SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પવિત્રતાને પંથે રથી થાય છે. વળી જગતનું વાતાવરણ બગડતું જાય છે. જગતમાં પરદોષદષ્ટિ વધે છે, પણ સા કરતાં મોટે ગેરફાયદો તો આપણને થાય છે કે આપણું વાતાવરણ મલિન બને છે. પારકાના દેષરૂપી મલિન જળમાં સ્નાન કરવાથી આપણી શુદ્ધિ કેવી રીતે થઈ શકે? વળી આપણે વિચાર કરવાથી અટકતા નથી, પણ આપણે બીજાના દેષની કરેલી શોધ લોકે આગળ અતિશકિતના સાથિયા પૂરી, મીઠું મરચું ભભરાવી, લલકારીએ છીએ અને તેઓ પણ તેમાં બહુ જ રસપૂર્વક ભાગ લે છે. તેઓ તે વાત બીજાઓને જણાવે છે. આવી રીતે સેંકડે મનુષ્યો તે કમભાગ્ય મનુષ્યની નિંદા કરવામાં ભાગ લે છે અને તેનો દોષ સુધારવાનું કામ ઘણું કઠણ બને છે. નિંદાથી કોઈ સુધર્યું નથી અથવા સુધરવાનું નથી. આપણે ધારીએ તો પ્રેમથી–દિલસોજીથી એકાંતમાં કેઈની ભૂલ જણાવી, તેને આપણે બનાવી, તેની ભૂલ કદાચ સુધારી શકીએ. . વળી નિંદા કરવામાં સમયને દુરુપયેગ થાય છે, કેમાં વેરવૃત્તિઓ અને કલહ જાગે છે, મન ઘણું કલુષિત બને છે. નિંદા કરનાર પર કઈ વિશ્વાસ રાખતું નથી. તે બીજાના દોષો જ શોધતે હોવાથી તેના જ્ઞાનચક્ષુ પર યડલ આવી જાય છે અને તેને સર્વત્ર દેષ જ જણાવા લાગે છે. તે બીજા સંબંધી વિચારો કરવામાં એટલો બધો મગ્ન થઈ જાય છે કે તે પિતાનું ભાન ભૂલી જાય છે. નિંદા ત્યાગ કરવાના ઘણાં સાધન છે. દરેક મનુષ્યમાં ગુણે તથા દોષો રહેલા છે. ગુણ ઉપર પ્રીતિ રાખો અને ગુણોને પુષ્ટિ આપ, એટલે દુર્ગણે ચાલ્યા જશે. જે મનુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy