________________
ભાષા એ કાળના બ્રાહ્મણ કવિઓની છે તેજ ભાંપા એ મળના જૈન કવિઓની છે.
જૈન કવિઓને માટે એમ કહેવામાં આવે છે કે તેઓ સાધુ હતા અને ધર્મોપદેશક તરીકે મારવાડ વગેરે બીજા પ્રાંતમાં ફરતા હતા, તેથી એમની ભાષામાં બીજી ભાષાના શબ્દો ભળેલા છે; માટે જૈન કવિઓની ભાષા તે ખરેખરી ગુજરાતીભાષા કહેવાય નહિ. કબુલ કરવું જોઈએ કે કેટલાક જેનરાસમાં મારવાડી પ્રયોગોને ભેળ થયો છે અને કેટલાક રાસ મારવાડી ભાષામાં લખાયેલા છે; પણ જૈનસાહિત્યમાં કેટલાક ગ્રંથો આ પ્રકારના મળી આવે છે તે ઉપરથી આખું જૈનસાહિત્ય એ પ્રકારનું જ છે એમ કહેવું એ તે કેવળ અજ્ઞાન બતાવવા જેવું છે. નિર્ભેળ જૂની ગુજરાતીના ગદ્ય પદ્ય જેને પાસે એટલે સંગ્રહ છે કે ચેડાએક રાસ ઉપરથી ઉભો કરેલો એ આક્ષેપ જરા વાર પણ ટકી શકે નહિ.
મારવાડી કે હિંદીના નામે ભડકી ઉઠનારાઓએ પણ જાણવું જોઈએ કે મારવાડી અને હિંદી તે ગુજરાતીના લેહીમાં ભળી ગયેલી છે. આગળ કહેવામાં આવ્યું છે કે અનેક પ્રાંતભાષાઓનું મિશ્રણ થઇને હાલની ગુજરાતી ભાષા બની છે. પ્રાચીન કાળમાં યાદવો મથુરાંથી આવીને દ્વારકામાં રહ્યા હતા. ગિરનાર પરના અશોકના શિલાલેખ અને સુદર્શન તળાવ ઉપરના શિલાલેખ જોતાં મગધના દ્ધ રાજએનો અને પછી ગુપ્તવંશના રાજાઓનો અમલ ગુજરાત ઉપર ચાલતો થયો હતો. કાઠિયાવાડમાં વસતી જેઠવા, વાળા (કાઠી), ચોરા (ચાવડા), આહર, બાબરીયા અને મેર જાતિની પ્રજા ઘણા લાંબા કાળથી ત્યાં આવીને વસી છે. સિંધ અને કચ્છમાંથી વારંવાર અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
"
ઉં.