SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પવિત્રતાને પંથે પ્રત્યે ખીજાએ તેા નિમિત્ત માત્ર છે, માટે મારે બીજા શા સારુ ક્રોધ કરવા જોઈએ ? આ સબંધમાં જ્ઞાના વમાં આપેલી ભાવના વિચારવા જેવી છે. प्राङ् मया यत्कृतं कर्म, तन्मयैवोपभुज्यते । मन्ये निमित्तमात्रोऽन्यः, सुखदुःखोद्यतो जनः ॥ ‘જે મે... પૂર્વ ભવમાં કર્મો કરેલાં છે તેનાં ફળ હું ભાગવું છું. ખીજા મનુષ્યા તે સુખદુ:ખ આપવામાં નિમિત્ત માત્ર છે, તેા અન્ય ઉપર હું... શા સારુ રાષ કરું ? ” વળી જે કાઇ મારા દોષ બતાવે તે તે મારા પરમમિત્ર છે, કારણ કે એવેા દોષ હું ફરીથી નહિ કરું, તેા પછી નિષ્કારણુ મિત્ર પર શા સારુ ક્રોધ કરવા? વળી જે કાઇ ક્રોધ કરાવે છે તેના સંબંધુમાં એવા વિચાર કરવા કે “ મેં અત્યાર સુધી વિવેક અને જ્ઞાનપૂર્વક શાંતિના અભ્યાસ કર્યો છે, તેની પરીક્ષા લેવા માટે પ્રતિકૂળ મનુષ્યા કે પ્રતિકૂળ પ્રસ`ગા ઊભા થયા છે, તેા મારે તે પ્રતિકૂળ મનુષ્યેા તથા પ્રસંગેાને વધાવી લઇ આ શાંતિની પરીક્ષામાં પસાર થવુ જોઇએ. ’’ આ ઉપર એક ટૂંકું દષ્ટાંત આપણને ક્રોધ શમાવવામાં ઘણું જ લાભકારી થશે. ગજસુકુમાળ નામના રાજકુમારે માત્ર બાર વર્ષની વયે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ'સારના ત્યાગ કરી શ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં ઊઁભા રહ્યા. સેામિલ નામના બ્રાહ્મણની સ્વરૂપવતી આઠ પુત્રી સાથે ગજસુકુમાળનું સગપણુ કર્યું હતું, પરંતુ લગ્ન થયા પહેલાં તે સંસાર છેાડી ત્યાગી થયા. પેાતાની પુત્રીના સુખના નાશ થયે. તેથી સેામિલને ક્રોધ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy