________________
પ્રકરણ ૨ જું.
મૃષાવાદવિરમણ, આખું વિશ્વ સત્યથી ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારાએ પિતાની ગતિમાં ચાલ્યા કરે છે તે પણ સત્યવડે જ. રોગસૂત્રના રચનાર મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે સત્યતિષ્ઠા વાણિતિ જ્યારે મનુષ્યમાં સત્ય પૂર્ણ રીતે સિદ્ધ થાય છે ત્યારે તે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે જે કંઈ બોલે છે તે પ્રમાણે થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે–
પૂછળ્યા સિવાય પોતે બલવું નહિ અને પૂછે ત્યારે અસત્ય બોલવું નહિ.” Truth in the purity of speechસત્ય એ વાણુની પવિત્રતા છે પણ મનુષ્ય ક્રોધથી, લેભથી, કપટથી, અહંકારથી, ભયથી, હાસ્યથી અથવા સ્વાર્થથી કે પિતાના દોષે છુપાવવા માટે અસત્ય બોલે છે. પવિત્ર આચારવિચારવાળા મનુષ્ય પણ આ અસત્યના પાશથી સર્વથા મુક્ત હોતા નથી. ગરીબ તેમજ તાલેવંત, ગૃહસ્થ તેમજ સાધુ, પુરુષ કે સ્ત્રી, બાળક કે વૃદ્ધ-આ સર્વેમાં તે સંપૂર્ણ સત્ય બોલનાર ભાગ્યેજ જડી આવે છે. જેવું
મનમાં હોય તેવું જ વચનમાં બોલનાર પુરુષ યા સ્ત્રી વિરલ હોય છે. આમ કહેવું તે જગતને અન્યાય આપવા જેવું લાગે, પણ અનુભવથી આ વાતની સત્યતા જણાઈ આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org