________________
પવિત્રતાને પંથે
જોઈએ. ” એ કહે “તેને હાથીના પગ તળે છુંદાવ જોઈએ.” આ પ્રમાણે સૌએ પિતાપિતાને અભિપ્રાય આપે. ત્યારે રાજાએ શાંત ચિત્તે કહ્યું –“પણ જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે આ બ્રાહ્મણે મને પાણી પાયું હતું, અને રસ્તો બતાવ્યું હતું માટે તેનો આ ગુહે હું માફ કરું છું ” તે પછી બ્રાહ્મણને છૂટ કરવામાં આવ્યું. તે પિતાને ઘેર ગયા. પિતાના ઘરનાં બે ત્રણ આભૂષણે તે રાજપુત્રને પહેરાવીને તેને રાજસભામાં લઈને આવ્યું. રાજા તથા રાજસભા સર્વે વિસ્મિત થયાં. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-આ આપની પરીક્ષા માટે હતું અને તે પરીક્ષામાં આપ સફળ થયા છો.
આ દષ્ટાંત ઉપરથી આપણે એ વિચારવાનું કે–જે. કઈ મનુષ્ય આપણુ પર કરેલા નાના સરખા પણ ઉપકારનું
સ્મરણ કરીએ તો તેના પ્રત્યે દ્વેષ ઓછો થવા લાગે છે. રાજર્ષિ ભર્તુહરિના શબ્દોમાં
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
પરના લેશમાત્ર ગુણને પણ પર્વત તુલ્ય માની નિત્ય પિતાના હૃદયમાં આનંદ પામનારા કોઈક ઉત્તમ જનો જ હોય છે. વળી મહાપુરુષાએ લખ્યું છે કે-દ્વેષનું ઔષધ દ્વેષ નહિ પણ પ્રેમ છે. દ્વેષ કદાપિ દ્વેષથી નાશ પામે નહિ પણ તેને નાશ કરવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય પ્રેમ છે. જેને વંદિત્તા સૂત્રમાં નિત્ય જણાવે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org