Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 114
________________ ૧૦૮ પવિત્રતાને પંથે રથી થાય છે. વળી જગતનું વાતાવરણ બગડતું જાય છે. જગતમાં પરદોષદષ્ટિ વધે છે, પણ સા કરતાં મોટે ગેરફાયદો તો આપણને થાય છે કે આપણું વાતાવરણ મલિન બને છે. પારકાના દેષરૂપી મલિન જળમાં સ્નાન કરવાથી આપણી શુદ્ધિ કેવી રીતે થઈ શકે? વળી આપણે વિચાર કરવાથી અટકતા નથી, પણ આપણે બીજાના દેષની કરેલી શોધ લોકે આગળ અતિશકિતના સાથિયા પૂરી, મીઠું મરચું ભભરાવી, લલકારીએ છીએ અને તેઓ પણ તેમાં બહુ જ રસપૂર્વક ભાગ લે છે. તેઓ તે વાત બીજાઓને જણાવે છે. આવી રીતે સેંકડે મનુષ્યો તે કમભાગ્ય મનુષ્યની નિંદા કરવામાં ભાગ લે છે અને તેનો દોષ સુધારવાનું કામ ઘણું કઠણ બને છે. નિંદાથી કોઈ સુધર્યું નથી અથવા સુધરવાનું નથી. આપણે ધારીએ તો પ્રેમથી–દિલસોજીથી એકાંતમાં કેઈની ભૂલ જણાવી, તેને આપણે બનાવી, તેની ભૂલ કદાચ સુધારી શકીએ. . વળી નિંદા કરવામાં સમયને દુરુપયેગ થાય છે, કેમાં વેરવૃત્તિઓ અને કલહ જાગે છે, મન ઘણું કલુષિત બને છે. નિંદા કરનાર પર કઈ વિશ્વાસ રાખતું નથી. તે બીજાના દોષો જ શોધતે હોવાથી તેના જ્ઞાનચક્ષુ પર યડલ આવી જાય છે અને તેને સર્વત્ર દેષ જ જણાવા લાગે છે. તે બીજા સંબંધી વિચારો કરવામાં એટલો બધો મગ્ન થઈ જાય છે કે તે પિતાનું ભાન ભૂલી જાય છે. નિંદા ત્યાગ કરવાના ઘણાં સાધન છે. દરેક મનુષ્યમાં ગુણે તથા દોષો રહેલા છે. ગુણ ઉપર પ્રીતિ રાખો અને ગુણોને પુષ્ટિ આપ, એટલે દુર્ગણે ચાલ્યા જશે. જે મનુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136