________________
માનવિરમણ
થત હોય તો વિચારવું કે આપણું બળ ઘણા પશુઓના બળ કરતાં પણ ઓછું છે. આપણે નિબળતાઓને પાર નથી. અને આપણું આ શારીરિક બળ કયે વખતે ઘટશે તે કોણ જાણે છે ? તે પછી તે સંબંધી મદ કરે એ કેમ વાજબી ગણાય?
ધનમદ યા લાભમદ–આ મદ પણ અયોગ્ય છે, કારણ કે પોતાના કરતાં બીજા વિશેષ ધનાઢ્ય લેકે જગતમાં વસે છે. અને જો સોનાથી મનુષ્યને મદ થતું હોય તે સોનાની ખાણે આગળ તેનું સોનું શા હિસાબમાં છે? અને લક્ષ્મી ચંચળ સ્વભાવની હોવાથી કયે વખતે ચાલી જશે તે કણ કહી શકે તેમ છે? આપણે અનેક મનુષ્યના સંબંધમાં દશાના વારાફેરા જોઈએ છીએ, તે પછી તે સંબંધમાં અભિમાન કરવાનું કોઈ કારણ નથી.
જ્ઞાનમદ–વિદ્યામદ અથવા જ્ઞાનમદ. એ સિાથી ભયંકર મદ છે. બધા મદને આપણે જ્ઞાનથી–સમજણથી દૂર કરી શકીએ, પણ જ્યાં જ્ઞાનને જ મદ થાય, વાડ જ ચીભડાં ચોરે, પોતાની માતા જ ઝેર આપે ત્યાં સ્થિતિ ઘણી શોચનીય છે. જેરેમી ટેલર લખે છે કે –
Our learning is then best when it teaches most humility, but to be proud of learning is the greatest ignorance in the world.
જે જ્ઞાન આપણને નમ્ર બનાવે છે તે જ્ઞાન ઉત્તમ છે, પણ પિતાના જ્ઞાન વિષે અભિમાન કરવું એ દુનિયામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org