________________
સંવ 1.
न्यायावतार सूत्र પ્રમાણુની સિદ્ધિ કેમ થાય એ પ્રશ્નને ઉત્તર–
सकलप्रतिभासस्य भ्रान्तत्वासिद्धितः स्फुटम् ।
प्रमाणं स्वान्यनिश्चाायि द्वयासिद्धौ प्रसिद्धयति ॥ ७॥ સઘળે પ્રતિભાસ-જે કઈ જણાય છે તે બધું બ્રાન્ત જ છે એમ સિદ્ધ થતું નથી. તેથી પ્રમાણે તે સ્પષ્ટ જ છે, પણ એ સવ–પર નિર્ણયકારી પ્રમાણની સિદ્ધિ બે વસ્તુની સિદ્ધિ ઉપર જ અવલખે છે.
પ્ર. કોઈપણ વસ્તુ (મેય)ની સિદ્ધિ પ્રમાણથી જ થઈ શકે ત્યારે અહિં તો એમ કહ્યું છે કે પ્રમાણુની સિદ્ધિને આધાર વસ્તુની સિદ્ધિ ઉપર છે. આમ ઉલટું કેમ ?
ઉ. બન્ને વિચારો સાચા છે. કોઈ પણ તત્ત્વ છે કે નહિ; અને હોય તો તે કેવું છે; એનો નિર્ણય સત્યજ્ઞાન–પ્રમાણથી જ થઈ શકે. પ્રમાણમાં જેવું વસ્તુનું સ્વરૂપ ભાસે તેવી જ વસ્તુ સ્વીકારાય છે. તેથી જ કહેવાય છે કે “મેસિદ્ધિ: પ્રમાદ્રિ (ઇશ્વરકૃષ્ણ). આ એક વિચાર.
તેવી રીતે પ્રમાણ એટલે સ્વ-પર નિર્ણયકારી જ્ઞાન. પ્રમાણનું આવું સ્વરૂપ તે ત્યારે જ સંભવી શકે જે સ્વ અને પર જેવી બે વસ્તુઓ હોય. જે એવી કઈ બે વસ્તુઓનું જ ન હોય અગર બેમાંથી એકાદ ન હોય તે સ્વ-પર નિર્ણયકારી પ્રમાણ હોય છે એવો વિચાર જ ન સંભવે. તેથી પ્રખ્યકાર કહે છે કે જ્ઞાનનું સ્વરૂપ અને તભિન્ન વસ્તુ એ બન્ને સિદ્ધ હેવાથી જ પ્રમાણનું લક્ષણ પણ સિદ્ધ છે અર્થાત પ્રમાણુનું સ્વરૂપ પ્રમેયના અસ્તિત્વને આભારી છે. આ બીજો વિચાર.
પહેલા વિચારમાં પ્રમેયના સ્વરૂપનું જ્ઞાન (નહિ કે તેની નિષ્પત્તિ યા બંધારણ) પ્રમાણના અસ્તિત્વને લીધે છે એવો ભાવ છે. અને બીજામાં પ્રમાણના સ્વરૂપનું બંધારણ યા નિષ્પત્તિ ( નહિ કે તેનું જ્ઞાન ) પ્રમેયના અસ્તિત્વને લીધે છે એ ભાવ છે. શબ્દ પ્રમાણનું લક્ષણ
दृष्टेष्टाव्याहताद् वाक्यात् परमार्थाभिधायिनः ।
तत्त्वग्राहितयोत्पन्नं मान शाब्दं प्रकीर्तितम् ॥ ८॥ જેને અર્થ પ્રમાણથી બાધિત નથી એવા અને સત્ય અર્થના બેધક વાકયથી તત્વના ગ્રાહકરૂપે જે પ્રમાણ ઉત્પન્ન થયું હોય તે શાબ્દ કહેવાય છે. શાસ્ત્રનું લક્ષણ
* आप्तोपज्ञमनुल्लध्यमदृष्टेष्टविरोधकम् ।
तत्त्वोपदेशकृत् सार्व शास्त्रं कापथघट्टनम् ॥९॥ જે સિથી પહેલાં આપ્ત અર્થાત્ સર્વજ્ઞ વડે પ્રરૂપાયું હોય; જે બીજાઓ દ્વારા પરાભવ પામે તેવું ન હોય; જેને અર્થ પ્રમાણુથી બાધિત ન હોય; અને જે તત્વનો ઉપદેશ કરનારૂં અને સર્વ હિતાવહ હેય; તે જ એકાતવાદ રૂપ મિથ્યા માર્ગોનું નિરાકરણ કરનાર [ સાચું] શાસ્ત્ર હોય છે, પરાર્થ પ્રમાણનું લક્ષણ
स्वनिश्चयवदन्येषां निश्चयोत्पादनं बुधैः । परार्थ मानमाख्यातं वाक्यं तदुपचारतः ॥१०॥
Aho! Shrutgyanam