SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કલવરમણ જગતમાં આપણે બધા મુસાફ્ા તરીકે આવ્યા છીએ અને અમુક સાધ્ય તરફ જવાને બધા કૂચ કરીએ છીએ. મામાં એક બીજાની મદદથી આપણે આગળ વધવાનું છે. એક બીજાની હુથી આપણે પ્રગતિ કરવાની છે, તેા પછી કલહ કરવાથી લાભ શે! ? જો કાઇ સાથે બને તે મૈત્રી કરા અને ન બને તે તેને રસ્તે તેને જવા દે, પણ તેની સાથેના સંબંધ તેાડવાથી અથવા ઝગડા કરવાથી લાભ શે? કલહશીલ વૃત્તિવાળાને આર્ત્ત અને રોદ્ર પરિણામ રહ્યાં કરે છે. તેને કદાપિ શાંતિ વળતી નથી. તે કદાપિ કલ્યાણકારી પવિત્ર વિચાર કરી શકતા નથી. આત્મ અભ્યાસીએ-સ્વઉન્નતિ ઇચ્છક દરેક જીવે આ કલહની વૃત્તિ દૂર કરી સર્વ જીવ સાથે હળીમળીને રહેવું; કારણ કે તેમાં આપણને તેમજ સામાને શાંતિ થાય છે અને શાંતિ સાથે સાચી શક્તિ જન્મે છે તથા વિકાસ ઘણી ત્વરાથી થવા લાગે છે. પ્રકરણ ૧૩ મું. અભ્યાખ્યાનવિરમણુ, અભ્યાખ્યાન એ તેરમું પાપસ્થાનક છે. અભ્યાખ્યાન એટલે ખીજાને માથે આળ મૂકવુ, કૈાઇનામાં જે દોષ ન હાય તે દોષ તેને માથે ચઢાવવા, સાંભળેલી વાતા પરથીલેાકેાક્તિથી અમુક પુરુષ કે સ્ત્રી આવાં જ છે એમ માની બેસવું અને તે વાત બીજાઓમાં ફેલાવવી આ સર્વ અભ્યાખ્યાનમાં સમાઇ જાય છે. આનુ કેટલું અને કેવું ભયંકર પરિણામ આવે છે તેના ઘણા થાડાને જ ખ્યાલ હાય છે. જીભવડે આપણે For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy