________________
પવિત્રતાને પથે
તેમજ મહાપુરુષના ચારિત્રમાંથી વીરતા, ધૈર્ય, કરુણા, દયા, ક્ષમા, ઉદારતા, પ્રેમ અને મૈત્રીભાવનાં દષ્ટાંત અને બનાવો એકત્ર કરે, તે સમરણમાં રાખે અને લોકોને જણાવે કે જેથી તમને તથા સાંભળનારાને બન્નેને ઉત્સાહ અને પ્રેરણાશક્તિ આવશે અને તમારી પશુન્યની ટેવ જતી રહેશે. લોકોની ગુપ્ત વાતે મિત્ર થઈ, નેહી બની સાંભળવી અને પછી તેવી વાતે બીજા આગળ કહેતાં ફરવું એ શું મિત્રદ્રોહ નહિ? એ શું ઓછો વિશ્વાસઘાત છે?
પશુન્યવૃત્તિને ત્યાગ કરવાને મનુષ્ય હદયથી ઉદાર બનવું જોઈએ. આત્મ અભ્યાસી મનુષ્ય બીજાઓની નિર્બળતા પ્રત્યે ઘણું જ ઉદાર બને છે, અને જે કદાપિ સપ્ત બને તો તે પોતાની નિર્બળતા અને ખામીઓ પ્રત્યે સપ્ત બને છે. આવી રીતે-આવા પ્રકારના વિચારો કરીને મનુષ્ય પશુન્યના અધમ દેષથી મુક્ત થાય છે. પારકાના દેષરૂપી મલિન જળમાં જે આપણે આપણું વસ્ત્ર ધેઈએ તો તે કેવી રીતે નિર્મળ થાય? માટે ઉદાર વૃત્તિથી દરેક બનાવ, દરેક મનુષ્ય અને દરેક સંસ્થાની શુભ બાજુ જુઓ, તેને ટેકે આપે તેથી શુભ વૃદ્ધિ પામશે એટલે અશુભ આપઆપ ચાલ્યું જશે.
પૈશુન્યને–બીજાની ચાડીચુગલી કરવાની ટેવનો ત્યાગ કરવાથી મનુષ્યને બેહદ શાંતિ મળે છે. મન વિશેષ નિર્મળ બનતું જાય છે, જ્યારે મન નિંદામાં નથી પરોવાતું ત્યારે કાંઈ શુભ કામમાં રોકાય છે, એટલે સમયને સદુપગ થાય છે, વાણું અને મન ઉપર સંયમ આવતો જાય છે અને હૃદય નિર્મળ થતાં અંતરાત્મા વિશેષ તેજથી ઝળકવા લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org