વવામાં આવશે. ઢોંગ લાંબે સમય ટકતા નથી. અંતે કપટ પકડાય છે ત્યારે તેની કેટલીક સત્ય ખાખતા હાય તે પણ ઢોંગ લેગી તણાઈ જાય છે અને તે સર્વથા પાપી કે અસત્યવાદી Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પવિત્રતાને પથે હતે, એમ કે માનવાને દેરાય છે. ઢગથી તેના આત્મા પર પડલ આવી જાય છે. વારંવાર અસરલ અને કપટમયવક્ર વિચારો કરવાથી તેનું મન પણ તેવું જ વક્ર બને છે, એટલે આત્માના સીધાં કિરણે તે મનદ્વારા પ્રકટી નીકળતાં નથી. તેથી તેને આત્મા સત્ય અને અસત્ય વસ્તુ વચ્ચે ભેદ પારખી શકતો નથી. સત્યવાદી જ અનેક અસત્ય બાબતોમાંથી કયી સત્ય બાબત છે, તે એકદમ સમજી , શકે છે. જે મનુષ્ય બીજાને છેતરવા જાય છે તે જાતે જ છેતરાય છે, કારણ કે એક મનુષ્ય અપ્રમાણિકપણે થડે સમય વ્યાપારમાં બીજાને છેતરે, પણ જ્યારે તેનું કપટ પકડાય ત્યારે લોકે તેની સાથેની લેવડદેવડ ઓછી કરે, એટલે તેની આવક ઓછી થાય. આમ આખરે તે ઢોંગ અથવા કપટને આશ્રય લેનાર મનુષ્ય વ્યવહારમાં પણ પાછો પડે છે અને આટલે સમય કપટ અને અપ્રમાણિકપણાનો આશ્રય લઈ પોતાના મનને જે નુકસાન કર્યું તેની તો કિંમત આંકી શકાય જ નહિ. જ્યારે ઢગ પકડાય છે ત્યારે તે ઢેગી મનુષ્ય પરથી સર્વને વિશ્વાસ ઉઠી જાય છે. મનુષ્ય ઢગ કરે, અસત્ય બોલે, કૂડકપટ કરે, પણ તેમાં તેનું હદય ડંખ માર્યા વિના રહેતું નથી. કપટી મનુષ્ય નિરંતર બીકણ હોય છે. ગમે તેટલો નિર્ભયતાને ડેળ કરે, પણ સૂર્યના પ્રકાશિત કિરણ આગળ જેમ ધુમસ વિખરાઈ જાય છે તેમ સત્ય અને પ્રમાણિક મનુષ્યની તેજભરી આંખ આગળ તેનું મુખ ઢીલું પડી જાય છે, તેનું તેજ ઝાંખું પડી જાય છે. આખું વિશ્વ સત્ય પર રચાયું છે, માટે સત્યના નિયમોને ભંગ કરી જગતને છેત Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદવિરમણ ૧૧૩ રનાર મનુષ્ય લાંબે કાળ વિજય પામી શકે નહિ. કુદરત પોતાના નિયમોનો ભંગ લાંબા સમય સહન કરી શકે જ નહિ, માટે આત્મ અભ્યાસી મનુષ્ય કપટ અને અસત્યને પિતાના હદયમાંથી દેશવટો આપવો. ઉપદેશસપ્તતિકા નામના ગ્રન્થમાં માયાકપટની કેવી દુર્દશા થાય છે, તે ઉપર એક દષ્ટાંત આપેલું છે. શ્રી તિલકપુરમાં ધર્મ બુદ્ધિ અને પાપબુદ્ધિ નામના બે વણિક રહેતા હતા. ધર્મ બુદ્ધિ સરલસ્વભાવી તેમજ પરહિતચિંતક હતો અને પાપબુદ્ધિ કપટી, માયાવી અને વિશ્વાસુને છેતરનારે હતું. બંનેને વેપાર નિમિત્તે મૈત્રી થઈ. લેકે એમ કહેતા હતા કે-કાષ્ઠ અને કરવત જે આ પેગ છે, તથાપિ પોતાના ઉત્તમપણાથી ધર્મબુદ્ધિએ તે પાપબુદ્ધિને ત્યાગ કર્યો નહિ. બન્ને જણ વેપાર નિમિત્તે બીજે દેશ ગયા અને વ્યવસાય કરી દરેક હજાર સોનામહોરો કમાયા. તે બન્ને પિતાના ગામ તરફ પાછા વળ્યા. જ્યારે પિતાનું નગર પાસે આવ્યું ત્યારે પાપબુદ્ધિએ ધર્મબુદ્ધિને કહ્યું—“મિત્ર! આટલું બધું ધન નગરમાં કેમ લઈ જવાય? માટે કેટલુંક અહીં જ દાટી મૂકીએ, પછી ગ્ય અવસરે તે લઈ જઈશું, કારણ કે ધનને અનેક પ્રકારે રાજા, ભાગીદાર અને ચારથી ભય હોય છે.” આમ સાંભળી ધર્મબુદ્ધિએ પાંચ સે સોનામહોર એક વૃક્ષ નીચે દાટી. તેને વિશ્વાસ પમાડવા પાપબુદ્ધિએ પણ તેમજ કર્યું. પછી તેઓ પોતપોતાને ઘેર ગયા. પાપબુદ્ધિ રાત્રે છાનામાને બન્નેનું દાટેલું ધન લઈ ગયે. એક દિવસ પાપબુદ્ધિને ધર્મબુદ્ધિ આવી કહેવા લાગે ૮ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પવિત્રતાને પથે કે “મિત્ર! ચાલે હવે આપણે તે દાટેલું ધન કાઢી આવીએ.” ત્યાં જઈને જોયું તે ખાડે ખાલી જોવામાં આવ્યું. પાપબુદ્ધિ ઘણે વિલાપ કરવા લાગ્યા અને છેવટે તેણે ધર્મ બુદ્ધિ ઉપર આક્ષેપ મૂકતાં કહ્યું: “હે દુષ્ટ ! તે જ આ કામ કર્યું છે, કારણ કે આપણું બે વિના બીજું કોણ આ વાત જાણતું હતું? ” ધર્મબુદ્ધિ કહે-“ હું કદી એવું કામ કરું નહિ. કોઈ પાપીએ તે કામ કર્યું હશે. ” આમ બને વચ્ચે વિવાદ થયો અને વાત રાજસભામાં ગઈ. બંનેના સાક્ષી વિષે પૂછવામાં આવતાં પાપબુદ્ધિ બોલી ઉઠ્યો કેમારો સાક્ષી દેવતા છે. રાજાએ કહ્યું-પ્રભાતે તેની પરીક્ષા થશે. પાપબુદ્ધિએ રાત્રે પોતાના પિતાને સઘળી હકીકત કહી અને જંગલમાં જઈ વૃક્ષના નેતર(પિલ)માં ભરાઈ બેસવા જણાવ્યું. અને રાજા પૂછે ત્યારે “પાપબુદ્ધિ નિષ્કલંક છે અને ધર્મબુદ્ધિ તસ્કર છે,” એમ કહેવાનું સૂચવ્યું. પ્રભાતે રાજા પ્રધાન વગેરે અમલદારો તથા ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ વગેરે લોકો ત્યાં હાજર થયા. સવાલ પૂછતાં પાપબુદ્ધિના પિતાએ ગોઠવેલે જવાબ આપે. લેકે આમતેમ જોવા લાગ્યા પણ કોઈ મનુષ્ય નજરે પડયે નહિ. ધર્મબુદ્ધિએ તરત જ સમયસૂચકતા વાપરી જણાવ્યું કે આ કેટરને બાળી નખાવે એટલે દેવ કે મનુષ્ય પ્રત્યક્ષ થાય.” કેટર બાળવાની શરૂઆત કરી કે તરતજ પાપબુદ્ધિને પિતા તે કેટરમાંથી ગભરાતો ગભરાત બહાર નીકળ્યો. પ્રશ્ન પૂછતાં તેણે સર્વ સત્ય નિવેદન કર્યું. લેકે તથા અમલદાર વર્ગ તેને તથા તેના પુત્રને ધિક્કારવા લાગ્યા. રાજા પાપબુદ્ધિને ભારે શિક્ષા કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદવિરમણ ૧૧૫ તૈયાર થયો પણ ધર્મબુદ્ધિએ તેને તેમ કરતાં વાર્યો. રાજા વગેરે ધર્મબુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. માયામૃયાવાદ આ ભવમાં પણ દુઃખ આપે છે. હવે માયામૃષાવાદ તજવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય સત્ય અને સરલતા છે. જો કે સત્યવાદી અને સરલ મનુષ્યોને પ્રારંભમાં કદી દુઃખ પડે, કેટલીક અડચણામાંથી પસાર થવું પડે, પણ અંતે સત્યને જય થાય છે. સત્યવાદી અને સરલ પ્રકૃતિવાળો જીવ ઘણું ત્વરાથી પિતાને વિકાસ કરી શકે છે. તે નિર્ભય બને છે, તે નિરંતર શાંતિ જાળવે છે અને તેવા મનુષ્યનું શરીર પણ નિરોગી રહે છે. પરસ્પર અનુકૂલ આંદેલને તેના શરીરમાં ચાલે છે, તેથી રેગના વિરોધી આંદેલને જવા માંડે છે. નિષ્કપટી અને સત્યપ્રિય મનુષ્ય હજારો અસત્ય બાબતોમાંથી, સત્ય બાબતો કઈ છે તે તુરત જ પારખી શકે છે. સત્યને સગુણ આવતાં બધા દુર્ગણે નાશ પામવા લાગે છે, કારણ કે જે મનુષ્યને સત્ય બોલવાનું હોય છે તે કેટલાંક પાપ તે કરી શકે જ નહિ. તેને તો સત્ય હોય તે જ બોલવાનું હોય છે, તેથી ઘણા પ્રકારની કુટિલતાથી તે બચી જાય છે. - જે મનુષ્ય અસત્યથી, કપટથી અથવા ઢંગથી બીજાને છેતરવા પ્રયત્ન કરે છે તેને પોતાને અંતરાત્મા અવરાય છે, તેથી તે અંતરાત્માનો અવાજ સાંભળી શકતા નથી અથવા તે તેની ઝાંખી પામી શકતું નથી, માટે જેમ બને તેમ મનુષ્ય હેંગને ત્યાગ કરી સરલ પ્રકૃતિવાળા બનવું. જ્યાં સરલતા છે ત્યાં પવિત્રતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં જ પ્રભુનો વાસ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું મિથ્યાત્વશલ્યવિરમણ આ મિથ્યાત્વશલ્ય એ અઢારમું અને છેલ્લું પાપસ્થાનક છે. તે છેલ્લું છે. પણ સૌથી પ્રથમ સ્થાન ભેગવે તેવું છે. ઉપાઠ યશવિજયજી કહે છે કે–ત્રાજવામાં એક બાજુ સત્તર પાપસ્થાનક મૂકે ને એક બાજુ આ ૧૮મું મૂકે તો આ વધે તેમ છે. તેનો અર્થ એ થાય છે કે મનુષ્યના હૃદયમાં જ્યાં સુધી મિથ્યાત્વરૂપી વિષ પ્રવેશેલું હોય છે ત્યાં સુધી તે મનુષ્ય કઈ પણ કામ તથાવિધ ભાવથી કરી શકતો નથી. મિથ્યાત્વ એટલે સત્યને અસત્ય માનવું અથવા અસત્યને સત્ય માનવું તે. મિથ્યા એટલે જૂ ડું. વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખવી તે જ્ઞાન અને વસ્તુને અવસ્વરૂપે ઓળખવી તે મિથ્યાત્વ છે. સાધુને અસાધુ તરીકે અને અસાધુને સાધુ તરીકે, માર્ગને ઉન્માર્ગ તરીકે અને ઉન્માર્ગને માર્ગ તરીકે, ધર્મને અધર્મ તરીકે અને અધર્મને ધર્મ તરીકે–ટૂંકમાં વસ્તુને અવળે રૂપે સમજવી એ સર્વ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ અથવા અજ્ઞાન હોય ત્યાં સુધી સભાવ સંભવે નહિ અને અસદજ્ઞાનરૂપી વિષ હૃદયમાં પેઠું હોય ત્યાં સુધી અનેક પ્રકારની શંકાઓ અને પ્રશ્નો થયાં કરે છે. તેવી સ્થિતિમાં મનુષ્ય ૯૮ નિશ્ચયથી કાંઈ પણ કામ કરી શકે નહિ અને શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન વિના ચારિત્ર સંભવી શકે જ નહિ. આ મિથ્યાત્વ ઉત્પન્ન થવાનાં બે મુખ્ય કારણે છે: એક અજ્ઞાન અને બીજું દુરાગ્રહ. જે મનુષ્યને રૂપાનું જ્ઞાન ન હોય તે ચળકતી છીપને રૂપા તરીકે માની લે છે, જેને સાચા હીરાનું જ્ઞાન ન હોય તે પુખરાજને હીર ગણું લેય. તેમ સવસ્તુનું જ્ઞાન જીવને ન હોય Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્યવિરમણ ૧૨૭ તે અસદૃવસ્તુને સદૃવસ્તુ તરીકે માની લેય છે. આનું નામ મિથ્યાત્વ અથવા અસત્ય જ્ઞાન. આ મિથ્યાત્વ જ્ઞાનથી નાશ પામે છે. સત્ય વસ્તુ જાણતાં મનુષ્ય અસત્યને ત્યાગ કરે છે. મહાવીર પ્રભુ પાસે જે દ્વિ–બ્રાહ્મણે દીક્ષા લઈ ગણધર થયા તે સર્વને જ્ઞાન નહોતું એમ નહિ, જ્ઞાન તે હતું, પણ તેમાં કેટલાક દેષ હતા; તેઓ જ્ઞાનનું સત્ય તત્વ જાણવા આતુર હતા તેથી સત્ય જ્ઞાન મળતાં તેઓએ પિતાને અજ્ઞાનવાળે મત છોડી દીધે, માટે મિથ્યાત્વ અથવા અજ્ઞાન દૂર કરવાને સારો ઉપાય સજ્ઞાન છે. લોકોને સદ્દજ્ઞાન આપવામાં આવે તે ઘણું જ પિતાની ભૂલે સુધારવા તૈયાર હોય છે. ઈંગ્લાંડમાં એક એવું વિચારક પક્ષ છે કે જે પિતાને Agnostic કહેવરાવે છે. તેને અર્થ “અજ્ઞાનવાદી” એ થાય છે. તેઓ કહે છે કે “અમને અમુક બાબતના પુરાવા આપે, એટલે અમે તે વાત માનવાને તૈયાર છીએ.” આવા મનુષ્ય જ્ઞાનની જિજ્ઞાસુ કહેવાય, અને તેમને જ્ઞાન આપવામાં આવે છે તે પિતાની ભૂલ ક્યાં છે? તે સમજી તે દૂર કરવા પ્રયત્ન કરે. પરંતુ કેટલાક એવા મનુષ્યો હોય છે કે-જેઓ દુરાગ્રહી હોય છે. તેમને સમજાવવાનું કામ ઘણું કઠણ છે. તેઓ પ્રથમ પકડેલી વાતને કદાપિ મૂકતા નથી. तातस्य कूपोऽयं इति ब्रुवाणाः क्षारं जलं कापुरुषाः पिबन्तिઆ બાપને કૂવે છે, એમ કહી કાયર પુરુષે બીજે મિષ્ટ જળ મળતું હોય છતાં ખારું જળ પીએ છે. તેમનામાં વિવેકશક્તિ હેતી નથી. એ તે સમય જતાં દુઃખ પામીને જ્ઞાન પ્રાપ્ત કરે. દુરાગ્રહીને સુધારવાનો બીજો માર્ગ જ નથી. એક Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પવિત્રતાને પથે કવિએ કહ્યું છે કે અજ્ઞને સુખે આરાધી શકાય છે અને વિશેષજ્ઞને તે તેથી વધારે સુખે આરાધાય છે, પરંતુ દુર્વિદગ્ધ મનુષ્યને તે કઈ રીતે સમજાવી શકાતું નથી. તત્વવિદ્યા ઉપર શ્રદ્ધા એનું નામ જ સમ્યગદર્શન, એમ જૈનશાસ્ત્રકારે કહે છે. જ્ઞાન અને ચારિત્રની વચ્ચે આ શ્રદ્ધાના આંકડાની ખામી જ્યાં ત્યાં દષ્ટિગોચર થાય છે. કેટલાક મનુષ્ય જાણે પણ તે પ્રમાણે વતી શકતા નથી, કારણ કે તેના દિલમાં તે જ્ઞાન વિષે પૂર્ણ શ્રદ્ધા હતી નથી. જ્યાં શ્રદ્ધા આવી એટલે તે પ્રમાણે અવશ્ય કાર્ય થવાનું. કદાચ મનુષ્ય પોતાના જ્ઞાન પ્રમાણે આચરણ ન કરી શકે, પણ જે તેને તે જ્ઞાન પર શ્રદ્ધા હોય તો વહેમોડે તે પ્રમાણે વર્તવાને. આ જ્ઞાન તે Right belief–સાચી શ્રદ્ધા છે. તેટલા વાતે કહેવામાં આવ્યું છે કે-રાત્રિ સિનિત ચારિત્રથી ભ્રષ્ટ થયેલા પણ સિદ્ધિ પામે, અર્થાત્ અત્યારે પિતાની માન્યતા પ્રમાણે જ આચરણ ન રાખી શકતા હોય, છતાં જે તેમની માન્યતા સત્ય હોય તે ધીમે ધીમે તેમની માન્યતા કાર્યમાં ઉતરશે અને તેઓ ઈષ્ટસિદ્ધિ કરી શકશે. પણ જે મનુષ્ય સત્ય શ્રદ્ધાથી ડગે તો તે સર્વથા ડગ્ય સમજ, તેની સિદ્ધિ થતી નથી. આ બાબત પર જેનશાસ્ત્રકારે ઘણે ભાર મૂકે છે અને તે વ્યાજબી પણ છે. સચ્ચરિત્રનું મૂળ સતશ્રદ્ધા છે અને તેનું મૂળ સજ્ઞાન છે, માટે જ કહેવામાં આવ્યું છે કે તને યથાર્થ સમજી તે પર શ્રદ્ધા રાખો અને જ્યાં સજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મિથ્યાત્વ ચાલ્યું જશે, હૃદયમાં અપૂર્વ બળ આવશે, કારણ કે અજ્ઞાન જતાં જીવને આત્માના અસ્તિત્વ પર, આત્માના અમરત્વ પર, કર્મના નિયમ પર, Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ મિથ્યાત્વશલ્યવિરમણું પુનર્જન્મના સિદ્ધાંત પર, સાધુઓ, ઉપાધ્યાયે, આચાર્યો, અહંતે, સિંદ્ધો:પર તથા પોતાનામાં રહેલા અપૂર્વ બળ પર વિશ્વાસ આવશે-શ્રદ્ધા પ્રકટશે; પછી સર્વ મુશ્કેલીઓ દૂર થશે. આમાના બલુનમાં શ્રદ્ધાને પવન ભરાશે, પછી નજીવી દેરીઓ તૂટતાં વાર લાગશે નહિ અને બલુન પિતાને ઊંચે ઊડવાને માર્ગ લેશે, માટે જ કહેવામાં આવે છે કે સમ્યગદર્શન થતાં–ત પર પૂર્ણ શ્રદ્ધા થતાં જીવને ઘણે માર્ગ કપાઈ જાય છે અને તેને પાછા પડવાનું ભાગ્યેજ થાય છે. તે જીવ હવે નિર્વાણ સુધી વહેતા ઝરામાં પગ મૂકે છે. ત્યાંથી આગળ વધ્યા કરે છે. શ્રદ્ધા પર્વતને પણ હલાવે છે. શ્રદ્ધા એ પરમબળ છે. શ્રદ્ધા એટલે દૃઢ નિશ્ચય. મનુષ્યને જ્યાં સત્ત પર શ્રદ્ધા થઈ એટલે તેનું જીવન ઉન્નત થયા વિના રહેતું નથી. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુમાં કહ્યું છે કે राजदण्डभयात्पापं, नाचरत्यधमो जनः। परलोकभयाद्मध्यः, स्वभावादुत्तमो जनः॥१॥ અધમ પુરુષ રાજદંડના ભયથી પાપકર્મ કરતું નથી, મધ્યમ પ્રકારનો મનુષ્ય પરલકના ભયથી ખોટું કામ કરતો નથી અને ઉત્તમ પુરુષ તે સ્વભાવથી જ તેવા કામથી અલગ રહે છે. જે ઉત્તમ પુરુષ છે તે તો જ્ઞાનદષ્ટિથી પિતાનાઆત્માના સ્વભાવને સમજે છે અને પાપકર્મ કરતું નથી, પણ મધ્યમ પ્રકારને મનુષ્ય જે તેને ધર્મનાં તો પર શ્રદ્ધા હોય તો પાપકર્મ કરે નહિ. પરભવમાં અશુભ કાર્યોનાં અશુભ ફળ ભેગવવાં પડશે, એવી તેને પૂર્ણ પ્રતીતિ હોય તો તેનાથી ખાટાં કામ થાય જ કેવી રીતે? કેપ્ટન પર શ્રદ્ધા રાખી આપણે વહાણુમાં બેસી સમુદ્રને ઓળંગી Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પવિત્રતાને પથે જઈએ છીએ તેમ જ્ઞાની-સર્વજ્ઞ મહાત્માઓ-તીર્થકરેનાં વચને પર શ્રદ્ધા રાખી તેમનાં વચન પ્રમાણે આપણું જીવન ગાળી આપણે પણ આત્મશ્રેય સાધી શકીએ. તેઓ નિષ્કારણ જગદુબંધુ હતા. તેમને અસત્ય બોલવાનો હેતુ ન હતો. તેઓનું ઉચ્ચ અને પરોપકારી જીવન જ આ બાબતની સાક્ષી પૂરે છે. અને જે આપણે તેમના કહ્યા પ્રમાણે વર્તવા માંડીએ તે અહીં ને અહીં આપણને તેમના વચનની સત્યતા જણાઈ આવે છે, તે પછી જે બાબતમાં આપણું મતિ કામ ન કરતી હોય, તેવી બાબતમાં તેમના વચન પર શ્રદ્ધા રાખી વતીએ તે લાભ થવાને માટે સંભવ છે. જે કામ આપણું નૈતિક ભાવના કે અંતઃકરણ વિરુદ્ધ હોય તેવું કાર્ય ગમે તેવો મહાપુરુષ કહે તે પણ આપણે કરવાનું નથી, પણ જ્યાં ધર્મોનાં સત્ય પર શ્રદ્ધા રાખવાથી બળ, ઉત્સાહ, ઉગ્રતા અને સમભાવ પ્રકટ થતાં હોય ત્યાં તેવી શ્રદ્ધા રાખવી એ વાજબી છે. શ્રદ્ધાથી માનેલી સત્ય વાતે ધીમે ધીમે આપણે અનુભવજ્ઞાનમાં આવે છે અને પછી દઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સાચી શ્રદ્ધા થયા પછી મિથ્યાત્વનું શલ્ય (તીર) હૃદયમાંથી હમેશ માટે ચાલ્યું જાય છે અને આપણે પણ જેશપૂર્વકશક્તિપૂર્વક આપણા ખરા ઉદ્દગારો કાઢી શકીએ છીએ, પછી આપણને સમ્યગ્દર્શન થશે અને આપણું જીવન તદ્દન બદલાઈ જશે. આ મિથ્યાત્વ–અજ્ઞાન ગયું અને સત્ય તત્ત્વ પર શ્રદ્ધા ઉત્પન્ન થઈ એટલે બીજાં પાપસ્થાનકને ત્યાગ કરવાનું કામ ઘણું સુગમ થાય છે. અને આપણું પૂર્વનાં કર્મ ઘણુ નિબિડ (તીવ્ર) હોય તે અલ્પ સમયમાં આપણે આત્મકલ્યાણ કરી શકીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્યવિરમણ હવે મિથ્યાત્વના ૨૧ પ્રકારે જાણવાની જરૂર હોવાથી તેઓ પિકી પ્રથમ સંતાઆશ્રી દશ ભેદ કહે છે. સંજ્ઞા મિથ્યાત્વ એટલે વસ્તુ અમુક છતાં તેને બીજા રૂપમાં કહેવી-માનવી તે. ૧. ધર્મ-જ્ઞાન દર્શનચારિત્રાદિ,તેને અધર્મ માન. ૨. અધર્મ–હિંસા, અસત્ય, મૈથુનાદિ તેમાં ધર્મ માનવો તે. યજ્ઞયાગાદિમાં તેમ જ કન્યાદાનાદિમાં જે પુન્ય માનવામાં આવે છે તેને આ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થાય છે. ૩. સમાર્ગ-શ્રાવક ને સાધુના વ્રત નિયમાદિને ઉમાર્ગ માનવે તે. ૪. ઉમા-કાયકલેશ, કંદમૂળભક્ષણ, રાત્રિજનાદિને માર્ગ માન તે. ૫. અસાધુ–મંચન તથા કામિનીના ભેગી, સંસારમાં આસક્ત એવાને સાધુ માનવા તે. ૬. સાધુ–મંચન તેમજ કામિનીથી ન્યારા, પંચ મહાવ્રતધારી મુનિરાજને અસાધુ માનવા તે. ૭. જીવ–ચેતના લક્ષણવાળાને અજીવ માન, જીવને પંચમહાભૂતનું કાર્ય માનવું, જીવનું અસ્તિત્વ જ ન માનવું તે. ૮. અજીવ–પગલિક પદાર્થોને કેઈ કારણને લઈને તેમાં વૃદ્ધિ, હાનિ થતી દેખી જીવરૂપ માનવા તે. ૯૯ મૂર્ત—મૂતમાન રૂપી એવા કર્મ વગેરેને અમૂર્ત માનવા તે. ૧૦. અમૂ–જીવ, આકાશ વગેરેને મૂર્ણ માનવા તે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પવિત્રતાને પગે ... અથવા મુકત જે સર્વ કર્મોને ખપાવી મેને પ્રાપ્ત થયેલા છે તેને અમુક્ત માનવા અને અમુત-જે હરિહરાદિ-ખરી મુક્તિને નહીં પામેલા–સંસારમાં જન્માદિ ધારણ કરવાવાળા તેમને મુક્ત માનવા તે. આ દશ પ્રકારના મિથ્યાત્વ સંજ્ઞાને આશ્રીને છે. હવે મિથ્યાત્વના બીજા મુખ્ય પાંચ ભેદે કહે છે – ૧. અભિગ્રહિક–પિતપોતાના મતનો આગ્રહ–અમે ગ્રહણ કર્યો છે તે ધર્મ જ સાચે છે, બીજા બધા ખેટા છે એમ માનવું છે. એ આગ્રહ જેનધમીને જૈન ધર્મ પ્રત્યે હોય તો તે મિથ્યાત્વ ગણાતું નથી, પરંતુ ત્યાં આગ્રહ હતો જ નથી. ત્યાં તે જે સર્વ દેષ રહિત હોય તે દેવ, જે કંચનકામિનીના ત્યાગી તથા ગુરુના ગુણેથી સંયુક્ત હોય તે ગુરુ અને જે દયાસંયુક્ત હોય તેમ જ અધર્મના કોઈ પણ પ્રકારને જેમાં સમાસ ન હોય તે ધર્મ. આમ ખુલ્લી માન્યતા હોય છે. ત્યાં અમુક જ દેવ, અમુક જ ગુરુ એ પેટે આગ્રહ હેત નથી–તેને તે ગુણની સાથે જ સંબંધ હોય છે. ૨. અનભિગ્રહિક–બધા ધર્મ સારા, બધાને માનીએ, કોઈને નિદીએ નહીં, બધા દેવને પગે લાગીએ, બધા ગુરુની ભક્તિ કરીએ, આવી મૂઢતાવાળી માન્યતા તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે; કારણ કે તેને સુવર્ણ કે લેહની પરીક્ષા જ કરતા આવડતી નથી અને ગેળ ખેળ બનેને તે સરખાભક્ષ્ય માને છે. ૩. આભિનિવેશિક–આમાં સત્ય માર્ગ જાણ્યા છતાં કઈ પ્રકારને આગ્રહ બંધાઈ જવાથી અસત્ય માર્ગની-અસત્ય Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ .. મિથ્યાત્વશલ્યવિરમણ હકીકતની પ્રરૂપણાનું કરવાપણું છે. આ મિથ્યાત્વ બહુ જ વિષમ છે. જાણીબુઝીને અસત્ય પ્રરૂપણ કરનાર સમજાવ્યું સમજતું નથી, કેમકે તેને તે સમજવું જ નથી. જેમ વર્તમાન કાળે કેટલાક ઢંઢકપંથી