Book Title: Mukti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 157
________________ ૧૨૮ यदुक्तं महानैयायिकेन જે મહાનૈયાયિક વડે કહેવાયું છે મહાનૈયાયિક વડે શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે ... મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૭ - पुमर्थत्वे રૂતિ ।। પુમર્થપણામાં=દુ:ખના અભાવરૂપ મોક્ષના પુરુષાર્થપણામાં, પુમર્થનું જ્ઞાન-દુઃખના અભાવરૂપ પુમર્થનો બોધ, અપ્રયોજક છે. અને વિનશ્ય અવસ્થાવાળા યોગીસાક્ષાત્કાર દ્વારા=નાશ પામતી અવસ્થાવાળા યોગીસાક્ષાત્કાર દ્વારા, વર્તતો એવો દુઃખનો નાશ અનુભવાય છે. ‘કૃતિ’ શબ્દ મહાવૈયાયિકના કથનની સમાપ્તિસૂચક છે. ।।૨૭।ા ભાવાર્થ: - મોક્ષમાં સુખના અભાવરૂપ ગુણની હાનિ અનિષ્ટ હોવાથી મહાનૈયાયિકનું કથન અપાસ્ત ઃ શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે, અવેઘ એવો દુ:ખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી; કેમ કે સુખરૂપ ગુણની હાનિ જીવને અનિષ્ટ છે. તેથી અર્થથી ફલિત થયું કે, મોક્ષમાં જે દુઃખનો અભાવ છે તે અવેધ નથી, પરંતુ મોક્ષના જીવોને સ્વસંવેદ્ય છે. અને મોક્ષના જીવોને દુ:ખનો અભાવ સ્વસંવેદ્ય સ્વીકારીએ તો સંસારના સર્વ ઉપદ્રવોથી રહિત એવી સુખની અવસ્થાની પ્રતીતિરૂપ મોક્ષ સિદ્ધ થાય છે, તેથી મહાનૈયાયિકનું કથન અપાસ્ત થાય છે. Jain Education International પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન અપ્રયોજક : મહાનૈયાયિક મોક્ષને દુઃખાભાવરૂપ સ્વીકારે છે અને તે દુ:ખાભાવ અવેઘ છે તેમ સ્થાપન કરે છે અને તે સ્થાપન કરવા અર્થે કહે છે કે, પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી. તેથી એ ફલિત થાય કે, દુ:ખાભાવરૂપ મોક્ષ સ્વીકારવા માટે મોક્ષમાં દુઃખાભાવના સંવેદનરૂપ જ્ઞાનને સ્વીકા૨વાની આવશ્યકતા નથી. માટે મોક્ષમાં દુઃખનો અભાવ છે, પરંતુ દુઃખના અભાવનું વેદન નથી. યોગીમાં દુઃખોની વિનાશ પામતી અવસ્થા હોય ત્યારે યોગીને સાક્ષાત્કારથી વર્તમાન દુઃખનાશનો અનુભવ : અહીં પ્રશ્ન થાય કે, મોક્ષમાં દુઃખનો અભાવ હોવા છતાં દુ:ખના અભાવનું વેદન મુક્ત આત્માઓને ન હોય તો મોક્ષમાં દુઃખનો અભાવ છે તે કઈ રીતે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176