Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 227
________________ << ] जैन साहित्य संशोधक ગ્રંથ પૂરા કર્યો ત્યારે કયે રાજા ક્યાં રાજ્ય કરે છે તે વિષેને પ્રશસ્તિમાં લખી દીધા છે જેને મી. સ્મીથ ‘ ભારતીય ઇતિહાસના સાધનનું અદ્વિતીય ઉદાહરણ' કહે છે. એ શ્લાક આ પ્રમાણે છે. शाब्दशतेषु सप्तसु दिशं पञ्चोत्तरेषूत्तरां पातीन्द्रायुधनाम्नि कृष्णनृपजे श्रीवल्लभे दक्षिणाम् । पूर्वी श्रीमदवन्तिभूभृति नृपे वत्साधिराजेऽपरां સૌયો(૨)ળામાંધમ૪છે (*) નયયુતે ચીરે વાઘેડાંત [ સંદર્ એક શ્લાક તેમણે પેાતાના ગ્રંથની સાધનેામાં એક અલભ્ય પ્રકારના અર્થાત્← શક સંવત્ ૭૦૫ માં, જ્યારે ઇન્દ્રાયુ નામના રાજા ઉત્તર દિશામાં રાજ્ય કરતા હતા; શ્રીકૃષ્ણરાજના પુત્ર શ્રીવલ્લભ દક્ષિણ દિશામાં રાજ્ય કરતા હતા; તેમ જ પૂર્વમાં અવન્તિરાજ, પશ્ચિમ માં વત્સરાજ અને સૌર્યમંડલમાં જયવરાહ રાજ્ય કરતા હતા.” આમ આ શ્લોકમાં, શાકે ૭૦૫ માં આખા ભારતના ચારે ખુણે કયા કયા પ્રસિદ્ધ રાજાએ રાજ્ય કરતા હતા તે બતાવ્યું છે અને તે કથન ઐતિહાસિક પ્રમાણેાથી યથાર્થ કર્યું છે. આમાં પશ્ચિમ દિશામાં જે વત્સરાજના અધિકાર બતાવ્યા છે તે પશ્ચિમ દિશા એટલે આપણી પ્રાચીન ગૂર્જરભૂમિ અને તેના અધિપતિ વત્સરાજ તે આ કુવલયમાલામાં જણાવેલ વત્સરાજ છે. વત્સરાજના પ્રપૌત્ર સમ્રાટ મિહિરભેાજ–જેનું બીજું નામ આદિવરાહ પણ હતું, તેના સમયના એક લેખ ગાલિયરમાં મળી આવ્યા છે જેમાં વત્સરાજ વિષે નીચે લખેલું વર્ણન વાંચવામાં આવે છે. तत्सूनुः प्राप्य राज्यं निजमुदयगिरिस्पार्द्ध भास्वत्प्रतापः क्ष्मापालः प्रादुरासीन्नतसकलजगद्वत्सलो वत्सराजः । यस्यैतास्सम्पदश्च द्विरदमदसुरा स्वादसान्द्र प्रमोदाः पद्माक्षीराक्षिपन्त्यः प्रणयिजनपरिष्वङ्गकान्ता विरेजुः ॥ ६ ख्याताद् भण्डिकुलान्मदोत्कटकरिप्राकार दुर्लघतो यः साम्राज्यमधिज्यकार्मुकसखा संख्ये हठादग्रहीत् । एकः क्षत्रियपुङ्गवेषु च यशोगुबन्धुरं प्रोद्वहन्निक्ष्वाकोः कुलसमुन्नतं सुचरितैश्चक्रे स्वनामांकितम् ॥ આમાંના બીજા પદ્યમાં કહેવામાં આવ્યું છે કે વત્સરાજે પ્રસિદ્ધ એવા લૈંડિફુલનું સામ્રાજ્ય યુદ્દ કરી હહપૂર્વક પડાવી લીધું હતું. આ ભંકુિલનું સામ્રાજ્ય તે કયું એ વિષયના હજી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી પણ વિદ્વાનોના તર્ક છે કે આ ભંભડકુલ તે કનોજના વર્મવંશ હશે; અને એ ઉપરથી વત્સરાજે જ કનેાજમાં પેાતાના સામ્રાજ્યની સંસ્થાપનાના પાયા નાંખેલા હશે એમ પુરવાર થાય છે. કનાજ ઉપરાંત વત્સરાજે ગાડ અને બંગાલના રાજાઓને પણ પરાજય કર્યાં હતા, અને તે બંને રાજાનાં શિત્ર તે છતી લાવ્યેા હતેા. પણ પાછળથી જ્યારે તેણે માલવાના રાજા ઉપર ચઢાઇ કરી ત્યારે તે ચઢાઇની સામે, માલવાના રાજા ઉપરાંત દક્ષિણના રાષ્ટ્રકૂટ સમ્રાટ્ ધ્રુવ અને તેના લાટના સામંત કર્કરાજ પણ ઉપસ્થિત થયા અને તેથી વત્સરાજને હાર ખમવી પડી અને બદલામાં તે બંને છત્ર રાષ્ટ્રટ સત્રાને આપી Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290