સાધુએ શાસ્ત્રાધારથી જિનપ્રતિમાને પૂજનિક તથા વંદનિક જાણે છે-માને છે, છતાં પિતાના કુમાર્ગને ત્યજી શકતા નથી તેમ. ૪. સાંશાચિક–જિનવચનમાં શંકા કરવી તે. શંકાના બે પ્રકાર છે. એક મિથ્યાત્વરૂપ શંકા છે કે જેમાં “આમ સર્વરે કહ્યું છે, પણ તે તો કાંઈ સત્ય લાગતું નથી.” આવી વિચારણા હોય છે. બીજી શંકા ખરું તત્ત્વ સમજવાની આકાંક્ષારૂપ છે. તેમાં “પિતાના અલ્પજ્ઞાપણાથી અમુક વાત બરાબર સમજાતી નથી તેથી તે ગીતાર્થ ગુરુ પાસે સમજવા ગ્ય છે.” એવા પ્રકારની વિચારણા છે. આ શંકા મિથ્યાત્વરૂપ નથી. ૫. અનાગિક અવ્યક્ત એવા એકેંદ્રિયથી આરંભીને અસંસી પંચેંદ્રિય સુધીના જીવને જે મિથ્યાત્વ હોય છે તે. આ પાંચ ભેદે કર્મબંધના મુખ્ય હેતુ તરીકે અનાદિ કાળથી ચાલ્યા આવતાં પ્રસિદ્ધ છે. હવે લોકિક ને લોકોત્તર દેવગત, ગુગત ને પર્વગત મિથ્યાત્વના છ ભેદ કહે છે – ૧. લેકિક દેવગત મિથ્યાત્વરાગ, દ્વેષ, મહાદિ દેષવાળા હરિહરાદિ દેવેને દેવ તરીકે માનવા તે. - ૨. લાકિક ગુરુગત મિથ્યાત્વ-કંચનકામિનીના ભેગી, સંસારમાં આસક્ત, કંદમૂળભક્ષણ, રાત્રિભેજનાદિ પાપક્રિયામાં Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પવિત્રતાને પથે પ્રવૃત્તિ કરનાર બાવા, જેગી, સાધુ, સંન્યાસી વગેરે કુલિંગધારીઓને ગુરુ તરીકે માનવા તે. ૩. લેકિક પર્વગત મિથ્યાત્વ–હાળી, બળેવ, નવરાત્રિ વગેરે અનેક મિથ્યાત્વીઓનાં પર્વને પર્વ તરીકે માની તેનું આરાધન કરવું તે. ૪. લોકોત્તર દેવગત મિથ્યાત્વ–કેર દેવ વીતરાગ સર્વદેષવિમુક્ત તેની આ લેકના સુખને માટે, પુત્રાદિની, ધનાદિકની, સ્ત્રી વગેરેની પ્રાપ્તિની ઈચ્છાએ ભક્તિ કરવી અથવા માનતા કરવી તે. - પ. લોકેત્તર ગુરુગત મિથ્યાત્વ-પંચમહાવ્રતધારી, સંસારથી વિરક્ત શુદ્ધ મુનિમહારાજની આ લેક સંબંધી પૂર્વોક્ત સુખાદિકની પ્રાપ્તિ માટે ભકિત કરવી તે અથવા પાસસ્થા, દુરાચારી અને માત્ર યતિવેશધારીને ગુરુ તરીકે માનવા ને તેની ભકિત કરવી તે. ૬. લેકેજર પર્વગત મિથ્યાત્વજ્ઞાન પંચમી, મન એકાદશી, પિસ દશમી, પર્યુષણાદિ પર્વોનું આરાધન અથવા આંબિલ, ઉપવાસાદિ તપ આ લોકના સુખની ઈચ્છાએ તે તે પર્વાદિકને દિવસે કરવો તે. આ છ પ્રકારો પૈકી પાછલા ત્રણ પ્રકારના મિથ્યાત્વ ધમી કહેવાતા માણસો-શ્રાવક, શ્રાવિકાઓ પણ સેવે છે, પરંતુ તે પરિણામે બહુ હાનિકારક છે; તેથી ઉત્તમ છાએ ઈહલેક સંબંધી પગલિક સુખની વાંછા તજી દઈને માત્ર મોક્ષસુખની ઇચ્છાએ જ શુદ્ધ દેવ,ગુરુનું ને કાર પર્વનું આરાધન કરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્યવિરમણ ૧૧૫ ' આ કુલ એકવીશ ( ૧૦+૫+૬ ) પ્રકારના મિથ્યાત્વ જે તજે ને ગુરુના ચરણને ભજે તે પ્રાણ પાપથી લેપાય નહીં, અને મિથ્યાત્વ જવાથી મત્સરદ્રોહાદિક અન્ય દે. પણ તેનાથી દૂર જાય છે. એવા સમક્તિધારી, યુક્ત આચારવડે સદાચારવાળા અને શાસનની ઉન્નતિ કરવાવાળા પ્રાણુઓ ભક્તિ કરવા ગ્ય છે. તેમની સેવાભક્તિ કરવાથી તેવા ગુણે પિતાને પણ પ્રાપ્ત થાય છે. હવે કર્તા મિથ્યાત્વને ઉપમાદ્વારા પ્રરૂપે છે. કર્તા કહે છે કે–આ જગતના અન્ય વ્યાધિઓ તો ઔષધવડે પણ દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તો પરમ રાગ છે. તે જેમ તેમ દૂર થતો નથી. વળી બીજો અંધકાર તે દીપકથી દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તે પરમ અંધકાર છે તે જેમ તેમ દૂર થતો નથી. અન્ય અંધકારમાં પગલિક વસ્તુઓ દેખાતી નથી, પરંતુ આ પરમ અંધકાર તે શુદ્ધ માર્ગ તથા આત્મસ્વરૂપને જણાવા દેતા નથી. મિથ્યાત્વ પરમ શત્રુ છે. સામાન્ય શત્રુ હોય તે બહુ વિનાશ કરે તે સુખનાં સાધનોને કે છેવટ એક ભવ આશ્રી પ્રાણનો વિનાશ કરે, પણ આ પરમ શત્રુ તે અનંત જન્મમરણ આપે છે, ને અનંતા ભમાં અનંતી દુઃખની રાશિ પ્રાપ્ત કરાવે છે. પરમ શસ્ત્ર તે મિથ્યાત્વ છે, અન્ય શસ્ત્ર તે દેહને ઘાત કરી શકે છે, પણ આ પરમ શસ્ત્ર તે આત્માને-આત્મગુણને વિઘાત કરે છે. પરમ નરક તે મિથ્યાત્વ છે. રત્નપ્રભાદિ સાત નરકમાં જનારને તો અમુક કાળે છૂટકો થાય છે, પરંતુ મિથ્યાત્વરૂપ નરકમાં સંચરેલાને તે અનંતકાળે પણ છૂટકે થતું નથી. પરમ દૈર્ભાગ્ય, પરમ દારિદ્ર, પરમ સંકટ, Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પવિત્રતાને પંથે પરમ કાંતાર ને પરમ દુભિક્ષ એ બધી ઉપમા મિધ્યાત્વને ઘટે છે. ખરું દુર્ભાગીપણું મિથ્યાત્વનું જ છે, ખરી દારિદ્રતા તેની જ છે કે જેની પાસે ધર્મરૂપી ધન અંશમાત્ર પણ નથી. પરમ સંકટ સિધ્યાત્વ જ છે કે જે અનાદિકાળનું છે અને તેને કયારે અંત આવશે તે કહી શકાતું નથી. પરમ ભયંકર-મહાન અટવી કે જેમાં ભૂલે પડેલો માણસ અટવાઈ અટવાઈને મરી જાય પણ બહાર નીકળી શકે નહીં એવી અટવી તે મિથ્યાત્વ છે. તેમાં ભરાયેલા–ફસી પડેલા પ્રાણને અનંત કાળે પણ છૂટકે થતો નથી. ખરેખર મહાન દુષ્કાળ તે મિથ્યાત્વ છે, કારણ કે અન્ય દુષ્કાળ તે પરિમિત કાળના હોય છે અને તેમાં દેહને ભોજન મળતું નથી, પરંતુ આ દુષ્કાળ તે અપરિમિત કાળને છે ને તેમાં આત્માને સ્વગુણનું ભક્ષ મળતું નથી. આવા સર્વદષસંપન્ન મિથ્યાત્વને કઈ પણ ઉપાયે તજવાથી જ ખરું સુખ પામી શકાય તેમ છે તે લક્ષમાં રાખવા ગ્ય છે. ૧૮ પાપસ્થાનકમાં મૃષાવાદને લગતાં ૬ પાપસ્થાનક ( અઢાર પાપસ્થાનકમાં ૬ પાપસ્થાનકો મૃષાવાદને લગતાં છે. તે છ પાપસ્થાનકોનું શી રીતે મૃષાવાદપણું છે તે સમજવાને વિચાર કરીએ. ૧. પ્રથમ તો મૃષાવાદ એટલે અસત્ય બોલવું. આમાં અસત્ય માત્ર ખોટું બોલવું તેને કહ્યું નથી, પરંતુ જે બેલવાથી અન્ય જીને ખેદ થાય કે તેનું અનિષ્ટ થાય તેને Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્યવિરમણ ૧૨૭ પણ અસત્ય કહ્યું છે. એટલા માટે પચ્ચ, હિત અને મિત એ ત્રણ વિશેષણવાળું સત્ય બલવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. તે “સત્ય સત્ય જ નથી કે જે બેલવાથી અન્ય જીવને ખેદ થાય” તેથી તેવું વચન બેલવું નહીં. ૨. કલહ–આ બારમું પાપસ્થાનક છે. કલહથી જીવો પિતાપણાને ભૂલી જાય છે અને બેલવામાં વિવેક રાખી શક્તાં નથી. એટલું જ નહીં પણ પછી સત્યાસત્ય બોલવાને વિવેક પણ સાચવી શકતાં નથી. એટલે આ પાપસ્થાનકનું મૃષાવાદપણું સ્વતઃ સિદ્ધ છે. ૩. અભ્યાખ્યાન–એટલે બીજાને કલંક આપવું તે. સાચી વાત પણ જે અન્યને કલંકરૂપ થાય તેવી હોય અને તે જે પૂરી ખાત્રી કર્યા વિના બેલાય તે તે પણ કલંકરૂપ છે. આ પાપસ્થાનકની ટેવ પડ્યા પછી ખોટું કે સાચું કલંક આપવું તેને નિયમ રહેતો નથી. તેથી એમાં મૃષાવાદપણું આવી જવાને અત્યંત સંભવ છે. ૪. પૈશુન્ય –ચાડી ખાવી તે. કેઈની ગુપ્ત રાખવા જેવી હકીક્ત કે જે બહાર પડવાથી તેની અપકીર્તિ થાય અને બીજા પ્રકારે પણ હાનિ થાય તે તેના વિરોધીને કહેવી તેનું નામ ચાડી ખાવી કહેવાય છે. આમાં સાચા ખોટાની વિવક્ષા જ કરવાની નથી. એ ચાડી તે સામા માણસને દુઃખ ઉપજાવવા અથવા હાનિ કરવા માટે જ ખવાતી હેવાથી મૃષાવાદરૂપ જ ગણવાની છે, એટલે એનું મૃષાવાદપણું સિદ્ધ જ છે.. ૫. પરપરિવાદ– પારકી નિંદા કરવી તે. આમાં Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : પવિત્રતાને પંથે - ' પારકા ગુણ ગ્રહણ ન કરતાં એના દોષ જ ગ્રહણ કરવાપણું હેય છે. કેટલીક વખત શ્રેષબુદ્ધિને કારણે ગુણને પણ દેષરૂપે જોવાય છે અને તેને નિંદારૂપે કહેવામાં આવે છે. આવી ટેવ જે મનુષ્યને પડી હોય છે તે બીજાના ગુણ જોઈ શકો નથી, એટલું જ નહીં પણ સાંભળી પણ શક્તો નથી. તેની પાસે જે કોઈ અન્યના ગુણાનુવાદ કરે તે તે દૂધમાંથી પુરા કાઢવાની જેમ તેમાંથી દેષ શોધી કાઢે છે. કહ્યું છે કે “દેષ નજરથી નિંદા હેવે, ગુણ નજરે હેય રાગ. એટલે ગુણને દોષ જોવામાં–શેઘવામાં આપણી નજર જ કામ કરે છે. આવી ટેવવાળાને મોટી હાનિ તે એ થાય છે કે એનામાં કઈ પણ ગુણ ટકી શક્તો નથી. એની દષ્ટિ જ બદલાયેલી રહે છે એટલે આમાં પિતાથી જ પિતાને આત્મા ભારે થાય છે એટલે તેને પ્રગટપણે મૃષાવાદ કહી શકાય તેમ છે. ૬. માયામૃષાવાદ–આમાં તે મૃષાવાદ પ્રગટપણે જ કહેલ છે, પણ તેમાં માયા શબ્દ વધારે છે, તેથી શાસ્ત્રકાર તેને વઘારેલા વિષ જેવું કાતીલ વિષ કહે છે. એને વકેલા વાઘના બાળકની અને અવળા પકડેલા શસ્ત્રની ઉપમા આપી છે કે જેથી આત્માને પારાવાર હાનિ થાય છે. ઉપર પ્રમાણે છે પાપસ્થાનક મૃષાવાદને લગતાં જ છે. તે સંબંધમાં મુખ્ય તે વાણી વ્યાપાર છે, પરંતુ તેને ઉભવ અંત:કરણની મલિનતામાંથી થાય છે એટલે તે સર્વથા ત્યાજ્ય છે. એમાં કાયવ્યાપારની ગણતા છે, વાણુંવ્યાપાર મુખ્ય છે. -- સમાસ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ -પ્રભુ-પ્રાર્થના - દેહા. હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહે, દીનાનાથ દયાળ; હું તો દોષ અન તનુ, ભોજન છુ કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપતો વિશ્વાસ ; દૃઢ, ને પરમાદર નાંહી. ૩ જોગ નથી સત્સંગના, નથી સત્સવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયાગ. ‘હું પામર શું કરી શકુ ?’ એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિંત્ય તુજ મહાચના, નથી પ્રકુલ્લિત ભાવ; અશ ન એકે નેહના, ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહના તાપ; કથા અલભ્ય તેજ પ્રેમની, નહીં તેના પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહિં ભજન દ્રઢ ભાન; સમજ નહિ નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ; તાય નહિ, વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકુળ જે, તે ધન નથી ત્યાગ; દેહેં દ્રિય માને નહીં, કરે બા પર રાગ. ૧૦ ( R. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ તુજ વિયોગ કરતા નથી, વચન નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાંહી. 11. અહં ભોષથી હિત નહિ. સ્વધર્મ સ°ચય નાંહી. નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કહી. 12, એમ અનત પ્રકારથી સાધન રહિત હુંય; નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શું ય ? 13 ‘કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છે, ગ્રહો પ્રભુજી હાથ. 14 અને તે કોળથી માથકયો વિના ભાને ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન, 15 સંતચરણ આશ્રય વિના, સાધન, કર્યા અનેક | પાર ને તેથી પામીચા, ઊગ્યા ન અશ વિવેક, 16 સહુ સાધન અધિન થયાં, હો ને કાઈ ઉપાય સતું સાધન સમજ્યા નહિ, ત્યાં એ ધન શું જાય ? 17. પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીઓ કાણુ ઉપાય 18 અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હું ચક એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશો શુ ચ. ૧૯પૂડી યુડી તુજ પહેપ કજે ફરી ફરી મા એ. જ; | સ(શરુ સતસ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ. 20 : SEii તમારા હા Jain Educationa International For Personal and Private Use Only