SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્રતાને પથે : વચ્ચે પણ ઝઘડાઓ ઊભા થાય. તેમના સંબંધમાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે – अहो खलभुजंगस्य, विचित्रोऽयं वधक्रमः । अन्यस्य दशति श्रोत्रं, अन्यः प्राणैवियुज्यते ॥ દુષ્ટ પુરુષરૂપ સપની બીજાનો વધ કરવાની રીત કાંઈક વિચિત્ર છે. તે એકના કાનમાં ડસે છે અને બીજે મનુષ્ય મરણ પામે છે. અર્થાત્ દુષ્ટ અને કલહશીલ પુરુષે લોકોના કાન એવી વાતોથી ભંભેરે છે કે જેથી બીજાને મોટું નુકસાન થાય અને કોઈ વાર તો મનુષ્યને મરવાને સમય આવે. કલહ ઉપર જણાવ્યા પ્રમાણે નાની નાની બાબતમાંથી પ્રકટે છે. કહેવત છે કે “રોગનું મૂળ ખાંસી અને કલહનું મૂળ હાંસી.”કેઈની ઠઠ્ઠામશ્કરી કરતાં સામે મનુષ્ય ચીડાઈ જાય અને તેમાંથી મેટે કલહ ઉત્પન્ન થાય. જે ખાંસીને ન રોકવામાં આવે તો તે ક્ષયરોગનું કારણ થઈ પડે છે, તેવી રીતે મશ્કરી પણ કલહ-કંકાસનું કારણ થઈ પડે છે. કલહના સંબંધમાં આપણે એક દષ્ટાંત વિચારીશું. દશરથ રાજાને ત્રણ સ્ત્રીઓ અને ચાર પુત્ર હતા. જ્યારે પોતે વૃદ્ધ થવા આવ્યા ત્યારે કેશલ્યાથી ઉત્પન્ન થયેલ પિતાના વડીલ પુત્ર રામચંદ્રને રાજગાદી આપવા તેમણે નિશ્ચય કર્યો. સર્વ મંત્રીઓએ પણ તે કામને સંમતિ આપી. આ વાતની ખબર કૈકેયીની દાસી મંથરાને પડી. તે કર્કશ અને કલકપ્રિય સ્વભાવવાળી દાસી મંથરાએ કૈકેયીને કહ્યું કે“આવતી કાલે રામચંદ્રને ગાદી મળવાની છે. તમે જાણે છે?” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy