Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 73
________________ ભવિરમણ જરૂરિયાત અને સગવડને ખાતર જે ધન આવશ્યક હોય, તે સિવાયનું બાકીનું ધન નિરર્થક અને ઘણીવાર તે બોજારૂપ હોય છે. પણ જે મનુષ્ય બાકીના ધનને પરોપકારાર્થે અથવા સત્કાર્યમાં ઉપયોગ કરે તે તેની સફળતા છે. મનુષ્ય ધનવાન થયો એટલે તેના ધનને લીધે તે આકૃતિવિદ્યા (Drawing) અથવા સંગીતશાસ્ત્રમાં નિપુણતા મેળવી શકે નહિ. ગરીબ મનુષ્યની માફક તેને તે વિદ્યા શીખવાને મહેનત કરવાની જરૂર છે. તેમજ ધનને લીધે જિતેંદ્રિયપણું, હૈયે આદિ સદગુણે આવી જતા નથી. તેમજ ધનને લીધે ધન ઉપર વૈરાગ્ય આવી શકતો નથી, તેમજ પોતાના આત્માને પરિગ્રહની મર્યાદા કરતાં પણ શીખવી શકાતો નથી. જે મનુષ્યને તૃષા લાગી હોય તો જળ તેની તૃષા છીપાવે છે. જે મનુષ્યને ભૂખ લાગી હોય તો રાક તેની ભૂખ મટાડે છે. જે મનુષ્યને ઠંડી લાગતી હોય તે ગરમ કોટ પહેરવાથી અથવા અગ્નિ પાસે બેસવાથી તે ઠંડી દૂર ભાગે છે અને તે મનુષ્યને શાંતિ થાય છે. પણ જો જરૂર કરતાં વધારે ખાય તો અજીર્ણ થાય છે, જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટ અકળાય છે અને જરૂર કરતાં વધારે વસ્ત્ર પહેરવાથી તાપ વિશેષ લાગે છે. કુદરતી તંગી પૂરી પડી એટલે કુદરત સંતોષ પામે છે. તેની તંગી કરતાં વધારે વસ્તુઓ તેને ભારરૂપ જણાય છે તેમજ નુકશાનકારક નીવડે છે, પણ ધનમાં તેમ નથી. તે બાબતમાં તો ધન મળતાં વિશેષ ધનની સ્પૃહા પ્રકટે છે અને આ લેભને કોઈ દિવસ અંત આવતો જ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136