Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ પવિત્રતાને પંથે (વસ્તુઓ પ્રત્યેની આસક્તિને) પરિગ્રહ કહેલ છે. જ્ઞાનાવમાં પણ કહ્યું છે કે – निःसंगोऽपि मुनिन स्यात्समूर्छः संगवर्जितः । यतो मृछैव तत्त्वज्ञैः, संगसूतिः प्रकीर्तिता ॥१॥ મુનિ નિઃસંગ હોય, પણ જે વસ્તુઓ પ્રત્યે તેને આસક્તિ હોય તે તે નિષ્પરિગ્રહી કહેવાય નહિ, કારણ કે તત્ત્વોએ મૂચ્છીને પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માન્યું છે. એ મૂચ્છનું મોટું કારણ એ છે કે–આપણે અજ્ઞાનથી, જે વસ્તુઓ આપણ નથી તેને આપણે માનીએ છીએ. એ વસ્તુઓમાં રહેલા ત્રણ અવગુણે જે આપણે વિચારીએ તે તે વસ્તુઓ પ્રત્યેને મમત્વભાવ ઓછો થાય. તે વસ્તુઓ ક્ષણિક સુખ આપનારી છે, વળી તે દુઃખગર્ભિત છે અને ત્રીજો મોટો અવગુણ એ છે કે તે મળ્યા પછી તેના ઉપરથી મોહ ઉતરી જાય છે અને બીજી વસ્તુઓ મેળવવાની ઈચ્છા થાય છે. આ દોષ જગતના તમામ પદાર્થોમાં રહેલ છે. આ બાબતને વિચાર કરવામાં આવે તે આપણે વસ્તુઓ પાછળ ગાંડાની માફક નહિ ભમતાં જરા વિચારશીલ થઈએ. મનુષ્ય વસ્તુઓની વચમાં રહેવા છતાં પણ નિરાસતિભાવ રાખી શકે એ બનવાજોગ છે; અને મહાન આત્માઓ તેમ કરી પણ શકે છે. પણ તે ઉપરથી સામાન્ય આત્માઓ એમ કહેવા લાગે કે અમને આ વસ્તુઓ પ્રત્યે નિરાસક્તિભાવ છે તે તે વિચારવા જેવી વાત છે. તે વસ્તુઓના વિશે અથવા વસ્તુઓને નાશ થતાં તેવું કહે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136