________________
આવો ફેરફાર છાપનારાઓએ જ કર્યો હશે એમ માની લેવું જરૂરનું નથી. જૂની પ્રતઓમાંજ આવો ફેરફાર કરી લીધેલ હોય છે અને આપણે પોતે નકલ કરવા બેસીએ તો પણ તેમ કરીએ એ સ્વાભાવિક છે. લખનારે “અક્ષરશઃ ઉતારે કરવાનું છે” એ પ્રમાણે ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું ન હોય તે લખનાર દરેક પ્રાત ઉતારતી વખતે પોતાને શુદ્ધ લાગે એવું રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. જૂના કવિઓનાં કાવ્યાની અઢારમા ઓગણીસમા શતકમાં જે જે નકલે કરાઈ છે, તે તે દરેકમાં આવા ફેરફાર કરેલા છે. એકલા બ્રાહ્મણવર્ગના કવિઓનાં કાવ્યોજ નહિ, જૈન કવિઓનાં કાવ્યો પણ વધતા ઓછા રૂપાંતરથી બચવા પામ્યાં નથી. સંસ્કૃત પંચેપાખ્યાન ઉપર ગુણમેર નામના જૈન કવિએ સં. ૧૬૦૦ની આસપાસમાં જૂની ગુજરાતી ભાષામાં પંચેપાખ્યાન રચ્યું છે. એ કાવ્યની બે પ્રતિઓ મને મળી છે. એક પ્રતિમાં જુની ગુજરાતીનાં રૂપ છે છે અને બીજીમાં આખી વાર્તા નવી ગુજરાતીમાં લખી છે. નમુને
આ પ્રમાણે છે. | પહેલી પ્રતિમાં.
બીજી પ્રતિમાં. રાય કહિ સુત દૂયા ગુણ, રાય વખાણે સુતને ભણી, મંત્રિ એક બેલિઉ ઇમસુણું; મંત્રી એક બોલ એમસુણી; લોકવિવહાર ન જાણુઈકસિઉ કાચાર ન જાણે કસુ, તેહ ભણિઉ નવિ કહીઈ તેહ ભણે નવી કૈએ કસુ.
તિસિઉ; કવિતા તે જે મુહિ ચરબસ, કવી તે જે મેહે ચરબો. રૂપી તે લાવણ્ય ખરૂ. રૂપે તે જે લાવણધરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com