Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 209
________________ ? ૭૦ ] जैन साहित्य संशोधक [અંદ૨ કહેવી શરુ કરી. તે પછી જ્યારે કેવળ લોકેાત્તર પુરુષાની કથાએને બદલે વત્સરાજ અને નરવાહનદત્ત જેવા લૌકિક પુરુષની પણ કથાસૃષ્ટિ સરજાવા લાગી અને તેમાં કવિત્વ અને કલા ( રસનિષ્પત્તિ)ના પણ પ્રવેશ થવા લાગ્યા ત્યારે જૈન વિદ્વાને તેનું પણ અનુસરણ કરવાનું આવશ્યક લાગ્યું, અને પરિણામે તેમણે પણ તેવું કથાસાહિત્ય નિર્માણ કરવા માંડયું. એમ જણાય છે કે પુરાણકાળમાં ભારત અને રામાયણની કથા ઉપરાંત લેકામાં વસુદેવચરત પણ હુ જ મનોરંજક થઈ પડયું હતું. એ ચરિતને વર્ણવતા કયા કયા લૌકિક ગ્રંથા પ્રસિદ્ધિમાં આવ્યા હતા તે જાણવાનું કશું સાધન જ્ઞાત નથી. પણ જૈન કથાગ્રંથામાં બહુ પ્રાચીન એવા વષુવેર્દિી નામને એક ગ્રંથ એ ત્રણ ખંડમાં મળી આવે છે, તે ઉપરથી અનુમાન થાય છે કે એક વખતે વસુદેવચરત લોકેામાં બહુ જ પ્રિય થઈ પડેલું હાવું જોઇએ. જૈન ચમુદ્દેરિત મૂળ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ભદ્રબાહુ સૂરિએ રચ્યું હતું, એમ હેમચંદ્રસૂરિના ગુરુ આચાર્ય દેવચંદ્ર પેાતાના શાન્તિનાચરિત્રના ઉપાદ્ધાતમાં સૂચવે છે, અને એ ચરિત સવાલાખ ક્ષ્ાક પ્રમાણ જેટલું હતું, એમ તે માને છે.૧ ભદ્રબાહુચિત એ વસુદેવરિત ધણા જૂના વખતમાં જ લુપ્ત થઇ ગયું હોય તેમ લાગે છે. કારણ કે અદ્યાપિ અન શ્રિત પણ અનુમાને ૭ મા સૈકા અગાઉ થઇ ગયેલા સંધદાસ ક્ષમાશ્રમણે આરંભેલા અને ધર્મસેન મહત્તરે પૂરેલા વàત્તિ નામના ગ્રંથમાં એવા સ્પષ્ટ ઉલ્લેખ કરેલા છે કે-કાંઇક તે શ્રુત એટલે શાસ્ત્રમાં નિબદ્ધ થએલું અને કાંઇક આચાર્ય પરંપરાએ કહેવાતું આવતું ચિરત્ર સાંભળીને આ રિતની રચના કરવામાં આવી છે.ર એ જ પ્રમાણે જ્યારે માવળની કથા લેકામાં બહુ જ પ્રિય થઇ પડી હતી ત્યારે વિમલસૂરિ નામના આચાર્યં સૌથી પ્રથમ પમરિય નામનેા કથાગ્રંથ રચી જૈન રામાયણની સૃષ્ટિ નિર્મિત કરી. આ આચાર્ય કયારે થઇ ગયા એ નિર્ણીત થયું નથી. એ ગ્રંથમાં સૂચવેલા સમય પ્રમાણે તે તે વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા હેાવા જોઇએ; પણ તેની રચનાશૈલી અને ભાષાકૃતિ વગેરે ઉપરથી ડા. હન યાકેાખી એમ માને છે કે ૪ થા ૫ મા સૈકા કરતાં એ ગ્રંથ જૂને નથી. એ જ આચાર્યે ભારતની કથા ઉપર પણ મરિયા જેવા જ વિસરિય નામના પણ પ્રાકૃત ગ્રંથ લખ્યા હતા, એમ આ યુવતમાામાં જ જણાવેલું છે; પણ તે અદ્યાપિ ઉપલબ્ધ થયું નથી. પુરાણ પ્રસિદ્ધ પુરુષા ઉપરાંત, ઐતિહાસિક યુગના પ્રારંભમાં ઉદયન વત્સરાજ અને નરવાહનદત્ત વગેરે લૌકિક ઉદ્દાત્ત પુરૂષોની કથાએ લોકસમાજમાં ખૂબ પ્રસિદ્ધિ પામી. કવિને પેાતાની કલા અને કલ્પનાને યથેચ્છ વિહરવા માટે આ નવું ક્ષેત્ર ઘણું વિશાળ અને નિર્બંધ વિનાનું લાગ્યું, અને તેથી તેમણે ઐતિહાસિક અને કાલ્પનિક વસ્તુએના મિશ્રણવાળી વાલવવા, મુમનોત્તરા, ઉર્વશી,૩ મમરથી અને નરવાનવત્ત' વગેરે અનેક શૃંગારરસ પ્રધાન લૌકિક કથાગ્રંથાની રચના કરવા માંડી. ધર્મ અને નીતિપ્રધાન એવી પુરાણ કથાએ સતત સાંભળી સાંભળી રસિક શ્રોતાવર્ગ કંટાળ્યા હતા.પ તેથી તેને માટે આ નવા પ્રકારનું કથા-સાહિત્ય વધારે આકર્ષક અને મનેોરંજક થઈ પડયું. મનુષ્ય સ્વભાવ સ્હેજે શૃંગારપ્રધાન વસ્તુ તરફ વધારે આકર્જાય છે અને એ રીતે એ વસ્તુમાં એકવાર મુગ્ધ થયેલા જનાને પછી કેવળ નીતિ કે ધર્મની વિવેચના કરનારી વાણી શુષ્ક લાગ્યાં કરે છે. આ નિયમે શૃંગારરસસમુદ્દીપક કવિઓની લલિત મધુર વાણી વાળી કામ કથાએ સાંભળી મુગ્ધ બનેલા લોકસમાજ અહિંસા, સંયમ અને તપઃપ્રધાન જૈન શ્રમણેાની માત્ર વિરકિતમેધક ધર્મકથાઓ ઉપર ઉપરત ધારણ કરવા લાગ્યા; અને જૈન કથાકર શ્રમણાને શ્રોતાવર્ગની વ્યાક્ષિપ્ત ચિત્તવૃત્તિને ઉદ્વેગજનક અનુભવ થવા લાગ્યા. નિવૃતિમા↑ જૈન નિગ્રંથીથી આધ્યાત્મિકવૃત્તિને ઉત્તેજન ન આપે તેવા કશે ઉપદેશ કે વાર્તાવનેાદ કરી શકાય તેમ ન હતું. કારણ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290