________________
( ૪ ) એ વિચારનું ચિંતન કરી આ પુસ્તકમાં વર્ણવેલા અઢાર વાપસ્થાનકોથી બચવા વાચકવર્ગ પ્રયત્ન કરશે તેમાં આ પુસ્તકની સાર્થકતા છે.
છેવટ વાચકવર્ગને એ જ વિનંતિ કે-આમાંના દરેક પ્રકરણનું હાર્દ સમજી જે દોષ પિતાનામાં હોય તે ટાળવા પ્રયત્ન કરવો. દોષને ટાળવા માટે દોષનું સ્વરૂપ સમજી લઈ તેની સામે સગુણ ખીલવવા પ્રયત્ન કરો. ક્ષમાનો સદગુણ ખીલવવાથી ક્રોધ પિતાની મેળે ચાલ્યો જશે. તેમાં સરળતા ખીલવવાથી માયા દૂર થઈ જશે. તેવી રીતે દરેક દેશને ટાળવા તેના વિરોધી સદ્ગુણનું જેમ બને તેમ વધારે ચિંતન કરવું અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે કે જેથી તે સદ્દગુણ સમય જતાં સ્વાભાવિક થઈ જશે.
આ બુક શેઠ લધાભાઈ ચાંપશીની પ્રેરણાથી છપાવવામાં આવી છે. અમને પણ પસંદ પડવાથી અમે તેની વધારે નકલ શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકેને ભેટ આપવા માટે છપાવી છે. આ બુકમાં સહજ સુધારો વધારે કર્યો છે. છેલ્લા પ્રકરણમાં વધારે વધારો કર્યો છે તે ખાસ વાંચવા લાયક છે.
આ બુકના મુખ્ય લેખકને આભાર માનીએ છીએ. બે બોલ પણ તેમના જ રાખ્યા છે. દરેક પ્રકરણે સારા ને અસરકારક છે તે લક્ષપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. બીજા નેવેલો વિગેરેના શુષ્ક લખાણે ન વાંચતાં આવું આત્મહિતકારક લખાણ જ વાંચવું હિતાવહ છે.
શેઠ લધાભાઈએ પિતાની માતુશ્રીને શ્રેયાર્થે આ બુક છપાવી છે અને તે પિતાના કુટુંબમાં વહેંચવાનું ધાર્યું છે. આવા પુસ્તકની લહાણી કરવી તે ખરેખર શ્રેયકારક છે. પ્રારંભમાં વધારે ન લખતાં બે બેલ સમાપ્ત કરવામાં આવે છે.
વિ. સં. ૨૦૦૦ | કાર્તિકી પૂર્ણિમા
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org