________________
પ૭
ઢિવિ –ગુજરાતી લિપિ કયારથી પ્રચારમાં આવી એ નક્કી કરવાને આપણું ભાષાશાસ્ત્રીઓએ કશો યત્ન કર્યો નથી. “વિમલ પ્રબંધમાં લિપિઓની ગણના કરતાં કવિ ગુજરાતી લિપિ ગણાવે છે, એટલે સેળમા શતકમાં ગુજરાતી લિપિ લિપિઓની ગણનાઓમાં ચાલતી આવેલી હોવી જોઈએ. એ સમયે કેટલાં શતક આગળ વધારી શકાય એવું છે, તે નક્કી કરવાનું કશું સાધન નથી. ગુજરાતી ભાષામાં લખાએલ ચૌદમા શતક સુધીના લેખ આપણને મળી શકે છે, પણ છેક સત્તરમું શતક પૂરૂં થતા સુધી ગુજરાતી લિપિમાં લખાએલે કોઈ લેખ આપણે જોઈ શક્તા નથી. 'સંસ્કૃત લખવાને મહાવરે નહિ ધરાવનાર કઈ લખનારે પિતાના ઉપયોગને માટે એકાદ પુસ્તક ઉતારી લીધું હોય, તો તે લખનારનો મરડ જુદો જણાઈ આવ્યા વગર રહે નહિ. સંવત ૧૫૦૦ પછીનાં તેવા મરોડનાં કેટલાંક પાનાં મને મળ્યાં છે. એ પાનાં જોતાં એમ લાગે છે કે આ અક્ષરને માથાં બાંધીને લખવાને બદલે આખી લિટિમાં લખ્યા હોત તો તેને ગુજરાતી લિપિ કહેવાને થોડાકજ અક્ષરની નડતર રહેત. મને લાગે છે કે ગુજરાતી લિપિ પુસ્તકની લિપિ તરીકે તે સત્તરમા શતક પછીજ વપરાતી થઈ છે. તે પહેલાં તે વાણિયાના ચોપડાની લિપિ હતી, ને તેથી તે
વારિયાલિપિ” એ નામ પામી હતી. ચોપડા ગુજરાતી લિપિમાં લખાય અને કથાવાર્તા નાગરી લિપિમાં લખાય, એ તે વખતની રૂઢિ હતી. સત્તરમા શતકમાં ગુજરાતી ભાષાની પેઠે નાગરીલિપિમાં પણ ફેરફાર થયો છે. વિક્રમ સંવત ૧૬૦૦ સુધીનાં નાગરીલિપિમાં લખાયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com