Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 12
________________ કરવી છે. હવે તો ત્રણ લોકના સમ્રાટ પરમાત્માને પતિ તરીકે હૃદયમાં સ્થાન આપવું છે. હવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રના રત્નાલંકારોથી સજજ થવું છે. હવે તો આત્મસમૃદ્ધિનો રસાસ્વાદ માણવો છે. આ ભવ્યવિચારધારાના પ્રવાહમાં શ્રેણિક પ્રત્યેનો પ્રેમરાગ ધોવાઈ ગયો. પરમાત્મા પ્રત્યે ગુણરાગ પ્રગટ થયો. કર્મે કરેલા કારમાં વિશ્વાસઘાત સુજ્યેષ્ઠાના જીવનમાં ગેબી Change આવી ગયો. શુભભાવનાના પ્રભાવે ચારિત્રમાં બાધક બનતા કર્મો દૂર થયા. મગધની સ્વામીની બનવા જતી સુજ્યેષ્ઠા પરમાત્માની ચરણોની સદા માટેની ઉપાસિકા બની ગઈ. નિર્મળ ચારિત્રની અખંડ સાધના કરી સુચેષ્ઠાએ હૃદયને શુદ્ધ કર્યું. મનને પવિત્ર કર્યું. જીવનને સફળ કર્યું. નાની કથાનો અર્ક અમૂલ્ય છે. નાનો લાભ જતો ન કરવાની તૈયારી ક્યારેક મોટી સિદ્ધિઓ અને સફળતાઓ દૂર ધકેલી દે છે. મહાન કાર્યની સાધના સમયે નાના કાર્યો તરફનો દ્રષ્ટિપાત મહાવિઘાતક પૂરવાર થઈ શકે છે. પુન્ય-નસિબ-કર્મ ઉપર વધુ પડતો વિશ્વાસ ક્યારેક કિનારે આવેલી નાવને ડુબાડી દે છે. અંતે - Positive thinking is not about expecting the best to happen, it is about accepting that whatever has happened is the best. ..........

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186