________________
પ્રકરણ ૮ મુ.
માયાવિરમણ માયા એ બે અક્ષરનો શબ્દ છે પણ તે ઘણે અનર્થ ઉપજાવે છે. માયા એ શબ્દ આ સ્થળે કપટના અર્થમાં વાપરવામાં આવેલું છે. માયા એ ત્રીજે કષાય છે. તેના ગેરફાયદા લોકો વિચારતા નથી અને તે અવગુણને માટે ગણતા નથી, પણ માયા મોટું નુકસાન કરે છે.
જ્યાં મનુષ્યના મનમાં માયારૂપી રાક્ષસી પ્રવેશ કરે છે ત્યાં તેનામાંથી સત્યવૃત્તિ નાશ પામે છે. માયા મેટે ભાગે સ્વાર્થથી ઉદ્ભવે છે. જ્યાં મનુષ્યને સ્વાર્થ સરતે હોય ત્યાં તે ગમે તેવું કપટ કરવાને દેરાય છે, અનેક પ્રકારનાં અસત્ય બેલે છે. બહારથી સત્યવાદીનો ડેળ કરે છે પણ અંદરથી મેટી ભ્રમજાળ રચે છે. વળી મનુષ્ય પિતાની માનપ્રતિષ્ઠાની હાનિ ન થાય તે માટે પિતાનાં ખોટાં કર્મો છુપાવવાને પણ કપટ અથવા માયાનું સેવન કરે છે. જગત આગળ સારા દેખાવું-લોકેમાં વાહવાહ કહેવરાવવી, લોકોમાં ખોટી કીર્તિ મેળવવી–આ ઘણુ મનુષ્યના જીવનનું એક લક્ષ્ય થઈ પડ્યું હોય છે, અને જે સીધે માર્ગે કીતિ ન મળતી હોય તો અસત્ય માર્ગો પણ તે મેળવવી એવી ભાવના તેમના મનમાં જાગે છે; માટે મનુષ્ય અનેક પ્રકારનાં અસત્ય વચન બોલે છે. હૃદયમાં કાંઈક ભાવ હોય અને વચનમાં કાંઇક દર્શાવે છે. વળી કાર્યમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org