________________
૩૪
મુક્તિત્કાલિંશિકા | શ્લોક-૧-૨-૩, ૪ કરવામાં આવે તો દૃષ્ટાંતની અસંગતિ થાય, તેથી મહાપ્રલયમાં સર્વ જીવો મુક્ત થાય છે તેવી સિદ્ધિ થાય નહીં; કેમ કે કાલિકસંબંધથી પ્રદીપના અવયવો દુ:ખના પ્રાગભાવના આધાર છે અર્થાત્ દુઃખનો પ્રાગભાવ અભાવીયવિશેષણતાસંબંધથી આત્મામાં રહેતો હોવા છતાં કાલિકસંબંધથી દુઃખનો પ્રાગભાવ કાલના ઉપાધિભૂત ઘટ-પટાદિમાં રહે છે તેમ પ્રદીપના અવયવોમાં પણ રહે છે. માટે પ્રદીપના અવયવો કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવના આધાર છે.
(૨) આ દોષના નિવારણ માટે કાલિકસંબંધનું વિશેષણ મૂકવામાં આવે કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં જે દુઃખનો ધ્વંસ છે તેના પ્રતિયોગીમાં વૃત્તિમતું એવું સાધ્ય છે, તો સંસારી આત્મામાં આ લક્ષણની પ્રાપ્તિ થાય; કેમ કે સંસારી જીવોમાં અભાવયવિશેષણતાસંબંધથી દુઃખનો પ્રાગભાવ હોવા છતાં મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવનો અનાધાર છે, તેથી પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયમાં સર્વ દુઃખોનો ધ્વંસ થાય છે તેની સિદ્ધિ થવાને બદલે અર્થાતરની સિદ્ધિ થાય છે.
(૩) આ દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે, મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધ અને દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિમતું એવા સાધ્યને અમે ગ્રહણ કરીશું. તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉક્ત અન્યતરસંબંધગર્ભ એવા હેતુ અને સાધ્યની વ્યાપ્તિ ક્યાંય ગ્રહણ થતી નથી. III અવતરણિકા -
તાર્કિક એવા તૈયાયિક શ્લોક-૧થી ૩ સુધી અનુમાન દ્વારા પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સિદ્ધિ કરવા મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખધ્વંસ થાય છે તેને સ્થાપત કરવા યત્ન કરેલ. તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૩ના પાછળના ભાગમાં કહ્યું કે, વૈયાયિકોએ પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સિદ્ધિ માટે કરેલું અનુમાન અસંગત છે. કેમ અસંગત છે ? તેમાં હેતુ આપ્યો કે, વૃતિવિશેષ ઈષ્ટ હોતે છતે બાધદોષ છે, અન્યથા અર્થાતરનો અવ્યય છે. વળી શ્લોક-૩ની ટીકાના અંતે ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઉક્ત અન્યતરસંબંધથી અસુખના દુ:ખના, પ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરાયે છતે પણ તેવા સંબંધગર્ભ હેતુ અને સાધ્યની વ્યાપ્તિનું ગ્રહણ મહાપ્રલય સિવાય અન્યત્ર ક્યાંય થતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org