Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 13
________________ દોષોના સડા દૂર થતા જીવન મૂલ્યવાન બને છે ખાણમાં પડેલા હિરાની કિંમત કોડીની, કો'ક ઝવેરીના હાથમાં આવી જાય. તેને પેલ આપે, અંદરના ડાઘો દૂર કરે ત્યારે તે જ હિરાની કિંમત કરોડોની થઈ જાય. પહાડમાં પડેલા પત્થરની કિંમત કોડીની, પણ કો'ક શિલ્પીના હાથમાં આવી જાય, તેને ઘાટ આપે, પત્થરના ડાઘાઓ-ખામીઓ દૂર કરે, પરમાત્માનો આકાર આપે, ત્યારે તે જ પત્થરની કિંમત અમૂલ્ય થઈ જાય. નાગરવેલના પાનના અમુક ભાગ સડી ગયા હોય ત્યારે, નવરાશના સમયમાં પાનવાળો સડેલા ભાગને કાપવાનું કામ જ કરતો હોય છે. જો તે ભાગ Remove ન કરે તો આખુ પાન સડી જાય. કેરીનો સડેલો ભાગ પણ તુરંત કાઢી નાંખવો પડે. અન્યથા તે કેરી તો સડે, સાથે આખો ટોપલો કિડાઓથી ખદબદી ઉઠે. - શરીરનો અમુક ભાગ સડી ગયો હોય તેને પણ ઓપરેશન દ્વારા કાપી નાંખવો પડતો હોય છે. અન્યથા તેનું ઝેર આખા શરીરમાં પ્રસરી જાય. મોત આવી જાય. તે સડો દૂર થઈ જતા બાકીનું શરીર સડામુક્ત બની સ્વસ્થ રહી શકે છે. હીરામાંથી ડાઘાઓ દૂર કરાય, પત્થરમાંથી દોષો દૂર કરાય, પાન/ કેરી કે શરીરમાંથી સડો દૂર કરાય તો જ તેની કિંમત થાય, આપણો આત્મા અનંતકાળથી ચોર્યાસી લાખ યોનીની ખાણમાં ઘરબાએલો છે. ત્યાં તેની ફટ્ટી કોડીની Value નથી, પણ માનવ ખોળીયુ મળે. ધર્મ શાસનનું Field મળે, ઝવેરી કે શિલ્પી જેવા સદ્ગુરૂનો ભેટો થાય, તેઓ અંતરમાં પડેલા દોષોને Remove કરે, આપણા સડાને દૂર કરાવે તો આપણી કિંમત અમૂલ્ય થઈ જાય. ડોક્ટરનું એક જ કામ છે, યોગ્ય દર્દીઓના દર્દીને સીફતપૂર્વક દૂર કરવા. ધર્મ કે ધર્મગુરૂઓનું એક જ કાર્ય છે યોગ્ય આત્માઓના દોષોને, 6.**

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 186