________________
,
સાહિત્ય લેકભાષામાં રચતા હતા. લૌકિકસાહિત્યને આશ્રય કરવાની બ્રાહ્મણ અને જૈને બેઉને સરખી જરૂર ઉત્પન્ન થઈ હતી ને બેઉ સરખી રીતે કામ કરતા હતા. પ્રાચીન કાળના જૈનગ્રંથકારની ભાવો જુદી છે એમ કહેનારાઓને સાક્ષરશ્રી નવલરામભાઈ આ પ્રમાણે જવાબ આપે છે –
“એ બાબત ( જૂના જૈનકવિઓની ભાષા બાબત) અમારે એવો વિચાર છે કે જૂની ગુજરાતીમાં જૈન કે વેદમાર્ગીને કાંઈ ભેદ ગણવાનો નથી, પણ એથી ઉલટું હાલ (એ કાળે) ગોરજીઓ જે ભાષામાં ગ્રંથ લખે છે તેજ ભાષા આખા ગુજરાત પ્રાંતની જન ભાષા હતી એ વિચાર વ્રજલાલ શાસ્ત્રીએ પોતાના એક ગ્રંથમાં સાફ જાહેર કીધો છે, અને જે જે વિદ્વાને જૂની ગુજરાતીનું અવલોકન કરે છે તેનો પણ એજ વિચાર થયા વિના રહેતો નથી.”
(નવલગ્રંથાવલિ પૃ. ૩૯૯)
ચોથા પાંચમાં શતકનાં જેનસની ભાષા અને સાળમાં શતકના જૈનાસોની ભાષા એક હોય છે તે સંભવેજ નહિ. જે -- -- --
• આ અભિપ્રાયના સમર્થનમાં ભીમ કવિ કૃત “હરિલીલા સોળ કળા, “કૃષ્ણદાસકૃત માટે સુદામો' અને વૈષ્ણવાહિકમાંથી ઉવારા આપે છે: અને એ પછી સરખામણીને માટે સંવત ૧૬૦૩ માં રચાયેલા અને સં. ૧૬૧૩માં લખાએલા:વિમળસૂરિકૃત “સારહારાસને છેડે ઉતરે આપે છે. જેવા ઈચ્છનાર “નવલગ્રંથાવલિ' કે ૧૯૭૩ના “શાળાપત્રમાંથી તે જોઈ શકશે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com