________________
૨૮]
जैन साहित्य संशोधक
[खंड ३
ફાકારે ડ િધrtત્તિનાહ્ય મિરરનાનિ ફુતિ “સપને' ત્તિ ધર્મ: ૩लक्षणः तद्विपरीतस्तु अध:-जीवपुद्गलानां स्थित्युपष्टम्भकारी । शेष प्रागिव ।" અર્થાત “ચારિત્ર ધર્મ એટલે સંયમ ધર્મ-કુશલ કર્મ-સપ્રવૃત્તિના સૂચક જે સામાન્ય શબ્દો કે વિશેષ શબ્દો હોય તે બધાય “ધર્માસ્તિકાયના પર્યાય શબ્દ છે અને અસંયમ-અકુશલ કર્મ–અસત્યવૃત્તિના સૂચક જે સામાન્ય શબ્દો કે વિશેષ શબ્દો હિય તે બધાને “અધર્માસ્તિકાય એના પર્યાય સાથે સમજવાના છે.”
ટીકાકારશ્રી એક તરફ તે “ધમસ્તિકાયને સદાચાર અને અધર્માસ્તિકાય ને અસદાચાર જણાવે છે અને તેમ છતાંય તે બને તની વ્યાખ્યા તે “શીવપુરાનાં गतिपर्याये धारणादू धर्मः x x x धर्मश्चासौ अस्तिकायश्च प्रदेशराशिरिति धर्मास्तिकायः" એમ કરે છે. અર્થાત તત્ત્વાર્થમાં જે વ્યાખ્યા આપી છે તે જ વ્યાખ્યાને ટીકાકાર પણ અનુસરે છે. પણ એ વ્યાખ્યાને અનુસરતાં “ધર્માસ્તિકાય” અને “અહિંસા એ બને પર્યાય શબ્દો કેમ બની શકે ? તે પ્રશ્નનો ઉત્તર આપતાં ટીકાકાર લખે છે કે, “ “grગાવાયામને વા' રા િ ધર્મ: વારિસ્ટન: જ પ્રતિવિરમणादिरूपः ततश्च धर्मशब्दसाधात् अस्तिकायरूपस्यापि धर्मस्य प्राणातिपातविरमणादयः v યા પ્રવર્તતે દતિ ” અર્થાત “પ્રાણાતિપાત વિરમણ (અહિંસા) વગેરે ધર્મરૂપ છે
અને આ “ધર્માસ્તિકાય ”માં “ધર્મ” શબ્દ આવેલો છે માટે એ બને-અહિંસા અને ધર્માસ્તિકાય–શબ્દો પર્યાય રૂપે પ્રવર્તે છે” ટીકાકારે આપેલી પાય શબ્દની આ જાતની વ્યાખ્યા એક નવા જ પ્રકારની છે. કેઈ એમ કહે કે, અહિંસા વગેરે ધર્મ—રૂપ છે અને “ધર્મચંદ” નામમાં “ધર્મ' શબ્દ આવે છે માટે અહિંસા અને “ધર્મચંદ” એ બનને શબ્દો પર્યાયરૂપ છે. જેટલા અંશે અહિંસા અને “ધર્મચંદ'ને પર્યાય બનાવ વાની વ્યાખ્યા સુસંગત હોય તેટલા જ અંશે અહિંસા અને ધર્માસ્તિકાય” ને પર્યાય જણાવવાની રીત સુસંગત હોય. અર્થાત્ ટીકાકારે આપેલી એ વ્યાખ્યા ઘણી જ નિર્બળ જણય છે. પણ ટીકાકારને તે યેન કેન પ્રકારેણ સંગતિ જ કરવાની રહી એટલે એમને તે એ વ્યાખ્યાથી પણ ચાલી શકે પણ જે કેઈમનસ્વી તટસ્થ વિચારક હોય તેને તે એ વ્યાખ્યા ન જ ચાલી શકે તટસ્થ વિચારક તે ભગવતીના એ પાઠ અને અભયદેવની એ વ્યાખ્યા ઉપરથી નીચેનું અનુમાન કાઢી શકે.
જૂની જૈન પરંપરામાં “ધર્માસ્તિકાય” શબ્દ સદાચારને અર્થે વપરાતું હશે અને “અધર્માસ્તિકાય’ શબ્દ અકુશલ કમને માટે વપરાતો હશે. પણ એ પરંપરા લુપ્ત થવાથી એ બનને શબ્દો એક પદાર્થના અર્થમાં રૂઢ થયા હોય. અને અભયદેવાચાર્યને તે માત્ર એ પછીથી રૂઢ થયેલી પરંપરાને જ પરિચય હોય, તેથી તેમણે એ મૂળ વ્યાખ્યા આપતાં પણ પર્યાયશબ્દ સમજવાની એ જાતની વિચિત્ર વ્યાખ્યા આપી હેય.
જાણવા પ્રમાણે ભગવતીના પાઠને સંવાદક બીજો કોઈ ઉલ્લેખ જૈનસાહિત્યમાં
Aho! Shrutgyanam