Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 385
________________ ૩૨ વતસ્થાપનાવસ્તક 'યથા પનિયતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ચતિકથા' | ગાથા ૯૯૩-૯૦૪ ભાવાર્થ : - સાધુએ સંયમની વૃદ્ધિ માટે સ્વાધ્યાયાદિ ઉચિત યોગોમાં હંમેશાં યત્ન કરવો જોઈએ; છતાં સાધુ જ્યારે સ્વાધ્યાયાદિથી શ્રમિત થયેલ હોય, ત્યારે શારીરિક અને માનસિક સ્થિરતાપૂર્વક, સ્થિર આસનમાં બેસીને, સંવેગને વધારે તેવી ઉત્તમ પુરુષોની કથા કરે અર્થાત્ ભગવાને ઉપદેશેલ એવો સંયમ ગ્રહણ કરેલ છે એવા અને ભગવાનના કુળને, અનુરૂપ સંયમમાં સુદઢ યત્ન કરનારા એવા મહાત્માઓના ચરિત્રની કથા કરે, જેથી સંવેગની વૃદ્ધિ થાય અને સંયમયોગોમાં સુદઢ પ્રયત્ન થાય. ૯૦૩ અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલ સાધુ યતિઓની કથાને કરે. એને જ કહે છે – ગાથા : जिणधम्मसुट्ठिआणं सुणिज्ज चरिआई पुव्वसाहूणं । साहिज्जइ अन्नेसिं जहारिहं भावसाराई ॥९०४॥ અન્વયાર્થ : નિયમમાાં જિનધર્મમાં સુસ્થિત એવા પુદ્ગલ દૂy પૂર્વ સાધુઓનાં ચરિગાડું ચરિત્રોને સુન્નિસાંભળે (અને) મહિં અન્યોને નહારિહંયથાઈ=યથાયોગ્ય, માવસરાડું ભાવસાર એવાં ચરિત્રોને સિદિmડું કહે. ગાથાર્થ : જિનધર્મમાં સુસ્થિત એવા પૂર્વના સાધુઓનાં ચસ્ત્રિોને સાંભળે, અને અન્ય સાધુઓને યથાયોગ્ય ભાવસાર એવાં ચરિત્રોને કહે. ટીકા : जिनधर्मसुस्थितानां सम्बन्धीनि शृणुयाच्चरितानि-चेष्टितानि पूर्वसाधूनां महात्मनां, साधयेच्चाऽन्येभ्यः कथयेदित्यर्थः यथार्ह भावसाराणि-विनयपरिणत्यनुरूपाणीति गाथार्थः ॥९०४॥ ટીકાઈઃ જિનધર્મમાં સુસ્થિત, મહાત્મા એવા પૂર્વના સાધુઓના સંબંધવાળા ચરિત્રોને ચેષ્ટિતોને આચરણાઓને, સાંભળે, અને અન્યોને યથાઈ યથાયોગ્ય, વિનય અને પરિણતિને અનુરૂપ ભાવસાર એવાં ચરિત્રોને કહે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426