Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 313
________________ ૨૯૦ વ્રતસ્થાપનાવસ્તુક7“યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૪ "कायो न केवलमयं परितापनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेष, वश्यानि येन च तथा चरितं जिनानाम् ॥१॥" इति गाथार्थः ॥८५४॥ ટીકાર્ય : જે કારણથી આમ છે=સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે એમ છે, તે કારણથી જે રીતે સંયમનો ઉપઘાત કરનારી દેહની પીડા ન થાય, અને વળી સંયમનો ઉપઘાત કરનારું જ ચિતમાંસ-શોણિતપણું ન થાય, અને જે રીતે દેહના સ્વસ્થપણાથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તે રીતે આ=અનશનાદિ, કર્તવ્ય થાય છે. તેમાં થોથી સાક્ષી આપે છે – “આ કાયા કેવલ પરિતાપન કરવા યોગ્ય નથી અને બહુ પ્રકારના મૃષ્ટ=ધાતુપોષક, રસો વડે લાલન કરવા યોગ્ય નથી. જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉત્પથમાં ન જાય અને જેના વડે વશ્ય થાય=જે તપ વડે ચિત્ત અને ઇન્દ્રિયો વશ થાય, તે પ્રમાણે જિનોનું ચરિત છે=રાગ-દ્વેષને જીતનારા મુનિઓનું આચરણ છે,” આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે શુભ ધ્યાનનું બાધક એવું અનશનાદિ તપ પણ કરવાનું નથી, પરંતુ શક્તિ પ્રમાણે કરવાનું છે, અને સ્વશક્તિ પ્રમાણે કરાયેલ તપ બ્રહ્મચર્યની જેમ જ શુભાશયાદિ કરનારું છે. એ જ વાતને સ્થિર કરવા માટે કહે છે કે જે કારણથી શુભ ધ્યાનને બાધક ન હોય તેવું તપ બ્રહ્મચર્યની જેમ શુભાશય કરનારું છે, પરંતુ અન્ય નહિ; તે કારણથી સંયમનો ઉપઘાત કરે તેવી દેહપીડા કરવાનો ભગવાને નિષેધ કરેલ છે, અને સંયમનો ઉપઘાત કરે તેવું દેહપોષણ કરવાનો પણ ભગવાને નિષેધ કરેલ છે, પરંતુ દેહની સ્વસ્થતાપૂર્વક ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, એવો તપ કરવાની ભગવાને આજ્ઞા કરેલ છે. આ કથનથી એ ફલિત થાય કે શક્તિ ઓળંગીને તપ કરવાથી ધર્મધ્યાનની હાનિ થાય છે અને સમિતિગુપ્તિનું સભ્ય પાલન થઈ શકતું નથી. વળી સર્વથા તપ નહીં કરવાથી શરીર લોહી-માંસથી પુષ્ટ થવાને કારણે વિકારો પેદા કરે છે, જે સંયમને ઉપઘાતક છે. માટે શરીરનું લાલન-પાલન પણ ન કરવું જોઈએ, જેથી દેહ પ્રત્યે મમત્વ થાય અને ઇન્દ્રિયો ઉત્પથમાં જાય; પરંતુ સ્વશક્તિ અનુસાર તપ કરવાથી લોહીમાંસ વધતાં નથી, તેથી દેહ પ્રત્યે મમત્વ થતું નથી અને ઇન્દ્રિયો પણ શિથિલ બનેલ હોવાથી ઉત્પથમાં જતી નથી. આથી ધર્મધ્યાનની અને સંયમની વૃદ્ધિ થાય તેટલું જ દેહનું પાલન કરવું જોઈએ, અધિક નહિ. ટીકામાં આપેલ સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે – આ કાયાની કેવલ પરિતાપના ન કરવી જોઈએ અર્થાત્ શક્તિના ઉલ્લંઘનથી તપ ન કરવો જોઈએ. વળી બહુ પ્રકારના સારા રસો વડે શરીરનું લાલન-પાલન પણ ન કરવું જોઈએ અર્થાત્ “દેહ સંયમનું સાધન છે માટે દેહને સાચવવો જોઈએ”, એ પ્રકારનો વિચાર કરીને શરીરને અનુકૂળ એવા સારા પદાર્થોથી શરીરનું પોષણ પણ કરવું જોઈએ નહીં; પરંતુ જે તપ કરવાથી મન અને ઇન્દ્રિયો ઉત્પથમાં જાય નહીં, આત્માને વશ થાય અને સંયમમાં પ્રવર્તાવી શકાય, તે પ્રકારે તપ કરવો જોઈએ; અને આવા તપનું નિર્લેપ ભાવવાળા મુનિઓએ આચરણ કરેલ છે. ૮૫૪ો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426